ફ્રોહર ફાઉન્ડેશન, દાદર અથોરનાન ઈન્સ્ટીટયુટના યુવાન પારસી  ફૂટબોલ ખેલાડીઓને પ્રોત્સાહન આપે છે

ફ્રોહર ફાઉન્ડેશન, દાદર અથોરનાન ઈન્સ્ટીટયુટના યુવાન પારસી ફૂટબોલ ખેલાડીઓને પ્રોત્સાહન આપે છે

મરહુમ એરવદ કેપ્ટન દારાયસ સાયરસ દસ્તુર (મહેરજી રાણા)ની યાદમાં ફ્રોહર ફાઉન્ડેશન તરફથી દાદર અથોરનાન ઈન્સ્ટીટયુટના વિદ્યાર્થીઓને 8મી સપ્ટેમ્બરના દિવસે ફૂટબોલના યુનિફોર્મસ ભેટ આપવામાં આવ્યા હતા. ફ્રોહર ફાઉન્ડેશનના ટ્રસ્ટી, બખ્તાવર શ્રોફે જણાવ્યું કે, ‘જ્યારે એમના ધણીયાણી શેરનાઝે મને કહ્યું કે દારાયસની યાદગીરીમાં એમને કંઈક કરવું છે ત્યારે સૌથી પહેલાં મને બાળકો યાદ આવ્યા. આ વિચારથી પ્રેરિત…

દશેરો: દ્રુષ્ટતા પર જીતનો પર્વ

દશેરો: દ્રુષ્ટતા પર જીતનો પર્વ

અશ્ર્વિન માહના શુકલ પક્ષની દસમીને દિવસે અને નવરાત્રીના નવ દિવસ પછી દશેરાના રૂપે વિજયા દશમી ઉજવવામાં આવે છે. દશેરાના દિવસની સૌથી જાણીતી વાર્તા છે ભગવાન રામનું રાવણ સાથેનું યુધ્ધમાં જીત મેળવી બુરાઈઓનો નાશ કરવો. રામ અયોધ્યા નગરીના રાજકુમાર હતા તેમની પત્ની સીતા, નાનો ભાઈ લક્ષ્મણ તથા પિતા દશરથ હતા. રામની માતા કૈકયીના લીધે રામ, લક્ષ્મણ…

શિરીન

શિરીન

પછી અંતે એક નિવેડો પર તે કમનસીબ બાળા આવી ગઈ. મોલી કામાનાં ભર ઉંઘમાં પડયા પછી તેણી તે જવાનનાં રૂમમાં જઈ તે રકમ ઉછીની માગી શકે અને ત્યારે આખી જિંદગીજ તે જવાનની વાઈફની કમ્પેનિયન તથા તેનાં છોકરાંઓની ગવરનેસ બની તેણી તે પૈસા પાછા ભરી આપશે, કે એ ખ્યાલેજ તેણીનાં ચેરીઝ જેવા હોટ વડે એક નીસાસો…

100 ગ્રેટેસ્ટ લિવિંગ બિઝનેસ માઈન્ડન્સ’માં ફોર્બ્સની સૂચિમાં ત્રણ ભારતીયમાંથી એક રતન તાતા

100 ગ્રેટેસ્ટ લિવિંગ બિઝનેસ માઈન્ડન્સ’માં ફોર્બ્સની સૂચિમાં ત્રણ ભારતીયમાંથી એક રતન તાતા

100 ગ્રેટેસ્ટ લિવિંગ બીઝનેસ માઈન્ડસમાં ત્રણ ભારતીયોમાંથી તાતા સન્સના ભૂતપૂર્વ ચેરમેન અને પારસી સમુદાયના વિશેષ માર્ગદર્શક સમાન રતન તાતાને ફોર્બ્સ દ્વારા દર્શાવવામાં આવ્યા. અન્ય બે લોકો જેમાં એક છે લક્ષ્મી મિત્તલ જે વિશ્ર્વની સૌથી મોટી સ્ટીલ નિર્માણ કંપનીના સીઈઓ અને બીજા ખોસલા વેન્ચર્સના સ્થાપક વિનોદ ખોસલા છે. ફોર્બ્સના શતાબ્દી વર્ષની ઉજવણી માટે ફોર્બ્સે વિશ્ર્વના અગ્રણી…

શિરીન

શિરીન

તે દુકતીઓએ પણ કંઈક પોત પોતાનાંજ બહાના કાઢયા. હિલ્લાએ કહ્યું ‘જવાસે તો જઈશું,’ કરી ટૂંક જવાબ આપી દીધો, કે ફિરોઝ ફ્રેઝરે ત્યારે દુ:ખી થઈ ચુપકીદીજ અખત્યાર કરી દીધી. પણ શિરીન વોર્ડન તો ખુશીજ થઈ, કારણ કેમ કરી તેણી પોતાના વહાલાને બીજી છોકરી અને તે પણ મોલી કામા સાથ પરણતો નિહાળી શકે? અને બીજું એક અડવાડિયું…

અંજુમન આતશ બહેરામે 120મી શુભ સાલગ્રેહની ઉજવણી કરી

અંજુમન આતશ બહેરામે 120મી શુભ સાલગ્રેહની ઉજવણી કરી

મુંબઈની અંજુમન આતશ બહેરામની 120મી શુભ સાલગ્રેહ 18મી સપ્ટેમ્બર 2017ને દિને અર્દીબહેસ્ત મહિનો અને અર્દીબહેસ્ત રોજને દિને ઉજવવામાં આવી હતી. સવારે અને સાંજે એમ બે વખત જશનની પવિત્ર ક્રિયા દસ્તુરજી સાહેબ ડો. (એફઆરસીએસ) જામાસ્પ જામાસપાસા અને એમની ટીમના મોબેદો દ્વારા કરવામાં આવી. ટ્રસ્ટીઓ એરવદ ફિરોઝ કાત્રક, એરવદ બરજોરજી આંટીયા, એરવદ નોશીર કાત્રક અને એરવદ નોશીર…

મા શક્તિની કૃપા પામવાનું પર્વ એટલે નવરાત્રી

મા શક્તિની કૃપા પામવાનું પર્વ એટલે નવરાત્રી

ગરબાપ્રેમીઓ જેની રાહ જોતાં હોય છે એ નવરાત્ર-ઉત્સવ શરૂ થઈ ગયો છે. નવરાત્રીના ગરબા દુનિયામાં સૌથી જાણીતા છે. માતાના ભક્તો અને યુવાપેઢી ગરબાની તૈયારી મહિનાઓથી શરૂ કરી દે છે. તેમજ બંગાળમાં બંગાળીઓનો મોટો તહેવાર એટલે દુર્ગાત્સવ-દુર્ગાપૂજાનો તહેવાર તેમજ ઓરિસ્સામાં પણ નવરાત્રી ખૂબ ઠાઠ-માઠ અને ભક્તિભાવથી ઉજવાય છે. આસો સુદ આઠમ જે માતાજીની આઠમ તરીકે વધુ…

વરસાદમાં ગોવાની ટ્રીપ

વરસાદમાં ગોવાની ટ્રીપ

મહેરબાઈને વરસાદમાં ગોવા જવું ખૂબ ગમતું તેથી દર વર્ષે દસ સિનિયર સિટીઝનના કપલ સાથે તેઓ ગોવા ટ્રીપ જતા. વરસાદને માણવા જેને તેઓએ સુખની જાત્રા એમ નામ આપેલું હતું. આ વરસે પણ જવાનું નકકીજ હતું પણ વરસાદના દેવતાઓએ મુંબઈમાં પૂર લાવ્યું હતું. બધાજ કપલો ફોન કરી પૂછતા હતા કે ‘જવાસે કે નહીં?’ ‘કોઈ પ્લેન જશે કે…

અર્દી બહેસ્ત-સત્યના મૂર્ત સ્વરૂપ, પ્રમાણિક અને ઈશ્ર્વરી કૃપા

અર્દી બહેસ્ત-સત્યના મૂર્ત સ્વરૂપ, પ્રમાણિક અને ઈશ્ર્વરી કૃપા

આ અઠવાડિયે સોમવારે 18મી સપ્ટેમ્બર 2017ને દિને અર્દીબહેસ્ત રોજ અને અર્દીબહેસ્ત માહ છે. જ્યારે રોજ અને માહ બન્ને સુસંગત-એકીસાથે આવે ત્યારે તેને પરબ કહેવાય છે. અર્દીબહેસ્ત એ જરથોસ્તી કેલેન્ડરનો બીજો મહિનો છે. આ મહિનાની ઉજવણી, સત્ય, ઈમાનદારી, ઈશ્ર્વર પ્રત્યે શ્રધ્ધા, દરદ મટાડનાર તરીકે થાય છે. અર્દીબહેસ્ત એટલે અમેસાસ્પંદ અથવા અમેસાસ્પેન્તા તરીકે પણ ઓળખાય છે. જે…

ઉદવાડા સ્ટેશન ખાતે દુ:ખદ અકસ્માત

ઉદવાડા સ્ટેશન ખાતે દુ:ખદ અકસ્માત

વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર અને દિનશા તંબોલીએ કરેલી મધ્યસ્થી 15મી સપ્ટેમ્બર 2017ને દિને ઉદવાડા મ્યુઝિયમના કેરટેકર અસ્પી સિપોય ઉદવાડા સ્ટેશનથી ફિરોઝપુર જનતામાં ચઢતી વખતે પગ સ્લીપ થતા ટ્રેનની નીચે ટ્રેક પર સરકી જતા દુ:ખદ અકસ્માત થયો હતો. તેમના પગને સખત ઈજા થઈ હતી. તેમને વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ પગને સખત ઈજા…

જાલેજરની બાનુ રોદાબે

જાલેજરની બાનુ રોદાબે

પેલી તરફ જ્યારે કાબુલના પાદશાહ મેહરાબને ખબર પાડી કે જાબુલસ્તાનનો પાદશાહ સામ, શાહ મીનોચહેરના હુકમથી લશ્કર લઈ કાબુલ ઉપર હુમલો લાવે છે. ત્યારે તે પોતાની રાણી સીનદોખ્ત ઉપર ઘણો ગુસ્સે થયો, અને કહ્યું કે ‘હવે તુંને અને રોદાબેને તેની આગળ લઈ જવી જોઈએ અને તેની હજુરમાં તમો બેઉને કતલ કરવી જોઈએ કે તેથી કાબુલ ઉપરનું…