મેટ્રો 3: તમામ હકીકતો જે તમારે જાણવી જરૂરી છે

ગુરુવાર, નવેમ્બર 9, 2017, સાંજે 8:30 વાગ્યે, આપણાં સમુદાયના અગ્રણી નેતાઓ અને વડા દસ્તુરજી ફિરોઝ કોટવાલ અને ખુરશેદ દસ્તુર, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના બંગલા ‘વર્ષા’માં મેટ્રો રેલ 3ની ગોઠવણના અંગે મળ્યા હતા. આ બેઠકમાં મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિ. (એમએમઆરસીએલ)ના ચીફ-અશ્ર્વિની ભીડે, મુંબઈના ભાજપના વડા – આશિષ શેલાર, માણેક દાવર અને એમએમઆરસીએલના માળખાકીય એન્જિનિયર-ગુપ્તા પણ હાજર હતા.

મેટ્રો રેલ 3ની ગોઠવણના મુદ્દા વિશે સમુદાયમાં અશાંતિ અને ચર્ચા છે, જે સંભવિતરૂપે આપણા ત્રણ પવિત્ર સ્થાનો જેમ કે એચ.બી. વાડિયા આતશ બહેરામ (પ્રિન્સેસ સ્ટ્રીટ પર), અંજુમન આતશ બહેરામ (મરીન લાઇન્સ સ્ટેશન નજીક), અને ભીખા બહેરામના કુવાને અસર કરી શકે છે. સમુદાયનો એક મોટો ભાગ આ બાબત માટે નારાજ છે.

આ મીટીંગ એક કલાક સુધી ચાલી હતી. વડા દસ્તુરજી ફિરોઝ કોટવાલે પારસી ટાઈમ્સ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ‘ મેં આપણા સમાજના વતી બધી ચિંતાઓ વ્યક્ત કરી હતી અને મને ખુશી છે કે મેં જે મુદ્ો ઉઠાવ્યો હતો તે ત્રણ મુદ્દાઓ આપણા પવિત્ર સ્થળોની સલામતી માટે સંબોધિત કરવામાં આવ્યા હતા. મેં પ્રથમ આપણા આતશ બહેરામ વિશે વાત કરી હતી અને મને ખાતરી થઈ ગઈ છે કે આઝાદ મેદાન વિસ્તારમાં સમગ્ર જમીનમાં ખોદકામ કરવામાં આવશે અને આપણા પવિત્ર માળખાઓને અસર કરશે નહીં. મેં આતશ બહેરામના કુવાના સુકાતા પાણી વિશે વાત કરી તેમજ આપણી ધાર્મિક વિધિઓમાં વહેતા પાણીની જરૂરિયાત વિશે વાત કરી હતી – અહીં કુવાઓ હેઠળની જમીનમાં પથ્થર છે, જે ભૂમિની અંદર ખૂબ ઊંડું છે, તે ડ્રિલ્ડ કરવામાં આવશે, જે આપણા ભીખા બહેરામના કુવાને અસર કરશે નહીં. ત્રીજો મુદ્દો મેં આપણા કેબલા હેઠળ ચાલી રહેલ ટનલ વિશે વાત કરી અને નકશા અનુસાર કોઈ ટનલ આપણા કેબલા હેઠળથી પસાર થઈ રહી નથી. આ બાબતમાં અંજુમન આતશ બહેરામના વડા દસ્તુરજી ફિરોઝ કોટવાલ અને કૈખુશરૂ જામાસ્પ આસાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેટ્રો રેલ 3ની ગોઠવણ માટે આપણા પવિત્ર ધર્મસ્થાનોને નુકસાન થવા અંગે ગભરામણ વ્યકત કરતો પત્ર લખ્યો હતો.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતે અમને ખાતરી આપી છે કે આપણા પવિત્ર ધર્મસ્થળમાં કોઈ પણ નુકસાન થશે નહીં અને તે વ્યક્તિગત રીતે દેખરેખ રાખશે. તેમણે પોતાના શબ્દોમાં આપણા સમુદાય માટે કહ્યું, ‘અમને આપણા પારસીઓ પર ગર્વ છે. પારસી સુમદાય શાંતિ-પ્રેમાળ સમુદાય છે અને અમે તેમની લાગણીઓને ઠેસ તથા અવગણવા જેવી બાબત નહીં કરીએ.’

સમુદાય વતી દસ્તુરજી કોટવાલે જણાવ્યું કે જ્યારે અમે ભારતમાં ઉતર્યા ત્યારે અમારા વડવાઓએ વચન આપ્યું કે અમે ભારતના મિત્ર બની રહીશું અને ત્યારથી તે આજ સુધી ભારતની પ્રગતિ માટેજ કામ કર્યુ છે.’

વડા દુસ્તુરજી ખુરશેદે પારસી ટાઈમ્સને કહ્યું કે, ‘હું મુખ્ય પ્રધાનનો અમને મળવા માટે આભાર માનું છું જે અમને ધીરજથી અમારી ચિંતાઓ અને આશંકાને દૂર કરવામાં મદદ કરી રહ્યા છે.’ જેમણે આપણને ખાતરી આપી છે કે આપણી ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં લઈ આપણી કોઈપણ ધાર્મિક જગ્યાઓને નુકસાન નહીં થવા દેશે.

દસ્તુરજી કોટવાલે જણાવ્યું કે ‘મને ખુશી છે કે હું આ વખતે દસ્તુરજી ખુરશેદ સાથે ગયો અને હવે હું શું કરી રહ્યો છું તેથી મને રાહત મળી છે અને હું આત્મવિશ્ર્વાસથી આપણા સમુદાયના સભ્યોને કહી શકું છું કે પૂજાના આપણા સ્થાનોની પવિત્રતા વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મીટિંગ દ્વારા મારા ટેકેદાર હોવા બદલ અને સમુદાય સામે સત્ય મૂકવામાં મદદ માટે હું દસ્તુરજી ખુરશેદની પ્રશંસા કરું છું. કેટલાક એવા લોકો છે કે જેઓ ખોટા સમાચાર ફેલાવવા અને આપણા નિર્દોષ સમુદાયના સભ્યોને મૂર્ખ બનાવવા અને ડરાવવાનું ચાલુ કર્યુ હતું  આ એવા લોકો છે કે જેઓ પોતાના સ્વહિતોનું ધ્યાન રાખે છે અને સમુદાયમાં તિરાડનું કારણ બને છે. હંમેશની જેમ, હું મારા ધર્મ અને મારા સમુદાયને સમર્પિત રહીશ અને હું સમગ્ર સમુદાયને એક થવા માટે વિનંતી કરું છું.’

ચર્ચાઓની સફળતાને ધ્યાનમાં રાખીને, મુંબઈના ભાજપના વડા આશીષ શેલારે પણ મીટિંગ વિશે ટ્વિટ કર્યું હતું કે ફડણવીસ અને અમારા પારસી સમુદાયનો એક સાથે આવવા અને ઉકેલ શોધવા માટે આભાર.

અહીં આશા રાખવામાં આવે છે કે ખોટી અફવાઓ અને ગેર સમજ ફેલાય નહીં અને છેવટે આપણા સમુદાયે આખરે રાહતનો શ્ર્વાસ લીધો.

Similar Posts

  • આપણું ઘર!!

    રોહિન્ટન મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી કરી રહ્યો છે, તેનો પગાર ખૂબ જ સારો છે. થોડા સમય પહેલા તેને એક ફ્લેટ વસાવ્યો હતો જેની લોનના હપ્તા હજુબાકી છે. પરંતુ રોહિન્ટન આ ભરવા માટે પૂરતો સક્ષમ છે કારણ કે હમણાં જ તેનું કંપનીમાં પ્રમોશન થવાથી પગાર અને પોસ્ટ બંને સારા મળી ગયા છે. રોહિન્ટનનો પરિવાર પોતાના ઘરમાં આનંદથી…

  • Don’t Miss The Screening Of ‘The Show Must Go On’ At NCPA!

    The Show Must Go On is an award-winning documentary that chronicles the creation of the successful and hilarious Parsi revue, ‘Laughter In The House’. After decades of dormancy, the ageing icons of Parsi Theatre return to the stage, putting aside their walking sticks and wheelchairs for one final curtain. Plunging into rehearsals, this documentary chronicles…

  • બટર સ્પોન્જ વેનિલા કેક

    સામગ્રી: 2 કપ લોટ, 2-3 કપ દૂધ, 1 કપ મીઠા વગરનું બટર, 1 ચમચી બેકિંગ પાઉડર, 2 કપ સાકર, 2 ચમચી વેનિલા એસેન્સ, બદામ અને કાજુ. રીત: અવનને 350 ડિગ્રી ફેરનહિટ ગરમ કરો. હવે એક બાઉલમાં સાકર અને બટર નરમ પડે ત્યાં સુધી મિક્સ કરો. હવે આ મિશ્રણમાં લોટ અને દૂધ ઉમેરો અને વ્યવસ્થિત મિક્સ…

  • Letters To The Editor

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] BPP Compromised, Community Victimised The BPP today is at the mercy of these three trustees who are in majority and have blatantly gone against the High Court order. The court had ordered the board of trustees to hold elections for the 2 vacant seats but instead of upholding the court’s verdict, the…

  • Kudos To Skating Champ Frehan Edulji!

    Nine-year-old Speed-skating champ, Frehan Edulji, did everyone proud having won one Silver and two Bronze medals in the ‘Speed Skating State Championships’, were held from the 14th to 18th November, 2019. The son of proud parents – Shezrin and Phiroze Edulji, and grandson of beaming granny – Armin Dutia Motashaw, Frehan will go on to…

  • Praying The Right Way

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Er. Dadachanji highlights the following important guidelines to strengthen the power of our prayers, by praying in the right manner…[/otw_shortcode_info_box] We should pray one Ashem Vohu in the morning when we wake-up and venerate the ground as Asfandarmad Ameshaspand takes care of the earth. This one Ashem Vohu is equivalent to praying it…