યંગ રાથેસ્ટાર્સને અભિનંદન

દર વર્ષે દાદર, મુંબઇના યંગ રથેસ્ટાર્ર્સ સમિતિના સભ્યો ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ જરથોસ્તી પરિવારોને મદદ અને ટેકો આપવા માટે પહોંચે છે. 1942માં સ્થપાયેલ એન જી ઓ – યંગ રથેસ્ટાર્ર્સ ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં તેના વાર્ષિક અનાજ વિતરણ દ્વારા 30 વર્ષથી સતત ઉત્કૃષ્ટ પરોપકારી સેવા પૂરી પાડી રહી છે.

તાજેતરમાં જ આ ભલા સમરટિયન્સો દ્વારા અનાજવિતરણ કવાયત હાથ ધરવામાં આવી હતી જે ગુજરતાના દહુણુ, ગણદેવી, નારગોલ અને સરોડા ગામમાં તેઓએ 50 થી વધુ વંચિત પારસી/ઈરાની ઝોરાસ્ટ્રીયન પરિવારો અને હમદિનોને રોજિંદા ઉપયોગી અને વપરાશની આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડી હતી. જેમાં અનાજ, સદરા, ટુવાલ વગેરેનો સમાવેશ થાય છે. યંગ રથેસ્ટાર્ર્સનું નેતૃત્વ ચેરપર્સન – શ્રીમતી અર્નવાઝ જાલ મિસ્ત્રી, વાઈસ પ્રેસિડન્ટ હોમિયાર ડૉક્ટર, સેક્રેટરી યાસ્મિન મિસ્ત્રી અને શિરાઝ ગાર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમણે પ્રોગ્રામને આગલા સ્તર સુધી વધારવામાં મદદ કરી છે.

પારસી ટાઈમ્સ સાથે વાત કરતા યંગ રથેસ્ટાર્ર્સના પ્રેસિડન્ટ અર્નવાઝ જાલ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે યંગ રથેસ્ટાર્ર્સનું ઉદ્દેશ્ય અમારા સમુદાયના ઓછા ભાગ્યશાળી ભાઈઓ સુધી પહોંચવાનો અને તેમને મૂળભૂત સહાય પૂરી પાડવાનો છે કે જેઓ મુખ્ય પરવાહથી દૂર થઈ ગયા છે અને જેઓ ભારતમાં રહે છે. ગુજરાતના આંતરિક વિસ્તારોમાં રોગચાળા બાદ પરિસ્થિતિ વિકટ બની ગઈ છે અને તેઓ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેઓને અમારી પહેલા કરતા વધુ મદદની જરૂર છે અને અમે તેમના જીવનમાં નાનો બદલાવ લાવવા માટે સમર્થ હોવાથી અમે આશિર્વાદ અનુભવીએ છીએ.

આપણા સમુદાયની સેવા કરવા માટે પ્રતિબદ્ધ વ્યક્તિઓનું આ ગતિશિલ જૂથ અંકલેશ્ર્વર, ભરૂચ અને સુરત સહિત ગુજરાતના અન્ય ગ્રામ્ય અંતરિયાળ વિસ્તારોમાં અનાજ, સદરા અને ટુવાલના વિતરણ માટે નિર્ધારિત તેમના કાર્યક્રમોના આગલા તબક્કાની તૈયારી કરી રહ્યું છે.

જો આપ સંસ્થાને સમર્થન આપવા ઈચ્છતા હો તો તમારો ચૅક (યંગ રથેસ્ટાર્ર્સ) સંસ્થાની તરફેણમાં મોકલી શકો છો. પ્રેસિડન્ટ શ્રીમતી અર્નવાઝ જાલ મિસ્ત્રી 802/અ એકતા ઈન્વિક્ટસ્, 68, ડૉ. આંબેડકર રોડ, દાદર (પૂર્વ,) મુંબઈ – 400014. વધુ વિગત માટે : અર્નવાઝ મિસ્ત્રી, 9821009289 / 9137713817 અથવા હોમિયાર ડૉક્ટર : 8693822722 / 9821384385

Similar Posts

  • જીન ગુમ થઈ ગયો!

    ‘તમે તમારી તરફની મારી ધારણા કરતા વધારે સખી દિલ બતાવ્યું તેથી મારા ઉપકારનો ઉભરો તમને જણાવવાને મને ઘણીજ ખુશી ઉપજે છે. પણ તમારા નિમકહરામ ભાઈઓ પર મને ઘણોજ ક્રોધ આવે છે. તેથી જ્યાં સુધી તેમના જીવ હું લઈશ નહીં ત્યાં સુધી મારો બખ પૂરો પડશે નહીં.’ તે પરીના એવા સખુનો સાંભળીને મને ઘણીજ અચરતી ઉત્પન્ન…

  • ભગવાને રાખી ભકતની લાજ

    એકવાર શિવાજી મહારાજ ભકત તુકારામના ભજન-કીર્તન સાંભળવા બેઠા હતા. તે આ પ્રસંગે ઔરંગઝેબ ત્યાં તેમને પકડવા પહોંચી ગયો કીર્તન મંડળીમાં પ્રવેશવાની તો તેનામાં શક્તિ ન હતી. જેથી બહાર ઉભા રહીને ઘેરો ઘાલ્યો અને શિવાજીના નીકળવાની વાટ જોતો ઉભો રહ્યો. સંત તુકારામ મહારાજે તેને ઉભેલો જોયો. તેમણે પ્રાર્થના કરી કે હે પ્રભુ આ વખતે શિવાજી પકડાય…

  • 30ની ઉંમરમાં પણ ફિટ બનાવી રાખશે આ કેટલીક સ્વસ્થ આદતો:

    કોઇકે સાચુ જ કહ્યું છે કે સારી આદતો જ બહેતર અને સ્વસ્થ જીવનની ચાવી છે. એવામાં જ્યારે વાત ઉંમરનાં 30માં તબક્કાની આવે છે, તો આ વાત બિલ્કુલ સચોટ બેસે છે, કારણ કે આ ઉંમરમાં આપણું મેટાબોલિઝ્મ પણ નબળું થવા લાગે છે, તો બીજી બાજુ અડધાથી વધુ બિમારીઓ આ જ સમયગાળામાં ઘેરવા લાગે છે, કારણ કે…

  • ઐતિહાસિક ફિલ્મોના રાજા સોહરાબ મોદી

    સોહરાબ મોદીના 2જી નવેમ્બરે આવતા જન્મદીનને દિવસે તેમને યાદ કરતા… સોહરાબ મોદીનો જન્મ 2જી નવેમ્બર 1897ના દિવસે મુંબઈમાં થયો હતો. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ તેમના ભાઈ કેકી મોદી સાથે ગ્વાલિયરમાં ફીલ્મ પ્રદર્શક તરીકે રહ્યા હતા. 16 વર્ષની વયે તેઓ ગ્વાલિયરના ટાઉન હોલમાં ફીલ્મો પ્રોજેક્ટ કરતા હતા. 26 વર્ષની વયે તેમણે આર્ય સુબોધ થિએટ્રીકલ…

  • ઈશ્ર્વર પર ભરોસો

    એક હોડી તોફાનમાં ફસાઈ એથી એમાં બેઠેલી એક યુવતી થરથર ધ્રૂજવા લાગી ત્યારે… એક આસ્થાવાન યુવકનાં લગ્ન થયાં. લગ્ન પછી થોડા દિવસો બાદ તેની પત્નીને પિયરની યાદ આવી. તેણે કહ્યું કે મારે થોડા દિવસ માટે મારે પિયર જવું છે. યુવાને કહ્યું, ‘ખુશીથી જા. હું તને કાલે તારે પિયર મૂકી જઈશ.’ બીજે દિવસે બન્ને ઘરેથી નીકળ્યાં….

  • |

    પારસીઓ અને અગ્નિની પૂજા

    ઝોરાસ્ટ્રિયન ગ્રંથો ભલામણ કરે છે કે અવેસ્તા પ્રાર્થના યોગ્ય કેબલા તરફ મુખ રાખીને કરવી જોઈએ, એટલે કે, પવિત્ર વસ્તુ અથવા પવિત્ર સ્થળ જેમ કે તેજસ્વી સૂર્ય, તેજસ્વી ચંદ્ર, વહેતું પાણી, ઘરમાં પવિત્ર અગ્નિ, અગિયારી અથવા આતશ બહેરામ પરનું આતશ તરફ મુખ રાખી અવેસ્તા પ્રાર્થના કરવી જોઈએ. આતશ એ સૌથી નજીક છે જે માનવ આંખ અને…