એસઆઈઆઈ દ્વારા ઉત્પાદિત કોવિડ -19 રસીને હજી છ મહિના બાકી છે

ગયા અઠવાડિયાની શરૂઆતમાં, વિશ્ર્વની સૌથી મોટી રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આદર પૂનાવાલાએ કહ્યું હતું કે, ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીજીસીઆઈ) દ્વારા એસઆઈઆઈની રસી માટે મંજૂરીના છ મહિના બાકી છે, કારણ કે સંગઠન તેની સલામતી અને અસરકારકતાની સુનિશ્ર્ચિત પ્રક્રિયાઓને પગલે ધ્યાન કેન્દ્રિત કરે છે.
એકવાર અમને ભારત અને વિશ્ર્વ માટે સલામત અને સારી રસીનો વિશ્ર્વાસ થઈ જશે, જ્યારે ડ્રગ કંટ્રોલર (ડીસીજીઆઈ) દ્વારા અમને લાઇસન્સ મળશે ત્યારે અમે ચોક્કસપણે તેની જાહેરાત કરીશું. ‘પરંતુ, તે હજીથી ઓછામાં ઓછા છ મહિના દૂર છે.’ પૂનાવાલાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. સાથે તેમણે ઉમેર્યું હતું કે રસી માટેની અજમાયશ ફક્ત વર્ષના અંત સુધીમાં પૂરી થશે.
ઓકસફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત રસી બનાવવા અને સપ્લાય કરવા એસઆઈઆઈ બ્રિટીશ-સ્વીડિશ ડ્રગ નિર્માતા એસ્ટ્રાઝેનાકા સાથે ભાગીદારીમાં છે. આ કરાર હેઠળ, એસઆઈઆઈ 2020ના અંત પહેલા 400 મિલિયન પૂરા પાડવાની પ્રતિબદ્ધતા સાથે ભારત અને અન્ય ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રસીના 1 અબજ ડોઝ સપ્લાય કરશે.
ઓકસફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી રહેલ રસી હાલમાં ક્લિનિકલ ટ્રાયલના સૌથી અદ્યતન તબક્કામાં છે, જેમાં લગભગ 10,000 સહભાગીઓ સાથેના તબક્કા 2 અને તબક્કા 3 ના અભ્યાસ ચાલુ છે. આ રસી લોકાર્પણ માટે પ્રથમ હશે તેવી અપેક્ષા છે. અત્યાર સુધી, રસીએ ચાલુ કસોટીઓમાં સકારાત્મક પરિણામો દર્શાવ્યા છે. એક આશા બાંધી શકીએ કે તે કોવિડ-19 માટે અસરકારક રસી બનશે. ભારતમાં પણ પરીક્ષણો લેવામાં આવશે.
તાજેતરમાં જ, એક રસી ઉમેદવાર વિશે સમાચાર આવ્યા હતા, જેને ઝડપી પાડવામાં આવ્યો છે. અમે કંઈપણ દોડાદોડ કરવા માંગતા નથી. ‘અમે સલામતી અને અસરકારકતા સુનિશ્ર્ચિત કરવા માંગીએ છીએ,’ પૂનાવાલાએ માયલેબ ડિસ્કવરી સોલ્યુશનની ‘કોમ્પેક્ટ એક્સએલ’ પરીક્ષણ પ્રણાલીના અનાવરણ સમયે કહ્યું. તેમણે એપ્રિલ, 2020માં ઇમ્પેક્ટ ઈન્વેસ્ટર ગ્રુપ એ.પી. ગ્લોબલેના અધ્યક્ષ, અભિજિત પવાર સાથે માયલેબમાં રોકાણ કર્યું હતું.

Similar Posts

  • Your Moonsign Janam Rashi This Week –
    20 January, 2018 – 26 January, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારી બુધ્ધિ ચાલશે નહીં. તમે તમારા વિચારમાં ખોવાયેલા રહેશો. કામ પૂરા કરવા માટે મહેનત કરવી પડશે. ખાવાપીવા પર ધ્યાન નહીં આપો તો તબિયત બગડી જશે. રોકાણ કરશો નહીં. તમારા માથાનો બોજો વધી જશે. રાહુ…

  • The Zen Series: Inner Harmony

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] A Zen-like state of mind is where you connect to your higher self or go within and see things in their actuality. Parsi Times presents our reads ‘The Zen Series’ by PT Columnist, Kashmira Shaw Raj – a professional Taichi and Qigong practitioner and teacher, as also a sought-after clinical psychologist and…

  • શિરીન

    મંદિરની સંભાળ લેવા એક પૂજારી આગળ આવી પોતાનું દુ:ખ રડી જતાં ને વળતામાં તે સંત ઘરડો પુ‚ષ તેઓને સારી શિખામણો આપી કાંઈક અંશે તેવાનાં દુ:ખ કમી કરી વિદાય કરતો. અને ત્યારે આજે એજ મંદિરમાં શિરીન વોર્ડન એક તૂટેલા જિગર સાથ દુ:ખી જીવે ત્યાં દાખલ થઈને ગુ‚જીના પગ આગળ ફસડાઈ પડી ને અફસોસ કે એક વખતના…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    21 May – 27 May 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જુન સુધી ચંદ્રની દિનદશા ચાલશે તમે સોશીયલ વર્ક ખુબ સારી રીતે કરી શકશો. પ્લાન બનાવી તમારા કામ પુરા કરી શકશો. રોજ બરોજના કામ વધુ ધ્યાન આપી કરતા ઉપરીવર્ગનું દીલ જીતી લેશો. નાણાકીય ફાયદો થશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો….

  • Brand Godrej Locks History in Amar Chitra Katha For Youth Outreach

    The eminent Godrej family has chosen to build and increase brand recall with the youth segment by sharing their history through Amar Chitra Katha (ACK) – the publishing king of comics and graphic novels, which has inspired millions of children to get familiar with Indian history and mythology through crispy, well-illustrated comics. 73-year-old Jamshyd N…

  • ‘Time’ Is More Important Than ‘Timing’ In The Market

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Marzee Kerawala is a Certified Financial Planner with expertise in Income Tax and Investment products. Managing assets worth over Rs. 4 Billion, his firm ‘NiveshIndia’, designs Tailored Investment Strategy through Customised Financial Planning for individuals and NRIs, and also handles Treasury Management for corporates and SMEs. You can contact him at +91 9987567667 or Email: marzeek@niveshindia.co.in…