દીની દોરવણી: માયા મહેેરબાની માટેનો જગપ્રસિદ્ધ નિયમ

જાણીતા ચીનાઈ ફીલસુફ કોનફ્યુશિઅસના આ શબ્દો છે કે –

“તમો જે કાંઈ બીજાઓ તમારી તરફ કરે તે, પસંદ નહિ કરો, તે તમો પોતે પણ બીજાઓ તરફ ના કરો.”

કોનફ્યુશિઅસ વધુ કહે છે – “એક માણસ જે ચીજ પોતાાના વડાઓમાં નાપસંદ કરતો હોત, તે ચીજ પોતાથી ઉતરતાઓ તરફ તેને કરવા દેવી નહિ.”

મહાભારતમાં નીચલી શિખામણો કહે છે – (ક) “જે રીતે તમો ઈચ્છતા હોવ કે બીજાઓ તમારા તરફ વર્તે તે રીતે તમો બીજાઓ તરફ વર્તો.”

(ખ) “તમો જે ચીજ બાબે ઈચ્છો કે તમારો પડોશી તમારા તરફ નહિ કરે તે ચીજ તમો પણ તમારા પડોશી તરફ ના કરો.”

(ગ) એક માણસ પોતાના પાડોશીઓ તરફ પોતાની માફક જ નજર કરવાથી પોતાની વર્તણુક માટે એક વેહવારૂ કાનુન મેલવે છે.

ફ્રીમેસનોમાં પણ એવી શિખામણ પોતાના પંથમાં નવા દાખલા થનારને દેવામાં આવે છે.

બીજાઓ તરફ માયા મહેરબાનીથી વર્તવાના એ નિયમની ખૂબીનો સાર આ કે, એ નિયમથી તમો જાણે દુનિયા ખરીદી શકો છો. એક લખનાર કહે છે તેમ –

“તમો તમારા હાથો, આંખો, જીગર અને આત્મા તરફ વર્તો તેમ તમો બીજાઓ તરફ અત્યંત સંભાળ અને માયાથી વર્તો. તેઓ એક મોટા હસ્તીતત્વના તમારા જેવા દુ:ખસુખ ભોગવનારા ભાગ હોય તેમ વર્તો.”

દુનિયામાં ઘણા ધર્મો છે. તેઓનાં ધર્મપુસ્તકો તરેહવાર શિખામણ દે છે, પણ એક લખનાર કહે છે તેમ દુનિયાને જે જોઈએ છે તે આ ઉપલા જ કિંમતી વિચારો છે. તે લખનારના શબ્દો નીચે પ્રમાણે છે :-

“ઘણાક દેવતાઓ છે અને ઘણાક ધર્મો છે. ઘણાક માર્ગો છે કે જે ફરતા અને ફરતા ફરે છે. પણ આ ફાની દુનિયાને જે જોઈએ છે તે તો માયા મેહરબાની ભર્યા થવાનું કામ છે.”

હવે આ શિખામણ કે તમારી આજુબાજુનાઓ તરફ એવી રીતે વર્તો કે જેમ તમો ઈચ્છો કે તેઓ તમારા તરફ વર્તે, તે આજુબાજુનાઓ કોણ? નહિ કે ફક્ત તમારા માણસ જાત જ, પણ પ્રાણી માત્ર, તમારા ગોસફંદો અને તમારી કુલે જાનદાર પેદાયશ – નાની કીડીથી તે મોટા હાથી સુધીની સર્વ જાનદાર પેદાયશ. એ સર્વ જાનદાર પેદાયશ તરફ માયા મેહરબાની દેખાડવી, તે જાણે ખુદાતાલાની નકલ કરવા બરાબર છે.

Similar Posts

  • મુંબઇનું પવિત્ર પારસી ગેટ 75 મિટર્સથી વિસ્થાપિત

    પારસી સમુદાયના મોટા ભાગને અત્યંત નિરાશ કરનારી ઘટનાઓના બદલામાં બીએમસીએ કોસ્ટલ રોડ પ્રોજેકટ માર્ગ બનાવવા માટે મુંબઈના મરીન ડ્રાઇવ ખાતે સદીથી જુના પવિત્ર પારસી ગેટને સ્થાનાંતરિત કર્યા છે. ટી.એન.એન. ના અહેવાલ મુજબ, ગેટનો એક આધારસ્તંભ 17 એપ્રિલ, 2021 ના રોજ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે બીજા સ્તંભને ત્રણ દિવસ પછી ખસેડવામાં આવ્યો હતો. બીએમસીના અધિકારીના જણાવ્યા…

  • એર ઈન્ડિયાના મુસાફરો માટે રતન ટાટાનો ખાસ સંદેશ

    એર ઈન્ડિયા એરલાઈન્સનું રાષ્ટ્રીયકરણ થયાના અને વર્ષોના દેવા બાદ સાત દાયકા પછી 27મી જાન્યુઆરી, 2022ના રોજ તેના સ્થાપકો ટાટાના હાથમાં પાછી આવી. ગયા વર્ષના ઑક્ટોબર મહિનામાં ટાટા ગ્રુપે રૂા. 18,000 કરોડની બિડ જીત્યા પછી એરલાઇન પર ફરીથી દાવો કર્યો હતો. ઐતિહાસિક હેન્ડઓવર દ્વારા સરકારની ખરીદદારની લાંબા સમયની શોધનો અંત આવ્યો છે. જેણે 2009 થી એરલાઇનને…

  • ઈશ્ર્વર પર ભરોસો

    એક હોડી તોફાનમાં ફસાઈ એથી એમાં બેઠેલી એક યુવતી થરથર ધ્રૂજવા લાગી ત્યારે… એક આસ્થાવાન યુવકનાં લગ્ન થયાં. લગ્ન પછી થોડા દિવસો બાદ તેની પત્નીને પિયરની યાદ આવી. તેણે કહ્યું કે મારે થોડા દિવસ માટે મારે પિયર જવું છે. યુવાને કહ્યું, ‘ખુશીથી જા. હું તને કાલે તારે પિયર મૂકી જઈશ.’ બીજે દિવસે બન્ને ઘરેથી નીકળ્યાં….

  • જસ્ટિસ શાહરૂખ કાથાવાલા નિવૃત્ત

    આપણા સમુદાય અને ભારતીય ન્યાયતંત્રના ગૌરવ જસ્ટિસ શાહરૂખ જીમી કાથાવાલા 23મી માર્ચ, 2022 ના રોજ, બોમ્બે હાઈકોર્ટના ખૂબ જ આદરણીય ન્યાયાધીશ તરીકે 14 વર્ષ સુધી સેવા આપ્યા પછી નિવૃત્ત થયા છે. ઓફિસમાં તેમના અંતિમ દિવસની પૂર્વસંધ્યાએ, તેમણે બોમ્બે બાર એસોસિએશન (બીબીએ) તેમજ એડવોકેટ્સ એસોસિએશન ઑફ વેસ્ટર્ન ઈન્ડિયા (એએડબલ્યુઆઈ) દ્વારા આયોજિત વિદાય લીધી, જેમાં હાઈકોર્ટના ન્યાયાધીશો,…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    21th December – 27th December, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા પાંચ દિવસ ગુરૂની દિનદશામાં પસાર કરવાના બાકી છે. ઘરમાં જોઈતી ચીજ વસાવી શકશો. ફેમિલીની ડિમાન્ડ પૂરી કરી શકશો. 26મીથી 42 દિવસ માટે રાહુની દિનદશા તમારા પ્લાન સફળ નહીં થવા દે. રાહુ આવતા અઠવાડિયાથી ખોટા વિચારમાં નાખશે. ગુરૂની ઉતરતી દિનદશાને  લીધે નાણાકીય…

  • શિરીન

     ‘હલો શું છે શિરીન?’ ‘તમો…તમો આયા તેથી થેન્કસ, પણ તમારા મધરની તબિયત ઘણી બગડી આવવાથી તમને હમણાં જ બોલાવે છે. ‘શું થયું મંમાને?’ ‘છાતીમાં ઘણી પેન મારેછ તેથી પ્લીઝ… પ્લીઝ ફીલ, તમો જલ્દી આવો કારણ મને એકલી હોવાથી બીક લાગે છે. તે કકળતો આરજુ કરતો અવાજ બોલતો બંધ પડયો કે ફિરોઝ ફ્રેઝરે મકકમતાથી જણાવી દીધું….