લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

માન્યતા: પાલક દત્તક લેવાનો પારંપારિક સ્વરૂપ છે અને ધાર્મિક રીતે માન્ય છે.
તથ્ય: મૃત વ્યક્તિના આચારણ માટે પાલક નામ આપવાની પારસી રીત અપનાવવાતી ભેળસેળ કરી શકાતી નથી અને હકીકત એ છે કે ભારતમાં પારસીઓમાં દત્તક લેવાની પ્રક્રિયા હજુ સુધી કાનૂની નથી. ભારતમાં દત્તક લેવા માટે ઉપલબ્ધ એક કાયદો છે અને જે 1956માં અમલમાં આવ્યો હતો.
પાલક અને વોર્ડ એકટ (જીડબ્લ્યુએ) 1890 મુસ્લિમો, ખ્રિસ્તીઓ પારસી અને યહુદીઓનો વ્યક્તિગત કાયદો અપનાવવાની માન્યતા નથી. ભારતમાં નોન હિન્દુઓ પાસે કાયદેસર રીતે બાળકને અપનાવવા માટે સક્ષમ કાનૂન નથી. જે લોકો બાળકને દત્તક લેવાની ઈચ્છા હોય તે ‘ધ ગાર્ડિયન એન્ડ વોર્ડસ એકટ, 1890’ હેઠળ બાળકને દત્તક લઈ શકે છે. પરંતુ જીડબ્લ્યુએ બાળકને વારસાદીક દરજ્જો આપી શકતો નથી.
હિન્દુ એડોપ્શન અને મેન્ટેનન્સએકટ 1956 મુજબ બાળક પોતાની મેળે અથવા સંપત્તિ વારસાદીક રીતે પ્રાપ્ત નથી કરી શકતો અને આ કાનૂની પાલકના સંબંધો બાળકો સાથે જ્યાં સુધી બાળક 21 વરસની ઉંમર પૂર્ણ ન કરે ત્યાં સુધી હોય છે.
જીડબ્લ્યુએ હેઠળ મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી અથવા જ્યુ જેવા સમુદાયના લોકો જે લોકો બાળકોને અપનાવવા માગતા હોઈ તે બાળકોના પાલક બની શકે છે. ભારતમાં કાયદા પ્રમાણે આવા બાળકો જૈવિક બાળક તરીકે પોતાનો દરજ્જો ભોગવી શકતા નથી. હકીકતમાં પાલકનો અર્થ છે. સંપત્તિ અથવા બાળક નાનું છે તેને સંભાળનાર ને વાલી-પાલક કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો પારસી દંપત્તિ બાળકને દત્તક લઈ શકે છે પરંતુ કાયદાકીય રીતે તેને અપનાવી શકતું નથી.
છેલ્લા કેટલાક દાયકાથી ભારત સરકારે દત્તક લેવાના બિનસાંપ્રદાયિત કાયદો પસાર કરવાની કોશિશ કરી પરંતુ નોન હિદુ સમુદાયો જેવા કે મુસ્લિમ અને પારસીઓના સખત વિરોધને કારણે નિષ્ફળ રહ્યા છે.
મુસ્લિમ સમુદાય સિવાયના તમામ સમુદાયોને લાગુ કરવા માટે સક્ષમ દત્તક લેવાની કાયદાની જોગવાઈ કરવા માટે 1980ના દત્તક બાળક વિધેયક, બોમ્બે ઝોરાસ્ટ્રિયન જશન સમિતિએ વિરોધ કર્યો હતો. જેણે ‘બિલ’માંથી પારસીને મુકત કરવા માટે એક સમિતિની રચના કરી હતી. સિત્તેરના દાયકામાં સંસદમાં બે વખત ગોઠવાયેલી નેશનલ એડોપ્શન બિલ, હજુપણ કાનૂની પુસ્તકોમાં દાખલ નથી કરાઈ.
બંધારણની કલમ44 જાહેર કરે છે કે ભારત રાજ્યના સમગ્ર પ્રદેશમાં નાગરિકો માટે એક સમાન નાગરિક સંહિતા માટે સુરક્ષિત રહેવાનો પ્રયત્ન કરશે. જો કે ભારતીય પધ્ધતિઓમાં ધર્મનિરપેક્ષનો ખ્યાલ એક સાહસકથા છે.
2006ના અને તેના પછીના સુધારામાં દત્તક લેવાની જોગવાઈ સુઘડપણે જોડી દેવામાં આવી છે પરંતુ તે કેવી રીતે લાગુ પાડવામાં આવે તેને કેમ અમલમાં મૂકવો તેનો કોઈ પ્રતિભાવ નથી. આ કાયદાના હેતુ સારા છે પરંતુ તેઓ ઓબ્જેકટના સ્ટેટમેન્ટમાં દત્તકનો ઉલ્લેખપણ કરતા નથી અને કાયદાના અન્ય ટુકડાઓ સાથેના સંઘર્ષમાં આ કાયદો તેની શરતોમાં ચોકકસ અને સ્પષ્ટ નથી.
નોંધવું જરૂરી છે કે કિશોરોને લગતો કાયદો એકટ 2000 કહે છે કે હાલનો કાયદો એડોપ્શનને બદલે છે. જેજેએ અન્ય અંગત કાયદાની જોગવાઈઓ પર ફરીથી લખવામાં નિષ્ફળ જાય છે.
ઉદાહરણ તરીકે મુસ્લિમ અંગત કાયદો દત્તક લેવાની મંજુરી આપતું નથી અને સરકાર બીજા કાયદામાં ફેરફાર કરીને એક અધિનિયમમાં છટકવાનો પ્રયાસ કરી શકતું નથી.
આમ પારસીઓમાં ‘દત્તક’ કાયદેસર નથી માત્ર નિ:સંતાન મૃત્યુ પામેલા વ્યક્તિની ધાર્મિક ક્રિયાઓની જવાબદારી લઈ શકે છે પણ મિલકત અથવા ઉત્તરાધિકાર પર કોઈ કાનૂની અધિકારો આપતું નથી.

Similar Posts

  • | |

    Your Moonsign Janam Rashi This Week –
    14th November – 20th November, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. થોડી મહેનત કરવાથી તમારા અટકેલા કામો પૂરા કરી શકશો. ચાલુ કામમાં કોઈ પણ મુશ્કેલીઓ નહીં આવે. નાના-નાના ફાયદા મળતા રહેશે. તમારા નાણાને સારી જગ્યાએ ઈનવેસ્ટ કરી શકશો. ઘરવાળાને આનંદમાં રાખી શકશો. કોઈની ભલાઈનું કામ કરશો. દરરોજ…

  • ZTFI Makes New Year Happy For All!

    Known to spearhead smiles among the lesser privileged of our community, Zoroastrian Trust Funds of India (ZTFI) was once again at the forefront of sharing happiness, bringing in the auspicious Parsi New Year amidst much celebrations, fanfare and philanthropy. ZTFI’s Feed-A-Family Program has been growing in popularity since its inception, but the Program’s ‘New Year…

  • Champions Of Philanthropy

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Much has been written about our fellow Zoroastrians affected by the Pandemic and the various welfare initiatives undertaken to support them. The benevolence and munificence of donors who have played the most significant role in supporting those affected, should be acknowledged, so that we can show our gratitude to and celebrate the generosity of the…

  • ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ!

    બીજા ધર્મોની જેમ હિન્દુ ધર્મમાં પણ દરેક શુભ કાર્ય મુહૂર્ત જોઈને કરવામાં આવે છે. ખાસ કરીને લગ્નના મામલે લોકો આ વાતનુ વિશેષ ધ્યાન રાખે છે. વર્ષમાં કેટલોક સમય એવો આવે છે જ્યારે લગ્નના કાર્યો પર રોક લાગી જાય છે. જેવુ કે જ્યારે ભગવાન વિષ્ણુ પોતાની યોગ નિદ્રામાં જતા રહે છે ત્યારે ચતુર્માસ લાગવાને કારણે શુભ…

  • શિરીન

    ‘હું ઓરત છું તે છતાં પણ તમો મને મારી શકોછ ફિલ, કારણ તમારા પૈસાએ જ ખરીદેલી હું એક ગુલામડી છું. ખ‚ંની?’ ‘હા, વાત તદ્દન ખરી છે, શિરીન પણ તે છતાં હું એક જેન્ટલમેન હોવાથી કદી નબળી જાતિ પર હાથ ઉચકતો નથી. ‘એ તમારા ગૃહસ્થપણાને માટે હું થેન્કસ માનું છું.’ ‘ને તેથી જ શિરીન આજે સવારના…