સંજાણ ડેની 102મી શુભ સાલગ્રેહની ઉજવણી

સંજાણ ડે દર વર્ષે આપણા પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતાના દિવસ તરીકે અને સ્થાનિક શાસકો દ્વારા સ્વીકારવામાં આવે છે તે માટે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જરથોસ્તીઓ મુખ્યત્વે મુંબઈ અને ગુજરાતમાંથી, સડક અને રેલ માર્ગે, સંજાણ ડેના પ્રસંગની ઉજવણી કરવા સારી સંખ્યામાં આવે છે. આ વર્ષે સંજાણના સ્થંભની 102મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. દિવસની શરૂઆત સવારે 9:30 વાગ્યે ઉદવાડા અને સંજાણના ચાર મોબેદો દ્વારા કરવામાં આવેલ જશન સમારોહથી કરવામાં આવી હતી. હમબંદગીની આગેવાની ઉદવાડાના એરવદ કેરસાસ્પ સિધવા દ્વારા કરવામાં આવી હતી.
મુખ્ય સેલિબ્રેશન ફંક્શનની શરૂઆત પરીચેર દવિએરવાલા અને ફેમીલીએ સ્ટેજ પર મહેમાનોના પરિચય સાથે કરી હતી, જેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. સંજાણ મેમોરિયલ કોલમ સ્થાનિક સમિતિના પ્રેસિડન્ટ બેપ્સી રોહિન્ટન દવિએરવાલાએ સ્ટેજ પર ઉપસ્થિત લોકો અને મહેમાનોનું સ્વાગત કર્યું. કર્નલ કૈઝાદ ભાયાએ પૈસાની સરખામણીમાં સમયનું મહત્વ નક્કી કરવા પર એક રસપ્રદ નિર્ણય શેર કર્યો. તેમણે બંનેનું મહત્વ સમજાવ્યું. તેમણે આશા વ્યક્ત કરી કે માતા-પિતા તેમના બાળકોને પણ સંજાણ ડેની ઉજવણી માટે હાજર રહેવા અને જરથોસ્તીઓ દરેક ક્ષેત્રમાં કેવી રીતે ઉત્કૃષ્ટ છે તેનો ગર્વ લેવા માટે પ્રેરિત કરી શકશે. પરિચેર દવિએરવાલાએ સમુદાય, મુલાકાતીઓ અને ખાસ કરીને દાતાઓનો અને દર વર્ષે આ કાર્યક્રમને શક્ય બનાવવા મદદ કરનાર તમામ લોકોનો આભાર માન્યો હતો. પારસી રાષ્ટ્રગીત, છૈએ હમે જરથોસ્તી અને રાષ્ટ્રગીતના પ્રસ્તુતિ સાથે ફંક્શનનું સમાપન થયું, ત્યારબાદ બપોરનું ભોજન પીરસવામાં આવ્યું.

Similar Posts

  • Back On His Feet, Stronger Than Ever!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]On 14th September, 2017, Udvada’s Zoroastrian Information Center caretaker, Aspi Sepoy lost his legs in a tragic train accident at Udvada railway station. This week marks the completion of four months into recovery, and we are proud and inspired with the grit, faith and determination displayed by this brave-heart as he readies himself…

  • SII Commences ‘Covovax’ Trials In India

    Expected Launch By September, 2021 Serum Institute of India (SII), the world’s largest manufacturer of vaccines by volume and the biggest Covid-19 vaccine maker, is looking to launch the ‘Covovax’ vaccine – developed in partnership with American vaccine developer Novavax, by September 2021, announced CEO Adar Poonawalla, on 27th March, 2021. Adar added that the Covid-19 vaccine…

  • પપ્પાની લાડલી..

    આજે ફાધર્સ ડે હતો. સવારથી આદિલ પર ફોન ને મેસેજીસનો મારો ચાલુ હતો. વિદેશમાં રહેતા દીકરાનો ખાસ ફોન આવ્યો હતો. તેની ચાલુ પરીક્ષાએ પણ તેને આદિલ માટે સમય કાઢીને દસ મિનિટ વાત કરી હતી. આદિલ પોતે સ્કુલમાં શિક્ષક હતા તેથી તેમના વિદ્યાર્થીઓ જે તેમને પિતાતુલ્ય ગણતા તેઓના પણ બધાના ફોન આવી રહ્યા હતા. ત્યાં સુધી…

  • It Don’t Matter To Me!

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] Veera is a published Author (‘Endured’ and ‘#LoveBitesLifeHacks’) and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher… but most of all, a lover of all things literary. [/otw_shortcode_info_box] One of the more difficult aspects about implementing changes in our life is how we deal with people. All relationships – with friends,…

  • બહમન – ઉશ્તાની ચાવી

    જરથોસ્તીઓ માટે, બહમન માહ એટલે જેમ હિન્દુઓનો શ્રાવણ માસ હોય છે તેે. શ્રાવણ દરમિયાન હિન્દુઓ માંસાહારી ભોજનને ટાળે છે, તેવી જ રીતે જરથોસ્તીઓ પણ બહમન મહિનો દરમિયાન કરે છે. જો કે, હિન્દુઓથી વિપરીત, જરથોસ્તી મહિના દરમિયાન ઉપવાસ કરતા નથી. રસપ્રદ વાત એ છે કે, ત્રણસો અને પાંત્રીસ દિવસના જરથોસ્તી કેલેન્ડરમાં, કુલ અથવા આંશિક ઉપવાસ માટે…

  • Caption This – 25th April

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at editor@parsi-times.com by 29th April, 2020. WINNER: Coomi Mai: Marere! Aay Lockdown ma rahine ghanu sikhwanu malyu! Bepsi Mai: Hasto wari! Mane aaj sudhi maalam nahi hatu ke Bomi ketla sojja vaasan dhoich ne ketlu fine jharu-katko maarech!!   By Kayomarz Dotiwalla