શાહનામાની સુંદરીઓ

જાલેજરની બાનુ રોદાબે

છુપામાંથી તેણે ગુપચુપ રીતે એમ જાહેર રીતે પેદા કર્યુ છે. બુલંદ આસમાનમાંથી તું આ સખુનનો વિચાર કરશે, તો જોશે કે એજ રીતે દુનિયાની પેદાયશ છે. જમાનો માણસ જાતથી આરાસ્તે થયો અને સઘળી ચીજો તેનાથી કિમતી બની. અગર જો જહાનમાં જોડું ન હતે તો શક્તિ છૂપી પડી રહેતે. વળી જોડાં વગર એક જવાન મર્દ ખોદાતાલાની દીન બરાબર પાળી શકે નહીં. વળી એક માણસ બુજોર્ગ તોખમનો હોય, પણ જોડાં વગર (એટલે બાયડી યા ખાવિંદ) વગર તે નહીં મળતાવડા સ્વભાવનો થાય. એક જહાન પહેલવાન ફરજંદથી રોશન રવાનનો થાય તેના કરતાં બીજું નેક શું હોય? જ્યારે માણસનો જવાનો (યાને મરવાનો એટલે બુઢાપો) વખત આવે, ત્યારે ફરજંદથી તેનો નવરોજ (નવો દહાડો) જાણે પાછો આવે છે. દુનિયામાં ફરજંદથી નામ રહે છે, કે ‘ફલાણો જાલનો છોકરો છે અને ફલાણો સામનો છોકરો છે. તેનાથી (એટલે ફરજંદથી) તાજ તખ્ત સિંગાર પામેલું રહે છે. તેનું (બાપનું) નામ જાય છે, પણ એનું (દીકરાનું) નસીબ  ચાલુ રહે છે. હવે હાલ એ સઘળો મારો અહેવાલ છે. એ બીના મારા બાગનાં ગુલ અને નરગેસ (મીસાલ) છે. મારૂં દીલ ઉઠી ગયું છે અને અકકલ જતી રહી છે. માટે કહો કે તેનો ઈલાજ શું છે? જ્યાં સુધી આ બાબતનો મને ઘણો ગમ લાગ્યો નહીં અને મારા મગજ અને મનમાં ઘણું ઓછું આવ્યું નહીં, ત્યા સુધી મે કાંઈ તમુને કહ્યું નહીં. મહેરાબના મહેલમાં મારી મહેર સઘળી લાગી છે. તેની જમીન મારે મનથી ફરતાં આસમાન માફક છે. મારૂં દિલ સીનદોખ્તની બેટીએ જીતી લીધું છે. તમો શું કહો છો? શું સામ એ કબૂલ કરશે? વળી જ્યારે મીનોચહેર પાદશાહ એ વાત સાંભળશે, ત્યારે તે મારા ભાગ પર એ જવાનીનો ખ્યાલ વિચારશે કે ગુનાહ વિચારશે? શું મોટાઓ કે નાનાઓ જ્યારે પોતા માટે જોડું શોધે છે, ત્યારે તેઓ દીન અને રિવાજના ફરમાવવા મુજબ કામ કરે છે. દાનવ આદમીએ એ બાબે કજીયો કરવો નહીં જોઈએ, કારણ એ દીનનો રાહ છે અને એમાં શરમ જેવું કાંઈ નથી. ત્યારે તમો મારા દુરઆગાહ મોબેદો આ બાબે શું કહો છો? દાનવો આ બાબતમાં શું પરિણામ જુએ છે.

જાલના આ સખુનો સાંભળી, મિજલસમાં મોબેદો અને દાનવો ચુપ રહ્યા, કારણ કે તેઓ જાણતા હતા કે મેહરાબનો વડવો જોહાક હતો અને તેથી મીનોચેરશાહને જાલ અને રોદાબેની શાદી પસંદ પડશે નહીં. સઘળાઓને ચુપ જોઈ જાલે જાણ્યું કે તેઓને આ વાત બરાબર પસંદ પડતી નથી. તેણે તેઓને કહ્યું કે ‘આ બાબતમાં શું કરવું તે બાબે તમો મને ઈલાજ સૂચવો.’ તેઓએ કહ્યું કે ‘મહેરાબ જો કે તારો બરોબરીઓ નથી, તો પણ તે બહાદુર અને શક્તિવાન છે. જો કે તે જોહાકના ટોળાનો છે, તો પણ તે આરબોનો સરદાર છે માટે તું સામ ઉપર કાગળ લખશે અને શાહ સામનો સખુન કરશે.’

આ સલાહ માન્ય કરી જાલે પોતાના બાપ સામ ઉપર કાગળ લખ્યો અને તેમાં તેની કેટલીક તારીફ કરી પોતાની હકીકત જણાવી, કે, ‘હું મહેરાબની બેટીની(મહોબત)થી રડતો થયો છુ અને જાણે રોશન આતશ ઉપર બળતો થયો છું. અંધારી રાતના સેતારાઓ મારા યાર થઈ પડયા છે (એટલે રાત્રે ઉંઘ આવતી નથી અને તારાઓને જોયા કરૂં છું) મારી હાલત દરિયાના કિનારા જેવી થઈ પડી છે (એટલે મહોબતના દુ:ખના મોજાઓ મારી ઉપર માર પડે છે) હું પોતે રંજમાં આવી પડયો છું અને સઘળા લોકો મારી હાલત પર દયા કરી રડે છે. જો કે મારા દિલ ઉપર આટલો સેતમ પડે છે તો પણ તારા ફરમાન વગર હું કાંઈ પણ કરવા માંગતો નથી. હવે તું જેહાન પહેલવાન શું ફરમાવે છે? તું આ દરદ અને સખ્તીથી મારા રવાનને છોડવ.’ જાલેજરે પોતાના બાપને વધુ યાદ આપી કે જ્યારે અલબુર્ઝ પહાડ પરથી સીમોર્ગ પાસેથી તેણે તેને કબજામાં લીધો હતો, ત્યારે ખોદાતાલા હજૂર કબૂલાત આપી હતી કે પોતે તે ફરજંદની જેબી કાંઈ ખાહેશ હશે તે બર લાવશે. તેથી જાલે બાપ પાસે માંગી લીધુ, કે તેની મહેરાબની બેટી સાથે પરણવાની હાલ જે ખાહેશ છે તે બર લાવવી.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • આ બાબત છે શ્રધ્ધા અને વિશ્ર્વાસની

    એકવાર પ્રાચીન ભારતમાં એક રાજા હતો જેણે તેની પુત્રી, રાજકુમારીને એક સુંદર હીરાનો હાર ભેટ સ્વરૂપે આપ્યો. જો કે, ગળાનો હાર ખોવાઈ ગયો કે ચોરાઇ ગયો લોકોએ ઘણી શોધખોળ કરી પણ તે મળ્યો નહીં. કેટલાકએ કહ્યું કે તે કોઈ પક્ષી દ્વારા લઈ જવામાં આવ્યો. તેથી, રાજાએ તેના લોકોને તે સર્વત્ર શોધવા કહ્યું અને હાર શોધનારને…

  • |

    Your Moonsign Janam Rashi This Year –
    14 August 2021- 12 August 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આ વરસની શરૂઆતમાં તમારા મગજને શાંત રાખી કામ કરવામાં સફળ થશો. નવા કામ શરૂ કરવા કરતા તમારા ચાલુ કામ પર ધ્યાન આપજો. આ વરસમાં નાણાકીય બાબતમાં સારા સારી રહેશે તથા મિત્રો તરફથી ફાયદો મળતો રહેશે. 13મી એપ્રિલથી 4 થી મે સુધી વડીલવર્ગની…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    18th April – 24th April, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 4થી મે સુધી સુર્યની દિનદશા ચાલશે. તેથી સરકારી કામ કરતા નહીં. તમારી અગત્યની ચીજ વસ્તુ તમારી સામેજ પડેલી હશે છતાં તમને નહીં દેખાય. કામનોે બોજો વધવાથી માથાનો દુખાવો અને એસીડીટીથી પરેશાન થશો. પ્રેશરની તકલીફ હોય તો બેદરકાર રહેતા નહીં. દરરોજ 96મુ નામ…

  • શાહ ઝેનાની ઓરત બેવફા નીકળી!

    શાહ ગુસ્સાથી ગાંડો થઈ બખાર્યો કે અફસોસ હજુરતો મે સમરકંદમાંથી મારૂં કદમ પણ ઉઠાવ્યું નથી તેટલામાં આ બેવફા ઓરતે પોતાના ખાવિંદથી સરફેરવ્યું ને એક કમીના ગુલામને પોતાનો પ્યાર આપવાને હિંમત કીધી છે તેથી એ બન્ને નાકાપોને તેઓના કરતુકતની સજા કરવી સજાવાર છે એમ બોલીને પોતાની આબદાર શમોર કહાડી એકજ ઝટકે તે બે પાપીઓના તનના ચાર…

  • શિરીન

     તે બેટો ત્યારે એ લેકચર સમજવાનાં મુડમાં હતો નહીં કે તેને ફરી ફેરાં આંટી મારવાના શરૂ કરી દીધા. અંતે સવારનું ઝઝકલું થતાં ‘ડરબી કાસલ’નાં તે ભવિષ્યનાં વારસે પોતાનો પહેલો સાદ આ જગતમાં સુનાવી પોતાનો જન્મ લઈ લીધો. કુલ કુદરત ત્યો ખુશાલીથી ખીલી ઉઠી. સુર્ય નારાયણનાં ઝાંખા કિરણો તે કાસલ પર પડી તે નાના જીવને આવકાર…

  • કર્મના નિયમો

    શ્રીમોટા આ યુગના એક મહાન સંત થઇ ગયા. શ્રીમોટા કોઈને જાણ ન થાય એ રીતે પોતાની સાધના કરતાં હતા. તે આમ તો હરિજન સેવાનું કામ પણ કરતાં હતા. એમાં જરાયે કચાશ આવવા દેતા ન હતા. દર વરસે એક મહિનો શ્રીમોટા રજા લેતા.  શ્રીમોટા કોઈ એકાંત સ્થળે એકલા જતા. ત્યાં ગુરુ મહારાજના આદેશ પ્રમાણે સાધના કરતાં….