કારણ તે માં છે!

એક બાજુ ત્રણ દીકરાઓ અને તેની વહુ પોતાના રૂમમાં સુવા જઈ ચૂકી હતી અને આ બાજુ માં રસોડામાં કામ કરી રહી હતી. મા નું કામ થોડું બાકી રહી ગયું હતું, આમ તો જોવા જઈએ તો કામ તો બધા નું હતું, પરંતુ માં હજી બધાનું કામ પોતાનું જ માને છે.
એ પછી એક દૂધ ગરમ કરી લીધું, એક પછી એક ધીમે ધીમે બધા કામ કરવા લાગી. સિંકમાં જ્યારે પણ વાસણો હોય તે માં ને જાણે જરા પણ પસંદ નથી, ભલે ગમે તેટલું મોડું થાય પરંતુ સિંકમાં ક્યારેય પણ વાસણ હોવા જોઈએ નહીં. હવે એ માન્યતા કહો કે જૂની રીતભાત અને ટેવ પરંતુ માં ને ક્યારેય પણ સિંકમાં વાસણ પડેલા હોય તે જરા પણ ગમતા નથી, આથી અંતે પોતે પણ તે વાસણને ઘસીને પછી જ સુવાનું રાખતી.
ઉંમરના કારણે કમર થોડી ઝૂકી ગઇ હતી, હથેળીઓ કઠોર થઈ ચૂકી હતી, ત્વચા પણ જાણે લટકવા માંડી હતી, સાંધાના દુખાવા પણ ઓછા નહોતા, માથા પરથી પરસેવો પણ પડી રહ્યો હતો. સાંધાના દુખાવાને કારણે ચાલવામાં પણ તકલીફ પડતી. પરંતુ આજે પણ તે મોટાભાગનું કામ પોતે જાતે જ કરી લેતી, રાતના જ સવારના શાક ની તૈયારી થઈ ગઈ, ત્યાં યાદ આવ્યું કે જમવા પછી જે દવા લેવાની હતી એ દવા તો પોતે લેવાનું જ ભુલી ગઈ છે. એક વિચાર એવો પણ આવ્યો કે હશે કાલે લઈ લઈશ, પરંતુ ઉંમરના કારણે દવા લેવી પણ જરૂરી હતી આથી દવાની પેટીમાંથી દવા કાઢીને દવા લઈ લીધી. ત્યાર પછી ઘડિયાળ બાજુ નજર પડી, જોયું તો રાતના 12:30 થઈ ચૂક્યા હતા. પછી તે પણ સુવા ચાલી ગઈ. એવામાં બાપુજી નું ધ્યાન ગયું, એક અડધી નીંદર લઈ ચૂકેલા બાપુજીએ તરત પૂછ્યું આવી ગઈ? હા આજે તો બીજું કંઈ ખાસ કામ હતું જ નહીં. માં એ જવાબ આપ્યો અને પોતે સુઈ ગઈ, શરીરમાં કેટલો થાક છે. ઊંઘ આવતી હશે કે નહીં એ તો ખબર નહીં પરંતુ ગમે એટલા થાક સાથે સૂવા ગયા પછી સવારે જ્યારે જાગે ત્યારે તે બિલકુલ ફ્રેશ થઈ જાય છે, જાણે તેને થાક લાગી જ ન રહ્યો હોય તેવું લાગે કારણ કે તે તો માં છે.
સવારનો અલાર્મ પણ પછી વાગે તે પહેલા તો માં ઊંઘમાંથી જાગી ગઈ હોય, છાપુ વાંચવાનો તો જરા પણ ટેવ નથી, પરંતુ બહાર દરવાજે પડેલું છાપું કાયમ સવારે ઉઠાવીને લઈ આવે છે. ચા પોતે તો પીતા નથી, પરંતુ બનાવીને જરૂર આપે છે. કારણ તે માં છે.

Similar Posts

  • નવસારીના પારસીઓ: ભૂતકાળ – ગર્વભર્યો, વર્તમાન – પ્રગતિશીલ, ભાવિ – આશાસ્પદ

    નવસારીના પારસી સમાજના ભવિષ્યની ઓળખ માટેના ત્રણ ખૂબ જ અગત્યના પાસાઓની ઓળખ અને તે માટે કાર્ય કરવા માટે લોકલ કમિટિ ઓફ The WZO Trust નવસારીએ તા. 20-1-2019ને રવિવારના રોજ બાઈ ડોસીબાઈ કોટવાલ પારસી બોયઝ ઓરફનેજ, સીરવઈ પાર્ટી પ્લોટ, નવસારી મુકામે એક કાર્યક્રમનું આયોજન કરેલ છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થશે. આપણા મોબેદ સાહેબો (ધર્મગુરૂઓ) એ…

  • સાધુ અને સયતાન

    ખૂબ જ જૂના સમયની આ વાત છે, એક સયતાન અને એક સાધુની મૃત્યુ એક જ દિવસે થઈ ગઈ. વિધિના વિધાન કહો કે જે પરંતુ આ બંનેનો અંતિમ સંસ્કાર પણ એક જ દિવસે થયો અને આ બધું થયા પછી બંનેની આત્મા યમલોક ગઈ. યમરાજે બંનેના કર્મોના લેખા-જોખા જોઈને એ બંનેને કહ્યું કે શું તમે તમારા કર્મો…

  • |

    જમશેદી નવરોઝ મુબારક

    વ્હાલાં વાચકો, 20મી અને 21મી માર્ચે શુભ જમશેદી નવરોઝને આવકારવા માટે આપણે તૈયાર છીએ, આપણે 2021 તરફ પાછું વળીને જોઈએ છીએ… ત્યારે કોરોના વાયરસે માનવતામાંથી જીવલેણ હુમલો કરવાનું પૂર્ણ કર્યું નહોતુંં આપણે કંઈ કરી શકતા નહોતા, રોગચાળો હજી સમાપ્ત નથી થયો પરંતુ તે સારી રીતે બહારી નીકળી રહ્યો છે એ જોઈ ખરેખર આપણે રાહતનો શ્ર્વાસ…

  • નહેરૂજીનો બાળપ્રેમ

    પંડિત જવાહરલાલ નહેરૂ 14 નવેમ્બર 1889 ના રોજ અલ્હાબાદમાં જન્મ્યા હતા. તેમનો જન્મદિવસ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નહેરૂને બાળકો માટે ખૂબ જ લાગણી હતી અને તેમણે બાળકોને દેશના ભાવિ તરીકે ગણ્યા હતા. બાળકો પ્રત્યેના સ્નેહના કારણે, બાળકો પણ તેમને પ્રેમ કરતા હતા. પંડિત નહેરૂના જન્મદિનને ચિલ્ડ્રન્સ ડે (બાલદિન) તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે…

  • શિરીન

    એ સાંભતાજ શિરીન વોર્ડનને હૈયે તેણીનો વહાલો પિતા ફરી આવી જવાથી તેણી રડી પડી, કે ફિરોઝ ફ્રેઝરે સધ્યારા દાખલ એક હાથ તેણીનાં ખભાં પર મૂકી દીધો. એમ દીવસો વહેતા ચાલ્યા ને ‘ડરબી કાસલ’ અસલ માફક ફરી સુખ અને શાંતિ વચ્ચે ખડો થયો. શિરીન વોર્ડનનાં નવી શેઠાણી તરીકે આવ્યા પછી તે ભવ્ય મકાનનું વાતાવરણ જ પાછું…