પ્રાર્થના: સવારે ઉઠીને કરવાનું પહેલું કાર્ય અને રાતે સૂતાં પહેલા કરવાનું છેલ્લું કાર્ય

Er. Darayesh Rustomjee Katrak

એરવદ કાત્રકે પ્રાર્થનાની જરૂરિયાત સમજાવી છે. પ્રાર્થના આપણા મગજને સવારે ખોલવાનું કાર્ય કરે છે. ‘સવારમાં જાગીને પથારીમાં બેસીને પગ જમીન પર રાખીને અષેમ વોહુની પ્રાર્થના કરો. પ્રાર્થનાથી આધ્યાત્મિક શક્તિ મળે છે. જેનાથી તમે તમારા દૈનિક કાર્ય કરી શકો છો. તેવી જ રીતે રાત્રે સૂતા પહેલા પ્રાર્થના આપણા મગજને બંધ કરે છે. સરોશ યઝદને પ્રાર્થના કરો.

આપણે પ્રાર્થના શા માટે કરીએ છીએ?

એરવદ કાત્રક જવાબમાં કહે છે કે ‘મુખ્ય કારણ એ છે કે આપણે અહુરા મઝદાને તેના સાત સર્જન માટે આભાર માનવા પ્રાર્થના કરીએ છીએ જે સાતેયને આપણે એક યા બીજી રીતે જન્મથી ઉપયોગ કરીએ છીએ. તેઓ આ ભૌતિક અને આધ્યાત્મિક વિશ્ર્વના કર્તા અને મહાન છે તેમણે ભૌતિક વિશ્ર્વ બનાવ્યું તે અગાઉ માનવી, પશુ, અગ્નિ, ધાતુ, પૃથ્વી, પાણી અને છોડ બનાવ્યા. એરવદ કાત્રક પ્રાર્થનાની જરૂરત સમજાવતા કહે છે કે જેમ ચાના કપની રાહ જોઈએ છીએ તેમ પ્રાર્થના માટે કરવું જોઈએ. જેવી રીતે આપણે ચા બનાવવા સ્ટવ પાસે ઉભા રહીએ છીએ તેવી જ રીતે સાત અમેસાસ્પંદો. જેમ કે દૂધ, ચાની પત્તી તપેલીમાં જેમાં આપણે ચા બનાવીએ છીએ તે સઘળું છે. આપણે અન્ય ધર્મનો આદર કરવો જોઈએ પરંતુ આપણા ધર્મનું આચરણ કરવું જોઈએ. ઈશ્ર્વરને ધન્યવાદ વ્યકત કરવાની રીત એટલે જ પ્રાર્થના.

આપણી પ્રાર્થનાની શક્તિ

અવેસ્તા માંથ્રવાનીની પ્રાર્થનાનું મહત્વ કદી ઓછું ન આંકવું. આપણી પ્રાર્થના માત્ર અવેસ્તાન ભાષામાં હોવી જોઈએ અને બીજી આપણી પ્રાર્થનાના વિભાગ પાઝાંદ ભાષામાં થવા જોઈએ. અરદીબહેસ્ત યશ્ત દ્રષ્ટાંત તરીકે હીલીંગ પ્રેયર છે. હીલીંગ માટેની પાંચ પધ્ધતિ છે. જે અરદીબહેસ્ત યશ્તમાં અશો બહેસ્જો (હીલિંગ સચ્ચાઈ દ્વારા પ્રામાણિકપણું) દતો બહેસ્જો (જીવનમાં નિતીનિયમોનું પાલન કરવું) કરેતો બહેસ્જો (હીલિંગ સર્જિકલ પ્રોસીજર દ્વારા)

ઉર્વરો બહેસ્જો (હર્બલ મેડિસિન દ્વારા મેડિકલ ટ્રીટમેન્ટ) અને મંથ્રો બહેસ્જો (પ્રાર્થના દ્વારા સારવાર) પૂરી શ્રધ્ધા સાથે પ્રાર્થના કરો જે આપણી પ્રાર્થનાનો સ્વીકાર કરીને આપણને સફળતા અપાવશે.

એરવદ કાત્રક આપણી ફરજિયાન (સ્વૈચ્છિક પ્રાર્થના) અને મરજિયાત (પ્રાર્થના પસંદગીની) ને સમૂહમાં પ્રોત્સાહન આપીને તેની સમજ પૂરી પાડીને અશો જરથુસ્ટ્ર કઈ રીતે બહેરામ યઝદને શારિરીક શક્તિ આપવા પ્રાર્થના કરી હતી અને તેમની ઈચ્છા પૂરી થઈ હતી તે જણાવે છે. તેઓ પાદયાબ (સ્વચ્છતા)ના મહત્વને વધુ ભાર સાથે જણાવે છે. તેમજ કસ્તીનું મહત્વ અને સ્વૈચ્છિક પ્રાર્થના પણ જણાવે છે.

સ્વૈચ્છિક પ્રાર્થનામાં હાવન ગેહ, કસ્તી કરવાની ક્રિયા, જસા મે અવંઘે મઝદા, સરોશ બાજ, ખોરશેદ અને મહેર નીઆએશ, દોઆ વિસ્પા હુમાતા, દોઆ નામ સેતાયશ્ને, ચાર દિશાનો નમસ્કાર, દાદાર અહુરામઝદાના 101 નામ, દુઆ તંદોરસ્તી. તમેણે પોતાની વાત સમૂહને ધન્યવાદ આપીને તેમજ યઝદાન પનાહ બાદ, દેરીઝો શાદ બાદથી સમાપન કર્યુ હતું.

– જમશેદ અરજાની

Similar Posts

  • International Jazz Fest 2019 By NCPA (Day 1)

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]October 11, 2019 marks Day 1 of the International Jazz Festival 2019 presented by NCPA.[/otw_shortcode_info_box] . Dal Segño Trio Featuring LaToya Smith (6:30 pm): 20-year career, New York City native and band leader, Darrell Smith has played drums with globally renowned musicians. Mentorship from acclaimed musicians like Kenny Washington, Ali Jackson, Dafnis Prieto,…

  • I Am Hurt!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose…

  • WZCC Toronto Holds ‘The Global Zoroastrian Press Q and A’ Webinar

    The World Zoroastrian Chamber of Commerce (WZCC) Toronto chapter presented ‘The Global Zoroastrian Press Q and A’ Webinar on 25th September, 2021. Open discussions were held with the Zoroastrian media publications from around the globe. The panelists included Dolly Dastoor from FEZANA, Jehangir Patel from Parsiana, Anahita Subedar from Parsi Times, Shernaaz Engineer from Jame-e-Jamshed…

  • નહેરૂજીનો બાળપ્રેમ

    પંડિત જવાહરલાલ નહેરૂ 14 નવેમ્બર 1889 ના રોજ અલ્હાબાદમાં જન્મ્યા હતા. તેમનો જન્મદિવસ બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નહેરૂને બાળકો માટે ખૂબ જ લાગણી હતી અને તેમણે બાળકોને દેશના ભાવિ તરીકે ગણ્યા હતા. બાળકો પ્રત્યેના સ્નેહના કારણે, બાળકો પણ તેમને પ્રેમ કરતા હતા. પંડિત નહેરૂના જન્મદિનને ચિલ્ડ્રન્સ ડે (બાલદિન) તરીકે ઉજવવામાં આવે છે. જ્યારે…

  • Team ‘Committed To Community’

    –  ‘Building Trust, Rebuilding Credibility’  – Team ‘Committed To Community’ comprises four community stalwarts – Kersi Randeria, Lion Daara Patel, Hoshang Jal and Dr. Adil Malia – who will contest the BPP Elections as one team of like-minded individuals, who ‘think independently but work unitedly’ towards ‘Building Trust’ within the community and ‘Rebuilding Credibility’ of…