સ્ટેજ ઉપર નૃત્યકળાની શઆત કરનાર

જવાનીની શ‚આતમાં સ્ત્રીના પાર્ટ કરવામાં જમશેદજી માદન ઘણા જ વિખ્યાત હતા. જવાનીમાં તેવણ અતિ ‚પાળા અને ચેહરેનુમન હતા. તમાશબીન આલમ હમેશા મરહુમને ‘જમશેદ માદન’ને લાડકા નામે ઓળખતી હતી. ગાયન કરવામાં, જાણીતા દાદી વર્કિંગબોક્ષવાળા નામના એક કાબેલ ગાયક એ મંડળને હાથ લાગી જવાથી, મરહુમને સંગીતની અચ્છી તાલિમ મળી ગઈ હતી. અલાઉદ્દીનના ખેલમાં, જે કઠણ પ્રકારના ગાયનો સ્ટેજ થયાં હતાં તે એ જ વર્કિંગબોક્ષવાળાની કારસાજી હતી. એ દાદાભાઈ તે વખતે પ્રખ્યાત ગાયન ઉત્તેજક મંડળીના જાણીતા ઉસ્તાદ ઈમદાદખાનના હાથ હેઠળ ગાયનની તાલિમ લેતો હતો. તેના અનુભવનો લાભ, કલબ એલ્ફિન્સ્ટને લીધો હતો.
હિંદુસ્થાની નૃત્યકળાનો પહેલવહેલો ભાસ મુંબઈમાં તમાશબીન આલમને મરહુમ જમશેદજી માદને આપ્યો હતો. માથા ઉપર બત્તીનું ઝુમર, અને પાણીની ભરેલી ગાગર રાખી નૃત્યકલાની હુન્નરમંદી દેખાડવાનું કામ શંકરશેઠની નાટક શાળાના તખ્તા ઉપર મરહુમ જમશેદજી માદને પહેલવહેલું સ્ટેજ કીધું હતું. સામટી રીતે લેતાં જમશેદજી માદન, તે વખતની તમાશબીન આલમના એક પ્યારા અને અતિ માનીતા ખેલાડી હતા. પોતાની વધતી જતી વેપારી રોકાણો અને બીજી અગવડોને લીધે, જમશેદજી માદને સ્ટેજને જાથુકની છોડી દીધી હતી અને પોતાની કલબને બીજા કારોબારીઓને સ્વાધીન કરી તેની તમામ જોખમદારી પોતે પોતાના માથે રાખી લીધી હતી. મરહુમને હસ્તક કાંઈ એક જ નાટક મંડળી ચાલતી હતી, એમ સમજવું નહીં. એ માદન સન્સને હસ્તક અનેક નાટક ટોળીઓ કલકત્તામાં ચાલી રહી છે. તે માહેલી એક અતિ ઘણી મોંઘી કીંમતે માદન સન્સે ખરીદી લીધેલી, મરહુમ કાવસજી ખટાઉની આલફ્રેડ નાટક મંડળી હતી. સાંભળ્યા પ્રમાણે એ દોઢ લાખ ‚પિયે, તેની તમામ મિલ્કત સાથ ખંડી લીધી હતી, જે મંડળી ગયા સાલમાં, મુંબઈમાં ખુશ‚-શિરીનનો પ્રખ્યાત ખેલ કરી ગઈ હતી.
મરહુમ જમશેદજી માદન દરેક રીતે ઠાવકા અને ગણત્રીબાજ હતા. ટૂંક પૂંજીમાંથી ધંધો વેપાર વધારી પોતાનો કલકત્તા જેવા શહેરમાં એક આગેવાન શાહ સોદાગર તરીકે મચી રહયા હતા. પોતાની કોમના ગરીબ હમદીનોની દાજને મરહુમ પોતાને હઈડે સદા ધરતા હતા. ગણત્રી પ્રમાણે નાટકના ધંધામાં માલેક તરીકે પડેલા સઘળા હમદીન પારસીઓમાં, ફકત બેથી ત્રણ જણોમાં પહેલી પંક્તિએ ઉભેલા મરહુમ જમશેદજી ફરામજી માદન, મરહુમ કાવસજી પાલનજી ખટાઉ, મરહુમ દાદાભાઈ રતનજી ઠુંઠી.
મરહુમ જમશેદજી માદનના મારી જાણ પ્રમાણે પાંચ ભાઈઓ હતા. એ પાંચો ભાઈઓના નામ હતા મરહુમ ખરશેદજી ફરામજી માદન, મરહુમ નશરવાનજી ફરામજી માદન, મરહુમ જમશેદજી ફરામજી માદન, મરહુમ જહાંગીર ફરામજી માદન અને પેસ્તનજી ફરામજી માદન.
૧) ખરશેદજી માદને નાટક તખ્તા ઉપર ઝાજી વિખ્યાતી નહોતી મેળવી. મરહુમ દાદી પટેલના ગુજર પામ્યા પછી ઓરિજીનલ વિકટોરિયા કલબમાં એવણ સામેલ થયા હતા અને પરદેશમાં ગુજર પામ્યા હતા.
૨) નશરવાનજી ફરામજી માદનની ખેલાડી તરીકેની કારકીર્દી તમે આગલા લેખમાં વાચી ગયા છો.
૩) જમશેદજી ફરામજી માદન, માદન બીરાદરોમાં સઘળા ભાઈઓમાં ઠરેલ, ઠાવકા, કેળવાયેલા, સાલેસ અને સખાવતી દીલગુરદાના હોવા ઉપરાંત, સહાસિક જીગરવાળા નીતીરિતીના ધોરણ ઉપર ચાલનારા એક ચુસ્ત હમદીન જરથોસ્તી હતા સરકારે તેવણને માનપાનથી નવાજી તેમના કામની કદરનાસી કરી હતી.
૪) જહાંગીર ફરામજી માદન એક નમાના અને ઘણા જ મિલનસાર તથા માયાળુ સ્વભાવના માદન ભાઈઓ માહેલા એક સૌથી નાનાભાઈ હતા નાટકના ધંધામાં મરહુમ જહાંગીર તોડાંક વરસ રહ્યા પછી તેને એ ધંધો પસંદ નહીં પડયો અને સ્ટેજને છોડી મુંબઈમાં આવી યુનાની હકીમુ કરવા માંડયુ હતુ. મરહુમ સાધુ સંતની દોસ્તી ઉપર ચીત લાગ્યું હતુ અને એ દોસ્તીના પરીણામમાં મુંબઈમાં તેણે ‘ખાકી તેલ’ નામની લકવા અને સંધિવાની બીમારી ઉપર કારગત લાગે એવું તેલ બનરવી તે વેચવા માંડયું હતું. તેવણ મુંબઈમાં ગુજર પામ્યા હતા.
(વધુ આવતા અંકે)

Similar Posts

  • માણસે અખત્યાર કરવો જોઈતો કાયદો

    આપણ માણસજાતે પણ કુદરતનાં પ્રગટીકરણનો એ કાયદો ધ્યાનમાં રાખી અમલ કરવાનો છે. આપણામાં જે ભલુ હશે તે બાકી રહી બીજાં વધુ ભલાને જન્મ આપશે માટે આપણા ભલા સદગુણો ખીલવી તેઓને વધારે ભલા સર્વથી ભલા બનાવવા જોઈએ. બીજાઓને પણ એમ ભલા બનવાને આપણે મદદ કરવી જોઈએ. લાયક રીતે પ્રગટી નીકળવા કાજેનો એક સદગુણ ઉદ્યોગ જયારે અહુરમજદની…

  • આહાર ગ્રહણ

    જે દ્રવ્યો દ્વારા શરીરની ધાતુઓ પુષ્ટ થાય છે અને જે દ્રવ્યો મુખ દ્વારા ગળાની નીચે ઉતારવામાં આવે છે, તે બધા દ્રવ્યો ‘આહાર’ની વ્યાખ્યામાં આવે છે. કોઈ પણ જાતનો આહાર જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પીરસાયેલા જુદા જુદા પ્રકારનાં દ્વવ્યો-વ્યંજનોમાંથી સૌથી ભારે (પચવામાં) દ્રવ્યો-વ્યંજનો સૌ પ્રથમ ખાવા જોઈએ. ત્યારબાદ,…

  • દાંપત્યજીવનના સ્વીટ 60માં વેલેન્ટાઈન ડે ઉજવવાનું ભુલશો નહીં!

    દાંપત્યજીવનમાં પણ એક પછી એક વર્ષો વીતતાં જાય છે. સ્ત્રી અને પુરુષ બંને પોતપોતાની ભૂમિકામાં પરોવાતાં જાય છે. પુરુષ વ્યવસાયમાં-કારર્કિદીમાંં અને બહારની દુનિયામાં વ્યસ્ત રહે છે, તો સ્ત્રી એની પારંપરિક ગૃહિણી અને માતાની ભૂમિકામાં-ઘરસંસારમાં ખૂંપી જાય છે. હવે સંતાનો મોટાં થઈ જાય છે. ક્યારેક પરણીને કે અભ્યાસાર્થે બહાર જતાં રહે છે, ઘર ખાલી થઈ જાય…

  • સાત પવિત્ર અમેશા સ્પેન્ટા

    આપણા કેલેન્ડર મુજબ પ્રથમ સાત દિવસોનું નામ સાત અમેશાસ્પેન્ટા પરથી રાખવામાં આવ્યું છે. આમાંના દરેકને કેટલાક મદદગારો અથવા સહાયકો પણ હોય છે જેઓ તેમની ન્યાયી ફરજ બજાવવામાં મદદ કરે છે. અમેશાસ્પેન્ટાનું મહત્વ નીચે મુજબ છે. 1. દાદર હોરમઝદ – ભગવાનનું શાણપણ અને આત્મા (સ્પેન્ટા મૈન્યુ): દરેક માણસને અહુરા મઝદાના યોગ્ય આદેશો અનુસાર જાગૃત રહેવા અને…

  • ખજૂરની ઘારી

    સામગ્રી: ૫૦૦ ગ્રામ ખજૂર, ૨૦૦ ગ્રામ ખાંડ, ૨૫૦ ગ્રામ માવો, ૫૦ ગ્રામ નાળિયેરનું ખમણ, અખરોટનો ભૂકો ૧ ટેબલ સ્પૂન, ચારોળી, ૧ ટેબલ સ્પૂન મેંદો, ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ, ૧૦૦ ગ્રામ ઘી, રોઝ એસેસન્સ, દૂધ. રીત: સૌ પ્રથમ ખજૂરનાં ઠળિયાં કાઢી, બારીક કટકા કરવા એક વાસણમાં ઘી મૂકી, ગરમ થાય એટલે ખજૂરના કટકા નાંખવા. લોચો થઈ…

  • વિખ્યાત – ડો. ખુશનુમા તાતા

    છવીસ વર્ષની નાની ઉંમરે, મુંબઇની ગોદરેજ બાગ નિવાસી – ખુશનુમા તાતા, જે મુંબઇની કેસી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ભણાવે છે, ક્ધઝ્યુમર બિહેવિયર ટુવડર્સ રેડી ટુ ઇટ ફૂડમાં પીએચ.ડી કરીને સમુદાયને ગૌરવ અપાવ્યું છે. ખુશનુમાનેે મિઝોરમના રાજ્યપાલ તરફથી તેના ડોક્ટરનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તેના સંશોધન પત્રો રાષ્ટ્રીય અને વૈશ્વિક પરિષદોમાં રજૂ કરવામાં આવ્યા છે અને…