શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે

છુપામાંથી તેણે ગુપચુપ રીતે એમ જાહેર રીતે પેદા કર્યુ છે. બુલંદ આસમાનમાંથી તું આ સખુનનો વિચાર કરશે, તો જોશે કે એજ રીતે દુનિયાની પેદાયશ છે. જમાનો માણસ જાતથી આરાસ્તે થયો અને સઘળી ચીજો તેનાથી કિમતી બની. અગર જો જહાનમાં જોડું ન હતે તો શક્તિ છૂપી પડી રહેતે. વળી જોડાં વગર એક જવાન મર્દ ખોદાતાલાની દીન બરાબર પાળી શકે નહીં. વળી એક માણસ બુજોર્ગ તોખમનો હોય, પણ જોડાં વગર (એટલે બાયડી યા ખાવિંદ) વગર તે નહીં મળતાવડા સ્વભાવનો થાય. એક જહાન પહેલવાન ફરજંદથી રોશન રવાનનો થાય તેના કરતાં બીજું નેક શું હોય? જ્યારે માણસનો જવાનો (યાને મરવાનો એટલે બુઢાપો) વખત આવે, ત્યારે ફરજંદથી તેનો નવરોજ (નવો દહાડો) જાણે પાછો આવે છે. દુનિયામાં ફરજંદથી નામ રહે છે, કે ‘ફલાણો જાલનો છોકરો છે અને ફલાણો સામનો છોકરો છે. તેનાથી (એટલે ફરજંદથી) તાજ તખ્ત સિંગાર પામેલું રહે છે. તેનું (બાપનું) નામ જાય છે, પણ એનું (દીકરાનું) નસીબ  ચાલુ રહે છે. હવે હાલ એ સઘળો મારો અહેવાલ છે. એ બીના મારા બાગનાં ગુલ અને નરગેસ (મીસાલ) છે. મારૂં દીલ ઉઠી ગયું છે અને અકકલ જતી રહી છે. માટે કહો કે તેનો ઈલાજ શું છે? જ્યાં સુધી આ બાબતનો મને ઘણો ગમ લાગ્યો નહીં અને મારા મગજ અને મનમાં ઘણું ઓછું આવ્યું નહીં, ત્યા સુધી મે કાંઈ તમુને કહ્યું નહીં. મહેરાબના મહેલમાં મારી મહેર સઘળી લાગી છે. તેની જમીન મારે મનથી ફરતાં આસમાન માફક છે. મારૂં દિલ સીનદોખ્તની બેટીએ જીતી લીધું છે. તમો શું કહો છો? શું સામ એ કબૂલ કરશે? વળી જ્યારે મીનોચહેર પાદશાહ એ વાત સાંભળશે, ત્યારે તે મારા ભાગ પર એ જવાનીનો ખ્યાલ વિચારશે કે ગુનાહ વિચારશે? શું મોટાઓ કે નાનાઓ જ્યારે પોતા માટે જોડું શોધે છે, ત્યારે તેઓ દીન અને રિવાજના ફરમાવવા મુજબ કામ કરે છે. દાનવ આદમીએ એ બાબે કજીયો કરવો નહીં જોઈએ, કારણ એ દીનનો રાહ છે અને એમાં શરમ જેવું કાંઈ નથી. ત્યારે તમો મારા દુરઆગાહ મોબેદો આ બાબે શું કહો છો? દાનવો આ બાબતમાં શું પરિણામ જુએ છે.

જાલના આ સખુનો સાંભળી, મિજલસમાં મોબેદો અને દાનવો ચુપ રહ્યા, કારણ કે તેઓ જાણતા હતા કે મેહરાબનો વડવો જોહાક હતો અને તેથી મીનોચેરશાહને જાલ અને રોદાબેની શાદી પસંદ પડશે નહીં. સઘળાઓને ચુપ જોઈ જાલે જાણ્યું કે તેઓને આ વાત બરાબર પસંદ પડતી નથી. તેણે તેઓને કહ્યું કે ‘આ બાબતમાં શું કરવું તે બાબે તમો મને ઈલાજ સૂચવો.’ તેઓએ કહ્યું કે ‘મહેરાબ જો કે તારો બરોબરીઓ નથી, તો પણ તે બહાદુર અને શક્તિવાન છે. જો કે તે જોહાકના ટોળાનો છે, તો પણ તે આરબોનો સરદાર છે માટે તું સામ ઉપર કાગળ લખશે અને શાહ સામનો સખુન કરશે.’

આ સલાહ માન્ય કરી જાલે પોતાના બાપ સામ ઉપર કાગળ લખ્યો અને તેમાં તેની કેટલીક તારીફ કરી પોતાની હકીકત જણાવી, કે, ‘હું મહેરાબની બેટીની(મહોબત)થી રડતો થયો છુ અને જાણે રોશન આતશ ઉપર બળતો થયો છું. અંધારી રાતના સેતારાઓ મારા યાર થઈ પડયા છે (એટલે રાત્રે ઉંઘ આવતી નથી અને તારાઓને જોયા કરૂં છું) મારી હાલત દરિયાના કિનારા જેવી થઈ પડી છે (એટલે મહોબતના દુ:ખના મોજાઓ મારી ઉપર માર પડે છે) હું પોતે રંજમાં આવી પડયો છું અને સઘળા લોકો મારી હાલત પર દયા કરી રડે છે. જો કે મારા દિલ ઉપર આટલો સેતમ પડે છે તો પણ તારા ફરમાન વગર હું કાંઈ પણ કરવા માંગતો નથી. હવે તું જેહાન પહેલવાન શું ફરમાવે છે? તું આ દરદ અને સખ્તીથી મારા રવાનને છોડવ.’ જાલેજરે પોતાના બાપને વધુ યાદ આપી કે જ્યારે અલબુર્ઝ પહાડ પરથી સીમોર્ગ પાસેથી તેણે તેને કબજામાં લીધો હતો, ત્યારે ખોદાતાલા હજૂર કબૂલાત આપી હતી કે પોતે તે ફરજંદની જેબી કાંઈ ખાહેશ હશે તે બર લાવશે. તેથી જાલે બાપ પાસે માંગી લીધુ, કે તેની મહેરાબની બેટી સાથે પરણવાની હાલ જે ખાહેશ છે તે બર લાવવી.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • રૂસ્તમની બાનુ તેહમીના

    સોહરાબે માતા પાસે એક મજબૂત તેજ ઘોડો માંગ્યો. તેણીએ તેની આગળ ઘણા ઘોડાઓ રજૂ કીધા. તેમાં, રૂસ્તમ સમનગાન શહેરમાં આવ્યો હતો તે વખતનો તેના રખશની બુનનો જે એક ઘોડો હતો તે તેને પસંદ આવ્યો. અફ્રાસીઆબને ખબર પડી કે સમનગાનના પાદશાહની બેટીને પેટે રૂસ્તમ એક બેટો અવતર્યો છે જે બાપના કરતાં જોરાવર છે અને તેના હોઠ…

  • રોશનીની મુંઝવણ…

    રોશની 24 વર્ષ ની સુંદર દેખાવડી અને સંસ્કારી યુવતી હતી. જોતાવેત ગમી જાય એવી, પણ 10 થી 12 છોકરાઓ જોવા આવ્યા અને જોઇને ગયા પછી સામેથી ના નો જવાબ આવતો, આથી નસરવાનજી અકળાઈ જતા. નસરવાનજીના ધણીયાણી રોશનનું 4 વર્ષ પહેલા અકસ્માતમાં અવસાન થયેલું અને એમને સંતાનમાં એક માત્ર દીકરી રૂપે રોશની હતી. નસરવાનજી વલસાડની પ્રથમિક…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    20 May – 26 May 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જુન સુધી ચંદ્રની દિનદશા ચાલશે. તમે સોશીયલ વર્ક ખુબ સારી રીતે કરી શકશો. તબિયતની ચિંતા નહીં હોવાથી રોજના કામો સારી રીતે કરી શકશો. ચંદ્રની કૃપાથી જેટલું જાઈએ તેટલું ધન મેળવી લેશો. નાની મુસાફરીનો ચાન્સ મળશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર…

  • પાલનજી શાપુરજી મીસ્ત્રીને શ્રદ્ધાંજલિ

    શાપુરજી પાલનજી ગ્રૂપ ઓફ કંપનીઝના 93 વર્ષીય વડા પાલનજી શાપુરજી મીસ્ત્રીનું 27મી જૂન, 2022ના રોજ દક્ષિણ મુંબઈમાં તેમના નિવાસસ્થાને નિંદ્રામાં શાંતિપૂર્વક નિધન થયું હતું. ડુંગરવાડી (મુંબઈ)માં, સંપૂર્ણ રાષ્ટ્રીય અને રાજ્ય સન્માન સાથે 29મી જૂનના રોજ પરંપરાગત અંતિમ સંસ્કાર સેવા યોજાઈ હતી. દોઢસો વર્ષ પહેલાં સ્થપાયેલ, શાપુરજી પાલનજી ગ્રુપ હાલમાં વિશ્વભરના દેશોમાં પચાસ હજારથી વધુ લોકોને…

  • સ્વિટ્ઝર્લેન્ડના પારસીઓએ ખોરદાદ સાલની ઉજવણી કરી

    સ્વિટ્ઝર્લેન્ડના પારસી અને જરથોસ્તીઓએ ઝુરિચમાં અર્બન સ્પાઈસ રેસ્ટોરન્ટમાં ખોરદાદ સાલની ઉજવણી કરી હતી. સૌથી મોટા – રતિ સુરતી પુઝ અને ફલી રૂવાલાથી લઈને સૌથી નાના (જહાન શ્રોફ – 3 મહિના), તથા આ મેળાવડામાં 70 આનંદી અને પ્રેમાળ બાવાજીઓના સમૂહનો સમાવેશ થયો હતો. જેઓએ આ શુભ દિવસે પારસીપણાંની ઉજવણીની ભાવનાથી જીવીને કરી હતી. પેરિસના પરિવારો ટીસિનો,…

  • બંદગીને લગતા થોડાક કાયદાઓ

    ભણતી વખતે માંથ્રવાણી સિવાય વચમાં કાંઈપણ બોલવું નહીં. એકજ શાંત જગાએ રહી ધ્યાન આપી દીલથી ભણવું. કાંઈબી કામકાજ કરતાં, ઘેરમાં ફરતાં, રસ્તે ચાલતા ગાડીમાં કે બસમાં જતાં કદીપણ ભણવું નહીં. બદંગી અવાજ કાઢીને તેના કુશાદે અને બીસ્તા ભણવાના કાયદા પ્રમાણે કરવી. બનતાં સુધી ભણતી વખતે તમામ સફેદ સુતરાઉ પોશાક પહેરવો કારણ સફેદ રંગ પહેલવહેલો રંગ…