જરથુસ્ત્ર: માનવજાતના મસીહા

Dasturji Dr. Manekji Naserwanji Dhalla
Dasturji Dr. Manekji Naserwanji Dhalla

અહુરા મઝદાએ મહાન જરથુસ્ત્રને સમગ્ર માનવજાની ઉપર મુકયા. તેઓએ ચમકીલા-ગૌરવશાળી તિશ્ટ્રયની જેમ જ જીવનના પથ પર દીવાદાંડી સમાન કાર્ય કર્યુ. તેઓએ હમેશા સત્ય સચ્ચાઈ અને ભલાઈનો જ રાહ લીધો.

જરથુસ્ત્રે ધ્રુવના તારા સમાન માનવની શોધ છે. તેઓ માનવીના જીવનના પ્રકાશ સમાન છે. તેઓ સતત પ્રભાવ પાથરીને ઉજાસને વધારે છે. તેઓ આનંદ-શાંતિ-આશા અને જીવનનો શાશ્ર્વત બોધ આપે છે. એ એક પથ્થર છે જેના થકી જીવનનૈયા મનુષ્ય પાર કરે છે. તેઓ સચ્ચાઈને પ્રેરે છે જેમાં ઘાતકીપણાનો પડછાયો પાછળ રહી જાય છે. અર્પૂણ જગતમાં તેઓ એક આદર્શ સંપૂર્ણત્વ છે. તેઓ સર્જનની પરિપૂર્ણતા અને દ્રષ્ટાંત છે. જીવનની શ‚આત અને અંત છે. તેઓ માનવજાતના સર્વોચ્ચ અને આદર્શ છે.

જરથુસ્ત્રને જેઓ જુએ છે તેઓ અહુરા મઝદાને જુએ છે. તેઓને ઓળખે છે તે જ તેમને પિછાણે છે. તેમને સમજવા એટલે તમોને સમજવા તેમને અનુસરવા એટલે તમોને અનુસરવા તમોને ચાહવા એટલે તેમને ચાહવા.

જરથુસ્ત્રના બોધને હું મારા જીવનમાં ઉતારીશ. હું તેમને સમર્પિત રહીશ. હું તેમને મારા જીવન માટે દ્રષ્ટાંત‚પ માનીશ મારા મનમાં તેમની છાપ અંકિત રહેશે કે જરથુસ્ત્ર મારા માટે માર્ગદર્શક છે. શક્તિ આપે છે અને મારી ઈચ્છાને વાળે છે, કોઈ ડર વગર હિંમતથી તેમને અનુસરીશ. હું તેમને જ અનુસરીશ મારા જીવનના દરેક તબકકે હું તેમને માનીશ.

હું તેમના પગલાને અનુસરીશ. હું તેમના માટે જીવીશ, હું મારા કાયમી સાથીદાર તરીકે જરથુસ્ત્રને મારા પયગમ્બર, મારા મિત્ર મારા માર્ગદર્શક, મારા વાલી, મારી આશા, મારી જિંદગી, મારો પ્રકાશ, અહુરા મઝદા.

Similar Posts

  • સ્વિટ્ઝર્લેન્ડના પારસીઓએ ખોરદાદ સાલની ઉજવણી કરી

    સ્વિટ્ઝર્લેન્ડના પારસી અને જરથોસ્તીઓએ ઝુરિચમાં અર્બન સ્પાઈસ રેસ્ટોરન્ટમાં ખોરદાદ સાલની ઉજવણી કરી હતી. સૌથી મોટા – રતિ સુરતી પુઝ અને ફલી રૂવાલાથી લઈને સૌથી નાના (જહાન શ્રોફ – 3 મહિના), તથા આ મેળાવડામાં 70 આનંદી અને પ્રેમાળ બાવાજીઓના સમૂહનો સમાવેશ થયો હતો. જેઓએ આ શુભ દિવસે પારસીપણાંની ઉજવણીની ભાવનાથી જીવીને કરી હતી. પેરિસના પરિવારો ટીસિનો,…

  • ટેક ઈટ ઈઝી

    મિત્રો, આપણને સતત ટેન્શન લેવાની આદત છે. ઓફિસ જતી વખતે જો તમે તમારી સામાન્ય બસ/ટ્રેન ચૂકી જાઓ તો તમને કેટલું ટેન્શન આવે છે? હવે કેવી રીતે થશે? મને મોડું થશે, બોસ શું કહેશે? જે કામ માટે હું નીકળ્યો છું, મારું કામ મોડું થશે વગેરે. માત્ર એક ઘટના વિશે આપણે કેટલું વિચારીએ છીએ. પણ હવે કહો…

  • શિરીન – October 15th

    એ સાંભળી શિરીન વોર્ડનને અજાયબી લાગી આવી, ને તેણીએ ઉલટથી પૂછી લીધું. ‘શું …શું ફિલ, તમોએ બધાને એમ નહીં જાણવા દીધું કે તમોએ મને ફોર્સ કરીને રખાવી?’ ‘અલબત્ત નહી, ને શિરીન તે દિવસે જ્યારે તું મારી ગાડી ધોતી હતી, ને બધાં મશ્કરી કરવા લાગા ત્યારે હું છેડાઈને તે લોક આગળ બોલ્યો કે મંમાને એક કમપેન્યન…

  • સકારાત્મક માનસિકતા સાથે 2022 નું સ્વાગત કરો

    માત્ર બે વર્ષમાં જ આપણું જીવન ઘણું બદલાઈ ગયું! પરંતુ, શું રોગચાળાએ આપણું જીવન ખરાબ માટે કે વધુ સારા માટે બદલ્યું? કેટલાકે નવા શોખ અપનાવ્યા જ્યારે કેટલાકે બધી આશા ગુમાવી દીધી. કેટલાકે પોતાનામાં છુપાયેલી પ્રતિભાને શોધી કાઢી જ્યારે કેટલાક ડિપ્રેશનમાં આવી ગયા. તેઓ કહે છે કે મુશ્કેલ સમયમાંથી, મુશ્કેલ પાઠ, વ્યક્તિગત વિકાસ અને શીખવાની તકો…

  • કથા ગણેશ ચતુર્થીની

    ભારતીય સંસ્કૃતિમાં હિંદુઓ નવા કાર્ય સરખી રીતે પૂરાં થાય તે માટે સૌ પ્રથમ શ્રી ગણેશની વંદના કરે છે. માટે કોઈ પણ કાર્યની શરૂઆત શ્રી ગણેશની પૂજાથી શરૂ થાય છે. શ્રી ગણેશ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ અને કલ્યાણકારી છે. ભલે તે કોઈ કાર્યની સફળતાને માટે કે પછી સમૃધ્ધિને માટે કે પછી અચાનક જ કોઈ સંકટમાં પડેલ…

  • સંજાણ ડેની 102મી શુભ સાલગ્રેહની ઉજવણી

    સંજાણ ડે દર વર્ષે આપણા પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતાના દિવસ તરીકે અને સ્થાનિક શાસકો દ્વારા સ્વીકારવામાં આવે છે તે માટે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જરથોસ્તીઓ મુખ્યત્વે મુંબઈ અને ગુજરાતમાંથી, સડક અને રેલ માર્ગે, સંજાણ ડેના પ્રસંગની ઉજવણી કરવા સારી સંખ્યામાં આવે છે. આ વર્ષે સંજાણના સ્થંભની 102મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. દિવસની શરૂઆત…