દીની દોરવણી: માયા મહેેરબાની માટેનો જગપ્રસિદ્ધ નિયમ

જાણીતા ચીનાઈ ફીલસુફ કોનફ્યુશિઅસના આ શબ્દો છે કે –

“તમો જે કાંઈ બીજાઓ તમારી તરફ કરે તે, પસંદ નહિ કરો, તે તમો પોતે પણ બીજાઓ તરફ ના કરો.”

કોનફ્યુશિઅસ વધુ કહે છે – “એક માણસ જે ચીજ પોતાાના વડાઓમાં નાપસંદ કરતો હોત, તે ચીજ પોતાથી ઉતરતાઓ તરફ તેને કરવા દેવી નહિ.”

મહાભારતમાં નીચલી શિખામણો કહે છે – (ક) “જે રીતે તમો ઈચ્છતા હોવ કે બીજાઓ તમારા તરફ વર્તે તે રીતે તમો બીજાઓ તરફ વર્તો.”

(ખ) “તમો જે ચીજ બાબે ઈચ્છો કે તમારો પડોશી તમારા તરફ નહિ કરે તે ચીજ તમો પણ તમારા પડોશી તરફ ના કરો.”

(ગ) એક માણસ પોતાના પાડોશીઓ તરફ પોતાની માફક જ નજર કરવાથી પોતાની વર્તણુક માટે એક વેહવારૂ કાનુન મેલવે છે.

ફ્રીમેસનોમાં પણ એવી શિખામણ પોતાના પંથમાં નવા દાખલા થનારને દેવામાં આવે છે.

બીજાઓ તરફ માયા મહેરબાનીથી વર્તવાના એ નિયમની ખૂબીનો સાર આ કે, એ નિયમથી તમો જાણે દુનિયા ખરીદી શકો છો. એક લખનાર કહે છે તેમ –

“તમો તમારા હાથો, આંખો, જીગર અને આત્મા તરફ વર્તો તેમ તમો બીજાઓ તરફ અત્યંત સંભાળ અને માયાથી વર્તો. તેઓ એક મોટા હસ્તીતત્વના તમારા જેવા દુ:ખસુખ ભોગવનારા ભાગ હોય તેમ વર્તો.”

દુનિયામાં ઘણા ધર્મો છે. તેઓનાં ધર્મપુસ્તકો તરેહવાર શિખામણ દે છે, પણ એક લખનાર કહે છે તેમ દુનિયાને જે જોઈએ છે તે આ ઉપલા જ કિંમતી વિચારો છે. તે લખનારના શબ્દો નીચે પ્રમાણે છે :-

“ઘણાક દેવતાઓ છે અને ઘણાક ધર્મો છે. ઘણાક માર્ગો છે કે જે ફરતા અને ફરતા ફરે છે. પણ આ ફાની દુનિયાને જે જોઈએ છે તે તો માયા મેહરબાની ભર્યા થવાનું કામ છે.”

હવે આ શિખામણ કે તમારી આજુબાજુનાઓ તરફ એવી રીતે વર્તો કે જેમ તમો ઈચ્છો કે તેઓ તમારા તરફ વર્તે, તે આજુબાજુનાઓ કોણ? નહિ કે ફક્ત તમારા માણસ જાત જ, પણ પ્રાણી માત્ર, તમારા ગોસફંદો અને તમારી કુલે જાનદાર પેદાયશ – નાની કીડીથી તે મોટા હાથી સુધીની સર્વ જાનદાર પેદાયશ. એ સર્વ જાનદાર પેદાયશ તરફ માયા મેહરબાની દેખાડવી, તે જાણે ખુદાતાલાની નકલ કરવા બરાબર છે.

Similar Posts

  • સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

    કેખુશરો ગેવને પોતાની માતા ફીરંગીઝ આગળ લઈ ગયો અને તેઓ ત્રણે ગુપચુપ ઈરાન જવા નીકળ્યા. એમ નીકળવા આગમચ, તેણીએ પોતાના બેટા કેખુશરોને સીઆવક્ષના ઘોડા બહેઝાદની નિશાણી આપી, અને કહ્યું કે તેને સીઆવક્ષે જંગલમાં છૂટો મૂકયો છે. તું જા અને તેનું જીન દેખાડી નામ દઈ બોલાવ કે તે તુંને શરણ થશે. કેખુશરોએ તેમ કર્યું અને પછી…

  • શિરીન

    તે સંત પુરૂષનાં બોલો વડે દુ:ખી તે બાલાને કંઈક સધ્યારો મળી ગયો ને પછી બધી વિગતો તેણીએ પોતાનાં ભાઈને કહી સંભળાવી, કે તે કમનસીબ જવાન પુકારી ઉઠયો. ‘ઓ16, હું કેવું ઈચ્છુજ કે મારા પપ્પાને છેલ્લી ઘડીએ હું મળી શકયો હતે પણ…પણ તે બનવું મુશ્કેલ હતું.’ ‘અલબત્ત કેરસી તું કેવી રીતે આવી શકતે? ને …ને તેથી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    20 April, 2019 – 26 April, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 4થી મે સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી તમે માથાના દુખાવાથી કે આંખની બળતરાથી પરેશાન થશો. સરકારી કામમાં સફળતા નહીં મળે. બપોરના સમયે માથાનો બોજો વધી જશે. ખોટી વ્યક્તિ તમને પરેશાન કરી મૂકશે. વડીલવર્ગની તબિયતની ચિંતા અચાનક આવી જશે. મોઢા સુધી આવેલું કામ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    27 May – 02 June 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મનને શાંતિ આપે તેવા ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી નાની મુસાફરીનો ચાન્સ મળી જશે. ચંદ્રની કૃપાથી મનમાં જે પણ ડાઉટ હશે તેનું નિવારણ કરવામાં સફળ થશો. નાણાકીય બાબતની અંદર ધીરે ધીરે સારા સારી થતી જશે. નવા કામ શરૂ કરવામાં સફળ થશો. હાલમાં 34મુ…

  • વિસ્પા હુમાતાની પ્રાર્થના

    પ્રાર્થના આપણા જરથોસ્તી ધર્મનો મુખ્ય આધાર છે અને ‘વિસ્પા હુમાતા’ પ્રાર્થનાનો પાઠ કરવાથી આપણા જીવનને સારૂં સ્વાસ્થ્ય, શાણપણ, વિપુલતા અને આનંદ મળે છે. અવેસ્તાન ભાષામાં, ‘વિસ્પા’ નો અર્થ ‘બધા’ છે. વિસ્પા હુમાતા પ્રાર્થના અવેસ્તાન ભાષાના સરળ શબ્દોથી બનેલી છે, જે આપણને સરળતાથી સમજવામાં મદદ કરે છે. આ શબ્દશૈલી અંગ્રેજી અનુવાદ હશે, બધા સારા વિચારો, બધા…

  • મુશ્કેલ સમયમાં સુખી રહેવાના છ રહસ્યો

    આ વાત છે કેટલાક દાયકાઓ પહેલાં, કોરોના બૂટની કંપનીની. હું તે દિવસોની વાત કરું છું જ્યારે ભારતમાં ટીવી નહોતું આવ્યું અને જાહેરાતનું એકમાત્ર શક્તિશાળી માધ્યમ રેડિયો હતું. ભલે તે ઓલ ઇન્ડિયા રેડિયો હોય કે રેડિયો સિલોન અથવા વિભિન્ન ભારતી, કોરોના બૂટની જાહેરાત હિન્દીમાં આ રીતે ફટકારવામાં આવી હતી – કોરોના કે જૂતે, જો ઘિસ તો…