શિરીન

‘હું ઓરત છું તે છતાં પણ તમો મને મારી શકોછ ફિલ, કારણ તમારા પૈસાએ જ ખરીદેલી હું એક ગુલામડી છું. ખ‚ંની?’

‘હા, વાત તદ્દન ખરી છે, શિરીન પણ તે છતાં હું એક જેન્ટલમેન હોવાથી કદી નબળી જાતિ પર હાથ ઉચકતો નથી.

‘એ તમારા ગૃહસ્થપણાને માટે હું થેન્કસ માનું છું.’

‘ને તેથી જ શિરીન આજે સવારના હું તારી આગળ બધાઓ તને ઈન્સલ્ટ કરતાં હતાં ત્યારે મદદમાં આવી રહ્યો, કારણ એક લેડીને થતું અપમાન હું કદી સાંખી શકું નહીં.’

‘મને નહીં ખબર કે તમારી આંખોમાં હું એક લેડી છું.’

‘દુનિયાની આંખોમાં શિરીન પણ મારી આંખોમાં તું હંમેશની એક ગુલામડી તરીકે જણાઈ આવશે.’

અને એ સાંભળી શિરીન વોર્ડને વધુ જ ઉશ્કેરાઈ જઈ, ગુસ્સા સાથે કહી સંભળાવ્યું ‘એટલા બધા અપમાનો કરી મને દુ:ખી કરી રહ્યા છો તેનાં કરતાં મને મારી જ કાય નહીં નાખતા ફિલ?’

‘કારણ તેમ કરવાથી શિરીન, હું મારાં જિગરમાં ઉત્પન્ન થયેલી કીનાની આગને બુજાવી શકશ નહીં.’

અને એમ બોલી તે ત્યાંથી પોતાના ‚મ તરફ વિદાય થઈ ગયો કે શિરીન વોર્ડનની આંખે તમ્મર આવી ગયા. શા માટે તેણી બહાર ગેલેરી પર આવી હશે? તેનાં કરતા તેણી પોતાની ઓરડીમાં જ આરામ કરતે તો વધુ ઠીક થઈ પડતે.

પણ તે જવાન તેણી આગળ આવ્યો જ શું કામ હશે? પછી તેણીને એક ખ્યાલ આવ્યો તેના હાથમાં એક ચોપડી પકડાએલી હતી ને તેથી કદાચ તે લાયબ્રેરીમાંથી લાવી, પોતાના ‚મ પર વાંચવા જતા તે હદ વચ્ચે તેણીને મળી ગયો હોય એ વાજબી હતું.

પછી થોડીક વાર આરામ લઈ તેણી ફરી છોકરીઓના ‚મમાં નીચે કામ સા‚ં પૂછવા ગઈ કે તે બન્ને બહેનોએ તેને વારી ખાધી. મોટી દિલ્લાએ ગુસ્સાથી નૈન જમાવી પૂછી લીધું.

‘આજે સવારનાં મારા બુટ કેમ નહીં બ્લેન્કો કીધા, શિરીન?’

‘તમારા મધરે મને પાંચ ઓરડાઓ ને રાંધણી ધોવા સોંપેલા હોવાથી મને વખત જ નથી મળ્યો તેથી દિલગીર છું.’

‘એક બુટ બ્લેન્કો કરતા તને કેટલી વાર લાગતે? કાંય નહીં તે પહેલા સાફ કરીને પછી બીજું તા‚ં કામ કીધું? હરામખોર, મફતનો પગાર લેવા ને ખાવા આવી છે.’

ને પછીથી તેણીની નાની બેને પણ ટેકો આપતાં કહી સંભળાવ્યું.

‘આટલો મોટો વગર મહેનતનો પગાર લેતાં પણ તારે શરમાવું જોઈએ. મારા કપડાંબી નથી આજે અસ્તરી કીધા કે ધોયા ને ત્યારે આખો દિવસ શું ધુનતી હતી?’

‘હં…હું હમણા બધું કરી નાખશ.’

શિરીન વોર્ડને ગરીબાઈથી જવાબ આપી દીધો પણ તેણીનું એ ઘાતકી બોલો સાંભળતાં મોત જ થઈ ગયું.

અરે ખુદા, આવો બુરો તેણીનો વખત આયો તેનાં કરતાં મોત કેટલું બધું તેણીને મીઠું લાગતે?’બધું કામ અંતે ખલાસ કરી, મોડી સાંજ પડતાં તેણી ચાલતી એક ઉંચી ટેકરી પર જઈ ચઢી.

ત્યાં એક નાનું મંદિર આવ્યું હતું તે દુ:ખીઓના મંદિર ને નામે ઓળખાઈ આવતું. તેમાં એક નાની પથ્થરની મૂર્તિ હતી કે જેનાં પગ આગળ લોકો નારિયલ ફૂલ ચઢાવી જતાં.

(ક્રમશ)

Similar Posts

  • કમ્યુનીટી ન્યુઝ

    પ્રોફેટ ઝોરાસ્ટરનો જન્મદિવસનું ઈરાનમાં અવલોકન કરવામાં આવશે 25 ડિસેમ્બર, 2019 ના રોજ, ઇરાનની સાંસ્કૃતિક ક્રાંતિની સુપ્રીમ કાઉન્સિલે, ઝોરાસ્ટરના જન્મદિવસ સહિત 10 રાષ્ટ્રીય પ્રસંગોનું પાલન કરવાની યોજના અપનાવી હતી, જેને તેઓ સૌથી પ્રાચીન ઇરાની પ્રબોધક તરીકે ગણે છે. સાંસ્કૃતિક ક્રાંતિની સુપ્રીમ કાઉન્સિલના સેક્રેટરી, સઈદ-રેઝા અમેલીએ જણાવ્યું હતું કે 10 નવા પ્રસંગોની ઉજવણી કરવાની યોજનાના સંદર્ભમાં ઝોરાસ્ટરનો…

  • ‘યુ’ એ ઉજવેલા ડબલ સાલ મુબારક

    તા. 11મી સપ્ટેમ્બરની રળિયામણી સાંજે 6.30 કલાકે સર જે. જે. સ્કુલ, ફોર્ટના હોલમાં જાણીતી સંસ્થા યુએ પારસી નવાં વરસની તેમજ યુની 74મી સાલગ્રેહ ઉજવી હતી. જાણીતા સંગીતકાર વિરાફ દારૂવાલા અને એમના સાથી કલાકારોએ એક સુંદર કાર્યક્રમ રજૂ કર્યો હતો. પ્રેક્ષકગણમાં કોમ-પરકોમની ઘણી જાણીતી વ્યકિતઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભાઈ વિરાફે પુરાની ફિલ્મોના જાણીતા પરંતુ…

  • મટકી તોડી ઉજવાતો તહેવાર જન્માષ્ટમી

    શ્રી કૃષ્ણ ભગવાન જે ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રી કૃષ્ણના જન્મ દિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ)તિથિ જન્માષ્ટમી નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો આ તહેવાર છે. તેને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. હિંદુઓ શ્રી કૃષ્ણના જન્મદિનને જન્માષ્ટમી તરીકે ઉજવે છે. આ તહેવાર રક્ષાબંધનના આઠમા દિવસે આવે છે. આ…

  • શિરીન

    પહેલીજ તકે ત્યારે તે જવાન પોતાની વહાલી માતા આગળ મળવા મદ્રાસ પુગી ગયો. દીલનાઝ વોર્ડન ઘણે ઘણે વરસે પોતાનાં બચ્ચાંને ફરી મળવાથી ખુશાલીથી છાકટ બની ગઈ. ‘કેરસી, મારા બચ્ચાં, મારા દીકરા, તું કેટલે વરસે કયાંથી પાછો આયો?’ ને જ્યારે તે સર્વ વિગત તે માતાએ એક શોક ખાઈ પોતાનાં દીકરા આગળથી જાણી કે તેણી ઉશ્કેરાઈ જઈ…

  • હસો મારી સાથે

    જે લોકો બાઈક અને સ્કુટી નાગણની જેમ લહેરાવીને ચલાવતા હતા તેઓ સંભાળે કારણ કે ચલણ 5000 થઈ ગયું છે. *** સંભાળીને ચાલજો, હલકુ ખાજો, ભારી ચીજ ના ઉઠાવશો કારણ નવમો મહિનો (સપ્ટેમ્બર) લાગી ગયો છે. *** સમતોલ ં માટેના એક સેમીનારમાં પ્રશ્ર્ન પુછાયો… કઠોળના ફાયદા શું? પતિ: શાક સુધારવું નથી પડતું.

  • દિન્યાર કોન્ટ્રાકટરને (2019)પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા

    ભારત સરકાર દ્વારા વર્ષ 2019 માટે આપણા સમુદાયના સુપ્રસિદ્ધ થિયેટર વ્યક્તિત્વ ધરાવતા અને બોલીવુડ અભિનેતા, પારસી થિયેટરના આયકન દિન્યાર કોન્ટ્રાકટરને દેશના ઉચ્ચ સન્માન પૈકી એક, પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પારસી અને ગુજરાતી થિયેટરમાં તેમના વ્યાપક યોગદાનને માન્યતા આપવા માટે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ એવોર્ડ જાહેર કરવામાં આવ્યો હતો. આ ગૌરવંતા પ્રસંગે પારસી ટાઇમ્સ…