પહેલા બેરોનેટ સર સાહેબની જન્મજયંતિ નિમિત્તે શાળામાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ

નવસારીની સર જે. જે. પ્રાયમરી સ્કુલમાં તા. 21-07-2018ના શનિવારે શાળાના સ્થાપક પહેલા બેરોનેટ સર જમશેદજી જીજીભોય (સર સાહેબ)ની 236મી જન્મજયંતિ નિમિત્તે શાળામાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આર જે. જે. હાઈસ્કુલના હોલમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રમુખ તરીકે નવસારીના જાણીતા સિનિયર હોમિયોપેથીક ડોકટર પલ્લવી ગાંધી હાજર રહ્યા હતા. શાળાના લોકલ કમીટીના ચેરમેન પરસી દોટીવાલા સાહેબ, લોકલ કમીટી મેમ્બર નોશીર સબાવાલા, નેવીલ દુત્યા તથા શાળાના ભગીની સંસ્થાના આચાર્ય અમીષ, દીપીકા તથા સર જે. જે. સ્કુલના તમામ સ્ટાફ હાજર રહ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત બાળકોની સુંદર પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ દિપ પ્રાગટ્ય કરી આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આચાર્યા કડોદવાલાએ પુષ્પગુચ્છ તથા ભેટ દ્વારા અભિવાદન કર્યુ હતું. પ્રમુખ દ્વારા બાળકોને તેમના સર્વાગી વિકાસ માટે સરસ ભાષણ આપવામાં આવ્યું હતું તથા વાલીઓને બાળકોના ઘડતરમાં તેમને ગમતી પ્રવૃત્તિઓમાં રસ કેળવવા તથા તેમને યોગ્ય માર્ગદર્શન આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું. બાળકોને વર્તમાન પ્રશ્ર્નો જેમ કે પાણી બચાવો તથા પ્લાસ્ટિકના દુરૂપયોગ વિશે પણ સમજણ આપી હતી તથા પર્યાવરણ બચાવવાની સલાહ આપી હતી.
શાળાના ચેરમેન પરસી ડોટીવાલાએ નાનકડું પરંતુ સુંદર પ્રવચન આપ્યું હતું અને ઈનામને હકદાર બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. કમીટી મેમ્બર નોશીરે પણ સુંદર ભાષણ આપી સૌને બિરદાવ્યા હતા.
ત્યારબાદ નર્સરીથી ધોરણ 5 સુધીના બાળકોને વિવિધ પ્રવૃત્તિઓમાં તથા વર્ગમાં પ્રથમ, દ્વિતિય, તૃતીય તથા અન્ય પ્રવૃત્તિઓમાં વિજેતા થયેલા બાળકોને સર્ટીફિકેટ તથા રોકડ રકમથી નવાજવામાં આવ્યા હતા. બાળકો ઈનામ મેળવી ગૌરવ અનુભવતા હતા.
અંતમાં ધોરણ 4ના બાળકો દ્વારા સુંદર ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો અને અંતે સૌ શિક્ષકો, બાળકો, મહેમાનો એ સાથે મળી રાષ્ટ્રગીત ગાઈ સમગ્ર કાર્યક્રમ પૂરો કર્યો હતો.

Similar Posts

  • Your Religious Queries Answered

    Euthanasia And Zoroastrianism [otw_shortcode_info_box border_type=”bordered” border_style=”bordered” border_color=”#00″] Noshir Dadrawala, scholar in Zoroastrian religion and culture, responds to queries sent in by readers seeking answers to various religious and cultural queries [/otw_shortcode_info_box] Query From Parsi Times reader, Zarine Modi: “Does the Zoroastrian religion permit or support euthanasia? Can one leave written instructions for family and friends…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    09 March, 2019 – 15 March, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં જે પણ કામ કરશો તેમાં સફળ થશો. ગુમાવેલી વસ્તુ કે પ્રેમ પાછો મેળવી શકશો. મનગમતી વ્યક્તિ મળશે. જ્યાં પણ કામ કરતા હશો ત્યાંના લોકોનો સાથ મળવાથી કોન્ફિડન્સ વધી જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે….

  • Words of Wisdom By Dr. Hozie Kapadia

    In November, 2018, Dr. Hozie Kapadia brought a great sense of pride to the Community on being appointed as the Indian Medical Association’s Maharashtra State President, thus becoming the very first Parsi to be made the President of the largest State Medical Association in the country, chosen over 43,000 registered members. Dr. Kapadia was initiated…

  • શું તમે પણ આવું કરો છો?

    એક સ્ત્રી એક ફ્રુટ વેચનારા વ્યક્તિ પાસે જાય છે, જે વ્યક્તિ ઉંમરમાં ખૂબ જ ઘરડા હોય છે. તેની પાસે જઈને તે પૂછે છે કે આ સફરજન તમે કયા ભાવે વેચી રહ્યા છો? એટલે પેલા ઘરડા માણસ તેને જવાબ આપે છે કે બેન આ તમને 80 રૂપિયાના એક કિલો મળશે. આથી તરત પેલી સ્ત્રી જવાબ આપે…