યંગ રાથેસ્ટાર્સને અભિનંદન

દર વર્ષે દાદર, મુંબઇના યંગ રથેસ્ટાર્ર્સ સમિતિના સભ્યો ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ જરથોસ્તી પરિવારોને મદદ અને ટેકો આપવા માટે પહોંચે છે. 1942માં સ્થપાયેલ એન જી ઓ – યંગ રથેસ્ટાર્ર્સ ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં તેના વાર્ષિક અનાજ વિતરણ દ્વારા 30 વર્ષથી સતત ઉત્કૃષ્ટ પરોપકારી સેવા પૂરી પાડી રહી છે.

તાજેતરમાં જ આ ભલા સમરટિયન્સો દ્વારા અનાજવિતરણ કવાયત હાથ ધરવામાં આવી હતી જે ગુજરતાના દહુણુ, ગણદેવી, નારગોલ અને સરોડા ગામમાં તેઓએ 50 થી વધુ વંચિત પારસી/ઈરાની ઝોરાસ્ટ્રીયન પરિવારો અને હમદિનોને રોજિંદા ઉપયોગી અને વપરાશની આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડી હતી. જેમાં અનાજ, સદરા, ટુવાલ વગેરેનો સમાવેશ થાય છે. યંગ રથેસ્ટાર્ર્સનું નેતૃત્વ ચેરપર્સન – શ્રીમતી અર્નવાઝ જાલ મિસ્ત્રી, વાઈસ પ્રેસિડન્ટ હોમિયાર ડૉક્ટર, સેક્રેટરી યાસ્મિન મિસ્ત્રી અને શિરાઝ ગાર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમણે પ્રોગ્રામને આગલા સ્તર સુધી વધારવામાં મદદ કરી છે.

પારસી ટાઈમ્સ સાથે વાત કરતા યંગ રથેસ્ટાર્ર્સના પ્રેસિડન્ટ અર્નવાઝ જાલ મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે યંગ રથેસ્ટાર્ર્સનું ઉદ્દેશ્ય અમારા સમુદાયના ઓછા ભાગ્યશાળી ભાઈઓ સુધી પહોંચવાનો અને તેમને મૂળભૂત સહાય પૂરી પાડવાનો છે કે જેઓ મુખ્ય પરવાહથી દૂર થઈ ગયા છે અને જેઓ ભારતમાં રહે છે. ગુજરાતના આંતરિક વિસ્તારોમાં રોગચાળા બાદ પરિસ્થિતિ વિકટ બની ગઈ છે અને તેઓ પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેઓને અમારી પહેલા કરતા વધુ મદદની જરૂર છે અને અમે તેમના જીવનમાં નાનો બદલાવ લાવવા માટે સમર્થ હોવાથી અમે આશિર્વાદ અનુભવીએ છીએ.

આપણા સમુદાયની સેવા કરવા માટે પ્રતિબદ્ધ વ્યક્તિઓનું આ ગતિશિલ જૂથ અંકલેશ્ર્વર, ભરૂચ અને સુરત સહિત ગુજરાતના અન્ય ગ્રામ્ય અંતરિયાળ વિસ્તારોમાં અનાજ, સદરા અને ટુવાલના વિતરણ માટે નિર્ધારિત તેમના કાર્યક્રમોના આગલા તબક્કાની તૈયારી કરી રહ્યું છે.

જો આપ સંસ્થાને સમર્થન આપવા ઈચ્છતા હો તો તમારો ચૅક (યંગ રથેસ્ટાર્ર્સ) સંસ્થાની તરફેણમાં મોકલી શકો છો. પ્રેસિડન્ટ શ્રીમતી અર્નવાઝ જાલ મિસ્ત્રી 802/અ એકતા ઈન્વિક્ટસ્, 68, ડૉ. આંબેડકર રોડ, દાદર (પૂર્વ,) મુંબઈ – 400014. વધુ વિગત માટે : અર્નવાઝ મિસ્ત્રી, 9821009289 / 9137713817 અથવા હોમિયાર ડૉક્ટર : 8693822722 / 9821384385

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    08 June, 2019 – 14 June, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા કામમાં સંતોષ મળશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. મુસાફરીનો ચાન્સ છે. મનને શાંત રાખી કામ પૂરા કરવામાં સફળ થશો. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. નવા મિત્રની મુલાકાતથી ભવિષ્યમાં ફાયદો થશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી…

  • |

    એક હજાર ગોટીઓ!!

    માણેક ભણવાને આધારે લંડન ગયેલો હતો. પોતાના માબાપનો એકનો એક દીકરો ભણીને આગળ વધે એ માટે સંજાણની બેન્કમાં સાધારણ નોકરી કરતા બહેરામશા ચાહતા હતા કે તેનો દીકરો ભણવા માટે લંડન જાય. પણ કુદરતી કરણી કહો કે માબાપનું નસીબ, માણેક લંડનથી પાછો કયારે આવી જ નહીં શકયો ત્યાંજ સ્થાયી થયેલી રૂબી સાથે તે પ્રેમમાં પડયો અને…

  • આવાં અરદવીસુર અનાહિતાબાનુ, તેજસ્વી આવાં યઝદ

    કાલે આવાં રોજ છે. દાદાર અહુરામઝદાએ કરેલી રચના, બધા હમદીનો ભીખા બહેરામના કુવા પર જઈ પ્રાર્થના કરશે. આવાં અરદવીસુર અનાહિતા બાનુ જે આપણા વહેતા પાણીની રક્ષા કરે છે જે અન્ય માનવજાત, પ્રાણીઓ, ઝાડ-પાન તથા પ્રવાહી જીવનને ટકાવી રાખવા અત્યંત જ‚રી છે. આપણે જરથોસ્તીઓ પ્રકૃતિના તમામ સ્વ‚પો જે દૈવી ઉર્જા સાથે આવ્યા છે તેમની પ્રાર્થના દ્વારા…

  • નબી જરથોસ્તે દાખવેલા ચમત્કાર

    ઈરાનવેજમાં રએ શહેરના હાકેમ દોરાંસરૂ જરથોસ્ત સાહેબના કટ્ટર વિરોધી હતા ને બાળ-જરથોસ્તનો નાશ કરવા તૈયાર રહેતા તેમને મારી નાખવા પોતાની તલવાર ઉગામી ત્યારે તેનો હાથ હવામાં અધ્ધર જ રહી ગયો. ત્યાર પછી તેનો હાથ તદ્દન સુકાઈ ગયો. આવા અલૌકિક ચમત્કારથી ગભરાઈ હાકેમે તેમને જંગલમાં લઈ જઈ ચેહ સળગાવીને તેમને ચેહમાં નાખી બાળકને ભસ્મ કરવાનો અખતરો…

  • Your Moonsign Janam Rashi This Week –
    10 February, 2018 – 16 February, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્ર જેવા ગ્રહની દિનદશા ચાલશે તેથી નાણાકીય મુશ્કેલીમાં ફસાયેલા હશો તેમાંથી બહાર નીકળવામાં સફળ થશો. શુક્રની કૃપાથી ધન કમાવવામાં મુશ્કેલી નહીં આવે અને આનંદમાં રહેશો. શારીરિક બાબતમાં સારા સારી રહેશે. તબિયત માટે યોગ્ય માર્ગદર્શન મેળવી શકશો. શરીરમાં…

  • જીવનમાં વિનમ્ર રહો!

    ખૂબ જ જૂના સમયની આ વાત છે, એક ડાકુ અને એક સંત ની મૃત્યુ એક જ દિવસે થઈ ગઈ. વિધિના વિધાન કહો કે જે પરંતુ આ બંનેનો અંતિમ સંસ્કાર પણ એક જ દિવસે થયો અને આ બધું થયા પછી બંનેની આત્મા યમલોક ગઈ. યમરાજે બંનેના કર્મોના લેખા-જોખા જોઈને એ બંનેને કહ્યું કે શું તમે તમારા…