કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

જે પ્રમાણે તમને તમારા મુલકમાં માન મરતબો આપવામાં આવે છે તેવોજ માન અમે મરતબો તમને મળશે.’ ‘બલવંત સુલતાન!’ તે શાહજાદાએ પુછયું કે ‘શું તમે ધારો છો કે તમારી રાજધાની હ્યાંથી નજદીક છે? સુલતાને કહ્યું કે ‘અલબત્તે હું ધારૂં છું કે મારી રાજધાની તરફ જઈ પહોંચતા વધુમાં વધુ પાંચ કલાક લાગશે.’ તે શાહજાદાએ કહ્યું કે ‘મારા શહેર ઉપર જાદુની જે અસર લગાડવામાં આવી હતી તેથી એક વર્ષની મુસાફરી કરતાં એ પુગી શકાય નહીં ત્યાં તમો પાંચ કલાકમાં આવી લાગ્યા છો. જ્યારથી તે સજીવન થયું છે ત્યાંરથી તે સઘળું બદલાઈ ગયું છે. પણ તેથી કાંઈ તમારી સાથે તમારે મુલક આવવાને હું નારાજી નથી, બલકે જમનીનને બીજે નાકે તમારે ખાતર જવું પડે તો હું ‘ના’ કહેનાર નથી. મારો છુટક કરનાર તમે છો અને મારા ઉપકારની સઘળી સાબેતી આપવા માટે હું તમારી સાથે ખુલ્લા દિલથી તમારે મુલક આવવા માંગુ છું અને કાંઈપણ રીતની દિલગીરી વગર મારો મુલક છોડી દઉ છું.
જ્યારે સુલતાને જોયું કે તેના મુલકથી આ કાળા ટાપુનો મુલક એટલી લાંબી મંજલ છે ત્યારે તે ઘણોજ અજબ થયો અને એ રીતે કેમ બન્યું તેનો ભેદ સમજી શકયો નહીં. કાળા ટાપુના જવાન શાહજાદાએ તે વિશે પુરતો ખુલાસો કીધાથી તેની ખાતરી થઈ અને તે બાબતમાં તેના મનમાં કાંઈ પણ સંદેહ રહ્યો નહીં. સુલતાને કહ્યું કે ‘મારા દેશ તરફ પાછું ફરતા ઘણા દિવસ લાગશે તેની ચિંતા નહીં પણ તેનો બદલો બીજી ખુશાલી હાંસલ થયાની મને મળશે તે એ કે તમો મારી સાથે આવ્યાથી હું એમ જાણીશ મારી સાથે મારો દીકરો આવ્યો અને એમ ગણીને હું તમને મારો વારસ ઠેરવી જઈશ કારણ કે પેટે કાંઈ પણ ફરજંદ નથી.’ સુલતાન તથા કાળા ટાપુના શાહ વચ્ચેની મુલાકાતનું છેવટ આવી ખુશાલી સાથ આવ્યા પછી તેઓએ એક બીજા સાથ બગલગરી કીધી અને તે જવાન શાહજાદાએ મુસાફરીએ જવાની તૈયારી કીધી. તેના દેશના લોકો તથા દરબારીઓ તેની જુદાઈથી દિલગીર થયા સબબ કે તેમનો તે ઘણો વ્હાલો પાદશાહ હતો. તેને પોતાના સગાઓમાંથી જે શખ્સને શાહ તરીકે પસંદ કીધો તે શખસને તેઓએ કબુલ રાખ્યો. અંતે સુલતાન તથા શાહજાદો મુસાફરી કરવા નીકળ્યા અને પોતાની સાથે સો ઉંટ ભરી અમૂલ્ય ચીજો તથા ખજાનો લીધો હતો જે સર્વે તે જવાન શાહના ખજાનામાંથી ચુંટી કાઢ્યું હતું તથા તેઓની સાથે પચાસ ચુનંદા ઉંચી કિંમતના લેબાશ પહેરેલા તથા તેવી ઉંચી કિંમતના અરબી ઘોડા પર સવાર થયેલા અમીરજાદાઓ આવ્યા હતા. તેઓની સફર ખુશનુમા નિવડી. સુલતાનને પોતાના મુલક તરફ જતાં જે ઢીલ થઈ હતી તેનો સબબ જણાવવા માટે તથા સહેજ દિવસમાં તે પોતાને શહેર આવી લાગશે તેની ખબર આગમચથી પહોંચાડવાને માટે તેણે કાસદો મોકલ્યા હતા તેથી જ્યારે તે પોતાને મુલક જઈ પહોંચ્યો ત્યારે મોટી પદવી ધરાવનાર તેના અમલદારો તેને એકતેકબાલ લેવા આવ્યા અને તેઓએ તેને ખાતરીથી જણાવ્યું કે જો કે સુલતાન સાહેબને પોતાના મુલકમાં પાછું ફરતા વિલંબ લાગ્યો છે છતાં તેની ગેરહાજરીમાં કાંઈપણ ફેરફાર તેના મુલકમાં કરવામાં આવ્યો નથી.’ તે દેશની તમામ રૈયત એકઠી થઈ તેને મળવા આવી અને ખુશી ખુશાલીના અવાજથી તેને આવકાર આપ્યો અને તે ખુશાલી કાયમ રાખવા માટે કેટલાક દિવસ સુધી સુલતાનના મુલકમાં ઉપરાસાપરી જયાફતો તથા નાચરંગ કરવામાં આવ્યો.
(ક્રમશ)

Similar Posts

  • FAROHAR TRAVELS

    Farohar Travels offers perfectly crafted holidays and travel experiences for the discerning traveler. We specialize in innovative, planned packages for escorted group tours, customized family holidays, destination honeymoons, and tailor-made holidays across India and abroad. Our traveler-centric focus, on-site support and operational excellence has helped us carve a boutique niche in a market that caters to…

  • CCTV Cameras At Doongerwadi

    Doongerwadi has witnessed many burglaries over the years, as also complaints of anti-social elements misusing the Doongerwadi premises. Unauthorised outsiders coming and parking their cars was another issue needed to be addressed. In keeping with constant appeals by community members to install cameras, Anahita Yazdi Desai approached Soonu Buhariwalla offices for donation, which the generous…

  • ઉદવાડા રેલ્વે સ્ટેશનનો ઉદ્ઘાટન સમારોહ

    7મી સપ્ટેમ્બર, 2019ના દિને નવા સુધારેલા ઉદવાડા સ્ટેશનનું ઉદઘાટન સાથે આપણા સૌથી પવિત્ર સ્ટેશનનું પુન:સ્થાપન માટે કરેલા પ્રયત્નો અને વ્યક્તિગત ધ્યાન માટે તેમજ ઉદવાડા ગામના કલ્યાણ માટે ઇરાનશાહ આતશ બહેરામના વડા દસ્તુરજી ખુરશેદ કેકોબાદ દસ્તુરજીનો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો. ઉદવાડાને હવે દક્ષિણ ગુજરાતનું સૌથી સુંદર સ્ટેશન તરીકે ગણવામાં આવે છે. પ્રવાસને સરળ બનાવવા અને…

  • ગામડિયા કોલોનીએ ઉજવેલું દએ મહિનાનું જશન

    ગામડિયા કોલોની રિક્રિએશન સેન્ટરે જૂન 10, 2017ને જમિયાદ રોજને દિને દએ મહિનાના જશનની ઉજવણી કરી હતી. જશનની પવિત્ર ક્રિયા એરવદ વિરાફ ભેસાનિયા અને એરવદ પાશાન અંકલેસરિયાદ્વારા કરવામાં આવી હતી. જશનની ક્રિયા પછી દસ્તુરજી અને ત્યા હાજર રહેલા લોકોએ હમબંદગી કરી ત્યારબાદ ચાશ્ની પીરસવામાં આવી હતી. કમિટી મેમ્બરોએ જશનમાં આવેલા લોકોનો આભાર માન્યો હતો. ગામડિયા કોલોની…

  • TechKnow With Tantra: Instapaper

    Instapaper is the simplest way to save and store articles for reading: offline, on-the-go, anytime, anywhere, perfectly formatted. It provides a mobile and tablet-optimized Text-view that makes reading Internet content a clean and uncluttered experience. It saves most web pages as text only, stripping away the full-sized layout to optimize for tablet and phone screens with…