જીયો પારસી દ્વારા સમુદાયમાં 233 નવા પારસી બાળકોનું આગમન

6ઠ્ઠી ફેબ્રુઆરી, 2020ના રોજ, કેન્દ્રના લઘુમતી બાબતોના મંત્રી, મુખ્તાર અબ્બાસ નકવીએ, ‘જીયો પારસી’ યોજના અંતર્ગત, ભારતના પારસી યુગલોમાં જન્મેલા 233 બાળકો વિશે, લોકસભાને માહિતી આપી હતી, જેનો હેતુ પારસી સમુદાયમાં ઘટતી સંખ્યાને પકડવાના પગલાઓને અમલમાં મૂકવાનો હતો. નકવીના જણાવ્યા અનુસાર, આ યોજના પર અત્યાર સુધીમાં 14 કરોડનો ખર્ચ થયો છે. ટીએમસીની માલા રોયના એક પ્રશ્ર્નના જવાબમાં, પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ સમજાવ્યું કે, યોજના હેઠળ, સરકાર જિયો પારસી દ્વારા, સહાયિત પ્રજનન તકનીકીઓ માટે પારસી યુગલોને આર્થિક સહાય કેવી રીતે પૂરી પાડે છે. આર્થિક સહાય ઉપરાંત યોજનામાં પ્રજનન, લગ્ન અને કુટુંબ જેવા વિષયો પર યુગલોની પરામર્શ પણ શામેલ છે. આ યોજના ચાઇલ્ડ કેર સપોર્ટ, વૃદ્ધોને બાળકોની સંભાળ અને સહાય માટે વરિષ્ઠોની મદદ પણ પ્રદાન કરે છે. વૃદ્ધો માટે સબંધોનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં રિલેશનશિપ મેનેજમેન્ટ, પેરેંટિંગ વગેરે અંગેની વર્કશોપનો સમાવેશ થાય છે.
જીયો પારસી યોજના પર અત્યાર સુધી ફાળવવામાં આવેલા અને ભંડોળના સંદર્ભમાં, નકવીએ જણાવ્યું હતું કે કુલ 19 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે, જેમાંથી રૂ.10.08 કરોડ યોજના માટે વર્ષ 2013-2014થી 2019-2020 સુધી જાહેર કરવામાં આવ્યા છે.

Similar Posts

  • છોકરો અસલ અવતારમાં આવ્યો!

    ઓ જીનના નામદાર પાદશાહ તમેજ ખ્યાલ કરો કે આ શબ્દોથી મારા મનમાં કેટલી અચરતી ઉત્પન્ન થઈ હશે? તે હકીકત સાંભળતાને વાર હું તે વછેરા પાસે ગયો તેને સારી પેઠે પટાવ્યો, પસવાર્યો. અલબત્તે તે કાંઈ પોતાની ખુશાલી જણાવી શકયો નહીં પણ તેણે એવા તો ચેનચાળા દેખાડયા કે તે ઉપરથી મારી ખાતરી થઈ કે તે ખરેખર મારો…

  • પારસી ન્યુઝ

    ડુંગરવાડીને શબવાહીનીનું દાન 12 મી ફેબ્રુઆરી, 2021 ના રોજ, પારસી અને ઈરાની જરથોસ્તીઓના શબનેે નિવાસસ્થાન / હોસ્પિટલોથી ડુંગરવાડી, મુંબઇ લઈ જવા માટે એક નવી શબવાહિની (ટાટા વિંગર બીએસવીઆઈ હાઈ રૂફ) દાનમાં આપવામાં આવી હતી. શબવાહિની મરહુમ શ્રી જમશેદ ખુરશેદ શેઠના (બોર્ડ ઓફ કોલગેટ પામોલિવ ઇન્ડિયા લિમિટેડના ભૂતપૂર્વ બિન-કાર્યકારી અને સ્વતંત્ર ડિરેકટર)ની પ્રેમાળ સ્મૃતિમાં દાન કરવામાં…

  • From the Editors Desk

    Two Main Take-aways… Dear Readers, The last fourteen months have been nothing if not one of humanity’s most profound learning curves. There’s a number of invaluable lessons we’ve had to learn the hard way since the onset of the pandemic. The new ‘at-home’ normal – be it ‘work-from-home’ or simply ‘stay-at-home’ – clubbed with the…

  • Employee Mental Health during coronavirus (COVID-19)

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Aviva Damania is a Psychologist – Mental Health Specialist, trained at City University of London (MSc Mental Health). She began counseling in 2014 as a Volunteer Counsellor at Charities in Mumbai, and has practiced at Masina Hospital and has got extensive experience working with adults, adolescents and children. Aviva is the founder…

  • એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

    એક ફળવંત શેહેરમાં એક રાજા રાજ્ય ચલાવતો હતો. આ રાજાને એક શાહજાદો હતો. તે શિકાર કરવાનો ઘણોજ શોખ રાખતો હતો. તેથી તે ગમતમાં તે ચાહે એટલો લાડ તેનો બાપ લડાવતો હતો. પણ તેણે તે સાથે પોતાના વડા વજીરને તાકીદથી હુકમ કીધો હતો કે શાહજાદો જ્યારે શિકારે જાય ત્યારે હંમેશ તેની સાથે રહેવું અને તેને નજર…