ફકીર થયેલા ત્રણ શાહજાદા તથા બગદાદ શહેરની પાંચ બાનુઓની વાર્તા

તે છતાં ખલીફે કહ્યું કે ‘હું તને ફરમાવું છું કે તું બારણું ઠોક!’
ખલીફના આ લગાર સખત હુકમથી આખરે વડા વજીર જાફરે બારણું ઠોકયું. ત્રણે બાનુએ નાચવાનું થોભાવી સફીયએ બારણું ઉઘાડયું અને તેણીના હાથમાં બત્તી હતી તેની રોશનીથી વજીરે જોયું કે તે એક સુંદર બાનુ હતી. આ જગ્યાએ તે વજીરે પોતાની ચતુરાઈ અચ્છી રીતે વાપરી. તેણે પહેલા તો ઘણી જ નમનતાઈનો નમસ્કાર કીધો અને ઘણાજ આબરૂ ભરેલા દેખાવથી તેને કહ્યું કે ‘બાઈ! અમો મોસલ શહેરના ત્રણ સોદાગરો છીએ. અમો અત્રે દસ દિવસ થયા આવ્યા છીએ અને અમો ઘણો કિમતી સામાન અમારી સાથે લાવ્યા છીએ અને એક ધર્મશાળા જ્યાં અમો ઉતરયા હતા ત્યાં અમે દિવસો ગુજારતા હતા. આજ અમો એક મિત્રને ત્યાં ઉજાણીએ ગયા હતા કારણ કે તેણે અમને નોતુરૂં દીધું હતું. સઘળી પ્રકારની અમારી ખિદમત બજાવવામાં તેઓએ કશી ખામી રાખી નથી શરાબ પીધાથી અમો ખુબ કેફમાં આવ્યા હતા. તેથી ગાયન સાંભળવાનો શોખ થયો અને તે માટે ગવૈઆઓને બોલાવી મંગાવ્યા. રાત ઘણી વહી ગયેલી હતી અને સર્વે ગાતા તથા વાજીંત્ર વજાડતા તથા નાચતા હતા. એવામાં તે રસ્તેથી પહેરેદારો જતા હતા તેઓએ આવી બારણું ઉઘાડવાની અમને ફરજ પાડી. ત્યાં એકઠા મળેલા મેજબાનોમાંથી કેટલાકને કેદ પકડયા અને અમો સારાં ભાગ્ય દેવાલ કુદાવી ગયાથી બચી ગયા. પણ અમોએ શરાબ કાંઈક વધારે પીધો છે અને અમે અત્રે પરદેશી છીએ તેથી અમને ભય લાગે છે કે પહેરાગીરોના બીજો ભાગ જો આવી લાગશે તો તેઓ અમને જરૂર પકડી જશે, નહીંતર જે અમલદારોથી હાલ અમો છટકયા છીએ તેઓ આવી લાગશે. જે ધર્મશાળામાં અમોએ ઉતારો લીધો છે તે ઘણી દૂર છે અને અમો કદાચ ત્યાં જઈ પણ પહોંચ્યે પણ તેના દરવાજા બંધ હશે તેથી સવાર પડે ત્યાં સુધી કોઈથી અંદર દાખલ થવાને બનશે નહીં. જ્યારે અમો આ રસ્તેથી પસાર થયા ત્યારે અત્રે અમે ગાયન વાજીંત્ર તથા નાચનો અવાજ તથા ઘોઘાટ સાંભળ્યો ત્યારે ધાર્યુ કે આ ઘરના કેટલાક લોકો હજુ સુવા ગયા નથી તે ઉપરથી તમારા ઘરનું બારણું ઠોકવાની છુટ લીધી કે તમને અરજી કર્યે કે સવાર પડે ત્યાં સુધી તમારા મકાનમાં અમને વિસામો લેવા દો. અગરજો તમારી રમુજ અને ગમતમાં ભાગ આપવા લાયક અમને ગણશો તો અમારી તાકાત પ્રમાણે તમારી રમુજને વધારે તાજી રાખવાની અમારેથી બનતી કોશેશ કરીશું. અગરજો એટલા માનને લાયકના તમો અમને ન ગણો તો તમારા મહેલમાં એક રાત સુવાની રજા આપો.’
જાફરનું આ ચાપલુસીભર્યુ ભાષણ સાંભળતી વેળા તેને તથા તેના સોબતીઓને સારી પેઠે તપાસી જોવાની સફીયને તક મળી અને તેઓના પહેરવેશ તથા દેખાવ પરથી જોતા તેણીએ અનુમાન લગાવ્યું કે તે આદમીઓ કંઈ જેવા તેવા નથી.
(ક્રમશ)

Similar Posts

  • From The Editor’s Desk

    The Road To Hell Is Paved With Good Intentions  Dear Readers,   We are a passionate and presumably educated community with an unyielding sense of pride in our glorious religion and our illustrious forefathers, who set the definitive tone for our race – Parsis – as a bunch of progressive and cultured people, comprising hard-working…

  • હસો મારી સાથે

    એક કાકા 106 વરસ પછી સ્વર્ગમાં ગયા જાતાવેત જ એક અતિ સુંદર અપ્સરા વેલકમ કરવા હાથમાં શુધ્ધ કેસર મંદીરાનો ગ્લાસ હાથમાં આપી કાકાને આલિંગન આપ્યું પછી કાકાનો હાથ પકડી આખુ સ્વર્ગ બતાવ્યું…. કાકા તો બધી રોનક જોઈ આભા જ થઈ ગયા પછી હૈયાવરાળ કાઢતા કહે ખોટા રામદેવ બાબાના રવાડે ચડી 20 વરહ મોડું કર્યુ.

  • ઉધાર

    એક શેઠજી ખૂબ દયાળુ હતા. ધર્મમાં માનવાવાળા. ઉધાર માંગવા આવેલા કોઈ પણ વ્યક્તિને તેઓએ ના પાડી ન હતી. શેઠજી મુનીમને બોલાવતા અને ઉધાર માંગતી વ્યક્તિને પૂછતી કે ભાઈ! તમે ઉધાર ક્યારે પાછુ આપશો? આ જન્મમાં કે આવતા જન્મમાં જેઓ પ્રામાણિક હતા તેઓ કહેતા – શેઠજી! અમે આ જન્મમાં તમારું ઉધાર ચુકવીશું. અને કેટલાક લોકો જે…

  • ફરવર્દીનના પરબનું અવલોકન

    ફરવર્દીન – શુભ પ્રથમ મહિનો: ફરવર્દીન એ ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરનો પ્રથમ મહિનો છે અને ફરવર્દીન મહિનાના પહેલા અઠવાડિયામાં, ઘણા મહત્વપૂર્ણ દિવસો છે: * માહ ફરવર્દીન, રોજ હોરમઝદ (નવું વર્ષ) * માહ ફરવર્દીન, રોજ અર્દીબહેસ્ત (રપીથ્વનને પવિત્ર કરવાનો દિવસ) * માહ ફરવર્દીન, રોજ ખોરદાદ (ખોરદાદસાલ અને પરંપરાગત રીતે અશો જરથુષ્ટ્રનો જન્મદિવસ) * માહ ફરવર્દીન, રોજ અમરદાદ (ફ્રવશીઓના…

  • શક્તિ, સૌદર્ય, શ્રદ્ધા અને શાંતિ એટલે સ્ત્રી

    દર વર્ષે 8 માર્ચના રોજ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનનું આયોજન થાય છે. મનમાં સવાલ ઉભા થાય છે કે આ પરંપરાની શરૂઆત ક્યારથી થઈ? સાથે જ મહિલા દિવસ મનાવવા પાછળ હેતુ શુ છે? જો મહિલા દિવસ ઉજવાય છે તો પુરૂષ દિવસ કેમ નહી? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઈતિહાસની વાત કરીએ તો સૌ પહેલા આને વર્ષ 1909માં ઉજવવામાં…