ઉધાર

એક શેઠજી ખૂબ દયાળુ હતા. ધર્મમાં માનવાવાળા. ઉધાર માંગવા આવેલા કોઈ પણ વ્યક્તિને તેઓએ ના પાડી ન હતી. શેઠજી મુનીમને બોલાવતા અને ઉધાર માંગતી વ્યક્તિને પૂછતી કે ભાઈ! તમે ઉધાર ક્યારે પાછુ આપશો? આ જન્મમાં કે આવતા જન્મમાં જેઓ પ્રામાણિક હતા તેઓ કહેતા – શેઠજી! અમે આ જન્મમાં તમારું ઉધાર ચુકવીશું. અને કેટલાક લોકો જે વધુ અસ્પષ્ટ અને અપ્રમાણિક હતા, તેઓ કહેતા કે – શેઠજી! અમે આવતા જન્મ મા તમારું ઉધાર ચુકવીશું. અને તેમની ચાતુર્યથી, તેઓ મનમા ને મનમાં ખુશી થતા અને કહેતા કે આ શેઠ કેવા મૂર્ખ છે! તે આવતા જન્મમા ઉધાર ચુકવવાની અપેક્ષા રાખે છે. આવા લોકો મુનીમને અગાઉથી કહી દેતા કે તેઓ આગલા જન્મમાં તેનું દેવું પાછું આપશે મુનીમ ક્યારેય કોઈને પૂછતા ન હતા અને જે કહે તે ચોપડામાં લખી લેતા.
એક દિવસ એક ચોર પણ શેઠ જી પાસે ઉધાર માંગવા આવ્યો. તે જાણતો હતો કે શેઠ આગલા જન્મ માટે ઉધાર આપે છે. જો કે, તેનો ઉદ્દેશ ઉધાર લેવા કરતાં શેઠની તિજોરી જોવાનો હતો. ચોરે શેઠને કેટલાક પૈસા ઉધાર લેવા કહ્યું, શેઠે મુનીમ ને બોલાવ્યા અને તેને ઉધાર દેવા કહ્યું. મુનીમે ચોરને પૂછ્યું – ભાઈ! તું આ જન્મમાં કે પછીનાં જન્મમાં પાછા આપીશ? ચોરે કહ્યું હું આ રકમ પછીના જન્મમાં પરત આપીશ. મુનીમે તિજોરી ખોલીને તેને લોન આપી. ચોરે પણ તિજોરી જોઇ લીધી અને નિર્ણય કર્યો હતો કે તે આજ રાત્રે આ મૂર્ખ શેઠની તિજોરી ઉડાવી દેશે. તે રાત્રે શેઠના ઘરે પહોંચ્યો અને ભેંસના તબેલામાં છુપાઇને શેઠના સુવાની રાહ જોય રહ્યો હતો અચાનક ચોરે સાંભળ્યું કે ભેંસ એકબીજાની વચ્ચે વાત કરે છે અને તે ચોર ભેંસની ભાષાને બરાબર સમજી શકે છે. એક ભેંસે બીજી ને પૂછ્યું તું આજે આવી ગય છો બહેન! ભેંસએ જવાબ આપ્યો – હા, હું આજે શેઠના ઘરે આવી છું, શેઠજીને પાછલા જન્મનું ઉધાર ચૂકવવાનું છે અને તુ અહીં કેટલા સમય થયા છો? પહેલાંની ભેંસ બોલી – હું ત્રણ વર્ષ થયા અંહી છું, બહેન! મેં આગલા જન્મમા પાછા આવવાનું કહીને શેઠજી પાસેથી લોન લીધી. જ્યારે હું શેઠ પાસેથી ઉધાર લીધા પછી મરી ગયો હું ભેંસ બનીને શેઠના તબેલામાં આવી હવે હું દૂધ આપીને તેનું દેવું ચુકવી રહી છું. લોનની રકમ પૂર્ણ થાય ત્યાં સુધી હું અહીં રહીશ.
જ્યારે તે ચોરે ભેંસની વાત સાંભળી ત્યારે તેના હોશ ઉડી ગયા અને ત્યાં બંધાયેલી ભેંસ તરફ નજર કરી. તેણે સમજી લીધું કે ઉધાર ચુકવવુ તો પડશે, પછી ભલે તે આ જન્મમાં હોય કે પછીના જન્મમાં તે શેઠના ઘરે જય ને તેણે લીધેલી લોન પરત કરી અને તેનું નામ રજિસ્ટરમાંથી કઢાવી નાખ્યું.
આપણે બધા આ દુનિયામાં આવીએ છીએ કારણ કે આપણે કોઈની પાસેથી લેવાનું છે તો કોઈને આપણે દેવાનુ છે આ રીતે, આપણે દરેકને લેણ દેણમુજબ ચુકવણી કરવી પડશે. આ ઉધાર ચૂકવવા માટે, કોઈ આ દુનિયામાં પુત્ર તરીકે આવે છે, કોઈ પુત્રી તરીકે આવે છે, કોઈ પિતા તરીકે આવે છે, કોઈ માતા તરીકે આવે છે, કોઈ પતિ તરીકે આવે છે, કોઈ પત્ની તરીકે આવે છે, કોઈ પ્રેમી તરીકે આવે છે કોઈ ગર્લફ્રેન્ડ તરીકે આવે છે, કોઈ મિત્ર તરીકે આવે છે, કોઈ શત્રુ તરીકે આવે છે, કોઈ પાડોશીની જેમ આવે છે અને કોઈ સબંધી તરીકે આવે છે. તો દુખ હોય કે સુખ, દરેકને હિસાબ તો આપવો જ પડશે. આપણને કોઇ દુખ આપે તો સમજવાનુ કે ગયા જન્મનું લેણુ આપે છે અને આપણી કોઇ સેવા કરે તો સમજવાનુ કે ગયા જન્મનુ દેણુ આપે છે માટે આ જન્મમા કોઇ ને દુખ આપવુ નહી અને કોઇ પાસે ઉધાર લેવુ નહી નહીતર આવતા જન્મમાં તે ચુકવવુ તો પડશે.

Similar Posts

  • કલકત્તાની આતશ આદરિયાનની 105મી સાલગ્રેહની ઉજવણી

    મરહુમ એરવદ ડીબી મહેતાની ઝોરાસ્ટ્રિયન અંજુમન આતશ આદરિયાનની 105મી સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. જશનની પવિત્ર ક્રિયા સવારે સ્ટે.ટા. 10.00 કલાકે એરવદ જિમી તારાપોરવાલા, એરવદ વિરાફ દસ્તુર, એરવદ દારાયસ કરંજીયા, એરવદ બહેરામશા કરંજીયા દ્વારા કરવામાં આવી હતી. કોલકત્તાના પારસી સમુદાયના લોકો આતશ પાદશાહના આશિર્વાદ લેવા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આદરિયાનના ટ્રસ્ટીઓ નોશીર ટંકારીવાલા, યઝદેઝર્દ દસ્તુર…

  • From the Editors Desk

    The Unparalleled Power Of Unity Dear Readers, The power of unity is often undermined. There’s much power in unity – we can only accomplish so much by ourselves. But united, we can move mountains and create movements that deliver tangible changes and give us hope for the future – the one thing we’ve all been clutching…

  • આઈયુયુ 2017ની વિશેષતાઓ

    ભારત અને વિશ્ર્વભરમાં પારસી / ઈરાની જરથોસ્તીઓ ઉદવાડામાં મેગા-સાંસ્કૃતિક ઉજવણીમાં હાજરી આપવા તૈયાર છે, ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ (આઇયુયુ),ના એક્સક્લૂસિવ મીડિયા પાર્ટનર, પારસી ટાઈમ્સ, આઇયુયુ-2017નો કાર્યક્રમ જે ડિસેમ્બર 23મીથી 25મી ડિસેમ્બર સુધી રજૂ થવાનો છે જેની વિશેષતા તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. ‘ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ-2017’ માત્ર મેગા ઇવેન્ટ બનવાનો નથી, પણ વિશ્ર્વભરના 2000થી વધુ સમુદાયના સભ્યો…

  • SPP Organises Navjotes Of Seven Zarthosti Children

    Six girl students from the Surat Parsi Punchayat (SPP) run ‘Nariman Girls Orphanage’, namely Jennifer Dehnugara, Monaz Pithawalla, Pinaz Pithawalla, Farzana Avari, Shernaz Gole and Armin Gole) and Dinyar Gole from ‘Parsi Boys Orphanage’, were ordained into the Zoroastrian faith through the Navjote ceremonies organised by the SPP, at the Nariman Girls Orphanage, on 14th…

  • Curtains Fall On HPY 2017

    The 31st Valedictory function of the Holiday Programme for Youth (HPY) took place on 4th June, 2017 at the JB Vachha High School, where over a hundred and seventy just-out-of-school teenagers spent a month participating in entertaining and informative activities. Commencing on a pious note, Er. Firdosh Pavri invoked the blessings of the Almighty, followed…