વરસોની જૂની પરંપરાની નવસારીએ ઉજવણી કરી

આપણી સંસ્કૃતિઓમાં વરસાદને પ્રસન્ન કરવા અને ચોમાસું સા‚ં બેસે તે માટે અલગ અલગ પરંપરાઓ, રીતો હોય છે.

વરસાદને પ્રસન્ન કરવા પારસી પરંપરા મુજબ નવસારીના પારસી યુવાનો ત્યાંના રહેવાસીઓ પાસે જઈ કાચા ચોખા, દાળ, તેલ, ઘી અને પાણી એકઠું કરે છે. આ બધી સામગ્રી જ્યારે જમા થાય છે ત્યારે તેઓ ગાય છે ‘ઘી ખીચડીનો પૈસો, ડોરિયાનો ‚પિયો, વરસાદજી તો આયેગા, દમરીશેર લાયેગા, દમરી તારી ઓટમાં, ખારા પાણી પેટમાં, ઓટી કે ચોટી, ચાલ રી ચોટી, રેલ આવી મોટી, ઔરાગોકાલ, પાણી મોકલ, વરસાદજીનું પાણી તો, મીઠ્ઠું ને મીઠ્ઠું!’

બધી સામગ્રી જમા થયા પછી તેની સ્વાદિષ્ટ ‘ખીચડી’ બનાવાય છે જે ગરીબો, પક્ષીઓ, જાનવરો અને ત્યાં જેટલા લોકો હાજર હોય તે લોકોને તે ખીચડી પીરસવામાં આવે છે.

આ પરંતરા દર વરસે ‘બહમન મહિનો’ અને ‘બહમન રોજ’ ને દિને ઉજવાય છે અને આ વરસે પણ આ પરંપરા જળવાઈ રહી હતી. મર્ઝબાન ઈ. વાડિયાએ પારસી ટાઈમ્સ સાથે વાત કરતા કહ્યું ‘આ જૂની પરંપરાને જીવંત રાખવા યુવાનોએ જે ઉત્સાહપૂર્વક ભાગ લીધો તેનાથી મન પ્રફુલ્લિત થઈ જવા પામ્યું છે.’

Similar Posts

  • પૈસા વાપરતા પહેલાં કમાતા શીખીએ

    દાનેશ અને રશના એક ખૂબ જ સુખી કપલ હતું, જીવનની શરૂઆતમાં દાનેશે પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરી હતી અને પોતાનીે મોટી ફેક્ટરી ઊભી કરી હતી, પૈસાદાર થઇ ગયા હોવા છતાં તે દરરોજ ફેક્ટરીમાં પોતાની જાતે પોતાનું કામ કરતા. પૈસાની કોઈ કમી નહોતી પરંતુ આ કપલના જીવન માત્ર એક જ દુ:ખ બાકી રહ્યું હતું….

  • હસો મારી સાથે

    ટીચરે એક ગધેડા સામે એક ડોલ પાણી અને એક બોટલ દારુ મૂકી. ગધેડો બધું પાણી પી ગયો. પછી ટીચરે બાળકોને પૂછ્યું કે, આના પરથી તમને શું શીખ મળી? બાળકો: જે દારુ નથી પીતા તે ગધેડા છે. *** તેણીએ મને પૂછ્યું, તું મને ક્યાં સુધી પ્રેમ કરશે? મેં પણ કહી દીધું, જ્યાં સુધી મારી પત્નીને ખબર…

  • સરોશની કુશ્તી કીધાથી શું થાય છે?

    (ગયા અંકથી ચાલુ) સરોશની કુશ્તીથી તો અઈપિ શુધ્ધ થાય છે, એટલે અઈપિમાંથી વોહૂનની ગતિ નબળી થઈ જમીન તરફ ખેંચાઈ જમીનને ખાતર રૂપ થાય છે. જેમ સરોશ નીસ્તીનો જમીનદાર છે માટે નીસ્તીની જમીનને ખેડે છે તેમ સરોશની બાજ સાથની કુશ્તી તેની અઈપિની જમીનને ખેડે છે. ત્યારે અઈપિમાં કચરો કયાંથી આવ્યો? દરેક ઈન્સાનની અઈપિ એકસરખી રહેતી નથી….

  • ખાંડ-સાકરને બદલે ગોળ કેમ?

    આહારમાં મીઠાશ માટે સામાન્ય રીતે ખાંડ-સાકર વગેરેને બદલે ગોળને વધુમાં વધુ ઉપયોગ કરવાની સલાહ અપાય છે. કેમ કે, ગોળ વાસ્તવમાં ગુણકારી છે. સામાન્ય રીતે મીઠા પદાર્થો પચવામાં ભારે હોય છે, પણ ગોળ પચવામાં હલકો રહે છે. આ એક બહુ મોટું આશ્ર્ચર્ય છે! વળી ગોળ મીઠા હોઈને પિત્તનું-સિનગ્ધ હોઈને વાયુનું ગરમ હોઈને કફનું શમન કરે છે!…

  • સર જેજે અને શેત આરજેજે સ્કુલમાં ઈનામ વિતરણનો કાર્યક્રમ

    સર જમશેતજી જીજીભોયના જન્મદિનને પ્રસંગે નવસારીની સર જેજે સ્કુલ અને શેત આરજેજે સ્કુલ બન્ને સાથે મળીને ઈનામ વિતરણ સમારંભનું આયોજન તા. 15મી જુલાઈ 2017ને દિને કર્યુ હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને દિવા પ્રગટાવી થઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શાળાગીત ગાયું હતું. નવસારીના લોકલ કમિટીના ચેરમેન અને ગેસ્ટ ઓફ ઓનર પર્સી ડોટીવાલાએ સ્થાપક વિશે માહિતીપ્રદ ભાષણ આપ્યું…

  • લીલવાની કચોરી

    સામગ્રી: અઢીસો ગ્રામ લીલવા (લીલી તુવરના દાણા) તેના બદલે તમે લીલા વટાણા પણ વાપરી શકો છો. 1 લીલું મરચું, આદુનો નાનો ટુકડો, પ્રમાણસર તેલ, અર્ધી ચમચી રાઈ, 1 ચમચી તલ, 4 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 2 ચમચી ખાંડ, 1 ચમચી ગરમ મસાલો, અર્ધી ચમચી લીંબુનો રસ, પ્રમાણસર મીઠું. 300 ગ્રામ ઘઉંનો લોટ અથવા મેંદો બનાવવા…