જીવનમાં શિસ્ત અને હકારાત્મક અભિગમ

ગમેતેમ કરીને ખુશરૂ ઓફિસે પહોંચ્યો.
આજ તેનો ઇન્ટરવ્યુ હતો. મનોમન નકકી કર્યું હતું કે જો નોકરી મળી જાય તો બીજે રહેવા જતું રહેવું છે. મમ્મી, પપ્પાની રોજ-બરોજની નાની વાતો જેવી કે રૂમમાંથી બહાર નીકળું તો પંખો કેમ બંધ નથી કરતો, નાહીને બહાર નીકળું તો રૂમાલ સૂકવી દે. ચાદર સરખી કરી દે, નળ બંધ કરી દે વિગેરે વિગેરે..થી હું કંટાળી ગયો છું.
ઓફિસના દરવાજા પર કોઈ હતું નહીં અને બાજુમાં પાણી પાઈપમાંથી બહાર નીકળતું હતું તેને સરખું કર્યું કારણકે પપ્પાની ટકોર યાદ આવી.
પેસેજની લાઈટ સવારે દસ વાગે પણ ચાલુ હતી કોઈ રિસેપશનિસ્ટ પણ ન હતી. તેને લાઈટ બંધ કરી કારણકે મમ્મીની ટકોર યાદ આવી.
બોર્ડ માર્યું હતું કે બીજા માળે ઇન્ટરવ્યુ છે. સીડીની લાઈટ પણ બંધ કરી. એક ખુરશી આડી પડી હતી તે સરખી કરી. મમ્મી-પપ્પાની શિસ્તને લીધે જ તો…
પહેલા માળે બીજા કેન્ડીડેટ પણ હતા જે ફટાફટ અંદર જઈને તરત જ બહાર આવતા હતા. પૂછતા કહેતા કે કઇ પૂછતા નથી.
તેનો વારો આવ્યો એટલે અંદર ગયો અને ફાઇલ બતાવી. ફાઇલ જોયા પછી તરત જ મેનેજરે પૂછ્યું ક્યારથી જોઈન્ટ કરશો. તેને નવાઈ લાગી કે કશું પૂછયા વગર કઈક મજાક તો નથી કરતા ને.
બોસ સમજી ગયા કહ્યું, નહા ભાઈ એપ્રિલ ફૂલ નથી હકીકત છે. આજના ઇન્ટરવ્યુંમા કોઈને કંઈ પૂછ્યું નથી બસ સીસીટીવીમાં તમારો એટીટયુડ જોયો છે. બધા કેન્ડીડેટ આવે છે પણ કોઈને નળ બંધ કરવાનું કે લાઈટ બંધ કરવાનું સૂઝતું નથી. એક તમે તેમાં પાસ થયા છો. ધન્ય છે તમારા મા-બાપ ને કે જેને તમને આવા સંસ્કારો કે શિસ્તના પાઠ ભણાવ્યા છે. જે વ્યક્તિ પાસે સેલ્ફ ડિસિપ્લીન હોતી નથી તે ગમે તેટલો હોશિયાર હોય મેનેજમેન્ટમા અને જિંદગીની દોડમાં નિષ્ફળ જાય છે.
જીવનમાં શિસ્ત અને હકારાત્મક અભિગમ કેળવીએ અને રાખીએ અને આપણી આવતી પેઢીને ભેટ સ્વરૂપે આપીયે.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    11 March – 17 March 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પુરી થઈને રહેશે. હરવા ફરવામાં દિવસો પસાર કરી શકશો. જે પણ કામ કરશો તેમાં ફત્તેહ જરૂર મેળવશો. તમારી સાથે બીજાને ફાયદો કરાવી આપશો. અપોજીટ સેકસ સાથેના મતભેદ ઓછા કરવાનો સીધો રસ્તો…

  • સુરતના આદરીયાન પાદશાહ સાહેબની 125માં વરસની શુભ સાલગ્રેહની ઉજવણી

    29મી જાન્યુઆરી, 2021માં, સુરતના આદરીયાન પાદશાહ સાહેબની 125મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી હતી. સવારે જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી હતી. સોથી વધુ હમદિનોેએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો. વડા દસ્તુરજી સાહેબની સહાયથી કાવ્યાની ઝંડો ફરકાવવામાં આવ્યો હતો. બધા હમદીનોએ ઝંડાને સલામી આપી અને માન આપ્યું હતું. સગનની સેવ, ચાસ્ની અને લાઈટ રિફ્રેશમેન્ટ બધા ઉપસ્થિતોને…

  • કમળો

    કમળો થયો હોય ત્યારે લોકો કુદરતી ઉપચારો પણ જરૂર પસંદ કરે છે. જો, કે એક નૈસર્ગિક ચિકિત્સા કમળો મટાડવા માટે બહુ જ પ્રભાવકારક અને અકસીર છે. દર્દીએ દરરોજ નિરંતર તાજા મૂળા ખાતા રહેવું. કંદ (મૂળાના) ખાતા રહેવું અને મૂળાની ભાજીનું શાક ખાતાં રહેવું. શેરડી ચાવી-ચાવીને ખાતાં રહેવું. ફકત આટલું જ કરતા રહેવાથી પણ કમળો ધીમે-…

  • ‘Kem Na Mazda’ – Invoking Divine Protection

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] ‘Kem Na Mazda’ is a powerful prayer which invokes Dadar Ahura Mazda’s protection and compassion. It is also a powerful Nirang which can be recited as a stand-alone prayer. It stands next only to the ‘Yatha Ahu Vairyo’ in terms of its protective powers.  [/otw_shortcode_info_box] ‘Kem Na Mazda’ is the third prayer…