અમર ઈરાન

જોસીફસ તથા ડેનિયલના ઉપલા હેવાલમાં ઝાઝી તવારીખી સચ્ચાઈ નથી પરંતુ એક અગત્યના તવારિખી સવાલનો ફડચો કરવાનો હોવાથી ઉપલી કલ્પીત કહાણીની નોંધ લેવી પડી છે.

યાહુદીઓનો દારયવુશ ધી મીડ તેઓ મુજબ મીડીયાના શહેનશાહ એસ્તાયજીસનો બેટો થતો હતો. ગ્રીક લોકો તેને જૂદાજ નામે ઓળખતા હતા.

તેણે પેગમ્બર ડેનિયલને પોતાના વતન મીડીયા ખાતે લઈ જઈ ઘણું માન આપ્યું. તે રાજ્યકર્તાએ તેને પોતાની જોડે રાખ્યો અને પોતાની બહોળી શહેનશાહતના 360 પ્રાંતો ઉપર નિમવામાં આવેલા ત્રણ પ્રમુખમાનો તેને એક પ્રમુખ બનાવવામાં આવ્યો.

મીડિયન શહેનશાહતના ત્રણ પ્રમુખમાના એક મુખ્ય પ્રમુખનો ઓધ્ધો ડેનિયલને બક્ષવામાં આવ્યાથી શહેનશાહતના બીજા સરદારો અને શાહજાદાઓ અદેખાઈથી બળવા લાગ્યા. વળી તેની ચાલીકી, બહોળું જ્ઞાન અને વફાદારીથી શહેનશાહ દારયવુશનો તે વિશ્ર્વાસ જીતી શકયો અને સઘળું અગત્યનું કામકાજ તેનેજ સોંપવામાં આવ્યું. આથી તેના અદેખા હરીફો તક શોધવા લાગ્યા. પણ તેણે તેઓને કશી લાંચ લેતો નહીં અને કોઈપણ ભેટ સ્વીકારતો નહીં. આથી જ્યારે તેના કોઈપણ શરમભર્યા કે ઠપકાને પાત્ર કામને માટે તેઓ શહેનશાહત દારવયુશ આગળ તેને ઉઘાડો પાડી શકયા નહીં ત્યારે તેઓએ એક જૂદોજ તાગડો રચ્યો.

ડેનિયલ પોતાના ધર્મના ફરમાન મુજબ દિવસમાં ત્રણવાર પોતાના પેદા કરનારની બંદગી કરતો હતો. તેની આ ધાર્મિક પ્રવૃત્તિ જોઈ તેના શત્રુઓએ સાથે મળી એક કાવત્રુ રચ્યું અને શહેનશાહત દારયવુશ સન્મુખ જઈ તેઓએ જણાવ્યું કે રાજયના સઘળા પ્રમુખો, હાકેમો શાહજાદાઓ, સલાહકારો અને લશ્કરી સરદારોએ સાથે મળી એવી મસલત કીધી છે કે એવી મતલબનો પાદશાહી કાયદો સ્થાપવો, અને એવો સખ્ત હુકમ બહાર પાડવો કે જે કોઈ શખ્સ ત્રીસ દિવસ સુધી પોતાના પાદશાહ સિવાય કોઈ પણ દેવતા કે શખ્સની પ્રાર્થના કરશે તેને સિંહોની ગુફામાં નાખવામાં આવશે. શહેનશાહ દારયવુશને તેઓની બુરી મતલબ માલમ નહીં હોવાથી તેણે તેઓને ટેકો આપ્યો. આ ઉપલી મતલબનો કાયદો ત્રીસ દિસ માટે સ્થાપ્યો.

(ક્રમશ)

Similar Posts

  • ભવિષ્યવાણીઓનો રોગચાળો

    વર્તમાન રોગચાળા માટે ચાઇના અથવા વુહાનના ભીના બજારને દોષ આપવું સરળ છે. લોકો શું ખાય છે અથવા લોકોની આધુનિક જીવનશૈલી છે તેના પર આક્ષેપ કરવો તે વધુ સરળ છે. જો કે, હકીકત એ છે કે આ વિશ્વમાં હજારો વર્ષોથી પ્લેગ, અને અનેક રોગચાળો જોવા મળી રહ્યો છે, પરંતુ બધી આફતો મનુષ્યને કારણે નથી. આશાનો સૌથી…

  • From the Editors Desk

    The Fiefdom Of Speech? Dear Readers, Touching upon the beliefs of renowned historian, writer and philosopher – Voltaire, in her magnum opus titled, ‘The Friends of Voltaire’, author Evelyn Beatrice Hall wrote the famous lines, “I disapprove of what you say, but I will defend to the death your right to say it.” This phrase…

  • BPP Drives Much-Needed Renovations At Doongerwadi

    Community members will be pleased to know about the inaugurations of excellently renovated crucial areas within the Doongerwadi, driven by the efforts of the Bombay Parsi Punchayet (BPP), with funds donated by the Maneckbai P B Jeejeebhoy Trust Fund, through the office of the Centre for Environment and Research Education (CERE), as well as philanthropic…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    07th September, 2019 – 13th September, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી બુધ્ધી વાપરીને કરેલા કામમાં આનંદ મળશે. તમારા કામ જલદીથી પુરા કરી શકશો.  દલાલીના કામથી ધન કમાશો. સહી સિક્કાના કામો હમણા કરવાથી ભવિષ્યમાં ફાયદામાં રહેશો. લેતી-દેતીના કામ જલદીથી પુરા કરી લેજો. દરરોજ નમહેર નીઆએશથ ભણજો. શુકનવંતી તા. 7, 8,…

  • |

    2020: The Year Of Reflection, Resilience And Reawakening

    2020 should be declared as the Year of Reflection, Resilience and Reawakening. From the Australian bush fires, to the new found word-of-the-year that has made a famous beer brand even more (in)famous and everything in between, the past 7 months have taught us unforgettable lessons of our lifetimes. Contrary to disputed theories as regards how…

  • |

    Your Moonsign Janam Rashi This Week – 4 June To 10 June

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]સૂર્ય: વૃષભ ને મિથુનમાં, ચંદ્ર: સિંહથી તુલામાં, ૨.૩.૨ મંગળ: વૃશ્ર્ચિકમાં બુધ: વૃષભમાં, ગુ‚: સિંહમાં, શુક: વૃષભ ને મિથુનમાં, શનિ: વૃશ્ર્ચિકમાં, રાહુ: સિંહમાં અને કેતુ: કુંભમાં છે.[/otw_shortcode_info_box] મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી   ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમે જેટલું મનને શાંત રાખીને કામ કરશો કામ એટલા જ…