શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે એમ કહી તે બાંદીઓ રોદાબેના મહેલ ભણી પાછી ફરી પાછું ફરતા રાત પડી અને જરા મોડું થયું હતું, તેથી મહેલના દરબાને તેણીઓને કવખતે બહાર ફરવા માટે જરા ધમકાવી. તેણીઓએ કહ્યું કે ‘આજે કાંઈ નવાઈનો દહાડો નથી, બહારની મોસમ છે અને અમો ફુલ ચૂંટવામાં રોકાયા હતાં.’ દરબાને કહ્યું કે ‘આજનો દહાડો જૂદા પ્રકારનો છે. કાબુલનો પાદશાહ જાબુલના પાદશાહ જાલ આગળ આવજા કરે છે અને તે તમોને એમ કવખતે બહાર જતાં જાણશે તો ઠાર કરશે.

પેલી બાંદીઓ રોદાબે આગળ ગઈ અને તેણી આગળ જાલ તરફથી ભેટ સોગાદો રજૂ કરીને જાલના દેખાવની તેની અદબ અદાની તેના દરજ્જાની અને તેના કદ અને ચહેરાની ઘણી તારીફ કીધી. તેઓએ કહ્યું કે ‘તેની ફકત એક ખામી તેના સફેદ બાલ છે, પણ તે ખામી પણ જાણે ખુબસુરતી છે. અમોએ તેને તુંને જોવા માટેનો માર્ગ દેખાડયો છે, માટે હવે તું તેને મળવા માટે તૈયાર થા.’

રોદાબેએ જાલને આવકાર દેવા માટે પોતાના મહેલમાં સઘળી તૈયારી કીધી અને પોતે પણ સોલે-સિંગાર કરી તૈયાર થઈ અને એક બાંદીને જાલને તેડવા મોકલી.

રાત પડતા જાલ રોદાબેના મહેલ ભણી જવા નીકળ્યો. પેલી બાજુએ જેમ સીધ્ધાં સર્વના ઝાડ ઉપર મહાતાબ પ્રકાશે, તેમ મહેલની બારીએ રોદાબે આવી ઉભી. જાલને દૂરથી આવતો જોઈ તેણીએ પોતાના હોઠ ખોલ્યા અને તેને આવકાર દીધો કે ‘ઓ ભલા બહાદુર મર્દ! તું ભલે આવ્યો. તારી ઉપર ખોદાતાલાની આફ્રિન હોજો. આ ફરતું આસમાન તારી ઉપર જમીન માફક (ફરમાન બરદાર) હોજો. તું ભલો ખુશ દિલનો અને ખુશાલ હોજો.’ જાલેજરે જવાબ દીધો કે ‘ઓ મહાતાબ જેવા ચહેરાની બાનુ! મારાથી તારી ઉપર દુઆ અને આસમાનથી તારી ઉપર આફ્રિન હોજો. કેટલી બધી વખત રાત્રે ઉત્તર તરફના સિતારા તરફ નજર કરી પાક યઝદાન આગળ પોકાર કરી મે દુવા ગુજારી છે કે તે જહાનનો સાહેબ મને તારો ચહેરો દેખાડે. હવે હું તારા અવાજથી તારા નાજ સાથેના આ શિરીન શબ્દોથી ખુશી થયો છું. હવે (ઉપર એવી) તું ને મલવાનો એક ઈલાજ શોધ, કારણ તું મહેલની સફીલ ઉપર રહે અને હું નીચે રસ્તામાં રહું, તે શું કામનું?’

આ શબ્દો સાંભળતા તે ગુલનાર બાનુએ પોતાના સર ઉપરથી પોતાના બાલ છોડયા. પોતાના લાંબા બાલની તેણીએ કમન્દ બનાવી એવી રીતે કે કોઈ કસ્તુરીની પણ એવી કમન્દ બનાવે નહીં. તે બાલને વાંક ઉપર વાંક આપી અને સાંપ માફક ગુચ પર ગુચ આપી અને વળાંક ઉપર વળાંક આપી પછી મહેલની સફીલ ઉપરથી તે બાલને નીચે ઉતર્યા તે એવી રીતે કે તે જોઈને જાલે મનમાં કહ્યું કે ‘ખરેખર આ એક બરાબર કમન્દ છે.’ પછી મહેલની સફીલ ઉપરથી રોદાબેએ અવાજ આપ્યો કે ‘ઓ નેકબખ્ત પહેલવાનના દલેર પહેલવાન બેટા! હવે સેતાબ કર, તારી કમર કશ, એક સિંહ મિસાલ તારી છાતી અને કેઆની હાથ ખોલ, મારા સિંહા બાલ એક છેડેથી પકડ, તારે માટે આ સઘળા બાલ છે.’

જાલે તે મહાતાબ જેવા ચહેરાની બાનુ ઉપર નજર કરી અને તેણીના આવા શબ્દોથી અજબ થઈ ગયો. તેણે તેણીના આ કસ્તુરી મિસાલના બાલની કમન્દ ઉપર બોસા લીધા અને રોદાબેએ તે બોસાનો અવાજ સાંભળ્યો. પછી જાલેજરે જવાબ દીધો કે ‘એ બરાબર નથી. એવો કોઈ દહાડે ખોરશેદ રોશન ના થતો, કે હું બેવકુફીભરી રીતે તારા જાનને નુકસાન થાય તેમ હાથ લંબાઉ, યા મહોબતથી જખ્મી થયેલા તારા દિલને હું વધુ જખ્મી કરૂં.

(ક્રમશ)

 

Similar Posts

  • |

    બંદગીના ફાયદાઓ

    ઉપર જણાવેલા આપણા દીની કાયદા પ્રમાણેજ બંદગી તેમજ અમલ કીધાથી આપણું મન પવિત્ર રહે છે. આપણા આચારવિચારો ઘણા સારા રહે છે. તમામ દુર્ગુણો દૂર થાય છે. દુ:ખ, આફત મુશ્કેલીને મોટે ભાગે દૂર કરીયે છીએ. જીંદગીના છેડા સુધી આપણા સુખ દુ:ખના સાથી તરીકે સાચ્ચી બંદગીજ સાથે આવે છે અને કામ લાગે છે. તેમજ મરણ પછીની હાલતમાં…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    30 March, 2019 – 05 April, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઓપોજીટ સેકસની તરફથી ફાયદો થઈ જશે. પૈસાની તંગી દૂર કરી શકશો. 16મી એપ્રિલ સુધી તમારા ડરને તમારી પાસે આવવા નહીં દો. તમારી જે પણ મુશ્કેલીઓ હશે તેને દૂર કરવામાં મદદ મળી રહેશે. ઘરમાં મનગમતી ચીજવસ્તુ લઈ શકશો. ચાલુ…

  • કાસની રાણી સોદાબે

    તે અમારી આગળ આવતો જતો રહે તો સારૂં. કૌસે કહ્યું કે શું કહે છે તે બરાબર છે તું તેને 100 માતાની પ્રિતથી બેટા તરીકે ચાહે છે. સ્યાવક્ષે કહ્યું કે મારે બાનુઓની સંગત કરતાં દાનવો અને કાબેલ સરદારોની વધારે સંગત શોધવી જોઈએ કારણ તે મને રાજકારોબારમાં વધારે કામ આવે. બાનુઓનું સંગતમાં હું શું શિખવાનો છું? તે…

  • શાહ જમશીદ તરફથી નેતૃત્વના પાઠ

    દંતકથા અનુસાર, ઐતિહાસિક પેશદાદ વંશના મહાન રાજા જમશીદ હતા જેમણે વસંત ઉત્સવ નવરોઝ (નવા દિવસ)ની ઉજવણી કરવાની પરંપરા શરૂ કરી હતી. આ દિવસ ઉજવણી વિશ્ર્વ માટે વધુ સારા કાલ માટેની શરૂઆત હતી. સકારાત્મક પરિવર્તન લાવવા માટે દરેક જણ નેતૃત્વ લઈ શકતું નથી પરંતુ દરેક વ્યક્તિ કાર્યકારી નેતા તરીકે આ દુનિયાને સારી બનાવવા માટે સકારાત્મક પરિવર્તન…

  • હયુજીસ રોડની વાચ્છાગાંધી અગિયારીની 161મી સાલગ્રેહની ઉજવણી

    તા. 31મી ડિસેમ્બર, સરોષ રોજના દિવસે વાચ્છા ગાંધી અગિયારીની સાલગ્રેહનો શુભ પ્રસંગ ઉજવાયો હતો. સવારે હાવનગેહમાં માચી બાદ 9.30 કલાકે ટ્રસ્ટી સાહેબો તરફથી શુક્રગુજારીના જશનની ક્રિયા પંથકી અસ્ફંદીયાર રૂ. દાદાચાન્જી અને બેટા હોરમઝદની આગેવાની હેઠળ 11 મોબેદોની હમશરીકીથી થયું હતું. ઘણી સારી સંખ્યામાં હમદીનો અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. જશનબાદ સર્વેએ હમ-બદંગી કરી હતી. સાંજે…

  • બહમન મહિનાનું સ્વાગત – શાણપણની ઉજવણી

    બહમન (પહલવી વહમન)નો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે. અવેસ્તામાં, બહમનને સંસ્કૃત વાસુ માનસની જેમ વોહુ (સારા) મન તરીકે ઓળખવામાં આવે છે. વોહુ મન દ્વારા જ શાણપણ પ્રાપ્ત કરી શકાય છે. તેથી, બહમનના આ પવિત્ર મહિનામાં ચાલો શાણપણની ભાવના અથવા સાર ઉજવીએ. અહુરા મઝદા દ્વારા બનાવવામાં આવેલ બ્રહ્માંડની પ્રકૃતિ એવી છે કે તે ન તો…