કોલેજિયમે જસ્ટિસ જેબી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણુંકની ભલામણ કરી!

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના જજ – જસ્ટિસ જે બી પારડીવાલાની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણુંક કરવાની ભલામણ કરી છે. 5મી મે, 2022ના રોજ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) એનવી રામાનાના નેતૃત્વમાં કોલેજિયમની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ન્યાયમૂર્તિ પારડીવાલાએ નિર્ણાયક અને સંવેદનશીલ બાબતો પર અસંખ્ય ચુકાદાઓ આપ્યા છે અને કાયદાના વિવિધ વિષયો પર 1,000 થી વધુ અહેવાલ આપેલા ચુકાદાઓ છે. તેઓ ગુજરાત હાઈકોર્ટના સ્થાયી અને સંકલન સમિતિના સભ્યોમાંના એક છે અને ખરીદ સમિતિના અધ્યક્ષ પણ છે.
જસ્ટિસ પારડીવાલાનો જન્મ 12 ઓગસ્ટ, 1965ના રોજ થયો હતો અને તેમણે 1989માં વલસાડમાં તેમની કાયદાની પ્રેકિટસ શરૂ કરી હતી. બાદમાં તેઓ સપ્ટેમ્બર, 1990માં ગુજરાત હાઈકોર્ટમાં શિફ્ટ થયા હતા. તેઓ 2002થી ગુજરાત હાઈકોર્ટ અને તેની ગૌણ અદાલતો માટે સ્ટેન્ડિંગ કાઉન્સિલ તરીકે નિમણુંક પામ્યા હતા.
તેમણે કાયદાની તમામ શાખાઓમાં પ્રેકિટસ કરી છે. તેઓ 1994થી 2000 સુધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય રહ્યા છે. તેઓ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની શિસ્ત સમિતિના નામાંકિત સભ્ય તરીકે પણ નિયુક્ત થયા હતા. તેઓ 2002 થી ગુજરાત હાઈકોર્ટ અને તેની ગૌણ અદાલતો માટે સ્ટેન્ડિંગ કાઉન્સિલ તરીકે નિયુક્ત થયા હતા. 17 ફેબ્રુઆરી, 2011ના રોજ તેમની હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને 28 જાન્યુઆરી, 2013ના રોજ કાયમી જજ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

Similar Posts

  • કર્મના નિયમો

    કર્મ માફ નહીં કરે અચાનક હોસ્પિટલમાં એક એક્સીડેન્ટ કેસ આવ્યો. ડોક્ટરે સાહેબ તાત્કાલિક આઈસીયુમાં આવી એક્સીડેન્ટ કેસની જાતે તપાસ કરી. સ્ટાફને કિધુ આ વ્યક્તીને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડવી જોઇયે. રૂપિયાની લેવડ દેવડની વાતો તેમનાં પરિવાર સાથે કરવી નહીં. પંદર દિવસના રોકાણ પછી બિલ ડોક્ટર સાહેબના ટેબલ ઉપર આવ્યું. ડોક્ટરે બેલ મારી એકાઉન્ટ મેનેજરને…

  • Meher Bhandara Pioneers Technology That Makes Water From Air

    Mumbai’s Meher Bhandara has been at the forefront of launching a pioneering technology that makes water out of air. 67-year-old Meher is one of the founders of WaterMaker (India) Pvt Ltd, an organisation that manufactures ‘Atmospheric Water Generators’ (AWG), which employs a technology that uses optimised dehumidification techniques to extract and condense moisture in the…

  • I See: XYZ

    To celebrate XYZ’s 5th Foundation Day, a contest was conducted with XYZ members sending in pictures of various day-to-day items that contain the ‘XYZ colours’, i.e. Red, Yellow and Blue. Having received over 96 entries, XYZ supporter, Farzin Shroff, declared three winners and numerous runners-up. Speaking to Parsi Times, Founder, XYZ, Hoshaang Gotla said, “The…

  • Jal Engineer Conferred ‘Global Teacher Award’

    Jal Nader Engineer of ‘Jal Coaching Classes’, Lonavala, was recently awarded the prestigious ‘Global Teacher Award’ for 2020, at the AKS Education Awards event, which confers global recognition onto select teachers from across 110 countries worldwide, for their contributions in the field of education. 58-yearold ‘Jal sir’, as he is popularly known as in Lonavala…

  • નવસારી આતશ બહેરામની 252મી સાલગ્રેહની ઉજવણી

    2જી ઓકટોબર 2017ને દિને નવસારી આતશ બહેરામની 252મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી હતી. સવારના જશનની ક્રિયા એરવદ ફ્રેડી પાલિયા અને બીજા દસ મોબેદો દ્વારા સવારે 9.30 કલાકે કરવામાં આવી હતી અને  લગભગ સો જેટલા જરથોસ્તીઓએ આ જશનમાં ભાગ લીધો હતો. સાંજના જશનની પવિત્ર ક્રિયા એરવદ ખુરશેદ દેસાઈ અને બીજા તેર મોબેદો દ્વારા સાંજે 7.00…