અહુરમજદનું ખોરેહ વધારવાનો એક માર્ગ ફર્માનબરદારી

આપણે કાયદાની બાજુએ ઉભું રહેવાની બાબત બાબે જરા વધારે અહીં બોલીશું. અહુરમજદની નકલ કરવાનો એક માર્ગ ફર્માનબરદારી છે. યાદ રાખવું કે ફર્માનબરદારી તે કાંઈ ગોલામગીરી નથી. ફર્માનદારી કંઈ છુટાપણાને આડે આવતી નથી. ફર્માનબરદારી એટલે કે કાયદા કાનુનોને માન આપી ચાલવું. કુલ કુદરત આપણને તે દાદારનો કાયદો શીખવે છે તે દાદાર પોતે પોતાની હકુમત કાયદા કાનુનોની રૂએ કરે છે. એવી ફર્માનબરદારી પોતા સાથે ઘણા સદગુણો લાવે છે. તેમાંનો એક સદગુણ નમ્રતા છે.
બેન્દીકટાઈન વર્ગના જે સાધુ સમાન ધર્મગુરૂઓ છે તેઓને માટે કહે છે કે તેઓમાં ફર્માનબરદારીનો સદગુણ બહુ ખિલવેલો હોય છે. તે સદગુણ નમ્રતા શીખવે છે. તે સબબે તેઓમાં એક કાનુન છે કે જેબી કોઈ, કોઈ ઓધ્ધા પછી મોટા કેનાના ઉપર આવે તેણે સઘળાઓને પગે પડવું. એ તાબેદારી, આપણા શબ્દોમાં બોલીએ તો, સરોશની એ સૃષ્ટિ, એવી મતલબ દેખાડે છે કે તે જે ઓધ્ધો ભોગવે છે તે આજુબાજુના ભલાં માટે છે. જેઓ તાબે થાય અને જેઓ તાબેદારી મેળવે, તે બેઉએ એક નેમ રાખવી જોઈએ તો આ કે તેઓએ પોતાના ભલાં કરતા ભાઈબંધોના ભલાંને પહેલે પસંદ કરવું.
અહુરમજદ સાથના સંબંધનું બીજું સાધન
જરથોસ્તી ધર્મની એક ખાસ શિખવણી ઉદ્યોગ
અહુરમજદ સાથનો સંબંધ જેથી આપણ તેનું ખોરેહ વધારી શકીએ તે માટેનું બીજું સાધન ઉદ્યોગ છે. ડો. ઉવેસ્ટ મોર્ક નામનો એક વિદ્વાન પોતાના એક પુસ્તકમાં, ઉદ્યોગ બાબેના વિષયમાં વાજબી રીતે કહે છે કે જરથોસ્તી ધર્મની એક લક્ષણસુચક ખુબી ઉદ્યોગની પીછાન છે તે કહે છે કે એક ખરા જરથોસ્તીએ ઉદ્યોગી, ચપળ અને ચંચળ રહેવું જોઈએ. ઉંઘ માણસની તંદોરસ્તી માટે જરૂરની છે પણ જ્યારે પણ તે જરૂરિયાત ઉપરાંત લેવામાં આવે ત્યારે તે બુશ્યાંસ દેવની પેદાયશ ગણાય છે.
ઉદ્યોગ નહીં કરનાર બાબે મીનોખેરદ
મીનોખેરદમાં આળસુ માણસ માટે નીચે પ્રમાણે કહે છે.
આળસુ પુરૂષ છે તે સર્વ માણસોમાં નાલાયક કહેવાય છે. કારણ કે દીનમાં જાહેર છે કે દાદાર અહુરમજદે આળસુ માણસ માટે અનાજ પેદા કર્યુ નથી. આળસુ માણસને બક્ષેશ અને આશોદાદ આપવાની નથી તેને માટે રેહવાનું મકાન અને આગતાસ્વાગતા કરવી જરૂર નથી. તેનો સબબ આ કે તે ખોરાક કે જે આળસુ આદમી ખાએ છે તે અનઘટતાપણા અને ગેરવાજબીપણાથી ખાએ છે. તેની આળસાઈને લીધે અને તેનાં ગેરવાજબી રીતે ખાવાને લીધે તેનું શરીર ખરાબ દેખાવનું અને તેનું રવાન દરવન્દ થાય છે.
વંદીદામાં આ સબબે માજદયસ્ની દીનની વૃધ્ધિ તરીકે અનાજની ખેતીને ગણી છે, સબબ કે ખેતી એક ઉદ્યોગ છે અને ઉદ્યોગ દીનદારી વધારે છે.

Similar Posts

  • Phish And Chips!

    Ruzbeh Raja is an Information Technology Consultant with over 20 years of experience in the IT industry. He is also a Visiting Professor of Law in the University of Mumbai. In keeping with increasing cyber-crime incidents, Parsi Times presents a series on Cyber Security Awareness for your online safety and benefit.   What is Phishing?…

  • હૈદ્રાબાદના 112 વર્ષ જૂના બાઈ માણેકબાઈ દરેમહેરનું નવીનીકરણ

    હૈદ્રાબાદના 112 વર્ષ જૂના બાઈ માણેકબાઈ દરેમહેરનું નવીનીકરણ કરી દરેમહેરનું ઉદઘાટન થયું ‘યઝશ્ને અને વંદીદાદની ક્રિયાઓ મરહુમ પેરિન કેરસાસ્પ દસ્તુરની યાદમાં તેમની દીકરીઓ મહેર કેરસાસ્પ દસ્તુર અને ફરિદા કેરફેગર આંટિયા અને તેમના ગ્રાન્ડ ચિલ્ડ્રન સનાયા ફરહાદ ચીચગર, ખુશરો કેરફેગર આંટિયા તરફથી એરવદ આદિલ ભેસાનિયા અને એરવદ માહિયાર પંથકી તથા મુંબઈના યોઝદાથ્રેગર મોબેદો દ્વારા કરવામાં આવી…

  • Caption This – 6th February

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 10th February 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • WZCC Holds Virtual AGM 2021

    In keeping with safety precautions against the ongoing Covid pandemic, this year too, the World Zarathushti Chamber of Commerce (WZCC) held its Annual General Meeting 2021, virtually (online), in January, 2022. This AGM marked the completion of tenures of many Directors and the arrival of new replacements, on the International Board. The meeting commenced with…

  • |

    Adarji-Dhunmai: War And Peace!

    Aaderji Writer steps out of his house. Remember him? Adarji the Angrej, an absolute anglophile, more British than the Brits! He notices Sherry, the colony’s adorable arm-candy and ‘Miss Parsi Colony – 2012’ approaching him. Adjusting his behesti papa’s Tootal tie, he tries buttoning up his tweed jacket that was de rigueur, way back when…

  • |

    તંત્રીની કલમે

    જમશેદી નવરોઝ મુબારક વ્હાલાં વાંચકો, દર વર્ષે, આપણે જમશેદી નવરોઝના શુભ પ્રસંગની ઉજવણી કરવા શું કરવું તેની સુચિ સાથે તૈયાર હોઈએ છીએ. આપણા ઘરોની સફાઈ, સજાવટ, નવા કપડા ખરીદવા, પ્રિય લોકોને આપવા મીઠાઈના ઓર્ડર કરવા, નાટકની ટિકિટ બુક કરાવવી અને રાત્રિના જમણ માટે ટેબલો બુક કરાવીએ છીએ વગેરે વગેરે. મોટાભાગે, આપણે આ બધા બાહ્ય દેખાવામાં…