જરથોસ્તીઓના રીતે જીવન જીવવાની રીત

આપણે નવા વર્ષ 2018માં નવેસરથી ધ્યેયો અને આશાઓ નવા સ્વપ્નો સાથે આપણી રીતે આગળ વધીએ છીએ, આપણું મૂળભૂત અસ્તિત્વ અને આપણી ઓળખ, આપણા મૂળિયાને ભૂલી ન જઈએ જે આપણું જરથોસ્તીપણાનું ગૌરવ છે. આપણા ધાર્મિક અને સામાજિક-સાંસ્કૃતિક વલણ મામૂલી છે, જ્યારે આપણે આપણા આદરણીય પ્રોફેટ જરથોસ્ત સાહેબ દ્વારા ઠરાવેલ માર્ગ પર ચાલીએ છીએ, ત્યારે આપણે ચોક્કસપણે સફળતા કરતાં વધુ હાંસલ કરી શકીએ છીએ … ધાર્મિક વિદ્વાન અને વખાણાયેલા લેખક, નોશીર દાદરાવાલા, વાચકોને આપણા પ્રોફેટ દ્વારા અપાયેલું માર્ગદર્શન મુજબ જીવન જીવવાની ધાર્મિક સમજ આપણી સમક્ષ રજૂ કરે છે.
સાંભળવા મળે છે કે પારસીઓનું કહેવું છે કે તેમને તેમના ધાર્મિક મૂળ માટે ગૌરવ છે. જોકે શેરીઓમાં પારસીઓને પૂછવામાં આવે કે જરથોસ્તી હોવાનો અર્થ શું છે તો તમને ખાસ સાંભળવા મળશે કે ‘સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યો.’
એક જરથોસ્તી હોવાના ગર્વના ઘણા કારણો છે (ધાર્મિક, ઐતિહાસિક, સામાજિક અને આર્થિક) જો કે હકારાત્મક અને ઉત્પાદક જીવન માટે સૌથી વધુ પ્રેરણાદાયક છે અશો જરથુસ્ત્રના અનંત અને સદાય સુસંગ સંદેશાઓ. સદીઓથી તેમના સંદેશાઓ તાજા અને સુસંગત
રહે છે.
રોજ દએપમહેર, માહ અર્દીબહેસ્તના દિને જરથુસ્ત્રને પહેલીવાર અહુરામઝદાના દર્શન થયા અને પ્રોફટે જયારે અહુરામઝદાને પહેલો સવાલ કયો અને તેમને અહુરામઝદા પાસેથી જે જવાબ મળ્યો હતો કે સારા જરથુસ્તી તરીકેની શું અપેક્ષા હોઈ શકે.
પ્રશ્ર્ન હતો, ‘વિશ્ર્વના તમામ લોકોમાં શ્રેષ્ઠ વ્યક્તિ કોણ છે?’
અહુરા મઝદાએ જવાબ આપ્યો, ‘જે આશા (પ્રામાણિકતા)ના માર્ગ પર ચાલે છે, જે સખાવતી છે, જે માત્ર આતશની પૂજા કરે, પાણી અને પ્રાણીઓ માટે પણ દયાળુ બને છે.’
દસ વર્ષ સુધી જરથુસ્ત્રને નવાઈ પામે એવી બહાર આવેલી વાતો (સાક્ષાત્કાર) જેમાં બ્રહ્માંડના રહસ્યો વિશે અહુરામઝદાએ સ્પષ્ટીકરણ કર્યુ.
છેલ્લે અમેશાસ્પેન્તાએ જરથુસ્ત્રને સંદેશ આપ્યો હતો કે,
બહમન – પ્રાણીઓની સંભાળ રાખવી અને માયાળુ બનવું.
અર્દીબહેસ્ત – આતશની પૂજા કરવી
શહેરેવર – સમજદારીથી ધાતુનો ઉપયોગ કરવો (વિનાશક હેતુઓ માટે નહીં)
સ્પેન્દારમર્દ – પૃથ્વીની પૂજા કરવી
ખોરદાદ – પાણીની પૂજા કરવી
અમરદાદ – વનસ્પતિની (લીલોતરી) દેખભાળ કરવી
પવિત્ર અમેશાસ્પેન્તાના સંદેશામાં ‘ઈકોલોજી’ (પરિસ્થિતિ વિજ્ઞાન) અને પ્રકૃતિ સાથે સંવાદિતામાં જીવવાના અનંત સિધ્ધાંતો શોધે છે.
(વધુ આવતા અંકે)

Similar Posts

  • હિન્દુસ્તાનમાં પારસીઓનું દેશાગમન

    આપણને ઘડી ઘડી કહેવામાં આવે છે કે ઈરાન અને હિન્દ વચ્ચે કેળવણી પ્રચારના જ્ઞાન વૃધ્ધિના જંગલી હાલતમાંથી સુધરેલી સ્થિતિ થવાના વખતના દુનિયાના થયેલા ઉદયથી જાત જાતના સંબંધો વ્યવહારો હતા જેવા કે સામાજીક વ્યવહારો હતા, રાજકીય રાજકારોબાર વિષયક વ્યવહાર, રાજ વ્યવહારીક સંબંધો હતા. ધંધા રોજગાર સંબંધિક જ્ઞાન, સંબંધિક વ્યવહારો હતા આ બધુ જેવા કે વંદીદાદ યસ્તો…

  • હસો મારી સાથે

    કરોના હવે તો તું જા. તો અમે પણ કયાંક જઈએ.. *** કરોનાની હાલત પાંચ મહિનામાં બનેવીથી ફુવા જેવી થઈ ગઈ. ડરે છે બધા પણ ગણકારતું કોઈ નથી.. *** સારૂં થઈ કરોનો 2020માં આવ્યો, જો 2000માં આવ્યો હોત ને તો આખો દિવસ નોકિયા 3310માં નાગવાળી ગેમ રમીને બધા મદારી થઈ ગયા હોત..

  • Wadiaji Atash Behram Celebrates 189th Salgreh

    . Amidst the tension reaping from the MMRCL tunnelling work and our ‘Save The Atash Behram’ Campaign, Seth Hormasji Bomanjee Wadia Atash Behram, Dhobi Talao celebrated its 189th Salgreh with a ‘Havan Geh Machi’ performed by Er. Kaizad Karkaria on behalf of the Trustees. A jashan ceremony led by Er. Adil Bhesania was performed at…

  • ‘Dhansak & Co.’ – First Zoro-Clothing Line Launched

    In addition to Parsi New Year, 17th August, 2019, also marked the official launch of ‘Dhansak & Co.’ – the first Zoroastrian streetwear brand, which includes premium quality, limited-edition T-shirts, hats and phone cases, created by young Toronto-based Zoroastrians – Tanya Hoshi and Anaheez Karbhari, featuring Zoroastrian designs and cultural references. The venture was first announced at…

  • A Prince Among Men

    Prince Phillip: A Tribute  “It is with deep sorrow hat Her Majesty, The Queen, has announced the death of her beloved husband, His Royal Highness – The Prince Philip, Duke of Edinburgh. His Royal Highness passed away peacefully this morning at Windsor Castle,” was the announcement posted outside the Buckingham Palace on 9th April, 2021. HRH Prince…

  • મટર કબાબ

    સામગ્રી: 1 સમારેલી પાલકની ઝુડી, પાંચસો ગ્રામ વટાણા બાફેલા, બે લીલા મરચા સમારેલા, એક ચમચો આદુ સમારેલુ, મીઠુ સ્વાદ મુજબ, પા ચમચી મરી પાઉડર, ચાટ મસાલો, 4 બ્રેડ સ્લાઈસ, સાકર, લીંબુ, તેલ, રવો અથવા ચોખાનો લોટ. રીત: મિક્સર જારમાં પાલક, આદુ, લીલા મરચા, બ્રેડ ઉમેરીને ગ્રાઈન્ડ કરી લો. વટાણાને અધકચરા ગ્રાઈન્ડ કરો. આ મિશ્રણમાં મીઠુ,…