શાહનામાની સુંદરીઓ: બેજનની બાનુ મનીજેહ

મારયો તેણીએ પોકાર એક સખ્ત,
“અફસોસ! કે મારૂં એવું બદ બખ્ત!
બાળ્યું મેં દિલ, કાહડ્યો મેં વખ્ત,
આંખમાંથી રેડ્યાં આંસુ બહુ સખ્ત!
બેજનને આપ્યું મારૂં મે દેલ,
તે ખાતર છોડ્યાં મા બાપ ને મેહેલ,
તે ખાતર તજ્યાં ખાંન અને પાંન,
થાય છે તે આખેર એમ બદ ગુમાંન!
બાપ અને ખેશીઓ થયાં બેજાર,
રખડી ને રઝળી સર્વને દ્વાર;
ગંજ અને દીનાર, ગોહર ને તાજ,
સર્વને તજી બેઠી હું આજ!
ઉમેદો તજી થઈ નાઉમેદ,
જેહાંન થઈ શીહા, આંખો સફેદ;
પણ છુપાવે હવે ભેદ અને રાજ,
પિછાણનાર તુંજ છે, ઓ કારસાજ!”

આ સખુનો સાંભળી બેજન મનમાં ઘણો મુઝાયો અને મનીજેહ પાસે દરગુજર ચાહી, કે “હા ખરૂં છે, કે તેં મારે ખાતર બધું તજ્યું છે. પણ આ દુ:ખથી મારૂં મગજ ઠેકાણે રેહેતું નથી. હવે તું જાણ કે પેલો વેપારી મને આ રંજમાંથી છોડવશે. તેની આગળ તું જા, અને અરજ કરીને પુછ, કે શું તે રખશનો માલેક યાને રૂસ્તમ છે?”

મનીજેહ દોડતી તે વેપારી આગળ ગઈ અને બેજને પુછવા કહ્યું તેમ પુછ્યું. રૂસ્તમે જાણ્યું, કે તેની વીંટી ઉપરથી બેજને તેને પિછાણ્યો છે અને તેણે આ બાનુને તે વાત કહી છે. આથી તેણે જવાબ દીધો કે “હા, હું રૂસ્તમ છું. હવે તું આ વાત કોઈને કહેતી ના. તુ ગુપચુપ જા અને થોડાંક લાકડાં બેજનના બંદીખાનાના ગાર આગળ લાવી રાખ, અને  રાતના તે સળગાવજે કે તેની રોશનીથી હું તેના ગારની જગ્યા શોધી શકું.”

મનીજેહ ખુશી થતી બેજન આગળ ગઈ અને તેને સઘળી ખબર કહી. બેજન તથી ખુશ ખુશ થઈ ગયો અને તેણે દાદારની બંદગી કરી શુક્રાના કીધા.

મનીજેહ હવે જંગલ ભણી ગઈ અને ઝાડે ઝાડ ચહડી પોતાને હાથે સુકાં લાકડાં પાડ્યા અને પેલા ગાર આગળ એકઠાં કરી રાત પડતાં તે સળગાવ્યાં.

રાત પડતાં રૂસ્તમે તે દાદારને યાદ કરી તેની મદદ માંગી અને પછી લડાઈનું બખતર પેહરી પોતાના સાત પહેલવાનો સાથે જંગલ ભણી ગયો. તે મનીજેહે સળગાવેલા આતશની ભભુક જોઈ તે તરફ ગયો. ત્યાં આવતાં તેણે બંધીખાનાના ગાર ઉપર એક મોટો પથ્થર ઢાંકેલો જોયો. તે પથ્થર ઉપર થોડોક ભાગ ઉંઘાડો હતો. તેમાંથી મનીજેહ બેજનને ખાણું પહોંચાડતી હતી. રૂસ્તમે પોતાના પહેલવાનોને કહ્યું કે “આ પથ્થર હવે ઉંચકી નાખો.” તેઓએ ઘોડા ઉપરથી ઉતરી ઘણી કોશેશ કીધી, પણ પથ્થર એવો ભારે હતો કે તેઓ તે ખસેડી શક્યા નહિ. ત્યારે રૂસ્તમ પોતે ઘોડા ઉપરથી ઉતર્યો અને દાદારને યાદ કરી એકદમ જોર કરી તે પથ્થરને દૂર ફેંકી દીધો. આ પછી ગારના મોંહ આગળ આવી તેણે બેજન સાથે વાત કરવા માંડી. તે બોલ્યો કે “બેજન! તું અહીં ક્યાં આવી પડ્યો? તુંને દુનિયામાં નાજ અને સુખ ઘણું હતું, તે છોડી આ રંજમાં શું કરવા આવી પડ્યો?” બેજને અંદરથી જવાબ આપી રૂસ્તમની ખબર પુછી અને કહ્યું કે “તારો અવાજ મેં સાંભળ્યો, કે મારાં સઘળાં દુ:ખનું ઝેર મધ મિસાલ થઈ ગયું છે.” રૂસ્તમ બોલ્યો કે “હું તને બહાર કાઢું, તેની આગમચ મારે તુને એક અરજ કરવી છે, કે તું ગુર્ગીનને માફ કર અને તેનાપર કીનો લે નહિ.” બેજને જવાબ દીધો કે “ઓ પહેલવાન! તું જાણતો નથી કે ગુર્ગીને મારી સાથે કેવી વર્તણુંક ચલાવી છે! મારી નજર એનાપર પડશે, તેવોજ હું તેની ઉપર કીનો લઈશ.” ત્યારે રૂસ્તમે કહ્યું કે “જો તું મારી માગણી કબૂલ રાખવા માંગતો નથી તો હું તુંને આ ગારમાં મેલી પાછો જાઉં છું.” અંતે બેજને તેનો સખુન કબૂલ કર્યો, અને ગુર્ગીનને માફ કીધું. હવે રૂસ્તમે પોતાની કમન્દ નીચે ગારમાં ફેંકી અને તે પકડી બેજન ઉપર ચઢી આવ્યો. તેના પગોમાં અને હાથોમાં જે બેડીઓ હતી તે રૂસ્તમે ભાંગીને કાઢી નાખી. પછી ગુર્ગીન બેજન આગળ આવ્યો અને તેને પગે પડી પોતાની તકસીર માટે માફી ચાહી.

Similar Posts

  • કારણ તે માં છે!

    એક બાજુ ત્રણ દીકરાઓ અને તેની વહુ પોતાના રૂમમાં સુવા જઈ ચૂકી હતી અને આ બાજુ માં રસોડામાં કામ કરી રહી હતી. મા નું કામ થોડું બાકી રહી ગયું હતું, આમ તો જોવા જઈએ તો કામ તો બધા નું હતું, પરંતુ માં હજી બધાનું કામ પોતાનું જ માને છે. એ પછી એક દૂધ ગરમ કરી…

  • |

    ઈરાનનું અર્દકાન શહેર યુનેસ્કોના દરજ્જા માટે નામાંકિત

    અર્દકાન, અર્દકાન કાઉન્ટીની રાજધાની અને ઈરાનના યઝદ પ્રાંતના બીજા મોટા શહેર, સભ્યપદ માટે અરજી કરી છે અને યુનેસ્કો ગ્લોબલ નેટવર્ક ઓફ લર્નિંગ સિટીઝમાં નામાંકિત થયા છે. યઝદથી 60 કિમી દૂર સ્થિત અર્દકાનનું ઐતિહાસિક શહેર, ઈરાનના ઝોરાસ્ટ્રિયન કેન્દ્રોમાંનું એક છે, જે શરીફ-આબાદ ગામમાં ઝોરાસ્ટ્રિયનો માટે અસંખ્ય પવિત્ર સ્થળોનું ઘર છે. સમૃદ્ધ સાંસ્કૃતિક, સ્થાપત્ય અને સામાજિક-આર્થિક વારસાને…

  • સેન ડિએગો પાસે નવી દરે મહેર

    કેલિફોર્નિયા ઝોરાસ્ટ્રિયન સેન્ટર (સીઝેડસી), જે એફઈઝેડએએનએ મેમ્બર એસોસિએશન છે, તાજેતરમાં સેન ડિએગો, યુએસએમાં તેમની ત્રીજી દરે મહેરનું અનાવરણ કર્યું, અને તેમણે ઉત્તર અમેરિકામાં ચૌદમું દરે મહેર બનાવ્યું. દરે મહેર માટે તાજેતરમાં પ્રોપર્ટી ખરીદવામાં આવી હતી અને 7મી નવેમ્બર, 2022ના રોજ એક ભવ્ય ઉદઘાટન સમારોહ યોજાયો હતો. કેન્દ્ર 1721 હોર્નબ્લેન્ડ સેન્ટ, સાન ડિએગો, સીએ 92109 ખાતે…

  • તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર કરો

    આપણા ઝોરાસ્ટ્રિયન ધર્મ મુજબ, સ્પેન્ટા મૈન્યુ ગુડ ફોર્સનું પ્રતિનિધિત્વ કરે છે અને આંગ્રે મૈન્યુ એવિલ ફોર્સનું પ્રતિનિધિત્વ કરે છે. ઘણીવાર, આપણે આપણી જાતને નકારાત્મક અથવા પ્રતિકૂળ મનની સ્થિતિમાં શોધીએ છીએ, જે આપણને નકારાત્મક ઘટનાઓ તરફ દોરી જાય છે – કારણ કે આપણે બહાર કે અંદર પણ નકારાત્મક ઊર્જાથી ઘેરાયેલા હોઈએ છીએ. તેથી નકારાત્મકતાનું કારણ શું…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    30th May – 05th June, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મનને શાંતિ આપનાર ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મુસાફરી કરી શકશો. મનમાં કોઈ શંકા હશે તેનું સમાધાન મળી જશે. નાણાંકીય બાબતમાં સારા સારી રહેશે. ઉપરી વર્ગ તમારા કામની કદર કરશે. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી…

  • ઘડપણનો સાચો સહારો કોણ?

    આપણે મોટાભાગે એવું સાંભળતા આવ્યા છીએ કે ઘડપણનો સહારો દીકરો હોય છે અને એટલા માટે જ લોકો પોતાના જીવનમાં એક દીકરો હોય તેવી આશા રાખતા હોય છે જેના કારણે ઘડપણમાં સહારો રહે. દીકરો ઘરમાં વહુ લાવે છે, વહુ આવ્યા પછી દીકરો પોતાની લગભગ બધી જવાબદારી તેની પત્ની ને સોંપી દે છે અને પછી પત્ની આ…