બુધ્ધિશાળી ગણપતિને કોઈ ન પહોંચે

બુધ્ધિશાળી ગણપતિને કોઈ ન પહોંચે

ગણપતિનો ઉત્સવ શરૂ થાય છે. મુંબઈની તમામ શેરીઓ આગામી અગિયાર દિવસ ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી ગાજી ઉઠશે. ગણેશજી બાળકોને ખૂબ પ્રિય છે. તો આજે તમને દુંદાળા દેવની બાળપણની એક કથા જણાવીએ…

ભગવાન શંકર અને માતા પાર્વતીને ગણેશ અને કાર્તિક એમ બે પુત્ર હતા. એકવાર માતાપિતાના ખોળામાં બેસવા બન્ને જીદે ચડયા. એમાંથી વાત વધીને ‘કોણ શ્રેષ્ઠ’ ત્યાં સુધી પહોંચી ગઈ. ઝઘડો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા પિતા શંકરે એક રસ્તો શોધી કાઢયો જે પહેલા પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછું ફરે તે ખોળામાં બેસે. તમને ખબર હશે કે કાર્તિકનું વાહન મોર છે અને ગણપતિનું વાહન ઉંદર છે.

પિતાએ કહ્યું એટલે કાર્તિક તો મોર પર બેસીને ઉડયા કાર્તિકને વિશ્ર્વાસ હતો કે પોતે જ જીતશે. ગણપતિ ખૂબ બુધ્ધિશાળી હતા. તેમણે વિચાર્યુ કે ઉંદર નાનો અને પોતાનું  શરીર ભારે એટલે એના પર બેસીને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળીશ તો કોણ જાણે કયારે પૂરી થશે. તેમણે બુધ્ધિ દોડાવીને ઉંદર પર ઉભા ઉભા માતાપિતાની સાતવાર પ્રદક્ષિણા કરી લીધી. જ્યારે છ મહિના પછી કાર્તિક પાછા ફર્યા અને ગણપતિને માતા-પિતાના ખોળામાં બેઠેલા જોતા ગુસ્સાથી લાલપીળા થઈ ગયા. એટલે ગણપતિએ કહ્યું ‘માત્ર પૃથ્વીજ નહીં સમસ્ત બ્રહ્માંડ માતા-પિતામાં સમાયેલું છે. એ તેમનોજ એક અંશ છે. માતા-પિતાથી શ્રેષ્ઠ સમગ્ર સૃષ્ટિમાં અન્ય કોઈ નથી એટલે મે તેમની સાત વાર પ્રદક્ષિણા કરી લીધી. આખરે નારાજ થઈને કાર્તિક ત્યાંથી ચાલી ગયા અને આજે પણ ગણપતિ બાપ્પાને બુધ્ધિશાળી દેવોમાં ગણવામાં આવે છે.

Similar Posts

  • દિવાળી

    ભારત જ એક એવો દેશ છે જેને તહેવારની ભૂમિ કહેવામાં આવે છે. આવા જ તહેવારોમાંનો એક ખાસ તહેવાર છે દિવાળી જે દશેરાના વીસ દિવસ પછી આવે છે! ભગવાન રામ ૧૪ વરસનો વનવાસ ભોગવી પોતાના રાજ્યમાં પાછા આવવાની ખુશીમાં ઉજવવામાં આવે છે. પોતાની ખુશી દર્શાવવા અયોધ્યાવાસી આખા રાજ્યને રોશનીમાં નવડાવી મૂકે છે. અને ફટાકળાના અવાજમાં આખું…

  • The Auspicious Bestower Of Gifts To Mankind – Shehrevar Ameshaspand

    Our prayers are a storehouse of omnipotent energies. Each day of the Shahenshahi calendar is named after an angel and Shehrevar Roj is accordingly dedicated to Shehrevar Ameshaspand. The Shehrevar Ameshaspand Setayash, a prayer which praises Him, brings us countless benefits. But before we go further, let us understand the difference between Yazads and Ameshaspands….

  • Letters to the Editor

    Congratulations! Our Schools Are The Best! Hearty Congratulations to the Principal, the Staff and Students of Manekji Cooper School for their stupendous performance in the ICSC examination 2020. The topper Viha Jain securing a whopping 99.6%, ranks No.1 in Mumbai. This is a well-deserved reward for their highly professional teaching, and the care and concern…

  • MAMI Glimpses

    The 20th edition of MAMI (Mumbai International Film Festival), under the aegis of Jio and Star, was a stupendous success. From 25th October to 1st November, cineastes from all over rubbed shoulders at the 18 screens spread across the city. PT Film Critic Hoshang Katrak shares a glimpse of some of MAMI’s best…   SHOPLIFTERS…

  • PG Retains Top Spot In District Inter-Club TT

    In the 1st Division inter-club table tennis league held from 15th-18th May, 2017, under the Mumbai City District TT Association, Parsee Gymkhana (PG) – represented by Zubin Taraporewalla, Arzan Khambatta, Rayomand Marolia, Sarosh Shroff and Hoshang Katrak – played exceptionally to retain their First Division spot. After outplaying MLWB ‘E’ and CCI on the first…