દિવાળી

ભારત જ એક એવો દેશ છે જેને તહેવારની ભૂમિ કહેવામાં આવે છે. આવા જ તહેવારોમાંનો એક ખાસ તહેવાર છે દિવાળી જે દશેરાના વીસ દિવસ પછી આવે છે! ભગવાન રામ ૧૪ વરસનો વનવાસ ભોગવી પોતાના રાજ્યમાં પાછા આવવાની ખુશીમાં ઉજવવામાં આવે છે. પોતાની ખુશી દર્શાવવા અયોધ્યાવાસી આખા રાજ્યને રોશનીમાં નવડાવી મૂકે છે. અને ફટાકળાના અવાજમાં આખું રાજ્ય જૂમી ઉઠે છે.

દિવાળીના પર્વને દિપાવલીના નામે પણ ઓળખવામાં આવે છે અને આ જ પર્વમાં લક્ષ્મીમાતા ઘરમાં પધારે છે. બુરાઈનો અંત આવે છે. અસુરોના રાજા રાવણને રાજા રામ મારીને ધરતીને બુરાઈથી બચાવે છે.

ઘર દુકાનની સાફ સફાઈ કરવાથી લક્ષ્મી પ્રવેશે છે અને ઘરમાં સુખ, સમૃધ્ધિ અને સંપત્તિ આવે છે.

દિવાળીના આ મધુર પર્વ સાથે ઘણા પ્રકારની વાતો જોડાયેલી છે. સૌથી પ્રમુખ વાર્તા છે રાજા રામની આ દિવસે રામ ભગવાને અત્યાચારી, અનાચારી રાવણનો વધ કરી અયોધ્યાના પાછા આવેલા અને અયોધ્યાવાસીઓએ એમના આવવાની ખુશીમાં દિવાઓ પ્રગટાવ્યા હતા. ત્યારથી દિવાળીનો પર્વ ઉજવવામાં આવે છે. કેટલાક કૃષ્ણભક્તો આ પર્વને કૃષ્ણ ભગવાન સાથે જોડે છે એમના અનુસાર નરકાસુરનો વધ કરી સોળ હજાર સ્ત્રીઓને ત્યાંથી મુક્ત કરવામાં આવી હતી. અને ત્યારે જ લોકોએ દિવા પ્રકટાવ્યા હતા.

એક કથા અનુસાર આજ દિવસે સમુદ્ર મંથન થયું હતું અને લક્ષ્મીજી પ્રગટ થયા હતા અને દેવોએ દીવા પ્રગટાવી તેમનું આગમન કર્યુ હતું. કેટલાક લોકોનું કહેવું છે કે ધનતેરસના દિવસ વિષ્ણુ ભગવાને નૃસિંહનું ‚પ લઈ ભક્ત પ્રહલાદની રક્ષા કરી હતી.

આમ કેટલીયે વાતો દિવાળીનું મહત્વ સમજાવે છે પરંતુ બધાજ ધર્મ અને જાતિઓનું આ પર્વ છે અને બધા જ સમાન ‚પે આનો આદર કરી ધામધૂમથી દિવાળી ઉજવે છે.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    06 November – 12 November 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં ગુરુની દિનદશા ચાલુ હોવાથી તમારા હાથથી નાના-મોટા ચેરિટીના કામ કરવામાં સફળ થઈ શકશો. તમારા કરેલ કામના બીજા વખાણ કરવામાં કોઈ કસર નહીં રાખે. નાણાકીય બાબતની અંદર સારાસારી થતી રહેશે. ગુરુની કૃપાથી હાલમાં તમારા ધનનો ઉપયોગ સારી જગ્યાએ કરવામાં સફળ થશો. ગુરુની…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    14th December – 20th December, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં સફળતા મળશે. શારિરીક બાબતમાં સારા સારી રહેશે. ધર્મના કામો કરવાથી આનંદમાં રહેશો. મુશ્કેલીમાંથી બહાર આવવામાં સફળ રહેશો. ચાલુ કામમાંથી ધન મેળવશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી તા. 14, 17, 18, 19…

  • ટાટા ટ્રસ્ટસ

    60 વર્ષથી ઉપરના વય જૂથના લોકોની સંખ્યા વધી રહી છે અને આ જૂથને માત્ર ચાલુ રાખવાની જરૂર સાથે દેશના આર્થિક વિકાસમાં યોગદાન આપવા માટે સાથે રહેવા માટે અનુકૂળ ઇકોસિસ્ટમ પણ આપવાની જરૂર છે – આદર અને ગૌરવ સાથે ભારત સરકારનું નેતૃત્વ અને એક જ ટોલ ફ્રી સાથે એક પ્લેટફોર્મ સાથે વિશિષ્ટ હેલ્પલાઇન નંબર 14567 તે…

  • |

    સુખી સંસાર!

    રળીયામણી તે સવારે મરીનડ્રાઈવરના પોશ રસ્તા પર આવેલા મોદી મેનોરમાં આજે સવારથી ખુબ જ ધમાલ હતી આજે મોદી મેનોર ગાજીવાજી રહ્યો હતો. હા વાંચનાર આપણી વાર્તા નાયક દીનશાજી દારૂવાલા અને તેમની સમજદાર અને સેવાભાવી પત્ની શીરીન દારૂવાલાની જીંદગીમાં કેટલા વરસ પછી ખુશાલીએ લોકોના ઘેરમાં દસ્તક દીધી હતી. ને એમની ખુશીનું કારણ એ હતું કે આજે…

  • ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડ નવા વર્ષની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ

    પા2સી સમુદાયના નવા વર્ષની વધામણી ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડ દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન તા.2પ-8-2019 2વિવા2ના 2ોજ સાંજે પ-30 કલાકે જમશેદ બાગ, મલેસ2, નવસા2ી મુકામે ક2વામાં આવેલ હતું. જે કાર્યક્રમમાં નવસા2ીના નાના ભૂલકાઓથી માંડી મોટી ઉંમ2ના વ્યક્તિઓને મનો2ંજન મળી 2હે તે હેતુથી ફેન્સી ડ્રેસ, ગેઈમ્સ, હાઉઝી તેમજ કે2ીઓકે સાઉન્ડ ટ્રેક પ2 ગીતોની 2મઝટ તેમજ જમવાનું આયોજન…

  • ડૂંગરવાડીની જાળવણી માટે બીપીપીની પ્રતિબદ્ધતા

    બોમ્બે પારસી પંચાયત (બીપીપી) ના પ્રયત્નો તથા માણેકબાઈ પી.બી. જીજીભોય ટ્રસ્ટ ફંડ અને સમુદાયના સભ્યો દ્વારા આપવામાં આવેલા ભંડોળ દ્વારા ડુંગરવાડીમાં ઉત્તમ રીતે રિનોવેટ કરેલા વિસ્તારોના ઉદઘાટન વિશે જાણીને સમુદાયના સભ્યો ખુશ થશે. ડુંગરવાડી ખાતે ઉત્કૃષ્ટ રીતે નવીનીકૃત ‘નાહણ’ વિસ્તાર અને ‘ટોઇલેટ બ્લોક’નું ઉદઘાટન 14 મી જાન્યુઆરી, 2020 ના રોજ બીપીપી ચેરમેન યઝદી દેસાઈ, બીપીપી…