પાદશાહ કયુમર્સ

આ પાદશાહને અવસ્તામાં ‘ગયમરેથન’ અને પરેલવીમાં ‘ગયોમર્ત’ કહે છે. અવસ્તા પ્રમાણે તેમણે પહેલવહેલી દાદાર અહુરમઝદની શિખામણ સાંભળી હતી. તે ઈરાનનો સૌથી પ્રથમ રાજવી હતો. કેટલાક ગં્રથકારો તેને દુનિયાનો સર્વથી પ્રથમ માનવી (આદમ) તરીકે ઓળખે છે. જો કે ફિરદોસી તેને ઈરાનના પહેલા પાદશાહ તરીકે ઓળખાવે છે. કેટલાક તેને ‘ગીલશાહ’ પણ કહે છે. તે કયા જમાનામાં પેદા થયો તેનો કોઈ ચોકકસ ઉલ્લેખ મળતો નથી. કેટલાક તેને ઈ. સ. પૂર્વે ૯૦૦ વરસ થયેલાનું જણાવે છે. એક અંગ્રેજ લેખક તેને પેશદાદીઆન વંશનો સ્થાપક ગણાવે છે. ફારસી લેખકના મંતવ્ય મુજબ તેણે દેમાવંદ, એસ્તખ્ર અને બલ્ખ શહેર વસાવ્યા હતા. કયુમર્સનો ચહેરો એટલો નૂરમંદ હતો અને શરીર કદાવર બાંધાનું હતું. તેને જોઈને જંગલી જનાવરો પણ બીતા. તેની તમામ માણસો તથા પ્રાણીઓ ઉપર સત્તા હતી. પાદશાહ તથા તેના તખ્તને નમન કરવાની પ્રથા તેના અમલ દરમિયાન થઈ હતી. આ પાદશાહનો કાર્યકાળ ૩૦ વરસનો મનાય છે.

Similar Posts

  • શિરીન

     ‘શું…શું તા..રો ભઈ હ..તો?’ ‘હા ફિલ.’ ઉડ ઉડ થતાં હોથો સાથ થર થર ધ્રુજતી તેણીએ ફરી જવાબ આપ્યો કે તેજ ઘડીએ મોલી કામાએ પોતાનાં રૂમનું બારણું ખોલી તેનું નામ પુકાર્યુ કે તે જવાન પોતાની બેભાન જેવી હાલતમાંથી ફરી સાવધ બની ગયો. તેણે ઝડપમાં બારણું ખોલી શિરીનને એક નરમ હડસેલા સાથ બહાર કાઢી કે મોલી કામાની…

  • નવરોઝ મુબારક

    નવરોઝના સપેરમાં દિવસે બામદાદમાં ગુસ્તાન પોતાની બાલ્કનીમાં ઉભો રહીને પાક દાદાર અહુરમઝદના શુક્રાના કરતો હતો. એટલામાં જરૂ એક ટ્રેમાં બે કપ ચાહ લઈને આવે છે અને બન્ને જણ એકબીજાને ભેટીને નવરોઝ મુબારક કરેચ. ગુસ્તાદ જરૂને પૂછે છે કે સોલી અને શિરીન ઉઠયા કે? એ લોકોને અને બચ્ચાંઓને આપણને તૈયાર થઈને વહેલુ આતશ બહેરામ પગે લાગવા…

  • હસો મારી સાથે

    કરોના હવે તો તું જા. તો અમે પણ કયાંક જઈએ.. *** કરોનાની હાલત પાંચ મહિનામાં બનેવીથી ફુવા જેવી થઈ ગઈ. ડરે છે બધા પણ ગણકારતું કોઈ નથી.. *** સારૂં થઈ કરોનો 2020માં આવ્યો, જો 2000માં આવ્યો હોત ને તો આખો દિવસ નોકિયા 3310માં નાગવાળી ગેમ રમીને બધા મદારી થઈ ગયા હોત..

  • સરોશની કુશ્તી કીધાથી શું થાય છે?

    (ગયા અંકથી ચાલુ) સરોશની કુશ્તીથી તો અઈપિ શુધ્ધ થાય છે, એટલે અઈપિમાંથી વોહૂનની ગતિ નબળી થઈ જમીન તરફ ખેંચાઈ જમીનને ખાતર રૂપ થાય છે. જેમ સરોશ નીસ્તીનો જમીનદાર છે માટે નીસ્તીની જમીનને ખેડે છે તેમ સરોશની બાજ સાથની કુશ્તી તેની અઈપિની જમીનને ખેડે છે. ત્યારે અઈપિમાં કચરો કયાંથી આવ્યો? દરેક ઈન્સાનની અઈપિ એકસરખી રહેતી નથી….

  • નાતાલનો સાચો અર્થ સમજવો!

    બેથલહેમના એક તબેલામાં એક નાનકડા બાળકનો જન્મ થયો અને તે જ સમયે નાતાલની વાર્તા શરૂ થઈ. બાળક મોટેા થઈને પરાજાઓનો રાજાથ બન્યો, માનવતાને શીખવ્યું કે જીવન જીવવાનો એકમાત્ર રસ્તો પ્રેમ છે. પ્રેમ એ નાતાલનો વાસ્તવિક અર્થ છે. ખ્રિસ્તીના જીવનનો ખરો ઉદ્દેશ્ય પતમારા પાડોશીને તમારી જેમ પ્રેમ કરોથના સંદેશને જીવનમાં આત્મસાર કરવાનો છે. જે સાંભળશે અને…

  • હસો મારી સાથે

    એવું કહેવાય છે કે.. કોઈ દિવસ કોઈની પરિસ્થિતિ પર હસો નહિં. એના જેવી પરિસ્થિતિ ભવિષ્યમાં તમારા જીવનમાં પણ આવશે. એટલે હું હંમેશા મૂકેશ અંબાણીની પરિસ્થિતિ પર હસતો રહું છું. *** બાથરૂમમાં હજી તો ન્હાવા માટે અંદર જાઉં એ પહેલા ટીવી પર સમાચાર જોયા ઠંડી ને કારણે 3 નાં મુત્યુ પાછા કપડા પહેરી લીધા. જીવતા હશું…