દાદીશેઠ અગિયારી ભકતો માટે ફરી ખોલવામાં આવી

9મી જૂન, 2023 ના રોજ, સમુદાયના સીમાચિહ્ન અને સૌથી પ્રિય પૂજા સ્થાનોમાંથી એક દાદીશેઠ અગિયારી ભક્તો માટે તેના મૂળ હોલમાં પ્રાર્થના કરવા માટે તેના દરવાજા ફરી ખોલવામાં આવ્યા. જેનો અગાઉ ભક્તો દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો. મુંબઈની બીજી સૌથી જૂની અગિયારી, 1771માં સ્થપાયેલી, દાદીશેઠ અગિયારીનું નવીનીકરણ ચાલી રહ્યું છે. પાછલા ત્રણ મહિના, જેમાં અગાઉ ઘસાઈ ગયેલા બર્મા સાગના લાકડાના બીમનો સમાવેશ થતો હતો, નવા વાયરિંગ, પ્લાસ્ટરિંગ અને પેઇન્ટિંગ અને ફ્લોર પોલિશિંગ કરવામાં આવ્યા.
અગિયારીના પવિત્ર આતશને ફરીથી સ્થાપિત કરવા માટે વિસ્તૃત જશન અને ધાર્મિક વિધિ સાથે તેના દરવાજા ખોલવામાં આવ્યા હતા. કેબલા- ગર્ભગૃહમાં, જ્યાં આતશ રાત દિવસ સળગતો રહેશે. પવિત્ર આતશ ચાલુ રિનોવેશનને કારણે કમ્પાઉન્ડમાં અન્ય સ્ટ્રક્ચરમાં ખસેડવામાં આવ્યો હતો.
દાદીશેઠ અગિયારી પરિવાર દ્વારા તેમની માલિકીના જમીનના ટુકડા પર બનાવવામાં આવી હતી. તા. 2જી ઓગસ્ટ, 2023 ને દિને અગિયારીની સાલગ્રેહની ઉજવણી કરવામાં આવશે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *