સીનિયર સિટિઝનોએ લક્ષમાં લેવા જેવું

સાઈઠ કે પાંસઠ વરસની ઉંમર સુધી સરેરાશ માણસ પોતાના જીવનકાળમાં જે કંઈ બચત કરે છે એમની વિદાય પછી બધું એના સંતાનો માટે જ હોય છે એ પરંપરા છે. આમાં કશું ખોટું પણ નથી. પણ કેટલીક વાર એવું બને છે કે માણસ પરિવારજનો પ્રત્યેના સ્નેહને કારણે અથવા ક્યારેક જવાબદારીઓ અદા કરવાની ખોટી ગણતરીના કારણે પોતાની મુઠ્ઠીને ખુલ્લી કરી નાખે છે. પોતાની પાસે જે કંઈ છે એ અંતે તો આમનું જ છે એમ માનીને પોતાના હયાતીકાળમાં જ તેની વહેંચણી કરી નાખે છે. ક્યારેક પુત્રોના ધંધા માટે કે ક્યારેક કહેવાતાં વહેવારિક કામો માટે એ પોતાની પાસે જે કંઈ હોય એ વહેંચી દે છે. આમાં એના પક્ષે તો ફકત વિશ્ર્વાસ જ છે કે હવે આ પૈસાની લાલચમાં મારે શું કામ પડવું જોઈએ? અને મારા બાળકો મારી સંભાળ ન લે એવું કદી ન બને!

ઘડીભર કલ્પના કરો કે આવું થયા પછી કોઈક ધર્મકાર્ય માટે, સામાજિક કાર્ય માટે કે પોતાના રોજિંદા વહેવાર માટે સંતાનો પાસેથી રકમ માંગવી પડે, સાઈઠ વર્ષ સુધી આર્થિક સ્વાતંત્ર્ય ભોગવી ચૂકેલા માણસને કેવું લાગે? સંતાનો વડીલોની આ જ‚રિયાત હોંશેહોંશે માગ્યા વિના જ પૂરી કરે એ સુખદ પરિસ્થિતિ છે. પણ જ્યારે એક કરતા વધારે પુત્રો વચ્ચે મનમેળ ન હોય ત્યારે તેઓના ચિત્તમાં માતા કે પિતાની આવી કોઈ જ‚રિયાત પૂરી કરવી એ ટાળવા જેવું સ્પાર્ધાત્મક લક્ષણ બની જતું હોય છે. એક પુત્ર કદાચ આર્થિક તકલીફને કારણે કયારેક પોતાની જવાબદારી અદા ન કરી શકે, ત્યારે બીજા પુત્રને માતાપિતાનું હોવું  વધારાની જવાબદારી લાગવા માંડે એવું બને છે.

વડીલોને સંતાનો પ્રત્યે ઓછો સ્નેહ હોવો કે વિશ્વાસ નહિ હોવાની કોઈ વાત નથી પરંતુ કોઈવાર નબળા સંતાનને વધુ સહાયભૂત થવું એ માતાપિતાની પણ ફરજ છે. કોઈ વાર એક પુત્ર સમર્થ હોય પણ કોઈ કારણે જો એ પોતાની જવાબદારીઓ અદા ન કરતો હોય તો માતાપિતાએ અમારે મન તો બધા સંતાનો સરખા એ સુવર્ણ વાકયને ભૂલાવી દેવું જોઈએ. વડીલોએ આ સંદર્ભમાં એક વધુ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે. એક કરતાં વધુ સંતાનો હોય ત્યારે અથવા એક જ પુત્ર હોય તો પણ પોતાને માટે આ સંતાનોએ અવારનવાર જે કંઈ ખર્ચ કર્યો હોય એ બને ત્યાં સુધી એમને આપી દેવો જોઈએ. દા.ત. એક વડીલ પાસે પૂરતી બચત છે અને એમની તબીબી સારવારનો ખર્ચ લાખેક ‚પિયા થાય છે  (કેટલીક વાર સો ‚પિયા થતા હોય તો પણ) આ ખર્ચ જો પુત્રે કર્યો હોય તો પિતાએ એને આપી દેવો જોઈએ. ઘર તો એક જ છે એવું બોલનારા ખરેખર માનવ સ્વભાવને જાણતા નથી.

મોટા ભાગે, માતાપિતા માટે કરેલો આવો ખર્ચ જ્યારે પાછો આપવામાં આવે છે ત્યારે પુત્રને ઘડીક સંકોચ થાય છે, પણ પછી એ એનો સ્વીકાર કરી લે છે, કારણ કે મનોમન તો એને પણ આ ગમે જ છે. આમ કરવાથી એક બીજો પણ લાભ થાય છે. પોતે ખર્ચેલી રકમ પાછી મળી જ જવાની છે એવો વિશ્ર્વાસ પેદા થવાથી આવો ખર્ચ ટાળવાની પુત્રો વચ્ચે સ્પર્ધા થતી નથી. આવી સ્પર્ધા ટાળવી એ પણ પિતાનું કર્તવ્ય છે અને આ એક શુભ લક્ષણ પણ છે.

આ બાબતમાં એક ટૂકી વાર્તા રજૂ કરશું આવતા અઠવાડિયે…

Similar Posts

  • પ્રાર્થના દરમિયાન યોગ્ય દિશા

    વાસ્તુ અનુસાર, ઉત્તર દિશાને સારી માનવામાં આવે છે તે કુબેરનું ક્ષેત્ર છે – સંપત્તિના દેવતા. ઉત્તર-પૂર્વ વધુ સારી માનવામાં આવે છે. બીજી બાજુ, દક્ષિણ દિશાને યમનું ક્ષેત્ર માનવામાં આવે છે, મૃત્યુનું દેવત્વ અને તેથી તે દિશા સારી નથી. જો કે, પારસી પરંપરામાં વિરૂધ્ધતા છે તે દક્ષિણને સારું અને ઉત્તરને સારું નહીં માનવાનું જણાવે છે. અમને…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    06 October, 2018 – 12 October, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમે આળસુ બની જશો. બનતા કામને બગાડી દેતા નહીં. શનિને કારણે નાણાકીય બાબતમાં મુશ્કેલીમાં આવશો. તમે જેટલું કામ કરશો એટલું વળતર નહીં મળે. તબિયત અચાનક બગડી જશે. સાંધાના દુ:ખાવાથી પરેશાન થશો. દરરોજ ભુલ્યા વગર ‘મોટી…

  • શું તમે પણ આવું કરો છો?

    એક સ્ત્રી એક ફ્રુટ વેચનારા વ્યક્તિ પાસે જાય છે, જે વ્યક્તિ ઉંમરમાં ખૂબ જ ઘરડા હોય છે. તેની પાસે જઈને તે પૂછે છે કે આ સફરજન તમે કયા ભાવે વેચી રહ્યા છો? એટલે પેલા ઘરડા માણસ તેને જવાબ આપે છે કે બેન આ તમને 80 રૂપિયાના એક કિલો મળશે. આથી તરત પેલી સ્ત્રી જવાબ આપે…

  • કાયમની કબજિયાત

    અમુક વ્યક્તિઓને ખાસ કારણોસર કબજિયાત થઈ આવતી હોય છે તો, અમુક વ્યક્તિઓને કાયમની કબજિયાત હોય છે. કાયની કબજિયાત કેમ મટે? દરરોજ જમવામાં એક ડુંગળી કાચી અચૂક હોવી જોઈએ. અને દરરોજ પાંદડાવાળા શાકભાજી ખાતાં રહેવું. બસ, આટલું નિયમીત રાખશો તો કયારેય કબજિયાત નહીં રહેશે. આ પ્રયોગ સાવ જ નિર્દોષ અને વ્યવહારૂ છે અને કાયમ થઈ શકે…

  • વેજ લોલીપોપ

    સામગ્રી: 3 બાફેલા બટેટા, 2 ચમચી ઝીણું સમારેલું ગાજર, 2 ચમચી ઝીણું સમારેલું બીટ, 3 ચમચી વટાણા, 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ, 1 ચમચી તેલ, 3 ચમચી કોથમીર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી આમચૂર, 1/2 લીંબુ નો રસ, મીઠું સ્વાદ અનુસાર, 50 ગ્રામ છીણેલું પનીર, મેંદામાં પાણી છમેરી તેનું ખીરૂં બનાવો, બ્રેડ…

  • પહેલા બેરોનેટ સર સાહેબની જન્મજયંતિ નિમિત્તે શાળામાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ

    નવસારીની સર જે. જે. પ્રાયમરી સ્કુલમાં તા. 21-07-2018ના શનિવારે શાળાના સ્થાપક પહેલા બેરોનેટ સર જમશેદજી જીજીભોય (સર સાહેબ)ની 236મી જન્મજયંતિ નિમિત્તે શાળામાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આર જે. જે. હાઈસ્કુલના હોલમાં યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રમુખ તરીકે નવસારીના જાણીતા સિનિયર હોમિયોપેથીક ડોકટર પલ્લવી ગાંધી હાજર રહ્યા હતા. શાળાના લોકલ કમીટીના…