મીથ્રનુ બળ 

આજે તો બુરા જમાનાની આલુદગીને લીધે તરીકતમાં તો ખામી આવ્યા વગર રહેજ નહિં પણ આજે જે મુખ્ય ચીજ છે તે મીથ્ર છે. ભલા જમાનામાં મુખ્ય ચીજ યસ્ન હોય છે. ઉસ્તાદ સાહેબ ક્ષ્નુમ લાવ્યા અને તે અમુક જણાઓને તેહસીલ થયો તે કાંઈ ખાલી અકસ્માત નથી પણ વરજાવંદ સાહેબની આમદનો મીથ્ર ઉભો કરવા માટે બધું થયું છે. દુનિયામાં જે કાંઈ આબાદીના પ્રવાહો ઉતરે છે તેમાંબી મીથ્રજ કામ કરે છે. તેમાં ત્રણ જાતના મીથ્રો કામ કરી શકે:
(1) શહેનશાહનો મીથ્ર (2) અંજુમનનો મીથ્ર, (3) જાનવરોનો મીથ્ર
સૌથી પહેલા દરજજાનો મીથ્ર ભલા શહેનશાહનો હોય જે કેવો હોય કે અમુક નીરંગ ભણીને હળને હાથ લગાડે કે તરતજ વરસાદ પડે. બીજા દરજ્જાનો મીથ્ર ભલી અંજુમનનો હાય અને ત્રીજ બધી જાનવરી પેદાયશનો.
આજે તો આબાદોમાં સૌથી મોટો હિસ્સો જાનવરી પેદાયશનો છે કારણ તે બધાનો ભલો મીથ્ર કુદરતની તરતિબ પ્રમાણે ચાલુ ચાલ્યા જ કરે છે. અંજુમનમાં તો કોઈ ઘણાજ થોડા દીનચાશીદારોનો મીશ્ર હોય તેજ અને આજે બીચારા શહેનશાહના મીથ્ર જેવું તો કાંઈબી છેજ નહિ.
એક માણસ બસ ખંતીલો બનીને સાત વરસ સુધી. ચાલું એક મીથ્ર કરે કે મારી ફલાણી ખામી દૂર થાઓ તો જરૂર જ તે ખામી દૂર થશે. ભલેને જોશી તેનો ટપકો જોઈને કહે કે માણસ ભેજા ફાટેલ છે. પણ તે પોત જોઈને અજબ થાય કે વાતમાં તો કેટલો ઠંડો છે; એમાં કાંઈ જ્યોતિષ ખોટું નથી પડતું પણ મીથ્રથી એટલો બધો ફરક પાડી થકાય છે.
અહિયા આપણે કલાસમાં ભેગા મલીએ છીએ. હું બોલું છું, તમે સમજો છો. એબી એક ભલો મીથ્ર ઉભો કરવા માટે છે. વરજાવંદ સાહેબની આમદને લગતી ચિથ્રેમ બુયાતની બંદગી જે આદર બાદ મારેસ્પંદે આપી છે અને છેક એવણની રાઈનીદારીની શરૂઆતથી આવતા રાઈનીદાર થાટે ભણાઈ રહી છે તે શાને માટે? એક મીશ્ર ઊભો કરવા. કુદરતમાં પણ ઈલ્લત-માલુલ  નો કાયદોજ કામ કરે છે.

Similar Posts

  • સુખી રહેવાના છ રહસ્યો

    ટીવી ચાલુ કરો અને ત્યાં કરોના વાયરસના સમાચાર જોવા મળે છે. કોઈપણ અખબાર વાંચો – તે જ જૂના સમાચાર. કોઈની સાથે વાત કરો અને તેઓ પણ તેજ વાત કરશે વાયરસ કેવી રીતે આવે છે! પરંતુ, તે દરેક જણને લાગતો નથી. કેટલાક લોકોને, એવું લાગે છે કે, દરેક કીડો, સૂક્ષ્મજંતુ એ વાયરસને પકડે છે, જ્યારે અન્ય…

  • સાત અમેશાસ્પેન્તાનું મહત્વ

    આપણા કેલેન્ડર મુજબ અઠવાડિયાના સાત દિવસના નામ સાત અમેશાસ્પેન્તાના નામ પરથી રાખવામાં આવ્યા છે. આ સાત અમેશાસ્પેન્તાના પણ કેટલાક સહાયકો છે. જે તેમની ન્યાયી ફરજ નિભાવવામાં તેમની સહાય કરે છે. અમેશાસ્પેન્તાના મહત્વ નીચે મુજબ છે. 1) દાદર હોરમઝદ – ધ વિઝડમ એન્ડ ધ સ્પિરિટ ઓફ ગોડ (સ્પેન્તા મેન્યુ): દરેક માણસને અહુરા મઝદાના યોગ્ય હુકમો અનુસાર…

  • સર જે. જે. અગિયારીની 175માં વર્ષની ઉજવણી

    29મી નવેમ્બર, 2019ને દિને પુનાની સર જમશેતજી જીજીભોય અગિયારીએ 175મી શુભ સાલગ્રેહની ઉજવણી કરી. લગભગ 300 જેટલા જરથોસ્તીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જશનની પવિત્ર ક્રિયા પંથકી એરવદ કૈપાશીન રાયમલવાલા સાથે વડા દસ્તુરજી ફિરોઝ કોટવાલ, વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર અને વડા દસ્તુરજી સાયરસ દસ્તુર તથા બીજા તેર મોબેદોએ મળીને કરવામાં આવી હતી. આ પ્રસંગમાં બોલતા…

  • કારણ કે જીવનની યાત્રા બહુ જ ટૂંકી છે..

    એક વૃદ્ધ મહિલા બસમાં મુસાફરી કરી રહી હતી. આગળના સ્ટોપ પર એક સુંદર મજબૂત યુવતી બસમાં ચઢી અને વૃદ્ધ મહિલાની બાજુમાં બેઠી. થોડીવાર પછી તેને બાજુમાં બેઠેલી વૃદ્ધ મહિલાને ધક્કા મારવાનું ચાલુ કર્યુ અને તેના સામાન ને પણ પગથી લાતો મારવા લાગી. યુવતીએ જોયું કે વૃદ્ધ મહિલા તેના આ ખરાબ કૃત્ય કરવા છતાં ચૂપ છે…

  • યથા

    ઈતિહાસના અમુક તબક્કે, એલેકઝાન્ડરે પર્સીપોલિસની મહાન લાઇબ્રેરીઓને લૂંટી અને તેમાં રહેલા અમૂલ્ય ગ્રંથોનો નાશ કર્યો હતો. દારૂના નશાના આક્રોશમાં તે 21 પવિત્ર નાસ્કનો નાશ કરવામાં સફળ રહ્યો. નાસ્ક પ્રાચીન શાણપણ અને જ્ઞાનને બદલી ન શકાય તેવા પુસ્તકો હતા જેણે સમય, અવકાશ અને શક્તિને વટાવી દીધી હતી. તેઓ આપણા ગહન વિશ્ર્વાસના પાયા હતા. અને કદાચ આ…

  • આવાં અરદવીસુર અનાહિતાબાનુ, તેજસ્વી આવાં યઝદ

    કાલે આવાં રોજ છે. દાદાર અહુરામઝદાએ કરેલી રચના, બધા હમદીનો ભીખા બહેરામના કુવા પર જઈ પ્રાર્થના કરશે. આવાં અરદવીસુર અનાહિતા બાનુ જે આપણા વહેતા પાણીની રક્ષા કરે છે જે અન્ય માનવજાત, પ્રાણીઓ, ઝાડ-પાન તથા પ્રવાહી જીવનને ટકાવી રાખવા અત્યંત જ‚રી છે. આપણે જરથોસ્તીઓ પ્રકૃતિના તમામ સ્વ‚પો જે દૈવી ઉર્જા સાથે આવ્યા છે તેમની પ્રાર્થના દ્વારા…