મા નવદુર્ગાના નવસ્વ‚પ એટલે નવરાત્રીના નવદિવસ

નવરાત્રી આદ્યશક્તિ મા જગદંબાની પૂજાનું મંગલમયં પર્વ છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં આસો, મહા, ચૈત્ર અને અષાઢ એમ ચાર નવરાત્રિનો મહિમા ગવાયો છે. એમાં આસો નવરાત્રિનું મહત્વ અધિક ફળદાયી મનાયું છે. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રિના આ નવલા દિવસોમાં શ્રદ્ધાપૂર્વક ઘટ સ્થાપન સહિત માતાજીની પૂજા થાય છે. ઘરમાં પણ ઘટસ્થાપના કરવામાં આવે છે અને ગરબા ગવાય છે. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવરાત્રિના આ દિવસોમાં માતાજીની પૂજા-આરાધના-સાધના થાય છે. નવરાત્રિ ઉપાસના માટે મા દુર્ગાનાં નવસ્વ‚પો જાણીતાં છે. અને તેમની પૂજા કરતા મનગમતું ફળ મળે છે.

શૈલપુત્રી નવ દુર્ગાનું પ્રથમ સ્વ‚પ: હિંદુ ધર્મનાં શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે. જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ. તેમના જમણાં હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળપુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે. તેમનું વાહન ગાય છે.

બ્રહ્મચારિણી નવ દુર્ગાનું બીજું સ્વ‚પ: નવરાત્રીના પર્વના બીજા દિવસે નવદુર્ગાનાં બીજા સ્વ‚પ એવા બ્રહ્મચારિણી માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. બ્રહ્મનો અર્થ છે તપસ્યા અને ચારિણીનો અર્થ છે આચરણ કરનારી. એમના જમણા હાથમાં જપ કરવાની માળા તેમ જ ડાબા હાથમાં કમંડળ રહેલું હોય છે.

ચન્દ્રઘંટા નવ દુર્ગાનું ત્રીજું સ્વ‚પ: ચન્દ્રઘંટા એ નવદુર્ગાનું ત્રીજું સ્વ‚પ છે. જેમના મસ્તક (ઘંટા) પર ચંદ્ર ધારણ કરેલો છે. વર્ણ સુવર્ણ જેવો છે. તેમને દશ ભુજાઓ છે જેમાં ખડગ, ધનુષ-બાણ વગેરે શસ્ત્રો ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે.

કુષ્માંડા નવ દુર્ગાનું ચોથું સ્વ‚પ:  કુષ્માંડા એ નવદુર્ગાનું ચોથું સ્વ‚પ છે. કુષ્માંડાનો અર્થ કુત્સિત ઉષ્મા, કુષ્માંડા ત્રિવિધ તાપયુક્ત એવાં એવો થાય છે. તેમને આઠ ભુજાઓ છે જેમાં તેમણે કમંડળ, ધનુષ-બાણ, કમળ, અમૃતમય કળશ, માળા, ગદા અને ચક્ર ધારણ કરેલાં છે. તેમનું વાહન વાઘ છે. આ દેવીને “સિદ્ધિદાત્રી” તરીકે પણ ઓળખાવાય છે.

સ્ક્ધદમાતા નવ દુર્ગાનું પાંચમું સ્વ‚પ: સ્ક્ધદમાતા કે સ્કંદમાતા એ નવદુર્ગાનું પાંચમુ સ્વ‚પ છે. સ્ક્ધદમાતાનો અર્થ કાર્તિકેયનાં માતા એવો થાય છે. કાર્તિક સ્વામી મહાદેવ અને ઉમાના પુત્ર છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે અને અન્ય એક હાથ ખોળામાં બાળ કાર્તિકેય (દક્ષિણ ભારતમાં મુ‚ગન સ્વામી)ને પકડેલા તથા બીજો હાથ વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે.

કાત્યાયની નવ દુર્ગાનું છઠ્ઠું સ્વ‚પ: કાત્યાયની એ નવદુર્ગાનું છઠ્ઠુ સ્વ‚પ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં કમળ ધારણ કરેલાં છે અને બીજા હાથમાં ચંદ્રહાસા નામક તલવાર ધારણ કરી છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે.

કાલરાત્રિ નવ દુર્ગાનું સાતમું સ્વ‚પ: કાલરાત્રિ એ નવદુર્ગાનું સાતમું સ્વ‚પ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષણ લોહઅસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન ગદર્ભ છે. નવરાત્રીના સાતમા દિવસે નવદુર્ગાનાં આ સ્વ‚પનું પૂજન અર્ચન કરાય છે. દેવીનો વર્ણ કૃષ્ણ છે. પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામક અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રી સ્વ‚પ ધારણ કરેલું હતું.

મહાગૌરી નવ દુર્ગાનું આઠમું સ્વ‚પ: મહાગૌરી એ નવદુર્ગાનું આઠમું સ્વ‚પ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ત્રિશુળ અને બીજા હાથમાં ડમ‚ ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. તેમનું વાહન વૃષભ છે.

સિદ્ધિદાત્રી નવ દુર્ગાનું નવમું સ્વ‚પ: સિદ્ધિદાત્રી એ નવદુર્ગાનું નવમું સ્વ‚પ છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે એક હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર ધારણ કરેલું છે. ત્રીજો હાથમાં શંખ અને ચોથા હાથમાં કમળ છે. તેમનું વાહન સિંહ છે પણ મહદાંશે તેઓને કમળ પર બિરાજમાન દર્શાવાય છે. નવરાત્રીના નવમા દિવસે નવદુર્ગાનાં આ સ્વ‚પનું પૂજન અર્ચન કરાય છે.

Similar Posts

  • ઉદવાડામાં ચોરીઓ ચાલુજ…

    ઉદવાડામાં 10મી ડિસેમ્બર, 2019 ના રોજ લૂંટફાટ અને ઘરફોડ ચોરીના પ્રયાસની ઝડપી ગતિને ધ્યાનમાં રાખીને, ઉદવાડાના જીમખાના રોડ પર સ્થિત સી વ્યૂ કાપડિયા બંગલા ખાતે હજી એક અન્ય નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બંગલો, જે મેહેરનોશ કાપડિયાનો છે, હાલમાં ટાટા ગ્રુપના કર્મચારીઓ માટે હોલીડે હોમ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. હોલિડે હોમ હોવાને કારણે…

  • હસો મારી સાથે

    પતિ અને પત્ની ભયંકર રીતે ઝગડી રહ્યા હતા. ત્યાં પડોશણે તેના ઘરમાં ગીત વગાડ્યું. કોઈ જબ તુમ્હારા હૃદય તોડ દે તડપતા હુઆ કોઈ છોડ દે. તબ તુમ મેરે પાસ આના પ્રિયે. મેરા ઘર ખુલા હૈ ખુલ્લા હી રહેગા. એકદમ ઘરમાં સન્નાટો છવાઈ ગયો..! ઝગડો એકાએક પૂરો થઈ ગ્યો..! પત્ની ફટ કરતી ઉઠી, બારી બારણાં બંધ…

  • જસ્ટિસ શાહરૂખ કાથાવાલા નિવૃત્ત

    આપણા સમુદાય અને ભારતીય ન્યાયતંત્રના ગૌરવ જસ્ટિસ શાહરૂખ જીમી કાથાવાલા 23મી માર્ચ, 2022 ના રોજ, બોમ્બે હાઈકોર્ટના ખૂબ જ આદરણીય ન્યાયાધીશ તરીકે 14 વર્ષ સુધી સેવા આપ્યા પછી નિવૃત્ત થયા છે. ઓફિસમાં તેમના અંતિમ દિવસની પૂર્વસંધ્યાએ, તેમણે બોમ્બે બાર એસોસિએશન (બીબીએ) તેમજ એડવોકેટ્સ એસોસિએશન ઑફ વેસ્ટર્ન ઈન્ડિયા (એએડબલ્યુઆઈ) દ્વારા આયોજિત વિદાય લીધી, જેમાં હાઈકોર્ટના ન્યાયાધીશો,…

  • ગોપાતશાહ સાહેબ

    જ્યારથી ઈરાનશાહને ઉદવાડા ખાતે તાજેતરમાં સમારકામ કરાયેલ અને નવીનીકરણ કરાયેલ મુખ્ય ઈમારતમાં પુન: ગાદી પર બેસાડવામાં આવ્યો છે ત્યારથી પવિત્ર આતશ બહરામના પ્રવેશદ્વારની રક્ષા કરતા પાંખવાળા, માનવ માથાવાળા બળદના મહત્વને સમજવામાં નવો રસ જાગ્યો છે. તારદેવ ખાતે બોયસ અગ્યારીના પ્રવેશદ્વાર પર પાંખવાળા માનવ-માથાવાળા બળદ પણ જોવા મળે છે. માણેકજી શેઠ અગ્યારી અને વચ્ચા અગ્યારી, બંને…

  • મૃત્યુ – પછી અને હવે

    ‘મુ’ અને ‘એટલાન્ટિસ’ની પ્રાચીન સંસ્કૃતિમાં, શ્ર્વાસ નિયંત્રણ, મન-નિયંત્રણ અને અંતિમ વિચારને માર્ગદર્શન આપવાની વિગતો સાથે મૃત્યુ પર કેટલાક નિયમો અને પ્રથાઓ હતી. પ્રાચીન ઇજિપ્તમાં, ગુપ્તચર લોકો આગાહી કરતા કે શું જીવન માટે લડવાનો સમય હતો અથવા તેમના રાજાઓ માટે જાઓ અને મરી જાઓ. તિબેટીયન લામાસ અને આપણા ભારતીય ઋષિ -મુનિઓ સભાન-મરવાની કળા જાણતા હતા. ઋષિ-મુનિઆ…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    25 August, 2018 – 31 August, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. બુધની દિનદશા ચાલુ હોવાથી તમે નાણાકીય બાબતમાં પરેશાન નહીં થાવ. બુધની કૃપાથી આવકમાં વધારો થવાના ચાન્સ છે. તમે તમારી બુધ્ધિ વાપરીને પારકાને પોતાના કરી લેશો. તમારા કામને જલ્દી પૂરા કરવા માટે સાથે કામ કરનારનો સાથ મળી જશે. બીજાને સમજાવી શકશો. નાનું ઈનવેસ્ટમેન્ટ…