પ્રેમ ચેપી હોય છે !

શહેરના બજારમાં સંતરાં વેચતી ડોસી પાસેથી યઝદી હમેશાં સંતરાં ખરીદતો.

સંતરાં ખરીદીને એની થેલીમાં નાખતા પહેલાં એમાંથી એક સંતરાની પેસીને સહેજ ચાખીને એ કહેતો

 અરે ડોશીમા, જુઓ તો,  આ સંતરું ખાટું છે !

 ડોશી એમાંથી એક પેસી ચાખીને ચમકીને  કહેતી, જા રે બાવા, આટલું બધું મીઠું તો છે આ સંતરુ!

થોડું છોલેલા એ સંતરાને ડોશી પાસે જ છોડીને એ હસમુખો યઝદી બાકીનાં સંતરાં લઈને આગળ ચાલ્યો જતો!

એની પત્ની રશ્નાએ આખરે એક દિવસ એને પૂછયું: ડોશીમાનાં સંતરાં તો હંમેશાં મીઠાં જ હોય છે, તો ય તમે દરેક વખતે ચાખવાનું નાટક કેમ કરો છો ?

યઝદીએ મુખ પર સ્મિત સાથે કહ્યું:

 એ સાચું છે કે ડોશીમા હમેશા મીઠાં સંતરાં જ વેચે છે,પણ એ પોતે સંતરાં ખાવા પામતી હોય એમ મને લાગતું નથી. એટલે આવુ નાટક કરીને  રોજ  એને એક સંતરું ખવડાવવું મને બહુ ગમે છે!

સંતરાંવાળા ડોશીમાની બાજુમાં બેસતી બાઈએ ડોસીમાંને પૂછયું:

 સંતરાં ખરીદવા આવતો પેલો જક્કી છોકરો રોજે રોજ ચાખ ચાખ કરે છે, ને તોય તું સંતરાં તોલે ત્યારે હમેશાં એને એક બે સંતરાં વધારે આપી દે  છે, આવું કેમ?

ડોશીમાએ  કહ્યું : એ છોકરાના મનની વાત હું બરાબર જાણી ગઈ છું. રોજ એ સંતરું ચાખવાના બહાને એકાદ સંતરું  અહીં મારા માટે મુકીને જાય છે.

એ સમજે છે કે હું એ સમજતી નથી, પણ  મારા માટેના એના પ્રેમને હું ઓળખી ગઈ છું. એના આ પ્રેમના લીધે જ, એક મા ની જેમ, આપોઆપ મારાથી સંતરાં બાજુ ત્રાજવું નમી જાય છે !

પ્રેમ ચેપી હોય છે.

જે આપશે એને મળશે જ!

Similar Posts

  • Yatha

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose efforts…

  • શિરીન

    ‘હું ઓરત છું તે છતાં પણ તમો મને મારી શકોછ ફિલ, કારણ તમારા પૈસાએ જ ખરીદેલી હું એક ગુલામડી છું. ખ‚ંની?’ ‘હા, વાત તદ્દન ખરી છે, શિરીન પણ તે છતાં હું એક જેન્ટલમેન હોવાથી કદી નબળી જાતિ પર હાથ ઉચકતો નથી. ‘એ તમારા ગૃહસ્થપણાને માટે હું થેન્કસ માનું છું.’ ‘ને તેથી જ શિરીન આજે સવારના…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    11th April – 17th April, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજનો અને કાલનો દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તેથી ઘરવાળાની અને અપોઝીટ સેકસની ડિમાન્ડ પહેલા પૂરી કરજો. બાકી 13મીથી શરૂ થતી સુર્યની દિનદશા આવતા 20 દિવસ તમારા મગજને ખૂબ તપાવશે. નાની બાબતમાં ઈરીટેટ થઈ જશો. ઉપરીવર્ગની સતામણી વધી જશે. અગત્યના…

  • સીનિયર સિટિઝનોએ લક્ષમાં લેવા જેવું

    સાઈઠ કે પાંસઠ વરસની ઉંમર સુધી સરેરાશ માણસ પોતાના જીવનકાળમાં જે કંઈ બચત કરે છે એમની વિદાય પછી બધું એના સંતાનો માટે જ હોય છે એ પરંપરા છે. આમાં કશું ખોટું પણ નથી. પણ કેટલીક વાર એવું બને છે કે માણસ પરિવારજનો પ્રત્યેના સ્નેહને કારણે અથવા ક્યારેક જવાબદારીઓ અદા કરવાની ખોટી ગણતરીના કારણે પોતાની મુઠ્ઠીને…

  • Navsari Youth Keep ‘Ghee Khichdi’ Tradition Alive!

    “Ghee khichdi no paiso, Doriyaa no rupiyo, Varsaadji toha ayega, Dumrisher layega, Dumritaari oat maa, Kharapaani pet maa, Otti ke chotti, Chal li choti, Relaavi motti, Ahuragocal, Paani mokal, Varsaadji nu paani, Toh mitthu ne mitthu!” Some decades ago, every Navsari Parsi Zoroastrian boy knew this 120-year-old Parsi poem, ‘Ghee Khichdi’, like a nursery rhyme. Many…