દીની દોરવણી: માયા મહેેરબાની માટેનો જગપ્રસિદ્ધ નિયમ

જાણીતા ચીનાઈ ફીલસુફ કોનફ્યુશિઅસના આ શબ્દો છે કે –

“તમો જે કાંઈ બીજાઓ તમારી તરફ કરે તે, પસંદ નહિ કરો, તે તમો પોતે પણ બીજાઓ તરફ ના કરો.”

કોનફ્યુશિઅસ વધુ કહે છે – “એક માણસ જે ચીજ પોતાાના વડાઓમાં નાપસંદ કરતો હોત, તે ચીજ પોતાથી ઉતરતાઓ તરફ તેને કરવા દેવી નહિ.”

મહાભારતમાં નીચલી શિખામણો કહે છે – (ક) “જે રીતે તમો ઈચ્છતા હોવ કે બીજાઓ તમારા તરફ વર્તે તે રીતે તમો બીજાઓ તરફ વર્તો.”

(ખ) “તમો જે ચીજ બાબે ઈચ્છો કે તમારો પડોશી તમારા તરફ નહિ કરે તે ચીજ તમો પણ તમારા પડોશી તરફ ના કરો.”

(ગ) એક માણસ પોતાના પાડોશીઓ તરફ પોતાની માફક જ નજર કરવાથી પોતાની વર્તણુક માટે એક વેહવારૂ કાનુન મેલવે છે.

ફ્રીમેસનોમાં પણ એવી શિખામણ પોતાના પંથમાં નવા દાખલા થનારને દેવામાં આવે છે.

બીજાઓ તરફ માયા મહેરબાનીથી વર્તવાના એ નિયમની ખૂબીનો સાર આ કે, એ નિયમથી તમો જાણે દુનિયા ખરીદી શકો છો. એક લખનાર કહે છે તેમ –

“તમો તમારા હાથો, આંખો, જીગર અને આત્મા તરફ વર્તો તેમ તમો બીજાઓ તરફ અત્યંત સંભાળ અને માયાથી વર્તો. તેઓ એક મોટા હસ્તીતત્વના તમારા જેવા દુ:ખસુખ ભોગવનારા ભાગ હોય તેમ વર્તો.”

દુનિયામાં ઘણા ધર્મો છે. તેઓનાં ધર્મપુસ્તકો તરેહવાર શિખામણ દે છે, પણ એક લખનાર કહે છે તેમ દુનિયાને જે જોઈએ છે તે આ ઉપલા જ કિંમતી વિચારો છે. તે લખનારના શબ્દો નીચે પ્રમાણે છે :-

“ઘણાક દેવતાઓ છે અને ઘણાક ધર્મો છે. ઘણાક માર્ગો છે કે જે ફરતા અને ફરતા ફરે છે. પણ આ ફાની દુનિયાને જે જોઈએ છે તે તો માયા મેહરબાની ભર્યા થવાનું કામ છે.”

હવે આ શિખામણ કે તમારી આજુબાજુનાઓ તરફ એવી રીતે વર્તો કે જેમ તમો ઈચ્છો કે તેઓ તમારા તરફ વર્તે, તે આજુબાજુનાઓ કોણ? નહિ કે ફક્ત તમારા માણસ જાત જ, પણ પ્રાણી માત્ર, તમારા ગોસફંદો અને તમારી કુલે જાનદાર પેદાયશ – નાની કીડીથી તે મોટા હાથી સુધીની સર્વ જાનદાર પેદાયશ. એ સર્વ જાનદાર પેદાયશ તરફ માયા મેહરબાની દેખાડવી, તે જાણે ખુદાતાલાની નકલ કરવા બરાબર છે.

Similar Posts

  • અશ્રુભરી અંજલી

    ‘રૂસ્તમ અંકલ મને મને તમારૂં પપી બહુ ગમે છે હું એને મારે ઘરે લઈ જાઉ?’ સાંજે આવેલી પડોસીની ડેઝીએ પૂછયું. ‘નહીં, એની સાથે રમવું હોય તો અહીં આવીને રમ, તારે ઘરે નહીં લઈ જવાનું ને એ મારૂં પપી નથી, એ તો મારૂં રમકડું, મારો દીકરો છે, લે આ બોલ એની સાથે રમ?’ ડેઝી થોડી નિરાશ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    13 April, 2019 – 19 April, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમને આજથી સુર્યની દિનદશા શરૂ થયેલી છે 4થી મે સુધી તમારા કામમાં મુશ્કેલીઓ આવતી રહેશે. તમને ગુસ્સસો જલદી આવી જશે. તમારા ઉપરીવર્ગ તમારાથી નાની બાબતમાં નારાજ થઈ તમારી ઈનસલ્ટ કરી નાખશે. તમારા સારા કામોની ક્રેડિટ કોઈ બીજું લઈ જશે. ધણી-ધણીયાણીમાં મતભેદ પડતા…

  • ખજૂરની ઘારી

    સામગ્રી: ૫૦૦ ગ્રામ ખજૂર, ૨૦૦ ગ્રામ ખાંડ, ૨૫૦ ગ્રામ માવો, ૫૦ ગ્રામ નાળિયેરનું ખમણ, અખરોટનો ભૂકો ૧ ટેબલ સ્પૂન, ચારોળી, ૧ ટેબલ સ્પૂન મેંદો, ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ, ૧૦૦ ગ્રામ ઘી, રોઝ એસેસન્સ, દૂધ. રીત: સૌ પ્રથમ ખજૂરનાં ઠળિયાં કાઢી, બારીક કટકા કરવા એક વાસણમાં ઘી મૂકી, ગરમ થાય એટલે ખજૂરના કટકા નાંખવા. લોચો થઈ…

  • ગ્રાન્ડફીનાલે

    સોમવાર તા. 24 એપ્રિલ, 2023ની સાંજે 5:15 ક. જશનની પવિત્ર ક્રીયા એ. સાહેબ ફરહાદ રાવજી (ટ્રસ્ટી), એ. હોરમઝદ રાવજી, એ. નોઝર તારાપોર અને કૈયાન કાંગાની હમશરીકી સાથે શુક્રગુજારીનું જશન કર્યા બાદ, મહાનુભવો વડા દસ્તુરજી-સુરત, દસ્તુરજી સાયરસ નોશીરવાન દસ્તુર, ચીફગેસ્ટ જસ્ટીશ (રીટાયર્ડ) શાહરૂખ જે. કાથાવાલા, ટ્રસ્ટી સાહેબ એ. યઝદી આઈબારા, ટ્રસ્ટી સાહેબ એ. ફરહાદ રાવજી, એ….

  •   મેષ: અ.લ.ઈ આ વરસની શ‚આતમાં તમારી રાશિથી પાંચમે સૂર્ય, બુધ, શુક્ર, રાહુ, છઠ્ઠે ગુ‚, આઠમે શનિ અને મંગળ અને અગિયારમે કેતુ છે. આ વરસની અંદર ૨૬મી જાન્યુઆરીથી શનિ રાશિ બદલે છે. બીજા બે ગ્રહોમાં કોઈ ચેન્જીસ નથી આવતા જેમ કે રાહુ તેથી જાન્યુઆરીમાં તમે નાની પનોતીમાંથી મુક્ત થશો. આ વરસમાં નાણાકીય બાબદ માટે મોટા…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    25th January – 31st January, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ઉતરતી રાહુની દિનદશા ચાલુ હોવાથી 3જી ફેબ્રુઆરી સુધી તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડી જશે. તમારા વિચારો પણ સ્થિર નહીં રહે. નાણાકીય બાબતમાં ખેંચતાણ વધી જશે. કોઈ પાસે પૈસા ઉધાર લેવાના વિચાર આવશે. પેટની માંદગી તથા માથાના દુખાવાથી પરેશાન થશો….