પાદશાહના મનમાં વહેમ રોપ્યો

પાદશાહે પોતાની પાસે ખુરસી મંગાવી તે હકીમને સાથે જમાડયો અને જીયાફતની મિજલસ બરખાસ્ત થયા પછી તમામ દરબારીઓની હજુરમાં સરપેચ સાથનો ઉંચી કિંમતનો સરપાવ ભેટ કીધો તથા બે હજાર અશરફી આપી. ત્યારબાદ કેટલાકએક દિવસ સુધી પાદશાહે તેને પોતાનો વહાલો મિત્ર તરીકે ગણ્યો અને ટૂંકમાં બોલીએ તો પાદશાહ તે હકીમની હિકમત ઉપર એટલો તો કુરબાન થયો હતો કે તેના ઉપકારમાં દરરોજ કંઈ નવી પ્રકરની નવાજેશ તેની ઉપર કરતો હતો. આ યુનાની પાદશાહનો જે વડો વજીર હતો તે લોભી, અદેખો અને એટલો તો બદખવાસનો હતો કે પોતાની મતલબ સાંધવાને ગમે એવો બદ ગુનાહ કરવો પડે તે કરવાને જરા પણ આંચકો ખાતો ન હતો. હકીમને પાદશાહે ઉપરા સાપરી જે ભેટો આપી તે તેનાથી દેખી શકાયું નહીં તેથી કીનાથી કપટ રચી અને ઠરાવ કીધો કે કોઈપણ રીતે પાદશાહના દિલપર તેના મન પર તેની સારી અસર કીધી છે. તે બરબાદ કરાવવી. એ બુરી મતલબનું કામ પાર પાડવા માટે તે પાદશાહ પાસે ગયો અને એકાંત જઈ પાદશાહને કહ્યું કે ‘બંદેનવાજને કાંઈ ઘણીજ અગત્યની ખબર કહેવી છે.’ પાદશાહે પૂછયું કે ‘તે શું ખબર છે?’ તેણે કહ્યું કે ‘સાહેબ! જે આદમીની ઈમનાદારી ઉપર ભરોસો નહીં હોય તેવા આદમીની ઉપર પાદશાહી ઈતબાર રાખવો એક ઘણું જ ભય ભરેલું છે. તમો નામદાર દુબાન હકીમની ઉપર નવાજેશ ઉપર નવાજેશ કરો છો તેની ઉપર દિનપરદિન હેત અને પ્રીત વધારે રાખતા જાઓ છો પણ તમો સાહેબને ખબર નથી કે તે એક પાપી ચંડાળ છે અને તે આ દરબારમાં તમને મારી નાખવા માટે દાખલ થયો છે. પાદશાહે પૂછયું કે એ તું શું મને કહેવાને છાતી ચલાવે છે? તું વિચાર તો કર કે તે કોણ સાથે બેસે છે અને તું એક વાત એવી કરે છે કે જે કદીપણ હું આશાનીથી માનનાર નથી. તે વજીરે કહ્યું કે ઓ ભોળા પાદશાહ જે હું તમને ખબર આપું છું તે મેં ખરેખરી મેળવેલી ખબર છે તેટલા માટે એ હકમી ઉપર એટલો ભરેલો ભરૂસો ના રાખો. અગરજો તમો નામદાર ઉંઘમાંને ઉંઘમાં ફરતા હોવો તે કાઢી નાખો અને ફરીથી કહું છું કે દુબાન હકીમ યુનાન સરખા દૂર દરાજ મુલકમાંથી અત્રે આવ્યા છે તે પોતાનો ભય ભરેલો વિચાર પાર પાડવાજ આવ્યો છે. પાદશાહે તેને કહ્યું કે ‘નહીં નહીં મારી ખાતરી છે કે જે માણસને તું પાખંડી અને દગલબાજ વિચારે છે તે માણસ ઘણુંજ નેક ને અસીલ આદમી છે. હું જેટલું માન અને આદરભાવ એ હકીમને આપુ છું એટલું બીજા કોઈને આ જગતમાં આપતો નથી. તું સારી પેઠે જાણે છે કેવા ઉપાય બલકે કેવા મોજેજાથી કોનો બુરો મરજ મારા શરીરમાંથી કાઢી તે કાબેલ હકીમે મને સાજો કીધો છે. જ્યારે એ મને મારી નાખવાજ આવ્યો છે ત્યારે તેણે મારા પ્રાણ બચાવ્યા શા સારૂં? તેથી મારા મનમાં ગેરવાજબી વહેમ રોપવાનું કામ છોડી દે. કારણ કે તારી વાત સાંભળ્યાને બદલે આજ રોજથી એ હકીમને જીવે જાગે ત્યાં સુધી દર માસે એક હજાર અશરફીનું લવાજમ આપવાને ઠરાવ કીધો છે.
(ક્રમશ)

Similar Posts

  • હસો મારી સાથે

    વોટ્સએપમાં રોજ સવારે લોકો જથ્થાબંધ છાપાઓ નાંખી જાય છે તો પસ્તી વાળા લઈ જાય કે..!? આતો કચરા – પોતા કર્યા પછી જરા ફ્રી બેઠો હતો એટલે પુછ્યું..! *** દિવસમાં બે-બે વખત રામાયણ અને મહાભારત જોવાના કારણે એવો ખીચડો થઇ ગયો છે કે કાલે રાત્રે સ્વપ્નમાં રાવણ જોડે વાદ-વિવાદ થયો, પણ યુધિષ્ઠિરે વચમાં આવીને અમારુ સમાધાન…

  • Coping With Guilt

    Guilt is a very strong emotion that often rules our lives, relationships and us in general. We may suffer from it without anyone saying anything to us (due to upbringing perhaps) or due to others, making us feel responsible for a given situation. This is a feeling or emotional state experienced when one feels that…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    05 June – 11 June, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે મગજને શાંત રાખી જે પણ કામ કરશો તેમાં ચંદ્ર તમને સફળતા અપાવશે. બીજાના દિલ જીતી લેવામાં સફળ થશો. જૂની લેતી-દેતી પહેલા પૂરી કરી દેજો. જેને પૈસા ચૂકવવાના હોય તેને પહેલાજ ચૂકવી દેજો. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે….

  • The IranShah Initiative: Education With Vision 2020 [Part 1 of 3]

    Knowledge Is Precious, Wisdom Is Priceless The IranShah Initiative provides a Precious Avenue to build a Priceless Life through the medium of Education With Vision 2020. If understood with right knowledge and practised with innate wisdom, the precepts and practices of our ancient yet ageless and ever so refreshing religion can be a positive force…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    15 April – 21 April 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગઈકાલથી સુર્યની દિનદશા શરૂ થયેલી છે. 4થી મે સુધી તમારે સરકારી કામમાં ખુબ ધ્યાન આપવું પડશે. કોઈપણ જાતના સહી સીક્કાના કામ કરતા નહીં. સુર્ય તમને માથાનો દુખાવો કે હાઈપ્રેશર જેવી બીમારીથી પરેશાન કરશે. ડોકટરની સલાહ અવશ્ય લેજો. મગજને શાંત રાખવા 96મુ નામ…

  • સ્વર્ગ અને નરક વચ્ચેનો તફાવત

    એક બાળકને સ્વર્ગ અને નરક જોવાની ખુબ જ ઇચ્છા હતી. એ રોજ આ માટે ભગવાનને પ્રાર્થના કરતો. એક દિવસ ભગવાન તેના પર રાજી થયા અને બાળકને સ્વર્ગ તથા નરક બતાવવાનું વચન આપ્યુ. કોઇ એક ચોક્કસ દિવસે ભગવાનને થોડી ફુરસદ મળી એટલે એ પેલા બાળક પાસે આવ્યા અને કહ્યુ, ચાલ બેટા, આજે તને સ્વર્ગ અને નરકની…