|

પારસીઓ અને અગ્નિની પૂજા

ઝોરાસ્ટ્રિયન ગ્રંથો ભલામણ કરે છે કે અવેસ્તા પ્રાર્થના યોગ્ય કેબલા તરફ મુખ રાખીને કરવી જોઈએ, એટલે કે, પવિત્ર વસ્તુ અથવા પવિત્ર સ્થળ જેમ કે તેજસ્વી સૂર્ય, તેજસ્વી ચંદ્ર, વહેતું પાણી, ઘરમાં પવિત્ર અગ્નિ, અગિયારી અથવા આતશ બહેરામ પરનું આતશ તરફ મુખ રાખી અવેસ્તા પ્રાર્થના કરવી જોઈએ. આતશ એ સૌથી નજીક છે જે માનવ આંખ અને મન દિવ્યતાની કલ્પના અથવા અનુભવ કરી શકે છે.
જ્યારે ધર્મનિષ્ઠ ઝોરાસ્ટ્રિયન પવિત્ર અગ્નિ સમક્ષ પ્રાર્થના કરે છે, ત્યારે તે સારમાં, અહુરા મઝદાની અગ્નિ દ્વારા પૂજા કરે છે.
યોગ્ય રીતે પવિત્ર અગ્નિ મંદિરોમાં, પવિત્ર અગ્નિને એક દૈવી માધ્યમ અથવા ચેનલ અથવા મધ્યસ્થી તરીકે જોવામાં આવે છે જેના દ્વારા સર્વોચ્ચ દિવ્યતાની પૂજા કરવામાં આવે છે, જે રીતે અગ્નિ વૈદિક પરંપરામાં યજ્ઞ (અવેસ્તાન યસ્ના) સમારંભમાં કેન્દ્રિય છે. અગ્નિ મંદિરમાં પ્રવેશતા પહેલા, આપણે સૌપ્રથમ હાથ અને ચહેરો ધોવો જોઈએ અને પછી કમરની આસપાસ પહેરવામાં આવતી કસ્તીનેે ખોલીને પાછી વાળવી જોઈએ. ધોવાથી, આપણે આપણી જાતને શારીરિક રીતે સાફ કરીએ છીએ અને કસ્તી વિધિ કરીને, આપણે આપણી આભા અથવા આપણા અદ્રશ્ય અંગત વાતાવરણને સાફ કરીએ છીએ. આમ, આપણે પવિત્ર અગ્નિની આગળ જઈએ છીએ, શરીર, આત્મા અને મનથી સ્વચ્છ છીએ. આપણે આદરના ચિહ્ન તરીકે આપણા માથાને ટોપી અથવા સ્કાર્ફથી ઢાંકીએ છીએ જેથી આપણા માથાના ખરતા વાળ પવિત્ર મંદિરને દૂષિત ન કરે. આપણે અર્દીબહેસ્ત અથવા સત્ય અને સદાચારની ઊર્જા પણ અનુભવીએ છીએ. આપણે અગ્નિને બળતણ તરીકે સુગંધિત ચંદન આપીએ છીએ, જે બદલામાં સુગંધ આપે છે. તે આપણને યાદ અપાવે છે કે જીવનભર આપણે આ દુનિયાને આપણા સારા વિચારો, શબ્દો અને કાર્યો આપતા રહેવું જોઈએ જે બદલામાં વિશ્ર્વને સુગંધિત કરશે. અમે પવિત્ર રાખને આપણા કપાળ પર વિધિપૂર્વક અગ્નિ સાથે જોડવાની રીત તરીકે લગાવીએ છીએ અને પોતાને યાદ અપાવીએ છીએ કે આખરે, આપણે બધા રાખ થઈ જઈશું. આમ જ્યારે જરથોસ્તીઓ અગ્નિ સમક્ષ પ્રાર્થના કરે છે, ત્યારે તે સારમાં, અહુરા મઝદાની અગ્નિ દ્વારા પૂજા કરે છે!

Similar Posts

  • તેહમુરસ પાદશાહ

    દેબબંદ તેહમુરસની ત્રીસ વરસની પાદશાહી હતી. અવસ્તામાં ‘તખ્મઉ‚પ’ અને પહેલવીમાં ‘તખ્મો‚પ’ તરીકે ઓળખાયો છે. ફારસી લેખકોએ હોશંગનો દીકરો કહે છે. પણ બુન્દહિશ્ન પ્રમાણો હોશંગના દીકરાનો દીકરો ‘વીવંધન’નો પુત્ર હતો અને જમશેદનો મોટોભાઈ હતો. એ પાદશાહ ‘દીવબન્દ’ અવસ્તા ‘દએવબિશ’ નામે જાણીતો હતો. કારણ એણે દેવોને જેર કર્યા હતા. તેહમુરસે રામ ઈઝદની બંદગી કરી માંગ્યુ હતું કે…

  • ઇન્સ્ટા પર સ્વચ્છતા કામદારો માટે રતન તાતાનું ‘મિશન ગરીમા’

    ગયા ઓકટોબરમાં ઇન્સ્ટાગ્રામમાં જોડાયા બાદ અને સોમવારે મીડિયામાં 1.2 મિલિયનથી વધુ અનુયાયીઓ મેળવનારા, ધ્યાન આપવાની જરૂર છે તેવા નિર્ણાયક મુદ્દાઓને ઉજાગર કરીને પોતાનો ઓનલાઈન પ્રભાવનો મોટો ઉપયોગ કરનાર રતન તાતાએ તાજેતરમાં એક નવી પહેલ વિશે 3 મિનિટનો એક શક્તિશાળી વિડિઓ પોસ્ટ કર્યો છે જે સ્વચ્છતા કામદારોને મદદ કરે છે. તેમની પોસ્ટમાં મુંબઇના સ્વચ્છતા કાર્યકરો અને…

  • Popular Parsi Myths – Part VII

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you the continuation of yet another interesting series titled, ‘Popular Parsi Myths’, written by our Community luminary, Zoroastrian scholar and visionary, and a writer par excellence – Noshir H. Dadrawala. The object of this series is to shed the light of truth on myths and fables and sift the facts…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    21 August – 27 August 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમારા રોજ બરોજના કામ સારી રીતે કરી શકશો. બુધ્ધિ વાપરી મુશ્કેલી ભર્યા કામ સહેલા બનાવી શકશો. નાણાકીય બાબતમાં થોડી કરકસર કરી તમારા નાણા સારી જગ્યાએ ઈનવેસ્ટમેન્ટ કરવામાં સફળ થશો. મિત્રો તરફથી ફાયદાની વાત જાણવા મળશે. મનગમતી વ્યક્તિને મળી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    10April – 16th April, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. પહેલા ત્રણ દિવસ જ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે. 22મી પહેલા ઓપોજીટ સેકસની સાથે સારા સારી રાખી શકશો. આપેલા પ્રોમીશ પુરા કરી લેજો નહીં તો 13મીથી સુર્યની દિનદશા 20 દિવસ માટે તમારા મગજને તપાવી દેશે. અચાનક તબિયતમાં બગાડો થઈ જશે. વડીલવર્ગ…