સીનિયર સિટિઝનોએ લક્ષમાં લેવા જેવું

સાઈઠ કે પાંસઠ વરસની ઉંમર સુધી સરેરાશ માણસ પોતાના જીવનકાળમાં જે કંઈ બચત કરે છે એમની વિદાય પછી બધું એના સંતાનો માટે જ હોય છે એ પરંપરા છે. આમાં કશું ખોટું પણ નથી. પણ કેટલીક વાર એવું બને છે કે માણસ પરિવારજનો પ્રત્યેના સ્નેહને કારણે અથવા ક્યારેક જવાબદારીઓ અદા કરવાની ખોટી ગણતરીના કારણે પોતાની મુઠ્ઠીને ખુલ્લી કરી નાખે છે. પોતાની પાસે જે કંઈ છે એ અંતે તો આમનું જ છે એમ માનીને પોતાના હયાતીકાળમાં જ તેની વહેંચણી કરી નાખે છે. ક્યારેક પુત્રોના ધંધા માટે કે ક્યારેક કહેવાતાં વહેવારિક કામો માટે એ પોતાની પાસે જે કંઈ હોય એ વહેંચી દે છે. આમાં એના પક્ષે તો ફકત વિશ્ર્વાસ જ છે કે હવે આ પૈસાની લાલચમાં મારે શું કામ પડવું જોઈએ? અને મારા બાળકો મારી સંભાળ ન લે એવું કદી ન બને!

ઘડીભર કલ્પના કરો કે આવું થયા પછી કોઈક ધર્મકાર્ય માટે, સામાજિક કાર્ય માટે કે પોતાના રોજિંદા વહેવાર માટે સંતાનો પાસેથી રકમ માંગવી પડે, સાઈઠ વર્ષ સુધી આર્થિક સ્વાતંત્ર્ય ભોગવી ચૂકેલા માણસને કેવું લાગે? સંતાનો વડીલોની આ જ‚રિયાત હોંશેહોંશે માગ્યા વિના જ પૂરી કરે એ સુખદ પરિસ્થિતિ છે. પણ જ્યારે એક કરતા વધારે પુત્રો વચ્ચે મનમેળ ન હોય ત્યારે તેઓના ચિત્તમાં માતા કે પિતાની આવી કોઈ જ‚રિયાત પૂરી કરવી એ ટાળવા જેવું સ્પાર્ધાત્મક લક્ષણ બની જતું હોય છે. એક પુત્ર કદાચ આર્થિક તકલીફને કારણે કયારેક પોતાની જવાબદારી અદા ન કરી શકે, ત્યારે બીજા પુત્રને માતાપિતાનું હોવું  વધારાની જવાબદારી લાગવા માંડે એવું બને છે.

વડીલોને સંતાનો પ્રત્યે ઓછો સ્નેહ હોવો કે વિશ્વાસ નહિ હોવાની કોઈ વાત નથી પરંતુ કોઈવાર નબળા સંતાનને વધુ સહાયભૂત થવું એ માતાપિતાની પણ ફરજ છે. કોઈ વાર એક પુત્ર સમર્થ હોય પણ કોઈ કારણે જો એ પોતાની જવાબદારીઓ અદા ન કરતો હોય તો માતાપિતાએ અમારે મન તો બધા સંતાનો સરખા એ સુવર્ણ વાકયને ભૂલાવી દેવું જોઈએ. વડીલોએ આ સંદર્ભમાં એક વધુ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે. એક કરતાં વધુ સંતાનો હોય ત્યારે અથવા એક જ પુત્ર હોય તો પણ પોતાને માટે આ સંતાનોએ અવારનવાર જે કંઈ ખર્ચ કર્યો હોય એ બને ત્યાં સુધી એમને આપી દેવો જોઈએ. દા.ત. એક વડીલ પાસે પૂરતી બચત છે અને એમની તબીબી સારવારનો ખર્ચ લાખેક ‚પિયા થાય છે  (કેટલીક વાર સો ‚પિયા થતા હોય તો પણ) આ ખર્ચ જો પુત્રે કર્યો હોય તો પિતાએ એને આપી દેવો જોઈએ. ઘર તો એક જ છે એવું બોલનારા ખરેખર માનવ સ્વભાવને જાણતા નથી.

મોટા ભાગે, માતાપિતા માટે કરેલો આવો ખર્ચ જ્યારે પાછો આપવામાં આવે છે ત્યારે પુત્રને ઘડીક સંકોચ થાય છે, પણ પછી એ એનો સ્વીકાર કરી લે છે, કારણ કે મનોમન તો એને પણ આ ગમે જ છે. આમ કરવાથી એક બીજો પણ લાભ થાય છે. પોતે ખર્ચેલી રકમ પાછી મળી જ જવાની છે એવો વિશ્ર્વાસ પેદા થવાથી આવો ખર્ચ ટાળવાની પુત્રો વચ્ચે સ્પર્ધા થતી નથી. આવી સ્પર્ધા ટાળવી એ પણ પિતાનું કર્તવ્ય છે અને આ એક શુભ લક્ષણ પણ છે.

આ બાબતમાં એક ટૂકી વાર્તા રજૂ કરશું આવતા અઠવાડિયે…

Similar Posts

  • BPP Connect

    Countering ‘Parsi Darshan’ in Mumbai Samachar: Our small and erudite community has seen many communiqués projecting specific viewpoints, which have, over the years, been institutionalized. For eg., The WAPIZ Page espouses the traditional viewpoint; The Parsee Voice promotes the Kshnoomist viewpoint; ‘BPP Connect’ in Parsi Times, which projects the BPP viewpoint in keeping with its…

  • હસો મારી સાથે

    મે મારા મિત્ર જીગા ને ફોન કર્યો : ભાઈ તારી મેરેજ એનીવરસરી ક્યારે છે? જીગો : ઉભો રે, વાસણ જ ધોઉ છું, લોટા પર તારીખ લખી હશે, જોઇ ને કહું. **** પોતા માટે સમય કાઢો. જીવનમાં શાંતિ આવશે !! પત્નીએ કીધું, એકલા પોતા માટે શું કામ? વાસણ, કપડાં,અને કચરા માટે પણ સમય કાઢો! **** એક…

  • ગેહ: સુસંગતતા અને ધાર્મિક વિધિઓ

    જરથોસ્તી કેલેન્ડરના દરેક દિવસને પાંચ ટાઇમ ઝોનમાં વહેંચવામાં આવે છે, જેને ગેહ તરીકે ઓળખવામાં આવે છે. ગેહ શબ્દ પહલવી ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ સમયગાળો થાય છે. આપણા ધર્મમાં પાંચ ગેહ 24 કલાકના દિવસોમાં અમુક નિશ્ચિત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સેટ કરવામાં આવ્યા હતા-એટલે કે સૂર્યોદય, મધ્ય-દિવસ, સૂર્યાસ્ત અને મધ્યરાત્રિ. ગેહનો અર્થ અને ક્રમ – હવન,…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    27th February – 05th March, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી ગામ-પરગામથી મનને આનંદ મળે તેવા સમાચાર જાણવા મળશે. નાની મુસાફરી કરી શકશો. તમારા કામ સાથે બીજાના કામ પૂરા કરવામાં મદદગાર થશો. 13મી એપ્રિલ સુધી મનગમતી ચીજ વસ્તુ વસાવી શકશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. શુક્રની કૃપાથી તબિયતમાં સારો સુધારો…

  • ઉચ્ચ વજનનું કરોના

    કરોના વાયરસ સામે લડવાનું સૌથી અગત્યનું શસ્ત્ર આપણા પોતાના હાથમાં છે – આરોગ્ય અને તંદુરસ્તીના મહત્તમ સ્તરોને જાળવવા માટે જવાબદારી લેવી – તો જ વાયરસ સામે લડવામાં મદદ માટે રસીકરણ ઇચ્છનીય સહાયક તરીકે કાર્ય કરી શકે છે. પરંતુ હકીકત છે કે આરોગ્ય અધિકારીઓ, વિશ્ર્વવ્યાપી અને મોટા પ્રમાણમાં, એક રસી માટેની આવશ્યકતા પર ધ્યાન કેન્દ્રિત કરીને,…

  • |

    મારૂં વીતેલું વર્ષ

    નવરોઝની સાંજે ઘરના બધાજ કામ આટોપી નિરાંતે રોશનીએ અહુરમઝદને દિવો કરતા પોતાના ગયા વર્ષના નવરોઝથી લઈ આજના નવરોઝના દિન સુધી પોતાના ભૂતકાળને વાગોળતી હતી. થોડી વાર પછી તેણે એક કોરો કાગળ અને કલમ લઇને લખવા માંડ્યું. મારૂં વીતેલું વર્ષ- ગયા વર્ષે મારૂં ઓપરેશન થયું, અને મારું ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું, આ ઓપરેશનને કારણે મારે ઘણો…