સમય અને અહુરા મઝદા

આપણામાંના ઘણા વ્યસ્ત જીવન જીવે છે. મોટાભાગના રોજના કાર્ય કર્યા પછી આપણા હાથમાં સમયજ બચતો નથી. પરંતુ કેટલીક વસ્તુઓ છે જે આપણે બધા ભુલ્યા વિના રોજિંદા કરીએ છીએ. આપણે દાંત સાફ કરીએ છીએ, સ્નાન કરીએ છીએ અને ભોજન કરીએ છીએ, ઓછામાં ઓછું આ આપણે દરરોજ કરીએ છીએ, પછી ભલે આપણે સવારે 2:00 વાગ્યે સૂઈએ અને સવારે 5:00 વાગ્યે જાગીએ! હું આ મૂળભૂત આવશ્યકતાઓમાં એક વધુ ઉમેરવા માંગુ છું, એક વધુ મહત્વપૂર્ણ મૂળભૂત આવશ્યકતા – પ્રાર્થના.
આપણે ખોરાક અને કસરત દ્વારા આપણા શરીરની સંભાળ રાખીએ છીએ, પ્રેમ અને કાળજી સાથે આપણા સંબંધોની કાળજી કરીએ છીએ, સારૂં જોઈ અથવા વાંચન કરી આપણા મગજને ચાર્જ અને તાજું રાખીએ છીએ તો પછી આપણે શા માટે આપણા આત્માની જરૂરિયાતોને અવગણીએ છીએ? પ્રાર્થનાઓ આત્મા માટેનો જરૂરી ખોરાક છે, જેટલી મહત્વપૂર્ણ આપણા માટે હવા છે જેનાથી આપણે શ્ર્વાસ લઈએ છીએ. ઉપરાંત, જ્યારે આપણે કસ્તી બાંધીએ છીએ ત્યારેજ ખોરદેહ અવસ્તામાંથી ભણીયે છીએ ત્યારે જ પ્રાર્થના કેમ કરવામાં આવે છે? શા માટે આપણે આપણા જીવનમાં અહુરાની હાજરીને હંમેશાં શામેલ નથી કરતા. છેવટે, તે સર્વવ્યાપી છે અને તેથી તે દરેક જગ્યાએ અને દરેક વસ્તુમાં છે!
જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ, આપણા પગ જમીનને સ્પર્શે તે પહેલા એક અશેમ વોહુ ભણીયે તો તે 10,000 અશેમના પાઠ સમાન છે! તમે તે જાણો છો? આપણે ફક્ત આપણી આદતોમાં થોડો બદલાવ કરવાની જરૂરત છે. જ્યારે આપણે ઘરમાંથી નીકળીએ છીએ અથવા પ્રવેશ કરીએ છીએ ત્યારે, આપણા કાર્યાલયમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણી કારમાં કે બાઈક પર બેસતા પહેલા, બસ કે ટેકસીમાં બેસતી વખતે અથવા કોઈપણ વાહનમાં બેસતી વખતે, ટ્રેનમાં પ્રવેશતા ફકત એક યથા ભણી શકીયે તો આ કંપન આપણા પ્રભાવના ક્ષેત્રમાં આગળ વધારશે. જ્યારે તમે ભણવા માટે કોઈ પુસ્તક ખોલો છો, વર્ગખંડમાં દાખલ થાવ છો, કંઈક લખવાનું પ્રારંભ કરો છો અથવા તો સવારે તમારો ફોન પહેલી વાર જુવો છો, તો તેની શરૂઆત યથા ભણવાથી કરો. દિવસ અને તેની વાસ્તવિકતા તમારા માટે બદલાશે!
જો કે, કેટલીક પ્રાર્થનાઓ છે જે આપણી દૈનિક ઉપાસના માટે મૂળભૂત અને આવશ્યક માનવામાં આવે છે – તમે તેને તમારા માટે નિર્ધારિત કરેલા લક્ષ્ય તરીકે લઈ શકો છો, જેમ કે ઘણી પ્રાર્થના નીચે મુજબ છે.
1) કસ્તી 2) સરોશબાજ 3) રેલેવન્ટ ગેહ 4) ખોરશેદ નિઆએશ 5) મહેર નીઆએશ 6) વિસ્પા હુમાતા 7) ચાર દિશા નો નમસ્કાર 8) હોરમઝદ યશ્ત
વૈકલ્પિક રીતે, દૈનિક ન્યુનતમ ભણતર કે જેને આપણે પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
1) કસ્તી 2) 101 નામ 3) સરોશ બાજ 4) રીલેવન્ટ ગેહ 5) તંદોરસ્તી
આજના દિવસ અને યુગમાં હું તમને શરૂઆત કરવા વિનંતી કરૂં છું – પછી ભલે તે કેટલું નાનું હોય. સૌથી લાંબી અને મુશ્કેલી ભરી મુસાફરીની શરૂઆત પણ એક પગલું ભરવાથી થાય છે. તમારા આત્માને પોષણ આપવા માટે પ્રથમ પગલું ભરો!

Similar Posts

  • જીવનમાં અપનાવવા જેવું પૈસાનું મુલ્ય!

    મુશ્કેલ સમયમાં પૈસા સિવાય કોઈનો સહારો હોતો નથી, માટે જયારે તમારો સારો સમય ચાલતો હોય ત્યારે પૈસા  ઉડાવવા કરતા થોડી બચત કરજો એટલે જીવનમાં ક્યારેય પણ આર્થિક સંકટ કે માંદગી આવે ત્યારે તાત્કાલિક કામ આવે, અને કોઈના ભરોસે બેસી રહેવુ ન પડે.  જેટલા જલ્દી પૈસા કમાવા માટેના હથિયાર ઉપાડશો એટલા જલ્દી મુશ્કેલ સમયમાંથી બહાર નીકળી…

  • Your Moonsign Janam Rashi This Week –
    22nd July, 2017 – 28th July, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લા બે દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી આજ અને આવતી કાલ તમારે તમારા ગુસ્સા ઉપર  કંટ્રોલ રાખવો પડશે તમારી નાની ભૂલ અઠવાડિયાને ખરાબ કરશે. 24મીથી 56 દિવસ માટે બુધની દિનદશા તમારા બગડેલા કામને સુધારવા માટે સીધો રસ્તો બતાવશે. કોઈક…

  • શું આપણી ચેરિટી ઝેરિલી બની છે?

    પારસી સંસ્કૃતિ સાથે પરોપકાર અને ચેરિટી જોડાયેલી છે. પારસી તારૂય બીજું નામ સખાવતથ એ કહેવત જાણીતી છે. દિનશા તંબોલી આજે આપણા સમુદાયમાં દાનવૃત્તિ  પરોપકારના ખ્યાલના વિકાસ અંગેના તેમના વિચારો જણાવે છે. સખાવતનો ખ્યાલ સમજીએ તો તમારા હૃદયથી અન્ય લોકો પ્રત્યે ઉદારતા વધારવાનું કાર્ય છે. પરોપકારનો સાર અમે જરથોસ્તીઓના મનમાં ઉંડે ઉતારી દેવામાં આવ્યો છે. આપણો…

  • The Priceless Boon Of Peace

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book, ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] Peace is what man prays for by day and by night. Peace he seeks for himself on earth during life and peace for his soul in heaven when…

  • From the Editors Desk

    It’s About Good Leadership! Dear Readers, What are the first thoughts that hit you when you hear the word, ‘leadership’? To most individuals, it’s about charisma, inspiration and strength… it’s the art of creating a vision, and then motivating others to work in unison towards delivering it. Good leadership is the key to success across…

  • બનાજી લીમજી અગયારીએ 312 વર્ષની ભવ્ય ઉજવણી કરી!

    21મી એપ્રિલ, 2021 ના રોજ, આદર મહીનો – આદર રોજ, બનાજી લીમજી અગિયારીએ તેની 312મી સાલગ્રેહની મુંબઈમાં ઉજવણી કરી. બનાજી લીમજી, જે એક શ્રીમંત વહાણના માલિક અને દાવર (ન્યાય વિતરક) હતા બાદમાં પારસી અંજુમનના ખજાનચી તરીકેનો દરજ્જો તેમણે મેળવ્યો હતો. તે સુરતથી સ્થળાંતર કરનાર વેપારી બનાજી લીમજી દ્વારા 1709માં બનાવવામાં આવી હતી. મુંબઈમાં બનાજી લીમજી…