પારસી પ્રજાનો ઉદય, પૂરાતન પારસીઓએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગો

IMG_20160609_124823 copyઈ.સ. પૂ. સાતમી સદીમાં પુરાતન પર્સિસના પહાડી પ્રદેશમાં વસતી પારસી નામની પ્રસિધ્ધ પ્રજા પોતાના પાક મજહબ, સચ્ચાઈ અને સાદાઈ, બહાદુરી અને બળ માટે પ્રાચીન તવારિખમાં પંકાઈ ગઈ હતી. એ પ્રજા શ‚આતમાં જૂદા જૂદા ટોળાઓમાં વહેંચાયેલી હતી. આ ટોળાઓમાંનો પસાર ગેદી નામનો પારસી ટોળો બીજા ટોળાઓ કરતાં શુરવીરપણાં અને શ્યાનપટમાં વધારે ચઢિયાતો હતો. એ ટોળાના હખઈમનીશ નામના પહેલા પારસી પાદશાહે પારસી પાદશાહતનો ઈ.સ. પૂ. ૬૫૮ને એણિયાએ પાયો નાંખ્યો. દિનપર દિન તેની સત્તા વધતી ગઈ અને
પોતાના મરણ આગમ જ તે સબકતો પારસી પાદશાહ સઘળા પારસી ટોળાઓપર સર્વોપરી સત્તા ભોગવવા પામ્યો. તેના બેટા ચિશ્પાઈશે આલમની શાહાનશાહતની પડતીનો લાભ લઈ તેનો અન્જન નામનો એક પ્રાંત ખાલસા કીધો અને એ રીતે પારસીઓએ પર્સિસની સાંકડી હદો કુદાવી પ્રાચીન દુનિયાના પ્રદેશો ફત્તેહ કરવાની શ‚આત કીધી. પણ તેમને ગમે એટલી બહાદુરી કે શૂરાતન છતાં કોઈ મહાવીરની ગેરહાજરીથી તેઓ વધારે આગળ કદમો લંબાવી શકયા નહિ. તેમની પાદશાહતનો પાયો નંખાયાને એક સદી વહી ગઈ પણ તેમના પાદશાહો આ જેહાનના આગેવાન રાજકર્તાઓ તરીકે ગણાવી શકયા નહિ. પણ આમ લાંબો વખત ચાલ્યુ નહિ. તેમની જોરેમંદીને જશ મળવાનો અને તેમની બહાદુરીના જગપ્રસિધ્ધ ઝાડો પર ફળ આવવાનો વખત નજદીક આવી પૂગ્યો. તેઓ  બદીથી દૂર અને કુદરતના કાયદાની કદર બુજનારા હોવાથી તેઓ સચ્ચાઈના સાચા સેવકો અને રાસ્તીના રખેવાળો હોવાથી ખોદાઈ પ્રશંસા તેઓ પર ઉતરી. કુ‚સ (સાઈરસ) નામનો નામીચો નર તેઓની નામ આશ્કરા કરવાને અને દુનિયાના દયાળુ, દાનવ પણ જગપ્રસિધ્ધ, જોરેમદ, જેહાંજોય જોધ્ધાઓ વચ્ચે તેમને બીરાજવાને અને પૂરાતન પારસીઓને ફકત પર્સિસનાજ નહિ, ફકત ઈરાનનાજ નહિ, ફકત એણિયાના જ નહિ, પણ સારી જેહાનનના ઈન્સાફી, દયાળુ, લોકરક્ષી રાજકર્તાઓ તરીકે ગણાવવાને તેઓ વચ્ચે જાહેર થયો. હવે પૂરાતન પારસીઓનો ઝળકતો સિતારો પોતાનો તેજસ્વી ઝલેહમંદ ઝળકાટ ફેલાવી રહ્યો હવે પારસી સમશેરનો ધાક ધરતી ધ્રુજાવી રહ્યો; હવે પારસી ભાલાનું નામ સમજી પૂરાતન પ્રજાના જીગરો ચાક થવા માંડયા અને હવે જ  એક વખતની બહાદુર પણ મંદ પારસી પ્રજાએ પોતાની મંદી ત્યજી દઈ, દુનિયાની ચોબાજુ પોતાના કદમો લંબાવવા માંડયા. પેલો નામીચો કુ‚સ કે જે મહાત્માનું નામ દેતાં આપણું  જીગર ઉછાળા મારે છે, પેલો નામાંકિત નર, તે યાદગાર યોધ્ધો તે શ્યાનો શૂરવીર શાહાનશાહ અને તેજ પારસીઓનો પ્યારો, પણોતો, પ્રસિધ્ધ પાદશાહ, હવે ધરતી ધ્રુજાવી રહ્યો. પારસી પ્રજાના મંદ રોહને હવે તેણે એક અજીત અચુક રોહમાં ફેરવી નાખ્યો. હવે એ રોહમાં એક પછી એક સઘળી પ્રજાઓ તણાઈ જવા લાગી, જબરદસ્ત કિલ્લાઓ અને અજીત શહેરો હવે જમીનદોસ્ત થવા લાગ્યા અને આ જેહાનની એક પણ પ્રજા એ રોહને અટકાવી શકી નહી.

Similar Posts

  • જો તમારે આગળ વધવું હોય તો આ રોગો પર કાબુ મેળવો

    મિત્રો, તમારામાં ઘણી પ્રતિભા હોવા છતાં, તમારી યોગ્યતા હોવા છતાં, તમે આજ સુધી સફળ થયા નથી. તમે વિચારો છો કે તમે સખત મહેનત કરી રહ્યા છો, પરંતુ તમને જોઈતી સફળતા નથી મળી રહી. મિત્રો, આ એક સામાન્ય બીમારી છે અને તમને દરેક ઘરમાં આવા દર્દીઓ જોવા મળશે * કામ ઓછું, બકબક વધુ તમે બહુ બોલો…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    02 March, 2019 – 08 March, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી જે પણ કામ કરશો ત્યાં કદર થશે. લેતી-દેતીના કામ સમય પર પૂરા કરી શકશો. ધારેલી જગ્યાએથી ધન મેળવી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ગામ-પરગામ જવાનો ચાન્સ મળશે. મનગમતી વ્યકિતને મળી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના…

  • મુશ્કેલ સમયમાં સુખી રહેવાના છ રહસ્યો

    આ વાત છે કેટલાક દાયકાઓ પહેલાં, કોરોના બૂટની કંપનીની. હું તે દિવસોની વાત કરું છું જ્યારે ભારતમાં ટીવી નહોતું આવ્યું અને જાહેરાતનું એકમાત્ર શક્તિશાળી માધ્યમ રેડિયો હતું. ભલે તે ઓલ ઇન્ડિયા રેડિયો હોય કે રેડિયો સિલોન અથવા વિભિન્ન ભારતી, કોરોના બૂટની જાહેરાત હિન્દીમાં આ રીતે ફટકારવામાં આવી હતી – કોરોના કે જૂતે, જો ઘિસ તો…

  • |

    Your Moonsign Janam Rashi This Week – 9 July To 15 July 2016

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૩મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે તબિયતથી પરેશાન થશો. કોઈ પણ કામને શ‚ કરતા પહેલા તમને નેગેટીવ વિચાર ખૂબજ આવશે. તમારી સાથે સા‚ ને મીઠું બોલનાર વ્યક્તિ ઉપર વિશ્ર્વાસ રાખતા નહી. નાણાંકીય બાબતની અંદર ડોક્ટરની પાછળ ખર્ચ કરવો પડશે. મંગળને શાંત કરવા…

  • હસો મારી સાથે

    મારી દોસ્ત તરીકે સલાહ જો પત્ની બહુ મગજમારી કરે, તો ચપ્પલ ઉઠાવો અને પહેરીને બહાર જતા રહો. બાકી તમે જે વિચાર્યું એના માટે તો હિમ્મત જોઈએ. *** શોધ સમાચાર-પરણેલા પુરુષનું પેટ વધવાનું કારણ: ઓફીસની બહેનપણી જોડે કરેલા ભરપેટ નાસ્તા બાદ ઘરે પત્નીની બીકમાં ફરીથી ખાવું. *** પરિક્ષામાં ઓછા માર્ક્સ આવે ત્યારે ઘરના બધા કહે સામેવાળીને…

  • સુની તારાપોરનું ‘યે બેલે’ પ્રીમીયર નેટફિલિક્સ પર

    પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને વખાણાયેલ ‘લિટલ ઝિઝો’ (2008)ના ડિરેકટર; ‘સલામ બોમ્બે!’ (1988)ના રાઈટર, ‘સચ અ લોન્ગ જર્ની’ (1998) અને ‘ધ નેમસેક’ (2006) – ના પ્રતિભાશાળી અને ગતિશીલ સુની તારાપોરેવાલા – બીજીવારના ડિરેકટર ‘યે બેલે’ સાથે ફરી આવ્યા છે. ‘યે બેલે’ શીર્ષકવાળી ટૂંકી દસ્તાવેજીનું એક કાલ્પનિક સંસ્કરણ, બે મુંબઇના છોકરાઓની સાચી વાર્તાથી પ્રેરિત છે, જેમણે પ્રતિષ્ઠિત…