પાલનજી શાપુરજી મીસ્ત્રીને શ્રદ્ધાંજલિ

શાપુરજી પાલનજી ગ્રૂપ ઓફ કંપનીઝના 93 વર્ષીય વડા પાલનજી શાપુરજી મીસ્ત્રીનું 27મી જૂન, 2022ના રોજ દક્ષિણ મુંબઈમાં તેમના નિવાસસ્થાને નિંદ્રામાં શાંતિપૂર્વક નિધન થયું હતું. ડુંગરવાડી (મુંબઈ)માં, સંપૂર્ણ રાષ્ટ્રીય અને રાજ્ય સન્માન સાથે 29મી જૂનના રોજ પરંપરાગત અંતિમ સંસ્કાર સેવા યોજાઈ હતી. દોઢસો વર્ષ પહેલાં સ્થપાયેલ, શાપુરજી પાલનજી ગ્રુપ હાલમાં વિશ્વભરના દેશોમાં પચાસ હજારથી વધુ લોકોને રોજગારી આપે છે. વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને જાન્યુઆરી 2016માં ભારત સરકાર દ્વારા ભારતના સર્વોચ્ચ નાગરિક પદ્મ ભૂષણમાંથી એક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
શાપુરજી પાલનજી ગ્રુપે મુંબઈની કેટલીક પ્રતિષ્ઠિત ઇમારતો બનાવી છે, જેમાં હોંગકોંગ બેંક, ગ્રિન્ડલેઝ બેંક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો સમાવેશ થાય છે. તેના વિદેશી સીમાચિહ્ન પ્રોજેકટસમાં ઓમાનના સુલતાનનો વાદળી અને સોનાનો અલ આલમ મહેલ છે. ટાટા સન્સમાં પણ પરિવારનો 18.4% હિસ્સો છે. બ્લૂમબર્ગે વર્ષ 2021માં તેની કિંમત લગભગ 30 બિલિયન યુએસ ડોલર હોવાનો અંદાજ મૂક્યો હતો.
તેમની પ્રચંડ સંપત્તિ અને વ્યવસાયમાં સફળતા હોવા છતાં,પાલનજી શેઠ, જેમ કે તેમને આદરપૂર્વક કહેવામાં આવતું હતું, તેઓ સાદું જીવન અને ઉચ્ચ વિચાર ના સિદ્ધાંત પર જીવતા હતા. તે ધાર્મિક પણ હતા અને તેમની પારસી ધર્મની નૈતિકતા દ્વારા જીવતા હતા. કેટલાક વર્ષો પહેલા, પાલનજી પરિવાર અને જૂથે ઉદવાડા – ઈરાનશાહ ખાતે સૌથી જૂની અને પવિત્ર ઝોરોસ્ટ્રિયન પવિત્ર અગ્નિ ધરાવતી 130 વર્ષ જૂની ઇમારતનું નવીનીકરણ કરવાનું મુશ્કેલ કાર્ય હાથ ધર્યું હતું.
પાલનજી એક મૌન પરોપકારી હતા, તેમના સખાવતી હિતોની શ્રેણીમાં વરિષ્ઠ નાગરિકોની સંભાળ, આરોગ્ય સંભાળ, સહાયક શિક્ષણ અને સંશોધનનો સમાવેશ થાય છે. તેમણે તેમના બે પુત્રો – શાપુર અને સાયરસમાં પણ તેના ઉમદા લક્ષણોનો વિકાસ કર્યો.
પાલનજી પરિવારને પણ કલા અને સંસ્કૃતિમાં ઘણો રસ હતો. રસપ્રદ વાત એ છે કે, હિન્દી સિનેમામાં તેના સમયની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ, મુગલ-એ-આઝમ (1960), પાલનજીના પિતા દ્વારા બનાવવામાં આવી હતી અને 2004માં તે ડિજિટલી રંગીન થયા પછી પરિવાર દ્વારા તેને ફરીથી રિલીઝ કરવામાં આવી હતી. થોડા વર્ષો પહેલા, એનસીપીએ દ્વારા આ મહાકાવ્યનું સ્ટેજ વર્ઝન અને પરિવારે ફરી એકવાર તેને સ્પોન્સર કર્યું.
2003 માં, પાલનજીએ આઇરિશ નાગરિક બનવા માટે તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી. આયર્લેન્ડમાં પરિવારની રૂચિ, અંશત:, ઘોડાઓ પ્રત્યેના તેમના પ્રેમને આભારી છે. આયર્લેન્ડના નાગરિક હોવા છતાં, પાલનજીએ તેમના જીવનના અંતિમ વર્ષો ભારતમાં વિતાવવાનું પસંદ કર્યું. તેઓ હૃદયથી ભારતીય હતા, નાગરિકત્વ દ્વારા આઇરિશ હતા અને વચ્ચે, તેઓ એક દયાળુ અને ઉદાર પારસી પણ હતા.
પાલનજી મિસ્ત્રીના કુટુંબમાં તેમની પત્ની પેટસી અને તેમના બે પુત્રો – શાપુર અને સાયરસ, તેમજ બે પુત્રીઓ – લૈલા અને આલુ છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *