દીની દોરવણી: સંપુર્ણ જીંદગી ગુજારવા માટે નેક મનશ્ર્ની જરૂરની

હવે સંપુર્ણ જીંદગી, ભલી જીંદગી, નીતિમાન જીંદગી ગુજારવા માટે, ભલી મનશ્ર્નીથી ઉપર જણાવવા મુજબ ત્રણે પ્રકારના સંબંધો જાળવવા જોઈએ અને ત્રણે પ્રકારની ફરજો બજા લાવવી જોઈએ. એ ફરજો શું છે અને કેવા પ્રકારની છે તેની વિગત એક લાંબો વિષય રજુ કરે છે. માટે તેમાં હાલ આપણે દાખલ થઈશું નહિ. પણ એટલું જ કહીશું કે કોઈપણ પ્રકારનો સંબંધ જાળવવા કાજે, કોઈપણ પ્રકારની ફરજ બજા લાવવા માટે નેક મનશ્ર્ની જરૂર છે.  આપણી યશ્તોમાં આપણે વાંચીએ છીએ કે એક ને એક પ્રકારનું ધાર્મિક કામ યા ક્રિયા જ્યારે કોઈ ભલા પાદશાહ પહેલવાનો ભલી નિશ્તાથી, નેક મનશ્ર્નીથી કરે છે ત્યારે તે કામ યા ક્રિયા કરી માગેલી મુરાદ બર આવે છે પણ જ્યારે કોઈ પાદશાહ તે બુરી નિશ્તાથી, નેક મનશ્નીથી કરે છે ત્યારે તે કામ યા ક્રિયા કરી માગેલી મુરાદ બર આવે છે પણ જ્યારે કોઈ પાદશાહ તે બુરી નિશ્તાથી બુરી મનશ્નીથી કરે છે ત્યારે તે મુરાદ બર આવતી નથી.

ભલી મનશ્ની બાબે જનક રાજા અને એક જવાનની વાર્તા

એ ત્રણે પ્રકારની ફરજ, આપણા ધર્મની શીખવણી મુજબ, આપણે હુમત હુખ્ત અને હવર્શ્ત, નેક મનશ્ની, નેક ગવશની અને નેક કુનશની, ભલા વિચાર, ભલા વચન અને ભલાં કામથી બજા લાવવાની છે. આપણા ધર્મની નીતિની શીખવણી મુજબ એ ત્રીકમાં પણ હુમત પહેલી જગ્યા રોકે છે. સર્વ પ્રકારની ફરજો બજા લાવવાનો આધાર હુમત, નેક મનશ્ની યાને ભલા વિચાર ઉપર છે. એક ને એક કામ એક માણસ ભલા વિચારથી આસાનીથી કરે છે, પણ ભુંડા વિચારથી તે કરી શકતો નથી. એની એક બોધકારક વાર્તા આપણને જનક રાજની અને તેની આગલ બોધ લેવા જનાર એક જવાનની મલે છે.

કહે છે કે એક જવાન ભલી જીંદગી માટેનો અને ખુદાતાલાને પોહંચવા માટેનો માર્ગ જાણવા જનક રાજા, જે એક સાધુ સમાન નેક પરહેજગાર ભલો રાજા ગણાતો હતો, તેની આગળ ગયો. તે રાજાએ તેને એક વખત પોતાને ત્યાં બોલાવ્યો અને બન્ને એક ઓરડામાં બેઠા. કહે છે કે જનકે પેલા જવાનના દેખતાં એક કોથડીમાંથી 100 સિક્કા કાહાડ્યા અને તેની નજર હજુર તે ગણ્યા, પછી પેલો જવાન જાણે નહિ તેમ તેણે તેમાંથી બે-ત્રણ સિક્કા કાહડી લીધા અને કામને બહાને ઉઠી બાહર ગયો. પાછો આવી તેણે તે જવાન હજુર પેલા સિક્કા પાછા ગણ્યા, અને તેમાંથી બે-ત્રણ ઓછા થયા હતા, તે બાબે તે જવાન ઉપર આળ મુક્યું કે તેણે તે ચોર્યા હતા. પેલા જવાને પોતાનું નિર્દોષપણું જાહેર કીધું પણ જનકે કહ્યું કે, “હું ઓરડામાંથી બાહર ગયો ત્યારે તું એકલો જ અહીં હતો. બીજું કોઈ હતું નહિ, અને ઓરડામાં કોઈ આવ્યું પણ હતું નહિ. માટે તારા સિવાય બીજું કોણ ચોરી કરે? પેલો જવાન ઘણો ગભરાયો અને પુછવા લાગ્યો કે “મારૂં નિર્દોષપણું હું તને કેમ સાબેત કરી આપું?” જનકે કહ્યું કે  “પેલા સામે આવેલા પાણીના ચશ્મા આગળ જા અને તેમાં હાથ બોરી ખોભલામાં પાણી ભરીને લાવ. જો કાંઈપણ પાણી ઘોડવા વગર તું ખોભલામાં પાણી લાવશે તો હું માનીશ કે તું બિગુનાહ છે.” પેલા જવાને તેમ કર્યું. પોતાનું નિર્દોષપણું દેખાડવા કાજે મનમાં ભલો વિચાર રાખી તે ખુદાનું નામ દઈ પાણીના ચશ્મા આગળ ગયો અને ખોભલામાં પાણી લીધું અને તેમાંથી એક ટીપું પણ ધોર્યા વગર તે જનક રાજા આગળ લઈ ગયો. જનકે કહ્યું કે હવે હું માનું છું કે તું બીગુનાહ છે.” હવે તે જવાન મનમાં ચીરડાવા લાગો કે જનકે વગર તપાસવે તેના ઉપર પેહલે ચોરીનો વાંક મેલ્યો અને થોડો વખત તેને ઘણા ગભરાટમાં નાખ્યો. તે ઉપરથી તેણે જનકને તેની એવી વર્તણુંક માટે શ્રાપ દેવા માગ્યા. તેણે શ્રાપ દેવાની શક્તિ અખત્યાર કરવા માગી કે તેથી તે ફતેહમંદ રીતે જનકને શ્રાપ દઈ શકે. તેણે તેવી શક્તિ અખત્યાર કરવા માટે જનકને પુછ્યું. જનકે કહ્યું કે, “તું પાછો પેલા ચશ્મા આગળ જા અને ખોભલામાં પાણી, તે ધોરાય નહિ એવી રીતે લાવ. જો તું તેમ લાવશે તો તારામાં શ્રામ દેવાની શક્તિ આવશે. પેલો જવાન પેલા ચશ્મા આગળ ગયો અને આગલ માફક ખોભલામાં પાણી લીધું. પણ તે રહ્યું નહિ. અને ધોલાઈ જવા લાગું. તેણે ફરીથી કોશેશ કીધી, પણ નિષ્ફળ નીવડ્યો. ત્રણ ચાર વખત કોશેશ કરતાં નિષ્ફળ નીવડ્યો ત્યારે જનક આગલ આવી કહેવા લાગ્યો કે “ખોભલામાં પાણી રહેતું નથી.” ત્યારે જનકે તેને આ બાબત ઉપરથી ભલું થવા માટે ઘડો આપ્યો અને કહ્યું કે. “સર્વ આધાર નેક નૈયત ઉપર ભલા વિચાર ઉપર છે.” તે છોકરાની પેહેલી વખતે નિષ્ઠા સારી હતી, તેની નૈયત નેક હતી. તેથી તે ખોભલામાં પાણી ઝીલી રાખવામાં ફતેહમંદ નિવડ્યો હતો. પણ બીજી વખતે તેણે બુરી નૈયત રાખી હતી.જનકને સજા કરવા કાજે તેને શ્રાપ દેવા માટે શક્તિ માગી હતી. તેથી તે ફતેહ પામ્યો નહિ. એકને એક જ કામ એક વખતે ભલી નૈયત, નેક મનશ્નીને લીધે ફતેહમંદ નીવડ્યું, પણ બીજી વખત નિષ્ફળ નિવડ્યું.

(ક્રમશ)

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    15 September, 2018 – 21 September, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા 6 દિવસ જ બુધની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી હીસાબી કામો પહેલા પુરા કરી લેજો. ઉતરતી બુધની દિનદશાને લીધે તમારા હાથથી કોઈ સારા કામ થશે. 21મીથી 36 દિવસ શનિની દિનદશા તમારા કામ પૂરા થવા નહીં દે. ખર્ચનો ખાડો ઉંડો થતો…

  • ગંભારોનું સાચું મહત્વ અને સુસંગતતા

    તાજેતરના સમયમાં, આપણે કમનસીબે ગંભાર શબ્દને ઘટાડી એક કપટી બનાવી દીધો છે. રાજકીય આકાંક્ષાઓ ધરાવનાર વ્યક્તિઓ દ્વારા હોસ્ટ કરવામાં આવેલા ગંભારો હંમેશા ભૂખ્યા સમુદાયને લલચાવવા માટે એક પ્લેટફોર્મ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારના ગંભાર મુખ્યત્વે લોકોને ઇવેન્ટમાં આવવા માટે લલચાવવા માટે છે – સામાન્ય રીતે ત્યાં થોડા કંટાળાજનક વક્તાઓ હોય છે અને…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    19th September – 25th September, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજનો દિવસ બુધની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. સહી-સિકકાના કામો પહેલા કરી લેજો. લેતી-દેતીના કામમાં સફળતા મળશે. 36 દિવસ માટે શરૂ થતી શનિની દિનદશા આળસુ બનાવી દેશે. તમારા કરેલા કામમાં સફળતા નહીં મળે. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવી જશે. જો જન્મનો શનિ ખરાબ…

  • સોહરાબ અને ગોર્દઆફ્રીદ

    ગોર્દઆફ્રીદે સોહરાબ ઉપર તીરોનો વરસાદ વરસાવવા માંડયો અને ડાબી અને જમણી બાજુએ લડાયક સવાર માફક તીરો ફેંકવા લાગી. સોહરાબને તે જોઈ ખેજાલત ઉપજી તે ગુસ્સામાં આવ્યો અને સેતાબ લડાઈ કરવા લાગ્યો. તેણે માથા ઉપર ઢાલ પકડી અને તેણીની તરફ ધસ્યો. ગોર્દઆફ્રીદે જ્યારે તેને આતશની માફક જોશમાં આવી પોતાના તરફ ધસી આવતો જોયો ત્યારે તેણીએ પોતાના…

  • શિરીન

    ‘પણ…પણ ફિલ, તેમાં મારા ભાઈનો શું વાંક?’ ‘વેલ, હંમેશ એકની શિક્ષા બીજાને ખમવી પડતી હોવાથી, હું મારા પૈસાનાં જોરે તથા લાગવગથી જ‚ર જ એને પકડાવી આપી જેલમાં ધકેલી આપીશ તોજ રહીશ.’ તે ગરીબ બાળા ડચકાંઓ ખાઈ રહી. તેણીનું કોમળ જિગર જ જાણે ભાંગીને ભૂકો થઈ જતાં માલમ પડયું. હાલમાં તેણીનો વહાલો ભાઈ તેણીને હૈયે આવી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    1 January – 7 January 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલું હોવાથી હાલમાં તમારું માથું ઠેકાણા ઉપર નહીં રહે. તમારા સીધા કામો બી તમે સારી રીતે નહીં કરી શકો. બીજાને મદદ કરવાની કોશીશ બી કરતા નહીં. નાણાકીય બાબતમાં બોજો ખૂબ જ વધી જશે. તબિયતમાં પેટમાં એસીડીટી, ગરમીથી પરેશાન થશો. ડોક્ટરની…