ગણપતિ બાપ્પા મોર્યા!!!

ભારતમાં ગણેશ ચતુર્થિ પ્રસિધ્ધ તહેવાર છે. દરેક નવા કામ શ‚ કરતા પહેલા સૌ પ્રથમ નામ ગણપતિનું લેવામાં આવે છે. હિંદુધર્મના લોકો ગણેશ ચતુર્થિનો તહેવાર ઘણોજ ધૂમધામથી મનાવવામાં આવે  છે. આ તહેવારની શ‚આત લોકો એકસાથે આવે તે કારણે લોકમાન્ય ટિળકે કરી હતી.

આપણે ગણપતિ બાપ્પાને તો બરાબર ઓળખીયે છીએ પણ શું તમને ખબર છે કે ગણેશ ચતુર્થિ દિવસે ચંદ્રમાને જોવો ઘણોજ અશુભ માનવામાં આવે છે. જો તમે ભૂલથી પણ ચંદ્રમાંને જોઈલો તો તમા‚ં આખું વરસ મુસીબતોથી ઘેરાઈ જાય છે.

આના સંદર્ભમાં વાર્તા છે કે ચંદ્રમાને પોતાના ‚પનું ઘણું જ અભિમાન હતું. ગણેશ ચતુર્થિ ના દિને ગોળ મટોળ ગણપતિબાપ્પાને જોઈને ચંદ્રમાને ઘણું જ હસવું આવી ગયું. ગણપતિ નારાજ થયા અને ચંદ્રમાને શ્રાપ આપી દીધો કે તને રાતે જે જોશે તેને કલંક લાગશે. બીચારા ચંદ્રમાં તો છુપાઈને  એક ખૂણામાં બેસી ગયા. ચંદ્રમાંની આવી હાલત જોઈ બધા દેવોએ ચંદ્રમાને સલાહ આપી કે મોદક અને બીજા પકવાનોથી ગણપતિની પૂજા કરશો તો ગણપતિ પ્રસન્ન થશે અને તમને શ્રાપ માંથી મુક્તિ મળશે.

ચંદ્રમાએ ગણપતિની પૂજા કરી અને એમને પ્રસન્ન કર્યા પરંતુ ગણપતિએ કહ્યું તારા શ્રાપની સંપૂણપણે મુક્તિ નહીં થશે એટલે ગણેશ ચતુર્થિ ને દિવસે જે તને જોશે ફકત તેજ દિવસે તેને કલંક લાગશે અને દુનિયાને યાદ રહેશે કે કોઈના ‚પ રંગ જોઈ તેની મજાક કરવી નહીં.

ગણેશ ચતુર્થિ ને દિને ભકતો ગણપતિ બાપ્પાને પોતાના ઘરે લઈ આવે છે અને તેની સ્થાપના કરે છે. હિંદુ ધર્મના લોકોનું માનવું છે કે ગણપતિ બાપ્પાને ઘરે લઈ આવતા સુખ, સમૃધ્ધિ, બુધ્ધિ અને ખુશર બાપ્પા સાથે લઈને આવે છે અને જતી વખતે ઘરની બાધાઓ બાપ્પા પોતાની સાથે લઈ જાય છે.

Similar Posts

  • જમવાની બાજ તથા તેની તરીકતને લગતો ખુલાસો

    જમીનપર બેસીને જમવાના ફરમાન મુજબ જમવા અગાઉ જમવા બેસવાની જમીનને પહેલા બરાબર સાફ કરીને ઉપર સુતરાઉ સેતરંજી યા સાદરી સાથે ચાર બેવડી ઘડી કરી પાંથરી રાખવી તેમજ આશરે 1 ઈંચ ઉંચા ત્રણ નાના નવા ધોયેલા સાફ પથ્થરો (આશરે ત્રણ ઈંચ સમચોરસ) તેપર ભોનાનો ખુમચો મુકવો ત્યાં મૂકી રાખવા પછી પાદીયાવ કરી યાને હાથ મોઢું ચોખા…

  • સખાવત વીશે ટૂંક ખુલાસો

    કુદરતના રાદી કામોમાં સખાવત એક ઘણું જરૂરનું તેમજ ઘણું પુનનું કામ છે. સખાવત એટલે પૈસાવાલા માણસોએ પૈસાની મદદથી ગરીબ માણસો જેઓ કુદરતી કાયદે પોતાના ગયા ભવોનાં ખોટાં કર્મોને આધારે પૈસા તેમજ મોટી મુશ્કેલી તથા આફતોમાં આવ્યાં હોય, તેઓને લાયક વખતે ઘટતી મદદ કરી તેમાંથી બચાવવા તેને સખાવત કહે છે. સખાવત એટલે પારકાનું પોતાથી બને તેટલું…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    31st October – 06th November, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હવે તો તમને ધર્મના દાતા ગુરૂની દિનદશા 25મી ડિસેમ્બર સુધી ચાલશે. ગુરૂ તમારા રાશિના માલિક મંગળનો મિત્ર હોવાથી તમારા રિસાયેલા મિત્રો ફરી તમારી સાથે ફ્રેન્ડશીપ બાધવા તૈયાર થશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. જ્યાં કામ કરતા હશો ત્યાં પ્રમોશન મળવાના ચાન્સ…

  • શિરીન

    ‘તદ્દન જુઠી વાત છે પપ્પા મેં કયારે એમ કીધું વીકી?’ ‘ગઈ કાલેજ મેં તું ને પકડી પાડી હતી.’ ‘હું તો બપઈજીનાં રૂમમાં હતી, પપ્પા.’ તેણીએ ઓશકથી પોતાનો ચહેરો નીચે નમાવી દઈ બોલી દીધું કે વીકીનું લોહી તેના મમાવાનીજ કાની ઉકરી આયું. ‘બપઈજીનાં તો કાને ને આંખે હવે આવતું નથી પણ પપ્પા તમારી ખાત્રી કરવા મેં…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    4th April – 10th April, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે. તેથી જેને પ્રોમીશ આપ્યા હશે તે પૂરા કરજો અને જેના પ્રોમીશ પૂરા નહીં કરી શકો તેની પાસેથી મુદત માગંજો. નાણાકીય બાબતમાં જેટલું બચાવશો તેનાથી ડબલ ખર્ચ કરવો પડશે. પરંતુ નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. કામકાજને વધારી…

  • હસો મારી સાથે

    જુની કહેવત: મા તે મા બીજા બધા વગડા ના વા. નવી કહેવત: પત્ની એ પત્ની અને બીજી બધી સ્વાદીષ્ટ ચટણી. *** પતિ: ભગવાન બુધ્ધિ આપતા હતા ત્યારે તું કયાં ગઈ હતી? પત્ની: હું તમારી સાથે ફેરા ફરતી હતી. *** રાતના બાર વાગે રસ્તે જઈ રહેલા માણસને પોલીસે પકડીને કીધું: ચાલ પોલીસ સ્ટેશન. માણસ: પણ મેં…