નાભીમાં શુધ્ધ ઘી લગાવવાના ફાયદા

આજે મોટાભાગના લોકો સ્વસ્થ રહેવા માટે ઘણી બધી મહેનત કરતા હોય છે, છતાં પણ બીમારી કોઈને કોઈ રીતે શરીરમાં પ્રવેશતી જ હોય છે. કારણ કે બહારનું પ્રદુષણ અને બહારની ખાણીપીણી બંન્ને આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. પરંતુ રાત્રે સુતા સમયે પોતાની નાભિ ઉપર શુદ્ધ ઘી લગાવવાથી ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. ચાલો જાણીએ નાભિ ઉપર ઘી લગાવવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે.
1. કબ્જથી મળશે રાહત: નાભિની અંદર ઘી લગાવવાથી કબ્જની સમસ્યાથી છુટકારો મળે છે. આ ઉપરાંત પેટ સાથે જોડાયેલી બીમારીઓ માટે પણ ફાયદાકારક છે.
2. ઘૂંટણના દુ:ખાવામાં પણ આપશે રાહત: નાભિની અંદર ઘી બહુ જ સરળતાથી અવશોષિત થઇ જાય છે અને આ પ્રકારે તે ઘૂંટણના દુ:ખાવા અને સોજાને ઓછો કરવામાં પણ મદદ કરે છે. ઘીમાં રહેલા પેન રિલીવિંગ ઇફેક્ટ ઘૂંટણના દુ:ખાવાને ઓછો કરે છે. સાથે જ શરીરમાં થવા વાળા દુખાવાથી પણ રાહત અપાવે છે.
3. હોઠ માટે પણ લાભદાયક: જે લોકોના હોઠ ખુબ જ ફાટે છે તેમના માટે નાભિની અંદર ઘી લગાવવું એક સારો વિકલ્પ છે. તેની અંદર મોશ્ચ્યુરાઇજીંગ ઇફેક્ટ હોય છે જે હોઠને પૂરતા પ્રમાણમાં નમી આપે છે. હોઠની કોમળતાને બનાવી રાખવા માટે તમે સીધા જ ઘીને લગાવી શકો છો. તેનાથી પણ તમને લાભ મળશે.
4. વાળ ઉતરવાની સમસ્યા કરશે દૂર: હાલના સમયમાં વાળ ઉતરવાની સમસ્યા શરીરમાં પોષકતત્વોની ઉણપના કારણે થાય છે. એવામાં જો તમે નાભિની અંદર ઘી લગાવો છો તો તેનાથી તમને વાળ ઉતરવાની સમસ્યા ઓછી થઇ જાય છે. તે વાળને જડમાંથી મજબૂત બનાવે છે.
આ રીતે કરો ઉપયોગ: રોજ રાત્રે સુતા પહેલા થોડું ઘી હળવું ગરમ કરી લેવું. ત્યારબાદ તેના થોડા ટીપા નાભિની અંદર નાખવા અને પેટની આસપાસ 5મિનિટ સુધી હળવી માલીસ કરવી.

Similar Posts

  • Dr. Mickey Mehta Presents

    ‘Go Green Wellness Treats, To Connect With 7 Billion Heart Beats’!!! . Celebrating his 50-something Birthday, our 30-something-looking health guru, India’s Wellness Maestro, Dr. Mickey Mehta, shares his Ten Commandments: Mickey Mehta’s initiative for a Disease-Free world. Mickey Mehta’s Wellness Revolution for Human Evolution Mickey Mehta says: ‘Let wellness be the Religion No. 1’ Mickey Mehta says: ‘Medicine Cures, Nature heals!’ Mickey Mehta says: ‘Sleep…

  • |

    An Unrivalled Theatrical Revival!

    Resurrecting the play, ‘Amarjyoti Zarathustra’, after 30 years, for the Iranshah Udvada Utsav 2019.   [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] For Mithoo Jesia, the Iranshah Udvada Utsav 2019 has been a long time in the making, as she and her all-star production team, promise to put up a play of epic proportions, poignant significance and technical superiority…

  • સોદાગર જીનની રાહ જોવા લાગ્યો!!

    જ્યારે તેઓએ તેની આ દુ:ખ દાયક કહાણી સાંભળી ત્યારે તેઓ ઘણાજ નાસીપાસ થયાં અને તેની બાયડી માહેતમમાં પડી બાલ ખેચવા ને છાતી કુટવા લાગી અને તેજ પ્રમાણે તેના બચ્ચાંઓ તેની સાથે રડીને આખા ઘરમાં શોર મચાવવા લાગ્યા અને પેલો સોદાગર પણ તેમની સાથે માહેતમ કરવા માંડયો. બીજા દિવસથી તે સોદાગર પોતાના સઘળા કારભાર તથા વહિવટની…

  • ‘Ammara’ By Kainaaz Mehta

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]‘PT Push’ is Parsi Times’ endeavour to promote and encourage the spirit of entrepreneurship, dedicated to furthering the cause of all budding entrepreneurs in our community, by sharing their efforts with our readers, to gain your support for their ventures. In this episode, PT Push presents Kainaaz Mehta, Founder and Owner of ‘Ammara’. Uncomfortable…

  • Numero Tarot By Dr. Jasvi

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e3e3e3″] Parsi Times brings you Dr. Jasvi’s column on her unique Numero-Tarot monthly readings, based on your month of birth: [/otw_shortcode_info_box] January (Lucky No. 11; Lucky Card: Justice): This is a joyful phase so be happy and enjoy the rainbow of love, care, hope, laughter, happiness, success and victory. Quick travel is indicated. Remember…