હિંમત ના હારશો એક દરવાજો હમેશા તમારા માટે ખુલ્લો છે

જિંદગી પોતાની શ‚આત સાથે અનિશ્ર્ચિતતા લઈને આવતી હોય છે. આપણે કયારે પણ નિશ્ર્ચિંત નથી હોતા કે આપણી સાથે કંઈ ઘટના બનવાની છે. અને સાચું કહીયે તો જીવવાની આજ મજા છે. નહીં તો જીવનનું નવુંપણ શું રહેશે. જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે લાગે છે કે કદાચ કંઈ નહીં બદલાય અને જીવનમાં તકલીફ, મુશ્કેલીની જગાઓમાં આપણા વિચારો દ્વારા આપણે આપણી મુશ્કેલીઓ વધારીયે છીએ. જીવનની મુશ્કેલીઓમાંથી આપણે રસ્તો તો શોધી કાઢીયે છીએ પણ મગજમાં જે નકારાત્મક વિચારો છે તે આપણે દૂર નથી કરી શકતા.

ઓશોએ કહ્યું છે કે ‘પ્રકૃતિમાં મુશ્કેલીઓ નથી કારણ પ્રકૃતિ એક સંગીત સમાન છે જે સતત મધુરતાથી ચાલ્યા કરે છે. તમારા અંદરની રહેલી શકિતને તમારી કાબેલિયતને નવી દિશા આપવા માટે પણ કોઈવાર મુશ્કેલીઓ આવે છે જે આપણે સમજી નથી શકતા.

જીવન એ ખુશી અને મુશ્કેલીઓથી ભરેલું એક પ્લેટફોમ છે. ખુશીઓથી આપણે સુખી થઈએ છીએ. પણ મુશ્કેલીઓ આપણને જીવનન જીવવાનું શીખવે છે. જો જીવનનમાં મુશ્કેલીઓ જ નહીં હોતે તો જીવન જીવવાની મજા આવે? જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ અને આપણે તેમાંથી રસ્તો કાઢી તેનું નિદાન કરીયે છીએ ત્યારે આપણે કેટલા ખુશ થઈયે છીએ. જે સફળતા સહેલાઈથી મળી જાય છે તે સફળતામાં એટલો આનંદ નથી મળતો જેટલો તે વસ્તુ મુશ્કેલીથી મેળવીને આપણને મળે છે.

મુશ્કેલીઓ આપણને જીવવાનું શીખવે છે. મુશ્કેલીઓમાં આપણે એવા ધોરણમાંથી પસાર થઈએ છીએ જ્યાં આપણને લાગે છે કે હું આના કરતા વધારે સા‚ં કરી શકયો હોત અને આના લીધે જ સફળતા તમારાથી દૂર રહેતી નથી. ફકત તમને એક રસ્તો જોઈતો હતો તમારી નિરાશાભરી જિંદગીમાંથી પાછો આવવાનો જે દરવાજો છે તમારી સફળતાનો

કોઈપણ પરિસ્થિતિમાં જડવત બનવા કરતા તમે જે મુશ્કેલીમાં હમણા છો એના માટે સકારાત્મક વિચાર કરો. તમે તમારી મુશ્કેલીઓને પેપર પર લખો અને પછી તે બાબતર પર વિચાર કરો અને આમ કરતા તમને તમારી મંઝિલ સુધી પહોંચવા હજારો રસ્તા મળશે જ‚ર છે સકારાત્મક રીતે વિચારવાની અને તમે જીવનની નિરાશાથી આગળ નીકળી ગયા હશો.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Year –
    13 August 2022 – 12 August 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આ વરસ તમારી માટે મધ્યમ જશે. વરસની અંતમાં જ્યાંના ત્યાં હશો. જે પણ કામ કરતા હશો તેમાં મહેનત ખૂબ કરવી પડશે. જાન્યુઆરી 2023 બાદ મિત્રોનો સાથ સહકાર મળી રહેશે. લગ્ન કરવા માગતા હશો તો આવતા જુલાઈ 2023 બાદ જીવન સાથી મળી રહેશે….

  • કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

    આગળ જતા તે જખમી આદમીનો પલંગ જેવો તેની નજરે પડયો તેવોજ તે પલંગ આગળ જઈ પોતાની બરછી ખેંચી કાઢી તે વટે તે દુષ્ટ આદમીના દિલમાં જે કાંઈ થોડો ઘણો જીવ હતો તે તેણે વગર અટકાવે કાઢી નાખ્યો. ત્યારબાદ તેનું મડદું તે કિલ્લાના ચોક આગળ ખેંચી લાવી એક વાવમાં નાખ્યું. એટલું કામ કરી રહ્યા પછી પેલા…

  • હસો મારી સાથે

    નીંદ નહીં આતી રાત કો, ચેન નહીં આતા દિન મેં મૈનેં પૂછા રબ સે, કયા યહી પ્યાર હે ….! રબને કહા: ડોફા પંખો ફૂલ કરીને સૂઈ જા ગરમીમાં બધાને આવું જ થાય! *** ખોટો ભાર લઈને ફરવું નહીં, જતુ કરવામાં જ મજા છે, માટે જ કહું છું, ભાવનગર વાળા શેઠ બ્રધર્સનું કાયમચુર્ણ રોજ રાત્રે બે…

  • શિરીન

    પછી અંતે એક નિવેડો પર તે કમનસીબ બાળા આવી ગઈ. મોલી કામાનાં ભર ઉંઘમાં પડયા પછી તેણી તે જવાનનાં રૂમમાં જઈ તે રકમ ઉછીની માગી શકે અને ત્યારે આખી જિંદગીજ તે જવાનની વાઈફની કમ્પેનિયન તથા તેનાં છોકરાંઓની ગવરનેસ બની તેણી તે પૈસા પાછા ભરી આપશે, કે એ ખ્યાલેજ તેણીનાં ચેરીઝ જેવા હોટ વડે એક નીસાસો…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    08 June, 2019 – 14 June, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમારા કામમાં સંતોષ મળશે. મનગમતી વ્યક્તિને મળી શકશો. મુસાફરીનો ચાન્સ છે. મનને શાંત રાખી કામ પૂરા કરવામાં સફળ થશો. ધણી-ધણીયાણીમાં પ્રેમ વધી જશે. નવા મિત્રની મુલાકાતથી ભવિષ્યમાં ફાયદો થશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો. શુકનવંતી…

  • બાઈ મોટલીબાઈ માણેકજી વાડિયા

    ૨૪મી મે ૧૮૯૭માં જ્યારે મોટલીબાઈ માણેકજી વાડિયા મરણ પામ્યા ત્યારે જરથોસ્તી સમુદાયના ઈતિહાસમાં પહેલીવાર પંચાયતે હેવાલ માટે બેઠક બોલાવી હતી. ૧૮૧૧ની ૩૦મી ઓકટોબરે મોટલીબાઈનો જન્મ થયો હતો. ઓગણીસ બાળકોમાં ફકત તેઓજ જીવંત રહ્યા હતા. એમણે યુવાન વયે તેમના પિતરાઈ માણેકજી સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ઉંમરના ૨૬માં વર્ષે જ તે વિધવા બન્યાં હતાં. તેમના બે…