પાદશાહ કયુમર્સ

આ પાદશાહને અવસ્તામાં ‘ગયમરેથન’ અને પરેલવીમાં ‘ગયોમર્ત’ કહે છે. અવસ્તા પ્રમાણે તેમણે પહેલવહેલી દાદાર અહુરમઝદની શિખામણ સાંભળી હતી. તે ઈરાનનો સૌથી પ્રથમ રાજવી હતો. કેટલાક ગં્રથકારો તેને દુનિયાનો સર્વથી પ્રથમ માનવી (આદમ) તરીકે ઓળખે છે. જો કે ફિરદોસી તેને ઈરાનના પહેલા પાદશાહ તરીકે ઓળખાવે છે. કેટલાક તેને ‘ગીલશાહ’ પણ કહે છે. તે કયા જમાનામાં પેદા થયો તેનો કોઈ ચોકકસ ઉલ્લેખ મળતો નથી. કેટલાક તેને ઈ. સ. પૂર્વે ૯૦૦ વરસ થયેલાનું જણાવે છે. એક અંગ્રેજ લેખક તેને પેશદાદીઆન વંશનો સ્થાપક ગણાવે છે. ફારસી લેખકના મંતવ્ય મુજબ તેણે દેમાવંદ, એસ્તખ્ર અને બલ્ખ શહેર વસાવ્યા હતા. કયુમર્સનો ચહેરો એટલો નૂરમંદ હતો અને શરીર કદાવર બાંધાનું હતું. તેને જોઈને જંગલી જનાવરો પણ બીતા. તેની તમામ માણસો તથા પ્રાણીઓ ઉપર સત્તા હતી. પાદશાહ તથા તેના તખ્તને નમન કરવાની પ્રથા તેના અમલ દરમિયાન થઈ હતી. આ પાદશાહનો કાર્યકાળ ૩૦ વરસનો મનાય છે.

Similar Posts

  • બટર ચીકન

    સામગ્રી: 500 ગ્રામ હાડકા વગર નું ચીકન, 50 ગ્રામ કાજુ, 3 નાની ચમ્મચી દહીં મસાલા સામગ્રી: 50 ગ્રામ ખસ ખસ, 50 ગ્રામ મગજતરી, 2 મધ્યમ આકાર ના મોટા સમારેલા ટામેટા, 2 મધ્યમ આકાર ની મોટી સમારેલી ડુંગળી, 4-5 લીલા મરચા, 1 નાની ચમ્મચી ગરમ મસાલો, 1 નાની ચમ્મચી આદુ લસણ નું પેસ્ટ, 1/2 નાની ચમ્મચી…

  • પૈસો અને સ્વાર્થ

    માણસનો સ્વભાવ પહેલેથી જ લોભી છે. ‘લોભને થોભ નહીં’. લોભની સાથે સ્વાર્થ વધે છે, અને આ લોભ અને  વાર્થ મોટા ભાગે પૈસા માટે વધુ હોય છે. ‘પૈસા જોઈને મુનિવર ચળે’. તેમ દરેક માણસ પૈસાને માટે સ્વાર્થી બની ગયો છે. પૈસાને ખાતર સગા પણ પારકા થાય છે. ‘મા જુએ આવતો અને બૈરી જુએ લાવતો’ એ કહેવતમાં…

  • ફિલ્ડ માર્શલ માણેકશાની 12મી પુણ્યતિથિનો સન્માન સમારોહ

    ફીલ્ડ માર્શલ એસએચએફજે માણેકશાની 12મી પુણ્યતિથિ નિમિત્તે 27મી જૂન, 2020 ના રોજ, કોઈમ્બતુરના નીલગિરિસ જિલ્લામાં, વેલિંગ્ટન સ્થિત ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ (ડીએસએસસી) દ્વારા પુષ્પાંજલી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. એક સત્તાવાર રિલીઝ મુજબ, કમાન્ડન્ટ ડીએસએસટીના લેફ્ટનન્ટ જનરલ વાયવીકે મોહને, સ્થાનિક પારસી સમુદાયની હાજરીમાં, ટ્રાઇ-સર્વિસ બિરાદરો વતી, દેશના પ્રથમ ફિલ્ડ માર્શલના અંતિમ આરામ સ્થાન પારસી ઝોરાસ્ટ્રિયન…

  • સુરત માટે ગૌરવ કહી શકાય એવી સિદ્ધિ!

    સુરત માટે ગૌરવપૂર્ણ કહી શકાય એવી સિદ્ધિ સુરતના મિક્સ માર્શલ આર્ટિસ્ટ રેનશિ વિસ્પી ખરાદી એ અપાવી છે. સુરતના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ બીએસએફના ડાયરેકટર જનરલ રાકેશ અસ્થાનાની પહેલથી દેશની સીમાઓ ઉપર તૈનાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ બીએસએફના જવાનોને રેનશિ વિસ્પી ખરાદી અને હાનશી મેહુલ વોરાની ટીમ દ્વારા માર્શલ આર્ટની ટ્રેનિંગ આપવામાં આવી…

  • ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

    પહેલી સ્ત્રી તથા પહેલકરી તે હવેલીમાં દાખલ થયાં પછી બીજી સ્ત્રી કે જેણીએ બારણું ઉઘાડયું હતું તે તેણીએ બંધ કીધું. તે ત્રણે આસામીઓ આગળ ચાલતા તે હેલકરીન માલમ પડયું કે પહેલા તો શોભીતી બાંધણીની દેવડી તેઓએ પસાર કીધી અને ત્યાંથી એક કુશાદે ચોક મુકી તેઓ આગળ ચાલ્યા. તે ચોકની આસપાસ ખુલ્લી ગેલરી હતી અને તે…

  • શિયાળામાં સૂંઠનું સેવન

    સૂંઠ એટલે દેશી ભાષામાં સૂકવેલું આદું! સૂંઠ દ્વારા જે જે રોગોની સફળ સારવાર થઈ શકે છે તે રોગોની યાદી નાની સૂની નથી. ભારતીય નિસર્ગોપચારમાં સૂંઠ મહાન ઓષધ ગણાય છે. શિયાળામાં ખાસ સૂંઠના સેવનનો મહિમા છે. કેમ કે, શિયાળાની ઠંડીમાં સામાન્ય રીતે રૂધિરમાં રહેલા શ્ર્વેતકણો ઠરી જાય છે અને લોહીની ચરબી (કોલેસ્ટ્રોલ) તથા બ્લડપ્રેશર વિષયક ફરિયાદોની…