હિંદમાં આગમન થયું, તેની અગાઉનાં બનાવો

કુદરતમાં જે કાંઇ સાચુ હોય તેવુ જ્ઞાન મેળવવું તે કાંઇ ગુનાહ નથી. કારણ ઇનસાનનો એજ ખવાસ છે કે આદશ પછવાડે તે ખેંચાય પછી ભેલેને તે પૂર્ણ રીતે અમલમાં નહિ મુકાય.
ધાર્મિક જ્ઞાન બે કીસમનાં હોઈ શકે છે: (1) ફકત જાણવા માટે (2)અમલમાં મુકવા માટે.
ફકત જાણવા માટેનુ જ્ઞાન દીન યાને ધર્મ ઉપર આંધળો નહિ પણ મુસ્તકીમ, કોઇથી હીલાવી શકાય નહિ તેવા જ્ઞાનમય એતેકાદ ઉભો કરવા જરૂરનું છે. જ્યારે અમલમાં મુકવાનું જ્ઞાન દીન તરફની ફરજો, ગુજરેલાં તરફની ફરજો વિગેરેનું ભાન કરાવે છે. આથી કેતાબમાં બેઉ પ્રકારના જ્ઞાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઇતિહાસનાં કોઇક બનાવો બન્યા પછી, લાંબો વખત પસાર થવા પછી, તેનું સ્વરૂપ બદલાઇ જાય છે અને તેમાં ભલતીસલતી ખોટી હકીકતો ઘુસી
જાય છે.
દાખલા તરીકે આજને અર્વાચીન અભ્યાસ એમ કહે છે કે આ દુન્યાં ઉપર સપ્પર પહેલો ઇનસાન જે પેદા થયો તે જંગલી હતો. જ્યારે ઇલ્મે-ક્ષ્નુમ પ્રમાણે તો તે અર્ધ યઝદી હતો. હા, તે વખતે જંગલી કુદરતની કાળી બાજુની પુજા કરનારા પણ હતા. પણ એમાં તો આજેબી આફ્રીકાના જંગલોમાં યાને માણસ ખાઉ ઈનસાનો વસે છે તો તેથી કોઈ એમ નહીં કહી શકે કે દુન્યાની વસ્તી માણસ ખાઉ હતી.
તેવી જ રીતે આજે એમ મનાય છે કે જેમ 1947માં આય બીચારા સિંધીઓ રેફયુજીસ તરીકે સિંધથી નાસી આવ્યા તેમજ આપણે પારસીઓ ઈરાનથી નિરાશ્રીતો થઈને નાસી આવ્યા હતા. વળી કેટલાકોએ તો પોતાના કહેવાતા અભ્યાસથી એવી પણ ગુસ્તાખી કીધી છે કે આરબોના હુમલા વખતની અંધાધુધીમાં ઓરતો અને બચ્ચાંઓને નહી લાવી શકાયા એટલે હિંદ આવ્યા તે તો ફકત મરદો જ હતા.
ખરી બાબત એ છે કે આપણે યોજના પૂર્વક કોઈક ભલી નેમથી આ ભલા દેશમાં આવ્યા છીએ.
બધી બાબતોનો અભ્યાસ કરતા એક સવાલ ઉભો થાય છે કે બુરા જમાનામાંબી બાતેનમાં આવા મોટા સાહેબો હોવા છતાં એમ કાંય નિર્માણ હતું કે ઈરાનમાં જાહેર દીન ટકી શકે નહીં, જ્યારે હિંદુસ્તાન ભૂમિ ઉપર એ શકય કાંય બન્યું?
એમાં વર્ણોના બાતેન લેણદેણની વાત છે. એક તો એ કે બરજીસીઓનો કેસાસ ઘણો જ ખરાબ હતો. ખુદ સાસાન જમાનામાં ઈરાનીઓએ મોટી ભૂલો કીધી હતી. કમનસીબે દુન્યામાં જેમ બધી જાતની નેકીઓ ઈરાનમાંથી નીકળી તેમજ બધી બદીઓનું મૂળિયુંબી ઈરાનમાંથી જ નીકળ્યું. પહેલવી ખાંઓએ બુધની જીરમને એક મોટો આરામ લેવાનો ઓટલો (શામિયાનો કહ્યો છે. જીરમોનો શામિયાનો જ્યાં આગળ બધી જીરમો પોતાના મુશ્કેલીભર્યા વખતમાં ઠરીઠામ રહી શકે. બીજું એ કે પામર ઉપર અઈર્યનએમ વએજોની નજદીકમાં નજદીકની જગા તે હિંદુસ્તાન છે. બરજીસોનો કેસાસ ખરાબ હતો અને તારદ (બુધની જીરમ) સાથનો તેનો કેસાસ બાકી હતો. આપણા વડવાઓ ઈરાનથી આવીને જાદવ રાણાના આસરા હેઠળ રહ્યા તે કાંઈ અકસ્માતીક નહીં હતું. નૈર્યાસંઘ ધવલ સાહેબ ચાલુ બાતેન કશમાના સાહેબો સાથે મશવરતમાં રહેતા હતા અને સરોશની પણ બસારતો એવણને મલ્યા કરતી હતી. ઈરાનમાં જ રમલ (પાસા) નાખીને નકકી કીધેલું હતું કે યાદવ ખાનદાનનો આ નબીરો એક જ એવો છે કે જેના રાજમાં પાવમહેલ ઉભો કરી શકાશે. (જે કાંઈ જાણવું હોય તે પાસા નાખીને યાને રમલથી જાણવાની વિદ્યા સંપૂર્ણ રીતે મોટા આત્મિક શક્તિવાલા સાહેબો જાણતા હોય છે. (ક્રમશ)
– શ્રીજી પાક ઈરાનશા પુસ્તકમાંથી

Similar Posts

  • The Cynic At War With The World

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book,  ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] The cynic harps upon the woeful in life and habitually grumbles and groans that this is the world of vanity and woe. Some unskilful god has created this…

  • Inspector Cyrus Irani Conferred ‘President’s Police Medal’

    Close on the heels of India’s Independence Day, Police Inspector Cyrus Boman Irani was awarded the President’s Police Medal for Meritorious Service on 25th July, 2019, by the Governor of Maharashtra, C. Vidyasagar Rao, in the presence of the CM Fadnavis and other dignitaries. The function was held at the Director General of Police Maharashtra HQ,…

  • Your Moonsign Janam Rashi This Week –
    27 January, 2018 – 02 February, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશાનું છેલ્લુ અઠવાડિયું બાકી છે તેથી આ અઠવાડિયામાં તબિયતની ખાસ સંભાળ રાખજો. ખાવાપીવાથી થતી માંદગીથી પરેશાન થશો. રાહુને કારણે તમે ખોટી ચિંતાઓથી પરેશાન થશો. 3જી તારીખ સુધી કોઈ સાથે ખોટી બોલાચાલીમાં પડતા નહીં. રાહુને કારણે આ અઠવાડિયામાં લેતીદેતી કરવાની ભુલ કરતા…

  • Parsee Gymkhana Celebrates Its Champs

    Former National and International Table-Tennis players joined in the dinner celebrations at the Parsee Gymkhana (Marine Lines) on 17th November, 2018, to honour the First Division Champions team comprising Hoshang Katrak, Sanish Ambekar, Zubin Taraporewalla, Mayuresh Kelkar and Rayomand Marolia. Parsee Gymkhana had, earlier this year, topped the Premier Division at the prestigious Inter-club League…

  • From the Editors Desk

    Dear Readers, If we should step back and glance, from the bird’s eye-view, at the current ongoings in the world, it would be impossible to miss the striking similarities echoed by various nations, with regard to leadership and leaders. The greater part of the past decade has been dominated with global news about growing unrest…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    24 July – 30 July, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજથી બુધની દિનદશા શરૂ થયેલી છે. 20મી સપ્ટેમ્બર સુધીમાં તમારા કામમાં જશની સાથે ધન પણ કમાવી શકશો. બુધ્ધિ વાપરી તમારા મુશ્કેલીભર્યા કામ વીજળીવગેે પૂરા કરવામાં સફળ થશો. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. કરકસર અવશ્ય કરજો. નવા કામ કરવામાં સફળ થશો. બુધની…