નહેરૂજીનો બાળપ્રેમ

પંડિત જવાહરલાલ નહેરૂ 14 નવેમ્બર 1889 ના રોજ અલ્હાબાદમાં જન્મ્યા હતા. તેમનો જન્મદિવસ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નહેરૂને બાળકો માટે ખૂબ જ લાગણી હતી અને તેમણે બાળકોને દેશના ભાવિ તરીકે ગણ્યા હતા. બાળકો પ્રત્યેના સ્નેહના કારણે, બાળકો પણ તેમને પ્રેમ કરતા હતા. પંડિત નહેરૂના જન્મદિનને ચિલ્ડ્રન્સ ડે (બાલદિન) તરીકે ઉજવવામાં આવે છે.

જ્યારે પંડિત જવાહરલાલ નહેરૂ  ભારતના વડાપ્રધાન હતા અને ત્રણ મૂર્તિ ભવન તેમના સત્તાવાર નિવાસસ્થાને રહેતા હતા ત્યારે એક દિવસ નહેરૂજી પોતાના બગીચામાં ફરી રહ્યા હતા ત્યારે તેમને એક બાળકના રડવાનો અવાજ આવ્યો તેમણે જોયું તો એક 3-4 મહિનાનું બાળક રડી રહ્યુ હતું. તેમને લાગ્યું કે માળી સાથે તેની પત્ની કામ કરવા આવી હશે અને આ બાળક તેમનું હશે. પરંતુ આસપાસ કોઈપણ દેખાયું નહીં.

બાળકે ચાચા નેહરૂને જોઈ પોતાનું રડવાનું વધુ જોરમાં શરૂ કર્યુ. નહેરૂજીથી આ જોવાયું નહીં અને બાળકને તરત ઉંચકી લીધું અને તેને થપકારવા માંડયું. બાળક તરત શાંત થઈ ગયું અને નહેરૂજીને જોઈ હસવા માંડયું.

તેટલીવારમાતેની મા દોડતી આવી અને પોતાના બાળકને નહેરૂજીના હાથમાં રમતા જોઈ તેને આશ્ર્ચર્ય થયું.

એકવાર પંડિત નહેરૂ તામિલનાડુના પ્રવાસે ગયા. તેઓની ગાડી જ્યાથી પસાર થતી હતી ત્યાં માણસો તેમને જોવા ઉભા રહી જતા કોઈ દીવાર પર કોઈ સાયકલ પર દરેક જણ નહેરૂજીને જોવા ઉત્સુક હતા હતા. આવીજ રીતે એક માણસ રંગ બેરંગી ફુગાઓ લઈ પોતાની એડીઓ પર નહેરૂજીને જોવા ઉંચો નીચો થતો હતો સાથે સાથે તેના ફુગાઓ પણ જાણે નહેરૂજીને જોવા ઉપર નીચે થતા હતા આ દેખાવ નહેરૂજીને ખુબ જ ગમ્યો.

તેઓએ પોતાની ગાડી ઉભી રખાવી અને તે ફુગાવાળા પાસે ગયા. ફુગાવાળો તેમને જોઈ આશ્ર્ચર્યચકિત થઈ ગયો.

નહેરૂજીએ તેમના સચિવને કહ્યું કે બધા ફુગા ખરીદી અહીં જેટલા બાળકો છે તેમને વહેંચી દો. બધાજ બાળકો ફુગા લઈને ચાચા નહેરૂ, ચાચા નહેરૂની બૂમો પાડવા લાગ્યા અને ત્યારથી જ નહેરૂજીને લોકો ચાચા નહેરૂ કહેવા લાગ્યા.

Similar Posts

  • ધી ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

    ઈ.સ. ૧૮૭૯-૮૦ની સાલમાં, નાટકની હાલત બગડવા માંડી હતી. એવો ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીને પોતાનો ‚સ્તમ-સોહરાબનો ખેલ કરવા માટે એક નાટકશાળા મળવી મુશ્કિલ થઈ પડી હતી. વિકટોરિયા નાટકશાળામાં વિકટોરિયા કલબ પોતાનું કામ કરતી હતી, અને શંકરશેટની નાટકશાળામાં કુંવરજી પઠગો મારી બેઠેલા, એટલે ઝોરાસ્ટ્રિયન કલબ કયાં નાટક કરે? એ વખતે ક્રાફર્ડ માર્કેટની સામે, પ્રખ્યાત નાટક ઉત્તેજક મંડળી પોતાનું…

  • Letters to the Editor

    Let’s Work Together To Resolve PGH Issue The BD Petit Parsee General Hospital is close to the heart of every Indian Zoroastrian. It has served the community for over a century thanks to the benevolence of the Petits. As of now the hospital needs drastic improvements in health care facilities with better and modern infrastructure….

  • Know Your Bombay

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you lesser known, amusing facts about our beloved Bombay. Explore this city’s history with these informational nuggets![/otw_shortcode_info_box] Chivda Galli: Dinshaw Petit Road in Lalbaug, commonly referred to as ‘Chivda Galli’, is a by-lane lined with shops selling Chivda, Farsan and spices. Stretching over 250 metres, the lane came into existence…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    09th May – 15th May, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનશા ચાલશે. ગામ પરગામ જવાના ચાન્સ મલશે. તમારા મનની નેક મુરાદ પુરી થશે. ઘરવાલાને ખુશ રાખી શકશો. નવા કામ મલશે. નવા મિત્રો મલશે. થોડી મહેનત કરવાથી ફસાયેલા નાણાં પાછા મેળવી શકશો. દરરોજ 34મુ નામ  ‘યા બેસ્તરના’ 101વાર ભણજો….

  • | | |

    A Heart With Hope Finds Happiness!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Kashmira Shaw Raj is a professional Taichi and Qigong practitioner and teacher. Also, a successful clinical psychologist, psychic and healer, Kashmira runs ‘The Tai-Qi Touch’ with her husband, Dr. Brijesh Raj, a healer and a Vet. Taichi practitioners for over fourteen years now, they are instructors in Sifu Carlton Hill’s Tao Taichi Qi…