દિવાળી

ભારત જ એક એવો દેશ છે જેને તહેવારની ભૂમિ કહેવામાં આવે છે. આવા જ તહેવારોમાંનો એક ખાસ તહેવાર છે દિવાળી જે દશેરાના વીસ દિવસ પછી આવે છે! ભગવાન રામ ૧૪ વરસનો વનવાસ ભોગવી પોતાના રાજ્યમાં પાછા આવવાની ખુશીમાં ઉજવવામાં આવે છે. પોતાની ખુશી દર્શાવવા અયોધ્યાવાસી આખા રાજ્યને રોશનીમાં નવડાવી મૂકે છે. અને ફટાકળાના અવાજમાં આખું રાજ્ય જૂમી ઉઠે છે.

દિવાળીના પર્વને દિપાવલીના નામે પણ ઓળખવામાં આવે છે અને આ જ પર્વમાં લક્ષ્મીમાતા ઘરમાં પધારે છે. બુરાઈનો અંત આવે છે. અસુરોના રાજા રાવણને રાજા રામ મારીને ધરતીને બુરાઈથી બચાવે છે.

ઘર દુકાનની સાફ સફાઈ કરવાથી લક્ષ્મી પ્રવેશે છે અને ઘરમાં સુખ, સમૃધ્ધિ અને સંપત્તિ આવે છે.

દિવાળીના આ મધુર પર્વ સાથે ઘણા પ્રકારની વાતો જોડાયેલી છે. સૌથી પ્રમુખ વાર્તા છે રાજા રામની આ દિવસે રામ ભગવાને અત્યાચારી, અનાચારી રાવણનો વધ કરી અયોધ્યાના પાછા આવેલા અને અયોધ્યાવાસીઓએ એમના આવવાની ખુશીમાં દિવાઓ પ્રગટાવ્યા હતા. ત્યારથી દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે. કેટલાક કૃષ્ણભક્તો આ પર્વને કૃષ્ણ ભગવાન સાથે જોડે છે એમના અનુસાર નરકાસુરનો વધ કરી સોળ હજાર સ્ત્રીઓને ત્યાંથી મુક્ત કરવામાં આવી હતી. અને ત્યારે જ લોકોએ દિવા પ્રકટાવ્યા હતા.

એક કથા અનુસાર આજ દિવસે સમુદ્ર મંથન થયું હતું અને લક્ષ્મીજી પ્રગટ થયા હતા અને દેવોએ દીવા પ્રગટાવી તેમનું આગમન કર્યુ હતું. કેટલાક લોકોનું કહેવું છે કે ધનતેરસના દિવસ વિષ્ણુ ભગવાને નૃસિંહનું ‚પ લઈ ભક્ત પ્રહલાદની રક્ષા કરી હતી.

આમ કેટલીયે વાતો દિવાળીનું મહત્વ સમજાવે છે પરંતુ બધાજ ધર્મ અને જાતિઓનું આ પર્વ છે અને બધા જ સમાન ‚પે આનો આદર કરી ધામધૂમથી દિવાળી ઉજવે છે.

Similar Posts

  • લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

    (ગયા અંકથી ચાલુ) 1874માં મુંબઈમાં થયેલું રમખાણ: મરહુમ શાપુર દેસાઈએ ‘પારસી પંચાયતના ઈતિહાસમાં’ સ્પષ્ટપણે 1874ના રમખાણો અને મૂળ તેની પડતીનું વર્ણન કર્યુ હતું. રૂસ્તમજી હોરમસજી જાલભોય યુવાન ફ્રીલાન્સર હતા અને અંગ્રેજી સાહિત્યના સારા જાણકાર હતા. તેમણે ગુજરાતી ભાષામાં ‘રીનાઉન્ડ પ્રોફેટ’ કરીને એક પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. જેમાં પ્રોફેટ મહોમ્મદ માટે કંઈક નકામો સંદર્ભ લખાયો હતો….

  • કેરીનો છુંદો

    સામગ્રી: કેરી 1કિલો, ખાંડ 750 ગ્રામ, મીઠું, હળદર પ્રમાણસર, જીરૂં 1 ચમચી, મરચું 1 ચમચો, તજનો પાઉડર અડધી ચમચી, એલચીનો પાઉડર અડધી ચમચી. રીત:  કેરીને ધોઇને છોલી નાખો અને છીણી લો. તેને મીઠું અને હળદરમાં ચોળી લો. દબાવીને પાણી કાઢી નાખો. જેટલી છીણ થાય તેનાથી દોઢ ગણી ખાંડ લો અને કેરીની છીણમાં મિક્સ કરો. હવે…

  • માનસિક તાણ

    ઘણાંને માનસિક તાણ રહેતી હોય છે. માનસિક તાણ ઉભી થવાના અનેક કારણો હોય છે. ઘણે ભાગે, વ્યક્તિના વર્તમાન સંજોગોને લીધે માનસિક તાણ ઉભી થતી હોય છે. ડોકટરો પાસે જઈને જાતજાતની દવાઓનું સેવન કરતા માનસિક તાણના ફરિયાદીઓએ એક સાવ સરળ ઉપાય કરી જોવા જેવો છે. દરરોજ સવારમાં ફકત પંદર મિનિટ વિવિધ મનફાવે તેવી કસરતો કરી લેવી!…

  • |

    Rashi

    મેષ: અ.લ.ઈ. હાલમાં બુધની દિનદશા ચાલુ હોવાથી સહી-સિક્કાના કામ સારી રીતે કરી શકશો. હાલમાં તમો વાણિયા જેવા બની જશો તમારા કામને સીધા બનાવવા માટે મીઠી જબાન અને બુધ્ધિ વાપરી સામેવાળાથી અગત્યના કામ કરાવી લેશો. જે પણ કમાશો તેમાંથી બચત કરી શકશો. અચાનક ફાયદો મળતો રહેશે. દરરોજ ભૂલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો. શુકનવંતી તા. ૨૦, ૨૩,…

  • દાદાભાઈ નવરોજી એટલે હિન્દુસ્તાનનું આભૂષણ

    દાદાભાઈ નવરોજી એ ભારતનું નવલુ નઝરાણું પ્રખર રાષ્ટ્રભક્ત, ખૂબ જ ગરીબી, હાડમારીમાં ઉછરેલા નેતા હતા. વાસ્તવમાં તેઓ એક આદર્શ છે જેમણે દેશની સ્વતંત્રતા માટે શાંતિપૂર્ણ લડતમાં અનેકને જોડયા હતા. ગાંધીજી માટે પણ તેઓ એક પ્રેરકબળ હતા. કારણ કે તેમની અગાઉ એવું કોઈ નહોતું કે જે પ્રકાશપુંજ બનીને સ્વાતંત્ર્ય લડતમાં માર્ગ બતાવે. 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ…

  • એકબીજાને ગમતા રહીએ!

    મારી બહેન જાલુના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. લગ્ન પછી કેવું વર્તન કરવું મારી મમ્મી પાસેથી તે મૂલ્યવાન ટીપ્સ મેળવી રહી હતી. લગ્ન થયા પછી પતિ પોતાનો થયો હોય છે તેથી સાસરિયાઓ અને અન્ય સંબંધીઓને કોઈ ભાવ આપવાની જરૂર નથી. મમ્મી સાસરિયા લોકોની કેવી અવગણના કરવી તે શીખવી રહી હતી. જાલુનાં લગ્ન થયાં. નવા…