|

જન્મ તારીખના આધારે ભવિષ્યવાણી

જો તમારો જન્મ મેની ૧૪મી તારીખે થયો હોય તો..
તમે પોતે જ પૈસાના મિત્ર હશો. ધન મેળવવા માટે તમે ભાગ્યવાન ગણાશો. તમે ખૂબ સમજીને પૈસાનો સંગ્રહ કરશો. જમીન કે શેરસટ્ટાથી ધન કમાશો. બીજા કરતાં અલગ રીતે તમે પૈસા કમાશો. તમારા મગજમાં નવા નવા વિચારો આવ્યા કરશે તેમ જ તમારા વિચારો ઊંચા રહેશે. તમારી નિરીક્ષણ શક્તિ ખૂબ જ સારી હશે. તેમ જ તમે નિદાન પણ સારું કરી શકશો. તમે સ્વતંત્ર વિચાર ધરાવનાર હશો. બીજાનો પ્રભાવ તમારા પર નહીં પડે. તમે તમારા વિચારો મુજબ પ્રગતિ કરશો. તમારું જનરલ નોલેજ ખૂબ જ સારું હશે, જેથી તમારી સારી છાપ પડશે. વિરુદ્ધ જાતિની વ્યક્તિને આકર્ષિત કરી શકશો. પ્રેમ માટે તમે સ્વતંત્ર વિચાર ધરાવતા હશો. પ્રેમમાં તમે ચંચળ રહેશો. જો તમારા લગ્ન ૨૦ થી ૨૨ વર્ષની વચ્ચે થઈ જશે તો તમારા જીવનસાથી સાથે મતભેદ થતા રહેશે. માનસિક ત્રાસ તમને વધુ રહેશે. ડોક્ટરો તમારી બિમારીનું નિદાન કરવામાંં ઘણી વખત નિષ્ફળ જશે. દાંત, ડોક, હરસ-મસા તેમજ ગરમીથી થતા રોગોથી સંભાળવું પડશે. તમને ઠંડી ઋતુમાં દાંત અને માથાનો દુ:ખાવો થશે.
શુભરંગ: બ્લુ, શુભ નંગ: પાંચુ
આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૫, ૬, ૧૪, ૧૫, ૨૩, ૨૪, ૩૨, ૩૩, ૪૧, ૫૦, ૫૧, ૫૯, ૬૦, ૬૮, ૭૭.

Similar Posts

  • આપણા કુવાઓમાં દૈવી શક્તિઓ

    આપણા પવિત્ર કુવાઓમાં ભરાયેલું પાણી અહુરા મઝદાની અદ્રશ્ય શક્તિઓથી આશીર્વાદ તથા શક્તિ પામેલું હોય છે. આપણો જરથોસ્તી ધર્મ વહેતા પાણી (સ્થિર પાણીની વિરુદ્ધ) ના ઉપયોગનો આનંદ માણે છે જેના પર સૂર્યના કિરણો પડે છે, જેનો ઉપયોગ ધાર્મિક વિધિઓ માટે કરવામાં આવે છે. વહેતા પાણીના બે સરળતાથી ઉપલબ્ધ સ્રોત કુવાઓ અને નદીઓ છે. કૂવો વહેતા પાણીનો…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    05 November – 11 November 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં 25મી ડિસેમ્બર સુધી ગુરૂ જેવા જ્ઞાની ગ્રહની દિનદશા ચાલશે. ગુરૂની કૃપાથી તમને ધન માટે કોઈ પાસે હાથ લાંબો કરવાનો સમય નહીં આવે. ફેમીલીમાં સુખ શાંતિ રહેશે. માન ઈજ્જત ખુબ મેળવશો. ધન કમાવવા માટે એકસ્ટ્રા કામ કરવાનો ચાન્સ મળશે. ભુલ્યા વગર ‘સરોશ…

  • ગોડ અને ગુસ્તાદ

    ગુસ્તાદ અને જ‚ રાતના જમ્યા પછી નીચે ફરવા નીકળે છે. સોલી અને શિરીન બાળકોને ચોપડીમાંથી વાંચીને વાર્તાઓ કહેતા હતા. શીરોય અને સીમોને આ રાતનો સમય ઘણો અનુકૂળ પડતો હતો. બન્ને બાળકો મા-બાપના પાસામાં ભરાઈને વાર્તા સમજતા સમજતા સૂઈ જતા હતા. શીરોયને વાર્તા સાંભળતા સાંભળતા જલ્દી ઉંઘ આવી જતી પરંતુ સીમોન વાર્તાને ઘણી ધ્યાન સાંભળતી અને…

  • ઉદવાડામાં અન્ય એક મકાનમાં લૂંટ

    13મી નવેમ્બર, 2019ને દિને ઘરમાં કામ કરનારે જોયું કે ફરસાક કોટેજ જે ફરામરોઝ મંચેરશા ભાધાનું છે અને ઉદવાડા ગામમાં ભાધા સ્ટ્રીટમાં આવેલું છે તેનો પાછળનો દરવાજો ખુલેલો અને તૂટેલો જોતા ગભરાઈ ગયી હતી. તેણે લૂંટાયેલા ઘરની સામે સ્થિત ઉદવાડાના લોકપ્રિય ‘ઈરાની બેકરી’ ના માલિક રોહિન્ટન ઇરાનીને જાણ કરી, જેમણે શાહીન ઇરાનીને તાત્કાલિક હાજરી આપવા પારડી…

  • આદિલ સુમારીવાલા સાથે વાર્તાલાપ

    ટોક્યો 2020 ઓલિમ્પિકમાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ અને ટ્રેક અને ફિલ્ડ સ્પોર્ટ માટેના એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય / જ્યુરી સભ્ય પીટી: પ્રથમ, અમને જણાવો કે તમે રોગચાળો દ્વારા સમયનો સદઉપયોગ કઈ રીતે કર્યો જ્યારે મોટાભાગની પ્રવૃત્તિઓ અટકી ગઈ હતીે? આદિલ: અમે રોગચાળા દરમિયાન 49 દેશોમાં 2,50,000 થી વધુ લોકો સુધી પહોંચ્યા છે. શરૂઆતમાં, અમારા અભ્યાસક્રમોનો હેતુ…

  • શેહરેવર પરબ – દૈવી શક્તિ અને ધાર્મિક શક્તિની ઉજવણી

    શેહરેવર (અવેસ્તાન ક્ષત્ર વૈર્ય) એ ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરનો છઠ્ઠો મહિનો છે અને અહુરા મઝદાના ‘ઇચ્છનીય પ્રભુત્વ’ નું પ્રતિનિધિત્વ કરે છે. તે ધાતુઓ અને ખનિજો પર અધ્યક્ષતા કરતા અમેશા સ્પેન્ટા છે. શેહરેવરના ગુણો અને શક્તિ છે અને શેહરેવર આ બંને ગુણોનો ઉપયોગ આ વિશ્ર્વમાં શાંતિ અને અહુરા મઝદાની ઇચ્છનીય પ્રભુત્વ લાવવા ન્યાયથી કરે છે. ‘શ્રેષ્ઠ શાસન’ માટે…