શિરીન

તે બેટો પોતાની નજર નીચે જમીન પર રાખી, પોતાના હાથની અદબવાળી કશું જ બોલી શકયો નહીં કે ફરી તે માતાએજ ઝનુનથી બોલવા માંડ્યું.

‘દીકરાના આવા બાદશાહી મહેલ કરતા મારા ગરીબડા ધણીની ઝુપડીમાં હું ઘણી સુખી હતી, કારણ ત્યાં માન ને ઈજ્જત હતા.’

ને પછી તે માતા વધુ બોલી શકીજ નહીં. એકદમ હાર્ટમાં દુખાવો થઈ આવી તેવણની છાતી ધમણ મિસાલ હાંફવા લાગી કે તે બેટાએ કાળજીથી તેવણને પલંગ પર લેટાડી મોટા ડોકટરને ગભરાઈને ફોન કરવા દોડી ગયો.

થોડીક વારમાં જ તે મોટો ડોકટર આવી પુગો. પછીથી તપાસી તેને ફરી પાછું પોતાનું મોહ કુમલાવી દીધું.

‘મી. ફ્રેઝર, ઘણોજ સખત પાછો હાર્ટએટેક થઈ આયોછ, ને બનતાં સુધી એવણને શાંત રાખવાની કોશિશ કરજો, નહીં તો કેસ સિરિયસ થઈ જશે.’

તેટલામાં ઝરી જુહાકે ઉશ્કેરાટથી કહી સંભળાવ્યું

‘ડોકટર, હું કાલે મારે ગામ જનાર હોવાથી મને સાથે કંઈ ગોલી ગોલા આપી રાખજો કે દુખાવો જો મુસાફરી વેળા થઈ આવે તો તરત ગાડીમાં લઈ લેવું.’

‘તમારી હાલત જરાકબી મુસાફરીને લાયક છેજ નહીં, મિસિસ ફ્રેઝર.’

તે મોટા ફિઝિશિયને કપાળનો ચીલ્લો ચઢાવતાં જણાવી નાખ્યું કે ફિરોઝ ફ્રેઝરે તેને બાજુમાં લઈ જઈ સમજાવી દીધું.

‘ડોકટર, ચોકકસ કારણસર મંમા ઘણા એકસાઈટ થઈ ગયા છ.’

‘તો મિ. ફ્રેઝર એવણને પાછાં સમજાવી લેવાની કોશેષ કરજો, નહીં તો એવણની જિંદગી જોખમમાં આવી જશે.’

પછી તે મોટા ડોકટરે કંઈ ચોકકસ ઈન્જેકશન આપી, વરી પાછા કંઈ દવા ચીતરી કાઢી તે મોટી ફીનું એનવલપ પોતાનાં ગજવામાં મૂકી, થોડીક સુચનાઓ શિરીન વોર્ડનને આપી, ત્યાંથી વિદાય થઈ ગયો, પણ તે છતાં ઝરી જુહાકનો ગુસ્સો હજુ ઉતરેલો નહીં હોવાથી તેવણે બોલવાનું ચાલુ જ રાખ્યું.

‘ધણીના ગયા પછી ગરીબાઈ વેઠી, હલ્લા ઘસી, સીવીને દીકરાને પોસ્યો ને કેળવ્યો ને હવે આજે એજ છોકરો પોતાની માયને ઘેરમાંથી બહાર કાઢવા તૈયાર થયોછ.

‘મંમા હું કહાં તમોને જવા કહેવુંછ, પ્લીઝ…પ્લીઝ મંમા, જરા શાંત પડો. હું મારે હાથે પપ્પાની છબી એની જગા પર પાછી લટકાવી દેવશ. હું તમોને તેને માટે વચન આપુછ, પણ મારે ખાતર પ્લીઝ એટલા શાંત થાવ.’ પછી તે બેટો પોતાની માતાના પલંગ આગળ ગુથણ માંડી ને એક બાળક મિસાલ રડી પડયો કે એ દેખાવ જોતાં શિરીન વોર્ડનનું જીગર ચુંથાઈ પીખઈ ગયું.

કેવું તેણીને મન થઈ આયું કે પોતાનાં હાથોમાં તે વહાલાને પકડી તેને સધ્યારો આપી શકે!

પણ અફસોસ કે તેમ કરવા તેણી હવે કશો હક ધરાવતી હતી કયાં જે? હવે તો તે આખો મોલી કામાનો હતો.

 (ક્રમશ)

Similar Posts

  • અમર ઈરાન

    કાયદાને માન આપી ડેનિયલના સઘળા શત્રુઓ સાવચેતીમાં રહ્યા, પરંતુ તે ધાર્મિષ્ઠ ધર્મગુરૂ તો પોતાના રાબેતા મુજબ, તેઓ સન્મુખ પોતાના પેદા કરનારની પ્રાર્થના કરવા લાગ્યો. આથી તેના શત્રુઓ દારયવુશ આગળ જઈ ફરિયાદ કરવા લાગ્યા કે તેણે શાહાનશાહનું પોતાના પેદા કરનારની પ્રાર્થના કરવા લાગ્યો. આથી તેના શત્રુઓ દારયવુશ આગળ જઈ ફરિયાદ કરવા લાગ્યા કે તેણે શાહાનશાહનું ફરમાન…

  • ઉદવાડા રેલ્વે સ્ટેશનનો ઉદ્ઘાટન સમારોહ

    7મી સપ્ટેમ્બર, 2019ના દિને નવા સુધારેલા ઉદવાડા સ્ટેશનનું ઉદઘાટન સાથે આપણા સૌથી પવિત્ર સ્ટેશનનું પુન:સ્થાપન માટે કરેલા પ્રયત્નો અને વ્યક્તિગત ધ્યાન માટે તેમજ ઉદવાડા ગામના કલ્યાણ માટે ઇરાનશાહ આતશ બહેરામના વડા દસ્તુરજી ખુરશેદ કેકોબાદ દસ્તુરજીનો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો. ઉદવાડાને હવે દક્ષિણ ગુજરાતનું સૌથી સુંદર સ્ટેશન તરીકે ગણવામાં આવે છે. પ્રવાસને સરળ બનાવવા અને…

  • થાણેની પટેલ અગિયારીના કુવા પર આવા યઝદનું પરબ

    24મી માર્ચ 2019ના દિને થાણાના જરથોસ્તીઓ દ્વારા  પટેલ અગિયારીના કુવા પર  આવા યઝદના પરબની ઉજવણી કરવામાં આવી હતી. જશનની પવિત્ર ક્રિયા સાંજે સ્ટે.ટા. 5.00 કલાકે એરવદ કેરસી સિધવા અને એરવદ આદિલ દસ્તુર દ્વારા કરવામાં આવી હતી. દસ્તુરજીની આગેવાની હેઠળ હમદીનોએ કુવા પર પ્રાર્થના કરી હતી. હમબંદગીમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જે નિયમીત મુલાકાતીઓ પણ…

  • થાણેની કાવસજી પટેલ અગિયારીની 240મી શુભ સાલગ્રેહની ઉજવણી

    21મી ફેબ્રુઆરી 2020ને દિને શેઠ કાવસજી પટેલ અગિયારીની 240મી શુભ સાલગ્રેહની ઉજવણી થાણા અગિયાર ફંડ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી. માચીની ક્રિયા એરવદ કેરસી સિધવા દ્વારા સાંજે 4.15 કલાકે કરવામાં આવી ત્યાર બાદ જશનની પવિત્ર ક્રિયા 5.00 કલાકે એરવદ બહેરામશા સિધવા, કેરસી સિધવા, આદિલ સિધવા અને આદિલ દસ્તુર દ્વારા કરવામાં આવી. અગિયારીને સરસ સુશોભિત કરવામાં આવી…

  • શાહજાદાનું શું થયું?

    હવે શાહજાદી જાગી ઉઠી. તેણે આંખો ઉઘાડી જોયું તો તેની મોટી અજાયબી વચ્ચે તેણે એક સુંદર ચહેરાના યુવકને, ભપકભર્યા પોષાકમાં પોતાના પલંગ આગળ બેટેલો દીઠો! તે તો થોડીવાર સુધી તેની સામે ટગર ટગર જોઈ રહી. રાજકુંવરી મનમાં વિચાર કરવા લાગી, કે તે સ્વપ્નુ જુએ છે કે ખરેખર કોઈ માણસને જુએ છે? તે જરાય ગભરાયેલી દેખાઈ…

  • આઇકોનિક તાતા-મિસ્ત્રી ભાગીદારીનો દુ:ખદ અંત

    22 સપ્ટેમ્બર, 2020 એ આપણા સમુદાયના બે અને આપણા દેશના સૌથી પ્રચંડ વ્યાવસાયિક જૂથો – તાતા સન્સ અને શાપુરજી પાલનજી ગ્રુપ વચ્ચેના 70થી વધુ વર્ષના આઇકોનિક જોડાણના અંતની શરૂઆત થઈ. સાયરસ મિસ્ત્રી વર્ષ 2016માં પદભ્રષ્ટ થયા પછી, શાપુરજી પાલનજી (એસપી) જૂથે તાતા સન્સમાંથી તેમને લઘુમતી શેરહોલ્ડર તરીકે બહાર નીકળવાની પુષ્ટિ કરી, તેઓ 18.37% હિસ્સો ધરાવે…