દશેરામાં શમી પૂજનનું મહત્વ

દશેરો કે વિજયાદશમી નવરાત્રીના દસમા દિવસે ઉજવાય છે.
આ દિવસે રામે રાવણનો વધ કર્યો હતો. રાવણ ભગવાન રામની પત્ની દેવી સીતાના અપહરણ કરી લંકા લઈ ગયા હતા. ભગવાન રામ યુદ્ધની દેવીમાં દુર્ગાના ભક્ત હતા એણે યુદ્ધના સમયે નવ દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કરી અને દસમા દિવસે દુષ્ટ રાવણનો વધ કર્યો હતો. આથી વિજયાદશમી એક ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે. રામની વિજયના પ્રતીક સ્વરૂપ આ પર્વને વિજયાદશમી કહેવાય છે.
રધુ રાજા અયોધ્યાના રાજા હતા અને તેમના પૌત્ર દશરથ જે રામના પિતા હતા તેમના વંશને રઘુવંશી કહેવામાં આવે છે. રઘુ રાજા ને પણ સીમાઉલ્લંગન કરવાનો પ્રસંગ આવ્યો હતો. રધુ રાજાની પાસે વરતંતનો શિષ્ય કૌત્સ આશ્રમને માટે ગુરૂદક્ષિણાના રૂપમાં સુવર્ણની ચૌદ કરોડ મુદ્રાઓ લેવા આવ્યો હતો. બધી દક્ષિણા દાન આપી રધુ રાજા ખાલી થઈ ગયો હતો. રધુ રાજાને લાગ્યું કે એક વેદવિધિવત સ્નાતક ગુરૂદક્ષિણા માટે આવીને ખાલી હાથે મારા આંગણેથી પાછો જાય તો મારી સાત પેઢી લજ્જિત થઈ જાય. આવો અપયશ હું નહી લઉ.
રધુએ કુબેર, જે હંમેશા ધનસંગ્રહ કરીને બેસ્યા છે. તેમને સીમાઉલ્લંગનનું અલ્ટિમેટમ આપ્યુ. ઘબરાઈને કુબેરે શમી વૃક્ષ પર સુવર્ણ મુદ્રાઓની વર્ષા કરી. શમી વૃક્ષે વૈભવ આપ્યો. તેથી તેનું પૂજન થવા માંડ્યુ. પાંડવોએ પોતાના દિવ્ય અસ્ત્રો પણ શમીના વૃક્ષ પર જ સંતાડી રાખ્યા હતા. તેને કારણે પણ શમીનું મહત્વ વધ્યુ છે.
રધુ રાજાએ શમી વૃક્ષ પર વર્ષાના રૂપમાં પડેલી સુવર્ણ મુદ્રાઓ કૌત્સને આપી. કૌત્સે કહ્યુ કે હું ચૌદ કરોડથી વધારે નહી લઉ. ત્યારે રધુ રાજાએ કહ્યુ કે -બાકીની મારા ભંડારમાં નહી રાખુ. વૈભવ નહી લેવાનો આગ્રહ કદાચ ફક્ત ભારતમાં જ જોવા મળશે. બાકીની સુવર્ણ મુદ્રાઓ લોકો દ્રારા લૂંટાવી દેવામાં આવી. સુવર્ણ મુદ્રાઓના પ્રતીકના રૂપમાં આજે પણ શમીની પૂજા કરવામાં આવે છે. શમીના પત્તા એકબીજાને આપવામાં આવે છે. આ પત્તા આપવા પાછળ એવી ભાવના છે કે જે વૈભવ મને મળ્યો છે તે હું એકલો નહી ભોગવુ. અમે બધા હળી-મળીને ભોગવીશુ. અમે વહેંચીને ખાઈશુ.
દશેરાનો દિવસ એટલે સમાજમાં વ્યાપેલી ગરીબી, લાચારી અને ભોગની વૃત્તિનો નાશ કરવા માટે કટિબંધ થવાનો દિવસ. ધન વૈભવને વહેંચવાનો દિવસ. દશેરા એટલે વીરતાનો વૈભવ, શોર્યના શ્રૃગાર અને પરાક્રમની પૂજા. દશેરા એટલે ભક્તિ અને શક્તિનું પવિત્ર મિલન.

Similar Posts

  • Truth Is The Supremest Virtue

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book, ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] . Great is the glory of truth. It shines like the star Tishtrya. Truth is the queen of virtues. Truth is the good Mazda-worshipping religion. Truth is truth…

  • PCHFL Upgraded To AA+ (Stable)

    Piramal Capital and Housing Finance Limited (PCHFL) recently received an upgraded rating of AA+ (Stable) by ICRA (an affiliate of Moodys) on 4th September, 2018. A subsidiary of Piramal Enterprises Limited, PCHFL received the upgradation from AA (Positive) for its Long-Term Bank Lines, Non-Convertible Debentures Sub-Ordinate (Tier-II) Bonds, financial services with increasing diversification of its…

  • શાંતાકલોઝ આવશે

    સાંતા આવે કે ના આવે અમારી કામવાળી શાંતા રોજ આવવી જોઈએ. લી. દરેક ભારતીય નારી *** કાકાને કોઈએ કહ્યું કે ડિસેમ્બર છે એટલે શાંતાકલોઝ આવશે…!! પણ શાંતા કલોઝ આવી જ નહીં કાકાની મનની મનમાં જ રહી ગઈ!! *** ઓફ લાઈન રહુ છું તો ખાલી દાળ, રોટલી, નોકરી અને પરિવારની જ ચિંતા રહે છે. પણ જેવો…

  • NCPA Presents ‘JAZZ GOES RETRO’

    NCPA presents ‘JAZZ GOES RETRO’ – the greatest hit songs ever – all Jazzified! These include timeless songs of Michael Jackson, Madonna, Elton John, Sting, Rolling Stones, Led Zeppelin, Doors, Eric Clapton and many more, performed by a jazz band stellar musicians including Rajeev Raja (Flute); Rahul Wadhwani (Piano); Manfred Weinburger (Trumpet); Sanjay Divecha (Guitar);…