પારસી પ્રજાનો ઉદય, પુરાતન પારસીઓએ મચાવેલા જગપ્રસિધ્ધ જંગો

દારયવુશ નામો દલેર પારસી શાહેનશાહ પારસી કીર્તિની કલ્ગીરમાં થોડા વધુ પીછાંઓ ઉમેરી તેને વધુ દીપાયમાન કરવા ઈરાનનાં તખ્ત ઉપર આવી બેઠો. તેની હેરતભરેલી ફત્તેહો અને તેની બાહોશી આજે પણ આપણી લાગણીને ઉશ્કેરી મેલી આપણને હૈરત કરે છે. તેનું હાતમ દિલ અને સખી દિલગુરદો આજે પણ આપણને એક અવાજે શાબાશીના ઉદગારો બહાર કાઢવાને ઉશ્કેરે છે. તેની મોટાઈ અને મરતબો ગમે એવા મહાન નરોને પણ અદેખાઈ ઉપજાવવાને પૂરતા છે. નેકી પાકીજગી અને પરહેજગારી ગમે એવા સાધુને પણ શરમિંદગીમાં ગરકાવ કરે છે. તે ઈ.સ. પલ. ૫૨૧માં ઈરાની શાહનશાહતનાં તખ્ત ઉપર આવી બેઠો કે ઈરાની શાહનશાહતના લગભગ સઘળા પ્રાંતોમાં બળવાની આગ જોસભર ફેલાઈ ગઈ.

તેને બદલે કોઈ બીજો નબળો નર હતે તો શાહાનશાહતનો સહેજમાં ભાંગીને ભૂકો થતે, પણ ગમે તેવી ધરતી ધ્રુજાવનારી ધમાધમી દારયવુશને ધ્રુજાવી શકી નહીં, તેના ગમે તેવા શૂરવીર શત્રુઓ દાનવ દારયવુશની હિંમતને હરાવી શકયા નહિ,  બાબિરઉશ (બેબિલન)ના બળવાને બેસાડી દેતા કે સુશિયાનાને એક સપાટે સર કરતાં તેને મુશ્કેલી નડી નહીં; મીડિયનોની મર્દાઈને મંદ કરતા કે અથુરાની આગને બુજાવી દેતાં તેને વખત લાગ્યો નહિ; અરમના હરામખોરોને હરાવતાં તેણે ઝાઝો વખત ખોયો નહીં; પાર્થ્યાના પ્રાંતને પૂગી વળતાં કે સીગર્શ્યાની સરકશીનો સ્વાદ ચખાડતાં તેની હામને હાણી પૂગી નહિ; માજર્યાની મગ‚રીને મોતમંદ માર મારતા કે સકયાની શમોરોને શરણે આણતાં તે હિંમત હાર્યો નહીં. ૧૯ જબરાં જંગોમાં તે મહાવીરે દશ જુદા જુદા જબરદસ્ત યોદ્ધાઓને જમીનદોસ્ત કીધા. જ્યારે શાહાનશાહત માહેલા ભાગોમાં સળગેલી આગોને તેણે બુજાવી દીધી ત્યારે પારસી પરાક્રમ એકવાર ફરી ઈરાનની આસપાસની ધરતી ધ્રુજાવી નાખી હતી. મિસરનો શૂરવીર શત્રપ યાદગાર આર્યાન્દીસ આફ્રિકા ખંડમાં પારસી શહાનશાહતનો ફત્તેહમંદ ફેલાવો કરવા ફત્તેહમંદ નિવડયો. બાર્કા, સાઈરિનાઈકા અને લીબ્યાના આફ્રિકન રાજયોપર તેણે ઈરાની ઝંડો ઉડતો કીધો.

Similar Posts

  • તુ કોના જેવો  ભાઈ  ઇચ્છે છે?

    એક સગર્ભા માતાએ તેની પુત્રીને પૂછ્યું, ‘તુ શું ઈચ્છે છે? ભાઈ કે બહેન? દીકરી: ભાઈ માતા: તુ કોના જેવો  ભાઈ  ઇચ્છે છે? દીકરી: રાવણની જેવો. માતા: તું શું કહે છે? શું તારૂં દીમાગ ખરાબ થઇ ગયું છે? દીકરી: કેમ શા માટે મમ્મી ? તેમણે તેમની તમામ રજવાડા, મીલકત અને સ્થાવર તેમજ જંગમ સંપત્તિ અને રાજ્યો…

  • લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

    (ગયા અંકથી ચાલુ) 1874માં મુંબઈમાં થયેલું રમખાણ: મરહુમ શાપુર દેસાઈએ ‘પારસી પંચાયતના ઈતિહાસમાં’ સ્પષ્ટપણે 1874ના રમખાણો અને મૂળ તેની પડતીનું વર્ણન કર્યુ હતું. રૂસ્તમજી હોરમસજી જાલભોય યુવાન ફ્રીલાન્સર હતા અને અંગ્રેજી સાહિત્યના સારા જાણકાર હતા. તેમણે ગુજરાતી ભાષામાં ‘રીનાઉન્ડ પ્રોફેટ’ કરીને એક પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. જેમાં પ્રોફેટ મહોમ્મદ માટે કંઈક નકામો સંદર્ભ લખાયો હતો….

  • પિતૃત્વ માનવ સંસ્કૃતિનો પાયો

    ઘરમાં પિતાની ગેરહાજરીથી પડતી નકારાત્મક અસરો વિષે ઘણું લખાય છે પણ પિતાની હાજરીના મહત્વ વિષે ખાસ લખાતું નથી. એક વૃક્ષ એના બીજને પવન દ્વારા માઇલો દૂર મોકલી આપે છે. એ ફળીભૂત થશે કે નહિ તેની એને ખબર નથી. એક માછલી અગણિત ઈંડા ઉપર પોતાના સ્પર્મ વહાવીને પાણીમાં તરતા આગળ વધી જાય છે. આ ઈંડા ફળીભૂત…

  • જરથોસ્તીઓના રીતે જીવન જીવવાની રીત

    વૈજ્ઞાનિકો આજે આપણને સલાહ આપે છે કે વરસાદના જંગલોનું રક્ષણ કરવું, પાણીને દૂષિત ન કરવું વગેરે પરંતુ જરથુસ્ત્રે હજારો વર્ષો પહેલા આપણને આ બધું શીખવ્યું હતું. હુમ્તા, હુખ્તા, હુવરશ્તા (સારા વિચારો, સારા શબ્દો અને સારા કાર્યો) આ ત્રણ શબ્દો હોવાછતાં જરથુસ્ત્ર ફકત એકજ શબ્દમાં આખો સારાંશ કહી જાય છે. ‘આશા’ જેના માટે વપરાય છે તે…

  • અનિદ્રામાં પાણી

    સાદું પાણી નિદ્રાહર છે. સાદું પાણી જેટલું વધારે પીશો, તેટલી ઉંઘ ઓછી આવશે. જેઓને અનિદ્રાની તકલીફ હોય છે તેઓ ખૂબ પાણી પીતાં જોવા મળશે. અનિદ્રામાં પાણી શકય તેટલું ઓછું અને નિદ્રાટાણે તો ન જ પીવું જોઈએ. જેઓને વારે વારે ઉંઘ આવ્યા કરતી હોય અને તેથી કામ અટવાઈ જતાં હોય અને ઈચ્છાનુસાર જાગી ન શકાતું હોય…